Opinion Magazine
Number of visits: 9448994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ક.મા. મુનશીની ‘પૃથિવીવલ્લભ’ને ફિલ્મી પડદે જીવંત કરનાર ફિલ્મમેકર સોહરાબ મોદી

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|4 March 2020

પડદા પર મિનરવા મૂવીટોન(Minerva Movietone)ના અક્ષરો દેખાતા જ સિંહની ત્રાડ સાંભળવા મળતી હતી, આ જોતા જ થિયેટરમાં દર્શકો સતર્ક થઈ જતા હતા. મિનરવા મૂવીટોન(Minerva Movietone)ના સંસ્થાપક હતા પ્રસિદ્ધ ફિલ્મમેકર અને એક્ટર સોહરાબ મોદી (જન્મ – 02 નવેમ્બર, 1897 મૃત્યુ – 28 જાન્યુઆરી, 1984). ઊંચી કદકાઠી અને પહોળો શારીરિક બાંધો ધરાવતા સોહરાબ મોદીનું વ્યક્તિત્વ આકર્ષક હતું. તેઓ જેવા પડદા પર આવતા કે તરત જ સિનેમા હૉલમાં ઉત્તેજના ફેલાઈ જતી હતી. ફિલ્મ 'સિકંદર', 'પૃથિવીવલ્લભ', 'પુકાર' અને 'રાજહઠ'માં તેમના કડક સંવાદોને દર્શકો આજે પણ યાદ કરે છે.

ફિલ્મ જગતમાં એવા બે અભિનેતા થઈ ગયા કે જેમણે પોતાના પ્રભાવશાળી અવાજથી દર્શકોના દિલમાં સ્થાન બનાવ્યું. એક હતા પૃથ્વીરાજ કપૂર અને બીજા હતા સોહરાબ મોદી. કારણ કે સોહરાબ મોદી પારસી નાટકો કરતા-કરતા ફિલ્મની દુનિયામાં આવ્યા હતા, એટલે નાટકમાં સંવાદ બોલવાની એક ખાસ આવડતને ફિલ્મોમાં લાવ્યા કે જે દર્શકોને ખૂબ જ પસંદ આવી. તેઓ સંવાદ બોલતી વખતે એક-એક શબ્દ પર જોર આપતા હતા અને સ્પષ્ટ ઉચ્ચારણ કરતા હતા. દર્શકોના મનમાં જોશ ભરી દે તેવા સંવાદો પ્રભાવશાળી રીતે બોલવા માટે સોહરાબ મોદી ફિલ્મોમાં આવ્યા હતા. સોહરાબ મોદીએ વર્ષ 1935માં આવેલી ફિલ્મ 'ખૂન કા ખૂન'નું ડિરેક્શન કર્યું હતું અને તેમાં મુખ્ય રોલ પણ કર્યો હતો. આ ફિલ્મ નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક 'હેમલેટ'નું ફિલ્મ રૂપાંતરણ હતી. પછીનાં વર્ષે 1936માં સોહરાબ મોદીએ 'સૈદ-એ-હવસ' નામની ફિલ્મ બનાવી જે વિલિયમ શેક્સપિયરના નાટક 'કિંગ જ્હોન'નું રૂપાંતરણ હતી. આ ફિલ્મમાં પણ સોહરાબ મોદીએ મુખ્ય રોલ કર્યો હતો. વર્ષ 1943માં સોહરાબ મોદીએ ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકાર કનૈયાલાલ મુનશી(ક.મા. મુનશી)એ લખેલી નવલકથા પૃથિવીવલ્લભ આધારિત તે નામની જ ફિલ્મ બનાવી. આ ફિલ્મમાં સોહરાબ મોદીએ મુંજનો રોલ કર્યો હતો જ્યારે એક્ટ્રેસ દુર્ગા ખોટેએ મૃણાલવતીનું પાત્ર ભજવ્યું હતું. વર્ષ 1936માં સોહરાબ મોદીએ મિનરવા મૂવીટોનની સ્થાપના કરી. મિનરવા મૂવીટોનમાં તેમની શરૂઆતની ફિલ્મો સામાજિક દૂષણો પર આધારિત હતી, જેમ કે ફિલ્મ 'મીઠા ઝહર' (1938) દારૂના નશા પર આધારિત હતી. આ ફિલ્મો સફળ રહી તેમ છતાં પણ સોહરાબ મોદીનું ધ્યાન ઐતિહાસિક વિષય તરફ આકર્ષાયું. ત્યાર બાદ બનેલી ત્રણ ઐતિહાસિક ફિલ્મોને કારણે મિનરવા મૂવીટોન ખૂબ જાણીતી બની. તે ત્રણ ફિલ્મો – 'પુકાર' (1939), 'સિકંદર' (1941) અને 'પૃથિવીવલ્લભ' (1943) હતી.

સોહરાબ મોદીનો જન્મ તારીખ 02 નવેમ્બર, 1897ના રોજ ઉત્તરપ્રદેશના રામપુર નગરમાં થયો હતો. તેમનો જન્મ પારસી પરિવારમાં થયો હતો, પિતા ઈન્ડિયન સિવિલ સર્વન્ટ હતા. તેઓ જ્યારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા ત્યારે પિતા સાથે બૉમ્બે આવી ગયા. ધોરણ 10ની પરીક્ષા પાસ કર્યા બાદ માત્ર 17 વર્ષની ઉંમરમાં સોહરાબ મોદી તેમના ભાઈનું ફિલ્મ પ્રોજેક્ટર લઈને ગ્વાલિયર ચાલ્યા ગયા. હિન્દી અને ઉર્દૂ ભાષા પર પ્રભુત્વ ધરાવતા સોહરાબ મોદીએ માત્ર 26 વર્ષની ઉંમરે આર્ય સુબોધ થિયેટરિકલ કંપની સ્થાપી હતી. જ્યાં તેમણે પહેલા તો હરતું-ફરતું સિનેમાઘર ખોલ્યું અને ફિલ્મો દેખાડવા લાગ્યા. વર્ષ 1914થી 1924 દરમિયાન સોહરાબ મોદીએ ફિલ્મ પ્રદર્શનના સંદર્ભે ગ્વાલિયરથી મુંબઈ અને મૈસૂરથી મદ્રાસ સુધીની યાત્રા કરી. વર્ષ 1924માં તેમણે પોતાના મોટાભાઈની મદદથી એક થિયેટર કંપની ખોલી અને ઠેર-ઠેર સ્થળે ફરીને વિલિયમ શેક્સપિયરના નાટકોનો ઉર્દૂ અનુવાદ પ્રસ્તુત કરવા લાગ્યા. આ નાટકોમાં તેઓ પોતે અભિનય કરતા હતા. પોતાના આકર્ષક વ્યક્તિત્વ, જબરદસ્ત અભિનય અને દમદાર અવાજના કારણે તેમણે જલદી પોતાની ઓળખ બનાવી. 'હેમલેટ' નાટક થકી સોહરાબ મોદીને ઘણી લોકપ્રિયતા મળી હતી.

જ્યારે ભારતીય સિનેમામાં મૂંગી ફિલ્મોનો જમાનો હતો ત્યારે સોહરાબ મોદી ફિલ્મો પ્રત્યે ગંભીર નહોતા અને નાટકોમાં વ્યસ્ત હતા. પણ, બોલતી ફિલ્મોનો યુગ શરૂ થતા સોહરાબ મોદીએ તેમના મોટાભાઈ સાથે મળીને એક ફિલ્મ કંપની બનાવી. આ સમયે સોહરાબ મોદી શેક્સપિયરના નાટક 'હેમલેટ'થી પ્રખ્યાત થઈ ગયા હતા એટલે તે આધારિત ફિલ્મ 'ખૂન કા ખૂન' (1935) બનાવી. આ સમયે સોહરાબ મોદીની ઉંમર 38 વર્ષ હતી. પોતાના નાટકોના અનુભવના આધારે સોહરાબ મોદી તે વાત સમજી ચૂક્યા હતા કે પોતાના ગંભીર અવાજ અને સ્વરમાં ઉતાર-ચઢાવ સિનેમા હૉલમાં ગૂંજી ઊઠે છે અને દર્શકોના દિલ-દિમાગ પર જાદુ કરે છે. માટે સોહરાબ મોદીએ એવી વાર્તાઓ આધારિત ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું કે જેમાં સંવાદ અને અવાજને વધુ અવકાશ મળે. વર્ષ 1937માં સોહરાબ મોદીએ 'આત્મતરંગ' અને 'ખાન બહાદુર' જેવી ફિલ્મો બનાવી જ્યારે વર્ષ 1938માં 'જેલર' અને 'મીઠા ઝહર' જેવી ફિલ્મો બનાવી. વર્ષ 1939માં સોહરાબ મોદીએ જહાંગીરની ન્યાય વ્યવસ્થા દર્શાવતી 'પુકાર' નામની ફિલ્મ બનાવી, આ ફિલ્મ માટે તેઓ આજે પણ પ્રખ્યાત છે. આ ફિલ્મનાં ગીતો અને સ્ટોરી જાણીતા ફિલ્મકાર કમાલ અમરોહીએ લખ્યાં હતા. 'પુકાર'ને શરૂઆતની મુસ્લિમ સોશિયલ (સામાજિક) ફિલ્મ તરીકે ઓળખવામાં આવે છે. 'પુકાર' ફિલ્મ સુપરહિટ રહી હતી. વર્ષ 1941માં સોહરાબ મોદીએ 'સિકંદર' નામની મોટા બજેટની ફિલ્મ બનાવી, આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂરે સિકંદર જ્યારે સોહરાબ મોદીએ પોરસનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં યુદ્ધના પ્રસંગ ખૂબ જ પ્રભાવશાળી રીતે દર્શાવવામાં આવ્યા હતા. આ ફિલ્મ ત્યારે આવી કે જ્યારે બીજા વિશ્વયુદ્ધનો સમય હતો. બ્રિટિશ સરકારને જ્યારે 'સિકંદર' ફિલ્મ દેખાડવામાં આવી ત્યારે તેઓને સૈનિકના વિદ્રોહનું દ્રશ્ય પસંદ ના પડ્યું. બ્રિટિશ સરકારે આ ફિલ્મ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જગ્યાએ છાવણીઓમાં નહીં દેખાડવાનો આદેશ આપ્યો.

વર્ષ 1944માં સોહરાબ મોદીએ 'પરખ' નામની સામાજિક મુદ્દા આધારિત ફિલ્મ બનાવી, જેમાં મેહતાબ નામની એક્ટ્રેસે મુખ્ય રોલ કર્યો હતો. પછી તેમણે મેહતાબને લઈને 'એક દિન કા સુલ્તાન' અને 'શમા' જેવી અન્ય ફિલ્મો બનાવી. વર્ષ 1946માં સોહરાબ મોદીએ મેહતાબ સાથે લગ્ન કર્યા હતા. મેહતાબ ગુજરાતી હતા અને તેમનો જન્મ સુરતના મુસ્લિમ પરિવારમાં થયો હતો. સોહરાબ મોદીએ વર્ષ 1953માં સૌ પ્રથમ રંગીન ભારતીય ફિલ્મ બનાવી કે જેનું નામ 'ઝાંસી કી રાણી' હતું. મોટા બજેટની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર નિષ્ફળ રહી હતી. તે સમયે 'ઝાંસી કી રાણી'નું બજેટ રૂપિયા 60 લાખ હતું. આ ફિલ્મ વર્ષ 1956માં અમેરિકામાં 'The Tiger and the Flame'ના નામથી રિલીઝ થઈ હતી. હોલિવૂડની જાણીતી ફિલ્મ 'Gone with the Wind'(1939)નું કેમેરા વર્ક કરનાર સિનેમેટોગ્રાફર Ernest Hallerએ 'ઝાંસી કી રાણી'ના શૂટિંગમાં મદદ કરી હતી. આ ફિલ્મની નિષ્ફળતાના કારણે સોહરાબ મોદી આર્થિક રીતે તૂટી ગયા અને રંગીન ફિલ્મો બનાવવાનું ટાળ્યું. આગામી વર્ષે 1954માં સોહરાબ મોદીએ ભારત ભૂષણ અને સુરૈયાની જોડીને લઈને 'મિર્ઝા ગાલિબ' ફિલ્મ બનાવી જે સુપરહિટ રહી. આ ફિલ્મની સ્ટોરી જાણીતા વાર્તાકાર સઆદત હસન મન્ટોએ લખી હતી. આ ફિલ્મની જવાહરલાલ નહેરુએ પણ પ્રશંસા કરી હતી. 'શીશમહલ' (1950) પણ સોહરાબ મોદીની સુપરહિટ ફિલ્મ હતી. સોહરાબ મોદીએ ભારતીય સિનેમાને 50 કરતાં વધુ ફિલ્મોનું અભૂતપૂર્વ યોગદાન આપ્યું. 28 જાન્યુઆરી, 1984ના રોજ 86 વર્ષની વયે તેમનું નિધન થયું, જ્યારે વર્ષ 1980માં તેઓને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. સોહરાબ મોદીએ જે ઐતિહાસિક ફિલ્મોનું નિર્માણ કર્યું તેનું ખાસ ઐતિહાસિક મહત્ત્વ છે.

(લેખક iamgujarat.comમાં પત્રકાર છે)

e.mail : nbhavsarsafri@gmail.com

પ્રગટ : ‘ગુલમોહર’ પૂર્તિ, “નવગુજરાત સમય”, 04 માર્ચ 2020

Loading

4 March 2020 admin
← ફિલ્મ નિર્માતા, પ્રેક્ષકો કે વ્યવસાયિક ના હોય, તે તો કસબીની પોતાની જ હોય
ઊનાં રે પાણીનાં અદ્ભુત માછલાં →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved