Opinion Magazine
Number of visits: 9448832
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કબૂલ કે કેજરીવાલ જે.પી. જનતા પર્વના ઉત્તરાધિકારી નથી, છતાં … જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના માટે કોણ જવાબદાર?

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|10 April 2024

આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો મેળ કેમનો બેઠો?

કેજરીવાલ કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આદર્શવાદી આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. ‘આપ‘નો દિલ્હી–પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાનાં ઊંચાં ધોરણો અને વીજળીની સોંઘારત, આ બધું  એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની આભા જગવે તે સ્વાભાવિક હતું

પ્રકાશ ન. શાહ

એ એક જોગાનુજોગ જ હતો અલબત્ત કે બે’ક અઠવાડિયાં પર આ સ્થળેથી પૂછવાનું થયું હતું કે 1974, 1975-77ના જે.પી. જનતા આરોહણનું ઉત્તરાધિકારી કોણ હોઈ શકે. 1979-80માં જનસંઘે એના જનતા અવતારથી ફારેગ થતે છતે પુન: જનસંઘ નહીં થતાં ભારતીય જનતા પક્ષ રૂપે કાર્યરત થવાનું વિચાર્યું ત્યારે જે ભૂમિકા લીધી હતી એની કદરબૂજ રૂપે મોહમ્મદ કરીમ ચાગલાએ અટલ બિહારી વાજપેયીને ભાવિ વડા પ્રધાન તરીકે ઓળખાવ્યા હતા. ચાગલા ન્યાયમૂર્તિ તરીકે તેમ રાજપુરુષની પ્રતિભા ધરાવતા રાજનેતા તરીકે સુપ્રતિષ્ઠ હતા.

મુંબઈ ગુજરાતના સંદર્ભમાં વિચારું છું તો 1974-1980નાં વરસોમાં ઉભરેલો એક નરવોનક્કુર અવાજ ચિમનલાલ ચકુભાઈ શાહનો સાંભરે છે. ચિમનલાલ ચકુભાઈ બંધારણ સભાના સભ્ય હતા. એમને શરૂમાં ઇંદિરા ગાંધીના રાજકારણ પરત્વે કંઈ આશા હશે, અને એમને પ્રામાણિકપણે લાગતું કે જયપ્રકાશજી એ આંદોલનનો રાહ લઈ રહ્યા છે તે કદાચ દુરસ્ત નથી. પણ જેવી કટોકટીની જાહેરાત થઈ કે એમને પ્રતીતિ થઈ કે જયપ્રકાશના પ્રતિકાર મુદ્દાઓ પ્રસ્તુત છે.

આ જ ચિમનલાલ ચકુભાઈએ જનતા ભંગાણ પછી પ્રગટ હિમાયત કરી હતી કે જ્યાં જનતા પક્ષના ઉમેદવારની પસંદગી શક્ય ન હોય ત્યાં ભા.જ.પ.નો વિચાર કરી શકાય.

જો કે, 1984ના કારમા પરાજય પછી ભા.જ.પે. જે રાહ લીધો – જે.પી. જનતા પર્વની પુણ્યાઈ પરહરીને – તે પછી એના રંગઢંગ ઉત્તરોત્તર ફતેહ છતાં એવા થઈ ગયા કે એને વિશે એમ કહેવું સ્વાભાવિક થઈ પડ્યું કે તે જે.પી. જનતા આરોહણનો લાભાર્થી હશે, ઉત્તરાધિકારી નથી.

અરવિંદ કેજરીવાલ

વયમાં સંયુક્ત સરકારો અને વી.પી. શાસનના ઝોલા આવી ગયા તે ભલે, પણ આજથી દસ-અગિયાર વરસ પર જયપ્રકાશના આંદોલન પછીની એક મોટી ઘટના રૂપે આપ અને અરવિંદ કેજરીવાલના ઉદયને ખસૂસ જોઈ શકાય. શરૂ શરૂમાં અણ્ણા હઝારે અને અરવિંદ કેજરીવાલની જુગલબંદી જોતાં જે.પી. આંદોલન સાથે અનુસંધાનનીયે કંઈક લાગણી જાગતી.

જો કે, અણ્ણા પૂરા કદના રાજકીય વિકલ્પની હદે ઉત્સુક નહોતા જ્યારે કેજરીવાલ અને સાથીઓ તે તરફ જવાની અનિવાર્યતા અનુભવવા લાગ્યા હતા. એ ગાળામાં જેમને અણ્ણાનો ઓછોવત્તો પરિચય થયો હશે, એક ખયાલ જરૂર આવ્યો હશે કે આ એક સમર્પિત આત્મા છે પણ એમના ભાવપિંડમાં કોઈ સમગ્ર વિચારનકશો હોય એવું નથી.

આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ અરવિંદ કેજરીવાલ જ્યારે આંદોલનને માથે ‘ટોપી’ લાયક કોઈ મોટા માથાની શોધમાં હતા ત્યારે એમણે ચુનીભાઈ વૈદ્યને આગળ કરવા વિશે ય અજમાયશી તોર પર વિચાર્યાની મારી છાપ છે. પણ ‘ઇંદિરા ઈઝ ઇંડિયા’ ફેમ દેવકાન્ત બરુઆ સાથે પણ માથું દુખાડતી ચર્ચા કરી ભૂદાનફાળો લઈ આવી શકતા ચુનીકાકા કરતાં અણ્ણા એમને અનુકૂળ લાગે એ સ્વાભાવિક હતું, કારણ દરેક સમર્પિત જીવ કને વૈચારિક સ્પષ્ટતા નયે હોય.

2004માં અડવાણીથી ફિલગુડાઈ છતાં ભા.જ.પ.(એન.ડી.એ.)એ લોકસભાની ચૂંટણી ખોઈ. 2009માં પણ એમ જ બન્યું. તે પછી અણ્ણાના આંદોલનમાં ભા.જ.પે.-સંઘ પરિવારે વળી એક જે.પી. જમાના જેવી તક જોઈ જે ઝડપી વિજયલક્ષી મધ્યપ્રવાહ નસીબ થઈ શકે. એ આખા નેટવર્કની વાત અહીં છોડી દઉં છું, પણ અણ્ણા એક પળે કથિત ગુજરાત મોડેલ પરત્વે લાલા ગગા થઈ ગયા હતા અને અહીં તેડાવી પ્રત્યક્ષ દર્શન કરાવ્યા બાદ એમની મૂર્છા કંઈક ઊતરી હતી એ ઇતિહાસવસ્તુ છે.

કેજરીવાલ સંખ્યાબળે ઓછા હશે, એમની કને 1925થી બંધાતી આવતી સંગઠન શૃંખલા નહીં હોય પણ આઈ.ટી. જનરેશન અને શાતિર નેતૃત્વનો ઠીક મેળ પડી ગયો. આપનો દિલ્હી-પ્રવેશ, શીલા દીક્ષિતનો પરાજય, કેજરીવાલ શાસનમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવા તેમ જ વીજળીસુખ, આ બધું એક નાના પરિબળને અંગે વૈકલ્પિક રાષ્ટ્રીય પડકારની મનોવૈજ્ઞાનિક આભા જગવે તે સ્વાભાવિક હતું.

એમના કથિત નાણાંસ્રોતને મુદ્દે આજે એ વિવાદ અને શંકાના દાયરામાં છે. પણ એ જ નાણાંસ્રોત ભા.જ.પ.ને જે રીતે ફળી રહ્યો છે એનીયે વિગતો સાફ છે. ચૂંટણી જાહેરાત પછી પ્રવર્તન નિદેશાલય (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ-ઈ.ડી.) જે રીતે મંડી પડેલ છે, જે રીતે ઈ.ડી.ની લોન્ડ્રીમાંથી સામેવાળાને ‘શુદ્ધ’ કરીને ભા.જ.પ. ભરતી કરી રહ્યું છે એ બધું જોતાં આ ક્ષણ આપ પરિબળ અને અરવિંદ નેતૃત્વની મર્યાદાઓ જાણતે સમજતે છતે એકાધિકારનાં બળોને મુકાબલે એને જોવાની છે. નોટબંધીથી શું થયું એનો સ્પષ્ટોત્તર ન્યાયમૂર્તિ નાગરત્ને હમણાં જ કાળાં નાણાં વગે કરવાની પેરવી રૂપે ઘટાવી આપ્યો છે.

ઈલેક્ટોરલ બોન્ડનો સત્તા-પ્રતિષ્ઠાનને એકતરફી લાભ અને દિલ્હી પ્રકરણમાં બહાર આવી રહ્યું છે તેમ બોન્ડ ખરીદી એપ્રૂવર રૂપે બહાર આવી ચૂંટણી ઉમેદવાર બનવાની એન.ડી.એ. તક (તેલુગુ દેશમ-ભા.જ.પ.) આ બધું, મુકાબલે આપ તરફે વિચારવાની ફરજ પાડે એ આપણી કારુણિકા હશે, પણ કમજોરી કદાચ નથી.

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 10 ઍપ્રિલ 2024

Loading

10 April 2024 Vipool Kalyani
← મુક્ત અર્થતંત્રના જમાનામાં કવિતા
દોષિત હોવા છતાં ન વેઠવું …  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved