Opinion Magazine
Number of visits: 9460531
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કારીગરો-કામદારો-નાના ઉદ્યોગોમાં લૉક ડાઉન

અભિજિત વ્યાસ|Opinion - Opinion|29 April 2020

વ્યવસાય અને રોજગારી ઉપર આ લૉક ડાઉનની બહુ મોટી અસર પડી છે. મોટી કંપનીઓને કે તેના ઉદ્યોગપતિઓને જઈ રહેલા નુકસાન વિશે અખબારો ચર્ચા કરી રહ્યાં છે, પણ નાના વેપારીઓને અને કારખાનાંવાળાઓને થઈ રહેલા નુકસાન અંગે ખાસ વિચારાતું હોય, એવું લાગતું નથી.

સરકારની વિનંતી છે કે કોઈપણ માણસનો પગાર કાપવો નહીં. એ એક રીતે ઈચ્છનીય વાત છે, પણ તેનાથી આમજનતાનું શું થશે, એ અંગે વિચાર થયો હોય તેમ લાગતું નથી. અને સરકારની આ વાત કેટલી કંપનીઓ માનશે? અનેક કારખાનાં એવાં છે, જ્યાં કારીગરો-મજૂરો ઉધડ રોજમદાર તરીકે કામ કરતા હોય. તેમને કેવી રીતે મહેનતાણું ચૂકવવું, એ વિશે કોઈ સ્પષ્ટતા નથી.

એવા અનેક લોકોને રૂપિયા મળતા બંધ થઈ ગયા. એવું જ રોજ પર કામ કરતા કડિયા-સુથાર જેવા વર્ગનું. નાનાં કારખાનાંમાં માલ બન્યા પછી તે ન વેચાયો, તેનું નુકસાન કારખાનેદાર શી રીતે વેઠશે? અને તે કયાંથી પૈસા ચૂકવશે? ક્યાંકથી વ્યવસ્થા કરીને તે ચૂકવશે તો તેને વ્યાજનો માર પડશે અથવા તો તેના માલની કિંમત ઊંચી જશે, જેનો બોજ છેવટે જનતા પર આવશે.

અનેક નાના નિકાસકારોનો માલ તૈયાર થઈને પડયો છે, જે લૉક ડાઉનને કારણે અન્ય દેશોમાં મોકલી શકાતો નથી. તેમને બંને તરફથી માર પડે છે. કારીગરોને પગાર ચૂકવવાનો છે અને ગોદામવાળાને કે કસ્ટમ હાઉસને ડૅમરેજ. ઉપરાંત બૅન્કનું વ્યાજ તો ખરું જ. એક મિત્રની ફૅક્ટરીમાં શાર્પનર બનાવવાનું કામ છે. તેની પાસે જર્મનીનો મોટો ઑર્ડર છે, માલ તૈયાર છે, પણ તે રવાના કરી શકતો નથી. જર્મનીમાં લૉક ડાઉન નથી. પરિણામે ચોક્કસ સમય મર્યાદામાં માલની નિકાસ ન થતાં તેને મળેલો ઓર્ડર રદ્દ થયો, જે બીજા કોઈ દેશના કારખાનાને મળ્યો. આપણે ત્યાં બૅન્ક ચાલુ છે, પણ ટપાલ બંધ છે. તેના કારણે ઘણા ડૉક્યુમેન્ટ અટવાઈ પડયા છે. આવા કપરા કાળમાં બેંકોએ બચત ખાતાં પરનું વ્યાજ પણ ઘટાડ્યું, એ કેટલું યોગ્ય છે? મોટી કંપનીઓમાં પચાસ ટકા કે તેથી પણ ઓછા કર્મચારીઓ હાલમાં કામ કરી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં કંપનીના સંચાલકોને ખ્યાલ આવ્યો કે આટલા ઓછા કર્મચારીઓથી પણ કંપની તો ચાલી રહી છે. તેથી કર્મચારીઓની છટણી થવાની સંભાવનાઓ વધી ગઈ છે. છેલ્લા સમાચાર મુજબ અનેક કંપનીઓએ (નાની કે મોટી) કર્મચારીઓને છૂટા કર્યા છે કે તેમના પગારમાં કામ મૂક્યો છે કે અટકાવ્યો છે. આવી અનેક કઠણાઈઓ સામે સાવ શરૂઆતમાં જાહેર કરેલા અપૂરતા પૅકેજ પછી સરકાર તરફથી બીજું કશું સાંભળવા મળ્યું નથી.

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 29 ઍપ્રિલ 2020

Loading

29 April 2020 admin
← તમે ભારતના વડાપ્રધાન છો કે ભાજપના?
વિકાસની ફિલસૂફી વિશે પુર્નવિચાર કરો અમેરિકા, યુરોપ કહે છે તે વિકાસ નથી →

Search by

Opinion

  • ઝુબીન જુબાન હતો …
  • પુણેનું સમાજવાદી સંમેલન : શું વિકલ્પની ભોં ભાંગે છે?
  • રમત ક્ષેત્રે વિશ્વ મંચ પર ઉત્કૃષ્ટતાની નેમ સાથેની નવી ખેલકૂદ નીતિ
  • સમાજવાદ, સામ્યવાદ અને સ્વરાજની સફર
  • કાનાની બાંસુરી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Poetry

  • શૂન્ય …
  • મહેંક
  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved