Opinion Magazine
Number of visits: 9446286
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો : સમગ્ર રાસ-ગરબા / લે. અવિનાશ વ્યાસ, સંકલન અંકિત ત્રિવેદી. 

દીપક મહેતા|Opinion - Opinion|21 July 2025

ગ્રંથયાત્રા : 8

“ગરબાને સ્વર સાથે સગપણ છે, ગરબાને કવિતા સાથે નાતો છે, ગરબાને તાલ સાથે તાલાવેલી છે. સહેજ આગળ વધીએ તો ગરબાને થોડુંઘણું નૃત્ય સાથે અડપલું કરવા દઈએ. પણ ગરબાનું વ્યક્તિત્વ કોઈ પણ સ્થળે કે કોઈ પણ સંજોગે ઘવાવું ના જ જોઈએ.” આ શબ્દો છે ગરબાને અનહદ લાડ કરીને ઉછેરનાર અવિનાશ વ્યાસના. 

તેમના ગરબા એટલા તો લોકપ્રિય થયા છે કે કેટલીક વાર અજાણતાં લોકગીતોનાં સંપાદનોમાં સમાવાઈ ગયા છે. જુદાં જુદાં પુસ્તકોમાં વેરાયેલા તેમણે લખેલા ગરબા-રાસ ‘કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો’ નામના પુસ્તકમાં એક સાથે સુલભ થયા છે. અહીં ૧૪૨ જેટલા ગરબા સંગ્રહાયા છે જેમાંના ૧૧ અગાઉ પ્રગટ ન થયા હોય તેવા છે. આ ઉપરાંત ૨૬ જેટલા રાસ પણ આ પુસ્તકમાં છે. ગરબા-રાસ એટલે એકવિધતા, ગતાનુગતિકતા, લોલેલોલ, એવો ખ્યાલ જો કોઈના મનમાં હોય તો તે આ પુસ્તક વાંચ્યા પછી ભાંગી જાય તેમ છે. કારણ અહીં ભાવ, વિષય, અભિવ્યક્તિ, તાલ, લય, વગેરેનું અપાર વૈવિધ્ય જોવા મળે છે. પરંપરા સાથે અનુસંધાન સાચવતો આ ગરબો જુઓ :

માનો મરઘડો બોલ્યો કે રાત છે અંજવાળી,

પડી તાળી ને ડુંગરો ડોલ્યો કે રાત છે અંજવાળી.

તો બીજી બાજુ અવિનાશભાઈમાં રહેલી કવિત્વ શક્તિનો પૂરેપૂરો પરિચય આપતી કૃતિઓ પણ અહીં છે :

માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો.

સારું આકાશ એક હિંડોળાની ખાટ 

જેમાં ઝૂલે મારી જગદંબા માત, હિંડોળાની ખાટ.

તો કેટલીક વિશિષ્ટ કહી શકાય, પ્રયોગાત્મક કહી શકાય, નવી ભોંય ભાંગનારી કહી શકાય, એવી કૃતિઓ પણ અહીં છે. ‘ગરબાની ગાથા’માં લોકગીતો અને મધ્યકાલીન તેમ જ અર્વાચીન કવિઓના ગરબાનું સૂઝભર્યું સંકલન છે તો કાવ્યશાસ્ત્રની અષ્ટ નાયિકાઓને રજૂ કરતી કૃતિ પણ છે. પાંચ મહાભૂતો અને નવ ગ્રહોને લગતા ગરબા અહીં છે તો પાંચેક પંખીઓના કલરવ વિશેની કૃતિ પણ છે. અરે, સંસ્કૃત છંદોમાં લખાયેલો ગરબો પણ અહીં જોવા મળે છે. શાસ્ત્રીય રાગો પર આધારિત ગરબા પણ અહીં છે. વળી આ બધા કાગળ પરના પ્રયોગો નથી. આ પુસ્તકમાંની કોઈ કૃતિ એવી નહિ હોય જે ક્યારેક ને ક્યારેક રંગભૂમિ પરથી સફળતાપૂર્વક રજૂ ન થઈ હોય. અને છતાં આજે પણ આ કૃતિઓ વાસી લાગતી નથી. 

પુસ્તકમાં જોડાયેલા લેખમાં ગૌરાંગ વ્યાસે કહ્યું છે તેમ “આટલાં વર્ષો પછી પણ એ ‘નવી’ જ લાગે છે એ જ એની ખૂબી છે.” પુસ્તકમાં પુરુષોત્તમ ઉપાધ્યાય, રાસબિહારી દેસાઈ, અને કલ્લોલિની હઝરતનાં લખાણો પણ સમાવ્યાં છે. પુસ્તકનું સંકલન કરનાર અંકિત ત્રિવેદીએ કહ્યું છે તેમ “સાધના, આરાધના, અને ઉપાસનાના ત્રિવેણી સંગમ પર ઊભેલા આ ગરબા ક્ષણોને વીંધીને સદીઓને ઊજળી કરી રહ્યા છે.”

(અવિનાશ વ્યાસ, જન્મ ૨૧ જુલાઈ ૧૯૧૨)

21 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

21 July 2025 Vipool Kalyani
← એક કવિતા
ઘડપણની એકલતા અને એકલતાના આનંદની વાર્તા કહેતી ‘સદાબહાર’ ફિલ્મ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved