'સાહેબ, હજી બી.એ.નું રિઝલ્ટ નથી આવ્યું, ત્યાં એમ.એ.નું ફોર્મ કેવી રીતે ભરું?'
'ભાઈ, બી.એ. પછી કરો તો વાંધો છે?'
•
કેટલાકને ડાયાબિટીસ હોય છે તો કેટલાકને દોઢ ડા'યાબિટીસ !
•
'સાહેબ, શું લાગે છે, ત્રીજી લહેર આવશે?'
'આવે પણ, કારણ મહેનત તો બધાં જ કરી રહ્યાં છે …'
•
'લગ્ન પછી માણસ શું કરે છે?'
'પસ્તાવો.'
•
'મેળાવડામાં 400ને છૂટ ને મરણમાં 40ને, તો મરણમાં 400ને બોલાવવા શું કરવાનું?'
'10 વખત મરવાનું.'
•
'રખાત અને પત્ની વિશે કૈં કહો.'
'રખાત જાણતી હોય છે કે પત્ની છે જ્યારે પત્ની ન પણ જાણતી હોય કે …'
•
'તમે પુન:લગ્નમાં માનો છો?'
'ના. તું?'
'રાહ જોઉં છું.'
•
'અલ્યા, પત્ની ગુજરી જાય તો તું બીજી કરે?'
'એની ક્યાં માંડે છે! મારા વાળી તો વિધવા પુનર્લગ્નનો લાભ લેવા વ્રત કરે છે.'
000
e.mail : ravindra21111946@gmail.com