Opinion Magazine
Number of visits: 9448840
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કયા ગાંધીને નમન કરું?

રમેશ સવાણી|Opinion - Opinion|4 October 2024

મહાત્મા ગાંધીની 154મી જયંતી પર વર્ધાના સેવાગ્રામમાં ગાંધી કુટિર સામે ઊભો હતો અને વિચારતો હતો કે ‘ક્યા ગાંધીને નમન કરું? એ ચશ્માંવાળા સંતને જે સરકારી જાહેરાતોમાં ખૂણામાંથી જૂએ છે? કે એ ચરખાવાળા દાર્શનિક જે લાઈબ્રેરી / સેમિનારમાં છૂપાયેલ છે? કે ચંપારણવાળા એ આંદોલનજીવીને જે દેશની ધૂળ ફાંકી રહ્યો છે? સડકો પર ભટકી રહ્યો છે?

આજે ગાંધી દરેક જગ્યાએ મોજૂદ છે, ભાષણમાં, પુસ્તકોમાં, મ્યુઝિયમમાં, ચાર રસ્તા પર, નોટ પર. ફાઈવ સ્ટાર હોટલમાં, UNમાં, G-20માં ! ગાંધીની આ સર્વવ્યાપકતા ઉત્સવનો નહીં પરંતુ ચિંતાનો વિષય હોવો જોઈએ. જો દેશમાં ગાંધીના હત્યારાના ખભે હાથ રાખનારા વિદેશીઓ સામે ગાંધીનું નામ જપે તો સમજવું કે કંઈક ગડબડ છે ! ગાંધીના સૌથી હોનહાર પરંતુ વાંકા શિષ્ય રામમનોહર લોહિયાએ ગાંધી હત્યાના થોડાં વરસ પછી ગાંધી વારસા પરના ખતરાને માપી લીધો હતો. 

લોહિયાએ ગાંધીવાદીઓને ત્રણ શ્રેણીમાં વહેંચ્યા હતા; પ્રથમ શ્રેણીમાં હતા સરકારી ગાંધીવાદી, જેમાં નેહરુ સહિત અધિકાંશ કાઁગ્રેસી નેતાઓ હતા. બીજી શ્રેણીમાં તેમણે મઠાધીશોને મૂક્યા હતાં, જેમાં કદાચ વિનોબા ભાવે સહિત સર્વોદયના કાર્યકરોને મૂક્યા હતા. લોહિયા માનતા હતા કે આ બન્ને શ્રેણીવાળા ગાંધીના સાચા વારસદાર ન હતા. 

જો ગાંધી વારસાને સાચા અર્થમાં કોઈ બચાવી શકે તો તે ત્રીજી શ્રેણીના કુજાત ગાંધીવાદી હતા, જેમાં લોહિયા પોતાને ગણતા હતા. આજના સંદર્ભે લોહિયાનું વર્ગીકરણ પ્રાસંગિક નથી રહ્યું. સરકાર બદલાઈ ગઈ. મઠ પડી ભાંગ્યાં અને ગાંધીવાદી નામની જાતિ જ બચી નથી ! પરંતુ લોહિયાનો સવાલ આજે પણ પ્રાસંગિક છે. ગાંધીના સાચા વારસદાર કોણ છે? આ સવાલ દરેક નવી પેઢીએ પૂછવો પડશે. નવી ઓળખ કરવી પડશે. 

ચશ્માંવાળા ગાંધી સંત છે, ભળાભોળા છે. પ્રવચન સારું આપે છે પણ વિચારમુક્ત છે. સફળ સંતોની જેમ સચ્ચાઈ / ભલાઈનો ઉપદેશ આપે છે અને પછી આંખો બંધ કરીને ધન્નાશેઠ ભક્તોને છૂટ્ટા મૂકી દે છે ! આ ગાંધી બાબા એવું પરબીડિયું છે જેમાં આપ મનમરજી મુજબ જે રાખવું હોય તે રાખી શકો છો. સ્વચ્છતા મિશન / NGO / કંપનીઓની જાહેરખબર માટે આ ગાંધી ઉપલબ્ધ છે. પોતાના હત્યારાથી ઘેરાયેલા કારણ વગર હસતા આ 154 વર્ષના વૃદ્ધને દરેક મહેલના ખૂણામાં સજાવી શકાય છે. બ્લેકનો ધંધો કરનારા પોતાની કમાણીને ‘ગાંધી’માં ગણે છે ! આ ગાંધીને જોઈને કોઈએ કહ્યું હશે કે ‘મજબૂરીનું નામ મહાત્મા ગાંધી !’ આ ચશ્માંવાળા ગાંધી, મારા ગાંધી નથી. આ આપણા સમયના જ્યોતિપુંજ ન બની શકે. 

ચરખાવાળા ગાંધી દાર્શનિક છે, ગાંધીવાદના જનક છે. પાછલા 2-3 દસકાથી પુસ્તકો અને સેમિનારોની દુનિયામાં આ ગાંધી બહુ જોવા મળે છે. અને કેમ ન હોય? આ ગાંધી ‘હિન્દ સ્વરાજ’ના લેખક છે, પશ્ચિમી સભ્યતાના આલોચક છે. આધુનિકતાના વિકલ્પ છે. દુનિયાને વિકાસની વૈકલ્પિક દિશા દેખાડનાર દૂરબિન છે ગાંધી. આ ગાંધી સત્યના શોધક છે. ‘ઈશ્વર સત્ય છે’થી લઈને ‘સત્ય જ ઈશ્વર છે’ની યાત્રા કરી ચૂક્યા છે. આ ગાંધી દુનિયાને અહિંસાનો પાઠ ભણાવે છે કે હાથ પર હાથ રાખીને બેસવાથી અહિંસા ન જળવાય ! અહિંસા માટે હિંસાનો સક્રિય પ્રતિકાર કરવો જરૂરી છે. સભ્યતાનાં મૂળમાં છૂપાયેલી હિંસાને રોકવી અનિવાર્ય છે. 

આ ગાંધી નિ:સંદેહ આકર્ષક છે, આવશ્યક છે, પણ આજના સંદર્ભમાં આ બહુ અધૂરા છે. આજના પડકારોને જોતાં ગાંધીને માત્ર દાર્શનિક બનાવી દેવા ગાંધી સાથે અન્યાય છે. આપણી સાથે પણ. ગાંધીએ કહ્યું હતું કે મારો સંદેશ મારા લખાણોમાં નહીં મારા જીવનમાં છે. જ્યારે ગાંધીનાં સ્વપ્નના ભારત પર પ્રાયોજિત હુમલાઓ થઈ રહ્યા છે, ત્યારે ગાંધીનાં પુસ્તકોનો માત્ર પોપટપાઠ કરવાનો પ્લાન છે ! આજના ગાંધી ચંપારણના આંદોલનજીવી હશે, સત્યાગ્રહના સિપાઈ હશે, સતત સંઘર્ષ અને નિર્માણમાં લીન કર્મયોગી જ આપણા સમયના ગાંધી હોઈ શકે. આ ગાંધી કોઈ વૈચારિક ખાંચામાં બંધાવા તૈયાર નથી. તે જીવનભર પ્રયોગ કરે છે અને દરેક પ્રયોગથી શિખવા તૈયાર છે. 

તે અંગ્રેજ રાજ સામે સંઘર્ષ કરે છે, અંગ્રેજો પ્રત્યે ધૃણા કર્યા વગર. તે છૂતાછૂત સામે યુદ્ધ છેડે છે, જાતિ દ્વેષ વધાર્યા વગર. તે અંતિમ વ્યક્તિ સાથે ઊભા રહે છે, તેને મજબૂત કરવા માટે આત્મનિર્ભરતાનું મોડેલ તૈયાર કરે છે. તે દરેક આગને ઓલવવા તેમાં કૂદવા તૈયાર રહે છે. આ ગાંધી રાજનેતા છે, કેમ કે તે જાણે છે કે રાજનીતિ આજનો યુગધર્મ છે. 154 વર્ષનો આ નવયુવાન પોતાના જન્મદિવસે સેવાગ્રામ કે રાજઘાટમાં દેખાતો નથી. તે મણિપુરમાં દરેક ખતરાનો સામનો કરતા ઘૂમી રહ્યો છે. બન્ને તરફથી ગાળો સાંભળી રહ્યો છે, દિલોને જોડી રહ્યો છે, સત્તાને ખરી-ખોટી સંભળાવી રહ્યો છે. તે નૂંહમાં જઈને અગનઝાળ અને બુલ્ડોઝર બન્નેના શિકારને મળી રહ્યો છે. હિન્દુ અને મુસ્લિમોને સમજાવી રહ્યો છે. સરકારની નિષ્ક્રિયતા / નિષ્ફળતા પર આંગળી ઊઠાવી રહ્યો છે. તે લિંચિંગના દરેક શિકારનું દર્દ સહન કરી રહ્યો છે, રામનવમીની આડમાં હુલ્લડ કરનારાઓને સમજાવી રહ્યો છે, તે કાશ્મીરના જખમ પર મલમ લગાવી રહ્યો છે. પાછલા કેટલાંક સમયથી આ ગાંધીએ નવા મિત્રો બનાવી લીધા છે; ભગતસિંહ અને ભીમરાવ આંબેડકર. આ ગાંધીને જોઈને લોકો કહે છે : ‘મજબૂતીનું નામ મહાત્મા ગાંધી !’ 

[સોજન્ય : યોગેન્દ્ર યાદવ, પ્રસિદ્ધ એક્ટિવિસ્ટ. 2 ઓક્ટોબર 2024]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

4 October 2024 Vipool Kalyani
← ગુલાબી
તેમને હત્યારા / બળાત્કારીઓ ‘સંસ્કારી’ લાગે છે અને પોતાના ‘બાપુ’ લાગે છે ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved