Opinion Magazine
Number of visits: 9447254
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક્યાં આજના કઢીચટ્ટાઓ અને ક્યાં એ યુગના યુગપ્રહરીઓ !

રમેશ ઓઝા|Opinion - Opinion|15 February 2024

રમેશ ઓઝા

જો વિવેક ન હોય તો ગમે તેની કિંમત કોડીની થઈ શકે. દેશને આઝાદી મળી ત્યારે વિચારવામાં આવ્યું હતું કે ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી (ઉપરથી નીચેના ક્રમમાં) જેવા ઈલ્કાબ એવા લોકોને આપવામાં આવે જેનું જે તે ક્ષેત્રમાં બહુમૂલ્ય યોગદાન હોય. જેને પદ્મશ્રીનો ઈલ્કાબ આપવામાં આવ્યો હોય એ જો પોતાનાં ક્ષેત્રમાં હજુ વધુ મોટું યોગદાન આપે તો તેને ચડતા ક્રમમાં વધારે મોટો ઈલ્કાબ આપી શકાય. આવું બન્યું પણ છે. ત્યારે એવું પણ વિચારવામાં આવ્યું હતું કે રાજ્યસભાને ખરેખર વડીલોનું સભાગૃહ બનાવવામાં આવે. એમાં એવા લોકો બેઠા હોય જેમણે પોતાનું આખું જીવન જાહેરસેવાને આપ્યું હોય, અનુભવી હોય, વહીવટ કરવાનો પણ અનુભવ મેળવી ચુક્યા હોય. આ લોકો ચૂંટાયેલા શાસકોને અને એકંદરે સરકારને માર્ગદર્શન આપી શકે. રાજ્યસભામાં એવા કેટલાક લોકો પણ હોય જેમણે પોતાના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન દ્વારા કીર્તિ રળી હોય. કીર્તિ રળવા રાજ્યસભાનું સભ્યપદ ન આપવામાં આવે, કીર્તિ રળી છે માટે આપવામાં આવે. શક્ય છે કે એવા લોકો કોઈ પક્ષનું સભ્યપદ લઈને રાજ્યસભામાં સભ્ય બનવા માટે ઉમેદવારી ન કરે માટે સરકાર એવા લોકોની નિમણૂક કરે એવી જોગવાઈ કરવામાં આવી હતી.

ત્યારે નેશનલ બૂક ટ્રસ્ટ, ચિલ્ડ્રન્સ બૂક ટ્રસ્ટ અને સાહિત્ય અકાદમીની રચના કરવામાં આવી હતી જેનું કામ પ્રજામાં વાંચનરસ પેદા કરવાનો હતો. અંગ્રેજી, હિન્દી અને ભારતીય ભાષાઓમાં પ્રકાશનો કરવામાં આવે અને તેને સસ્તી કિમંતે લોકસુલભ કરી આપવામાં આવે. એક જમાનમાં દેશભરમાં નેશનલ બૂક ટ્રસ્ટ દ્વારા પુસ્તકમેળાઓ યોજવામાં આવતા હતા જેમાં આખા દેશના પ્રતિષ્ઠિત પ્રકાશકો ભાગ લેતા હતા. એક સ્થળે પેગ્ન્વીનનાં અંગ્રેજી પણ મળે અને ચોખંભાના સંસ્કૃત પુસ્તકો પણ મળે. ચિલ્ડ્રન્સ બૂક ટ્રસ્ટનું કામ નામ જ સૂચવે છે એમ બાળકો માટે સાહિત્ય વિકસાવવાનું અને બાળકો સુધી પહોંચાડવાનું હતું. ભારતીય ભાષાઓમાંથી પણ ઉત્તમ કશાનું બાળસાહિત્ય પસંદ કરીને બીજી ભાષાઓમાં ઉપલબ્ધ કરી આપવામાં આવતું હતું. સાહિત્ય અકાદમી જે તે ભાષાની શ્રેષ્ટ સાહિત્યકૃતિને પુરસ્કૃત કરે છે અને એ દ્વારા સાહિત્યકારનું સન્માન કરે છે. આ સિવાય અંગ્રેજી, હિન્દી અને બીજી ભારતીય ભાષાઓનું શ્રેષ્ઠ સાહિત્ય અન્ય ભાષાઓમાં અનુવાદિત કરીને ઉપલબ્ધ કરી આપવામાં આવે છે. સાહિત્ય અકાદમી દ્વારા રવીન્દ્રનાથ ટાગોર ગુજરાતીઓને વાંચવા મળે છે અને ઉમાશંકર જોશી બંગાળીઓને પોતાની ભાષામાં વાંચવા મળે છે. આ સિવાય લલિત કલાઓના પ્રચાર-પ્રસાર માટે લલિત કળા એકેડેમી અને સંગીત તેમ જ નૃત્યના પ્રચાર-પ્રસાર માટે સંગીત નાટક એકેડેમીની સ્થાપના કરવામાં આવી હતી. આ અકાદમીઓ પહેલી હરોળના સાહિત્યકારો, ચિત્રકારો અને અન્ય કલાકરો, સંગીતકારો, નાટ્યકર્મીઓ અને નૃત્યકારોને સન્માનિત કરે છે.

એ જવાહરલાલ નેહરુનો યુગ હતો જેમાં સાંસ્કૃતિક વૈભવનાં સપનાંઓ જોવામાં આવતાં હતાં. ઈશ્વર અને અલ્લાહની ઈબાદત કરનારાઓ અને તેમનાં મંદિર કે મસ્જીદ બાંધનારાઓ તો ઘણા મળશે, ઉમાશંકર અને રવીન્દ્રનાથની સર્જકતાની ઈબાદત કોણ કરશે! એ પ્રજા અધૂરી છે જે પોતાની સંસ્કૃતિને અને પોતાના વારસાને ઓળખતી નથી. એ પ્રજા અધૂરી છે જે પોતાનાં સર્જકો અને સર્જકતાને ઓળખતી નથી અને તેમની કિંમત કરતી નથી. એ પ્રજા અધૂરી છે જે કોઈ પુસ્તક વાંચતી નથી કે કોઈ સર્જનકૃતિને માણતી નથી. આનંદ કુમારસ્વામી નામના એક વિદ્વાને કહ્યું હતું કે ભારતની સમસ્યા ભણેલા અભણોની છે. તેમને વાંચતા લખતા આવડે છે, અદાલતમાં દલીલો કરતા આવડે છે, કોઈ બીમારની સારવાર કરતા આવડે છે, મશીન બનાવતા કે ઠીક કરતા આવડે છે, પણ તેઓ નાભીનાળ વિનાના છે. તેમની નાળ પોતાના હોવાપણાની નાભી સાથે જોડાયેલી નથી. હવે તો આવા લોકો શાળા કોલેજો અને વિશ્વવિદ્યાલયોમાં પણ ઘૂસી ગયા છે.

ઉમાશંકર જોશી

આનું પરિણામ જુઓ! નેહરુએ જે પરિપાટી વિકસાવી તેને કારણે ઇન્દિરા ગાંધીની સરકારે ઉમાશંકર જોશીને રાજ્યસભામાં નિયુક્ત કર્યા હતા. ઉમાશંકર જોશીએ ઈમરજન્સીના વિરોધમાં રાજ્યસભામાં જે ભાષણ આપ્યું હતું એ ઐતિહાસિક સાબિત થયું છે. સંસદમાં અપાયેલ શ્રેષ્ઠ ભાષણોની જો યાદી બનાવવામાં આવે તો ઉમાશંકર જોશીએ આપેલું એ ભાષણ પહેલા દસ ભાષણોમાં સ્થાન પામે. ઉમાશંકરની નિયુક્તિ ઇન્દિરા ગાંધીની સરકારે કરી હતી અને ટીકા ઇન્દિરા ગાંધીની કરવામાં આવી હતી અને એ પણ ઇન્દિરા ગાંધીને ધૃતરાષ્ટ્ર સાથે સરખાવીને. ક્યાં આજના કઢીચટ્ટાઓ અને ક્યાં એ યુગના યુગપ્રહરીઓ!

પણ આપણે જવાહરલાલ નેહરુને નિષ્ફળ બનાવ્યા. આપણે વિશ્વગુરુ ખરા, પણ બુદ્ધિ અને વિચારથી આપણે ડરીએ છીએ. જો બુદ્ધિ ખીલે અને વિચારતા થઈએ તો હિંદુ, પટેલ, બ્રાહ્મણ જેવી અનેક પ્રકારની અસ્મિતાઓના ગળપણથી વંચિત રહી જઈએ. એ ભલે ગળચટ્ટા વખ હોય પણ ગળપણ તો છે ને! આજનો યુગ બુદ્ધિવિરોધી તેમ જ બૌદ્ધિકવિરોધી છે. પણ એક વાત લખી રાખજો, ગમે એટલા ઉધામા કરવામાં આવે, ગાંધી અને નેહરુ જાન છોડવાના નથી. તેમને બદનામ કરવા માટે જે જહેમત લેવામાં આવે છે એ જ તેમની પ્રાસંગિકતાનું પ્રમાણ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 15 ફેબ્રુઆરી 2024

Loading

15 February 2024 Vipool Kalyani
← Indian Muslims and Electoral Choices
નીતિ અને અર્થશાસ્ત્ર : ભાગ-8; ભાગ-9; ભાગ-10 (છેલ્લો) →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved