Opinion Magazine
Number of visits: 9449475
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લૈંગિક સમાનતાની બંધારણીય જોગવાઈનો અમલ ન થતાં સંસદવિસર્જનનો ઐતિહાસિક હુકમ

અશ્વિનકુમાર ન. કારીઆ|Opinion - Opinion|21 October 2020

ભારતનું બંધારણ વિશ્વના શ્રેષ્ઠ બંધારણો પૈકીનું એક છે. બંધારણસભામાં માલતીદેવી ચૌધરી, પૂર્ણિમા બેનરજી, રાજકુમારી અમૃતકૌર, રેણુકા રે, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાની, વિજયાલક્ષ્મી પંડિત, અમ્મુ સ્વામીનાથન, એન્ની માસ્કોર્ન, બેગમ અઈઝાઝ રસૂલ, દક્ષયાની, દુર્ગાબાઈ દેશમુખ, હંસા મહેતા, કમલા ચૌધરી, લીલા રોય જેવાં મહિલા સ્વાતંત્ર્ય સેનાનીઓનું પ્રતિનિધિત્વ રહ્યું હતું. બંધારણના ઘડતરમાં તેમનું અસરકારક પ્રદાન રહ્યું છે. નિર્ભયાકાંડના પગલે કાયદાઓમાં સુધારો કરવા નિમાયેલી જસ્ટિસ વર્મા સમિતિએ કરેલ ભલામણો મુજબ કાયદાઓમાં ફેરફાર કરાતા, સ્ત્રી અત્યાચારોની ઘટનાઓમાં ઘટાડો થવા અપેક્ષા હતી. પરંતુ હાથરસ બળાત્કાર અને હત્યાની ઘટના એ બાબતનો સચોટ પુરાવો છે કે સ્ત્રીઓ સાથેના દૂર્વ્યવહારો અટકવાના બદલે વધી રહ્યા છે.

ભારતીય બંધારણના અનુચ્છેદ 14માં જણાવાયેલા સમાનતાનો સિદ્ધાંત લૈંગિક સમાનતાનો પણ સિદ્ધાંત છે. સરકાર કે તેના કોઈ વિભાગ તરફથી જ્યારે પણ લૈંગિક સમાનતાનો ભંગ થયો છે ત્યાં સર્વોચ્ચ અદાલતે અનેક કેસોમાં દરમ્યાનગીરી કરી સુધારણાનો પ્રશંસનીય પ્રયત્ન કરેલો છે. આ બાબતમાં ભારતના બંધારણની કેન્યાના બંધારણ સાથે સરખામણી કરવા જેવી છે. કેન્યાના બંધારણમાં એવી જોગવાઈ છે કે સંસદમાં લૈંગિક સમાનતા જળવાઈ રહે તે હેતુથી, સંસદમાં કોઈ પણ(પુરુષ કે સ્ત્રી)ની સંખ્યા બે તૃતિયાંશથી વધે નહીં, તે માટે ધારાકીય જોગવાઈ કરવામાં આવશે. ભારતમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામતનો 1976 અને 2010માં પસાર થયેલો ખરડો હવે રદ્દ (Lapse) થઇ ગયો છે અને ધૂળ ખાય છે. ભારતના તમામ રાજકીય પક્ષો મહિલા અનામત વિચારને આવકારે છે, પરંતુ તેના અમલ બાબતે, કૂતરું તાણે ગામભણી અને શિયાળ તાણે સીમભણી જેવું છે.

કોઈનો મત એવો છે કે ગ્રામીણ મહિલાઓ માટે જ અનામત હોવી જોઈએ, કોઈ વળી પછાત વર્ગની મહિલાઓ માટે જ અનામતની માગણી કરે છે. તો કોઈ બંધારણીય સુધારાની તરફેણ કરે છે. કેન્યાના બંધારણમાં લૈંગિક સમાનતાની જોગવાઈનો અમલ થવા સરકારે તે અનુસાર કાયદો ઘડવાની તેની ફરજ હતી. સ્ત્રી સંગઠનો, માનવઅધિકાર સમર્થકો અને અનેક સાંસદોએ તે માટે ઝુંબેશ ચલાવી હતી. પરંતુ સરકાર બિલકુલ નિષ્ક્રિય રહી. જો કે ભારતની સરખામણીએ, કેન્યાની સંસદમાં મહિલાઓની સંખ્યા વધારે છે. ત્યાંની રાષ્ટ્રીય ધારાસભાની કુલ 349 બેઠકોમાં 76 (22 ટકા) મહિલાઓ છે. જ્યારે ભારતની લોકસભાની કુલ 542 બેઠકોમાં 62 (14.58 ટકા) મહિલાઓ છે. કેન્યાની સેનેટની કુલ 67 બેઠકોમાં 21(31 ટકા) મહિલાઓ છે, જ્યારે ભારતની રાજ્યસભાની કુલ 243 બેઠકોમાં માત્ર 25 મહિલાઓ છે.

કેન્યાના બંધારણની જોગવાઈ મુજબ સંસદે વર્ષો સુધી તે અંગેનો કાનૂન પસાર ન થતાં, કાનૂની વિવાદ થયો. ત્યાંની ઉચ્ચ અદાલતે છેક 2012થી આ કાનૂન પસાર કરવા સંસદને વખતોવખત સમયમર્યાદા લંબાવી આપી હતી. ન્યાયતંત્રના આદેશો, સ્ત્રી સંગઠનો તેમ જ માનવ અધિકારોના સમર્થકોની ચળવળ છતાં સંસદ અસંવેદનશીલ રહી. તેથી મુખ્ય ન્યાયમૂર્તિ ડેવિડ માર્ગા સંસદ વિસર્જનનો આદેશ જારી કરવાની તૈયારીમાં જ હતા, ત્યાં કોવિડ મહામારી વચ્ચે આવી પડી. એટર્ની જનરલે આવી મહામારીના માહોલમાં સંસદ વિસર્જન આદેશ ન કરવા રજૂઆત કરી.

સંસદ વિસર્જનનો હુકમ કરવા માટે ઘણી હિંમતની જરૂર રહે. મુખ્ય ન્યાયમૂર્તિએ તે એમ કહીને પ્રગટ કરી કે અમારા આદેશો છતાં સંસદે તેનો અમલ કરવા કોઈ પગલાં લીધાં નથી. તેમણે હુકમમાં લખ્યું કે અમે જાણીએ છીએ કે સંસદ વિસર્જનથી આર્થિક સહિત અનેક મુસીબતો આવશે. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે પીડા વિના પ્રાપ્તિ નથી. કેન્યાની મહિલાઓ માટે આ ભવ્ય વિજય હતો. તમામ સંગઠનો વતી મેરિલીન કામરૂએ પ્રતિભાવ પ્રગટ કરતાં કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ આ આદેશનો અમલ કરે છે કે ભંગ કરે છે તે જોવાનું રહ્યું, પરંતુ સ્ત્રી કર્મશીલોની મહેનતના પરિણામે આપણને આ વિજય પ્રાપ્ત થયો છે.

મુખ્ય ન્યાયમૂર્તિએ સંસદ વિસર્જન હુકમમાં નોંધ્યું છે કે સંસદીય લોકશાહીમાં સાંસદો તેમના મતદારોને જવાબદાર છે. કાયદાના શાસનથી શાસિત થતા દેશમાં દરેક વ્યક્તિ પોતાના કૃત્ય અને કાર્યલોપ (Omission) બદલ જવાબદાર છે. મુખ્ય ન્યાયમૂર્તિના આ શબ્દો સાંસદોના ઉત્તરદાયિત્વ સંબંધમાં સૌએ યાદ રાખવા જેવા છે. ભારતમાં આપણે ન્યાયતંત્ર પાસેથી વિશાખા કેસ જેવા નિર્ણયની આશા રાખીએ.

(માહિતી સ્રોત : ઉપેન્દ્ર બક્ષીનો લેખ, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’, ઑક્ટોબર ૭, ૨૦૨૦)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 19 ઑક્ટોબર 2020; પૃ. 15-16

Loading

21 October 2020 admin
← નરેન્દ્ર મોદી લાલબહાદુર શાસ્ત્રી પાસેથી શું શીખી શકે?
ચીને ગ્રેટ લીપ ફોરવર્ડનો કાર્યક્રમ કેમ પડતો મૂક્યો ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved