Opinion Magazine
Number of visits: 9568667
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કરસનદાસ મૂળજી : ૧૯મી સદીની એક વિરલ પ્રતિભા

દીપક મહેતા|Opinion - Opinion|25 July 2024

કરસનદાસ મૂળજી

કરસનદાસ મૂળજી એટલે 19 મી સદીના એક અગ્રણી સમાજ સુધારક, લેખક, પત્રકાર, અને આજે આપણે જેને સોશિયલ એક્ટિવિસ્ટ કહીએ છીએ એવી એક વિભૂતિ. ૧૮૩૨ના જુલાઈની ૨૫મીએ જન્મ, ૧૮૭૫ ના ઓગસ્ટની ૨૮મીએ અવસાન. પત્રકાર તરીકેની શરૂઆત તેમણે ‘રાસ્ત ગોફતાર’, ‘સ્ત્રીબોધ’, ‘બુદ્ધિવર્ધક’, ‘જ્ઞાન પ્રસારક’ વગેરે ‘ચોપાનિયાં’(સામયિકો માટે એ વખતે વપરાતો શબ્દ)માં લેખો લખવાથી કરી. પણ પછી એમને લાગ્યું કે પોતે જે કહેવા માગે છે, પોતે જે કરવા માંગે છે, તેને માટે પોતાનું ચોપાનિયું હોવું જોઈએ. આ માટેની ધગશ તેમનામાં ભરપૂર પણ આવું મેગેઝીન ચલાવવા માટે જે પૈસા જોઈએ એ તેમની પાસે નહીં. એટલે તેમણે વાત કરી એક નિકટના મિત્ર મંગળદાસ નથુભાઈને. એ જમાના મોટા વેપારી. પછીથી સર પણ બનેલા. પણ ખાસ તો કરસનદાસ જેવા સમાજ સુધારકોના મિત્ર અને તેમને સહાય કરનાર. આ મંગળદાસ નથ્થુભાઈએ આર્થિક જવાબદારી શરૂઆતનાં થોડાંક વર્ષો માટે ઉપાડી લેવાની ખાતરી આપી એટલે કરસનદાસે ૧૮૫૫માં શરૂ કર્યું ‘સત્યપ્રકાશ’ અઠવાડિક. તવારીખની સાચવણી કરવાનું આપણે લગભગ શીખ્યા જ નથી. ૧૮૫૫માં શરૂઆત તો થઈ ‘સત્યપ્રકાશ’ની, પણ કઈ તારીખથી થઈ એ મહેનત કરવા છતાં જાણી શકાયું નથી. મહિપતરામે લખેલા કરસનદાસના જીવનચરિત્રમાં પણ માત્ર વર્ષ આપ્યું છે, તારીખ નહિ. ૧૮૬૧ સુધી સ્વતંત્ર રીતે આ ‘સત્યપ્રકાશ’ ચાલુ હતું અને તે પછી એ ‘રાસ્ત ગોફતાર’ સાથે ભળી ગયું. ‘રાસ્ત ગોફતાર’ અને ‘સત્ય પ્રકાશ’ એ મેગેઝીન ૧૮૬૧થી ૧૯૨૧ સુધી પ્રગટ થતું હતું.

કરસનદાસ અને ‘સત્યપ્રકાશ’ એ બંને એ વખતે જે લાઈમ લાઈટમાં આવ્યાં એનું મુખ્ય કારણ મહારાજ લાઇબલ કેસ. તેની વિગતોમાં અત્યારે આપણે નથી જતા, પણ ‘સત્યપ્રકાશ’માં છપાયેલા લેખને કારણે આખો મામલો ઊભો થયેલો અને જદુનાથજી મહારાજે ૫0,000 રૂપિયાની નુકસાની માગતો દાવો માંડેલો. યાદ રાખજો ૧૮૬૧ના ૫0,000 એટલે આજે નહીં નહીં તો પાંચ કરોડ.

નાનાભાઈ રૂસ્તમજી રાણીના

કરસનદાસના હસ્તાક્ષર

સાથે એક બીજી વાત કરવાનું પણ મન થાય છે કે આપણે અમુક જ રીતે ઘટનાઓને જોઈએ છીએ. આ મહારાજ લાઈબલ કેસ એ જાણે માત્ર કરસનદાસ પર જ થયો હોય, એકલે હાથે એ ઝઝુમ્યા હોય, એ રીતે વાત આપણે ત્યાં થાય છે. પણ હકીકતમાં આ કેસ ફક્ત કરસનદાસ સામે નહોતો માંડ્યો, પણ કરસનદાસ અને ‘સત્યપ્રકાશ’ના પ્રિન્ટર પબ્લિશર નાનાભાઈ રુસ્તમજી રાણીના પર પણ માંડ્યો હતો. નાનાભાઈએ ૧૮૫૭માં યુનિયન પ્રેસ શરૂ કરેલું જે હજી આજ સુધી ચાલુ છે. આ નાનાભાઈ એટલે કરસનદાસ અને બીજા ઘણા બધા સમાજ સુધારકો અને લેખકોના નિકટના મિત્ર. ‘ડાંડિયો’ શરૂઆતમાં નાનાભાઈના યુનિયન પ્રેસમાં છપાતું. નર્મદનાં ઘણાં પુસ્તકો પણ નાનાભાઈએ પોતાના પ્રેસમાં છાપ્યાં. પણ સૌથી વધુ મહત્ત્વની વાત છે તે એમના અંગ્રેજી જીવન ચરિત્રમાં નોંધાઈ છે, ગુજરાતીમાં ક્યાં ય નોંધાઈ હોય એવું અત્યાર સુધી મેં જોયું નથી.

ખટલો દાખલ કર્યા પછી જદુનાથજી મહારાજે પોતાના એક ખાસ શિષ્યને નાનાભાઈ રાણીના પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે આ તો અમારો હિન્દુઓનો ઝઘડો છે. તમે તો પારસી છો. તમે શું કામ નાહકના કેસમાં હેરાન થાવ છો? તમે એકવાર અમારી પાસે આવીને અમારી મૌખિક માફી માગી લો તો તમારું નામ અમે કેસમાંથી દૂર કરીએ. ત્યારે નાનાભાઈએ પેલા શિષ્યને જવાબ આપ્યો : તમારા મહારાજશ્રી ને કહેજો કે તમે કહો છો તેમ હું તો પારસી છું, હિન્દુ નથી એટલે હિન્દુ ધર્મ શું કહે છે એની મને ખબર નથી. પણ મારો જરથોસ્તી ધર્મ મને મિત્ર દ્રોહ કરવાનું શીખવતો નથી. અને નાનાભાઈ છેવટ સુધી કરસનદાસની સાથે ઊભા રહ્યા. આ કેસ લડવામાં જે કંઈ ખર્ચ થયો એનો અડધો હિસ્સો પણ તેમણે આપ્યો. 19મી સદીના આપણા લેખકો સુધારકો અગ્રણીઓની મનોદશા કેટલી ઉચ્ચ હતી એનો આ એક પુરાવો છે. અને એટલે જરાક ચાતરીને પણ આ વાત અહીં કરી છે.

e.mail : deepakbmehta@gmail.com

Loading

25 July 2024 Vipool Kalyani
← ઉત્તર પ્રદેશ બી.જે.પી.માં ઘમાસાણ યુદ્ધ
ગાઝા એકોક્તિઓ →

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved