Opinion Magazine
Number of visits: 9446724
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝારખંડ ચૂંટણીનાં પરિણામો

કેયૂર કોટક|Opinion - Opinion|3 January 2020

પહેલાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર ગુમાવ્યાં … અને હવે ઝારખંડ! મતદાતાઓનું વલણ અકળ છે. જે મતદારોએ વર્ષ ૨૦૧૯ની મધ્યમાં ઝારખંડમાં લોકસભાની ૧૪માંથી ૧૨ બેઠકો આપીને ભા.જ.પ.ને સત્તાનાં શિખર પર પહોંચાડ્યો હતો, એ જ મતદારો હવે એને જમીન પર લાવી રહ્યાં છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસ-આર.જે.ડી.નાં ગઠબંધનનો વિજય થયો છે અને ભા.જ.પ.ની ‘એકલા ચાલો’ની વ્યૂહરચનાને સદંતર નિષ્ફળતા મળી રહી છે. એકવીસમી સદીના ‘ચાણક્ય’ કહેવાતા અમિત શાહની ઝારખંડમાં એકલા હાથે ચૂંટણી જીતવાની ઇચ્છા પર મતદારોએ પાણી ફેરવી દીધું છે. અહીં ત્રણ બાબતો મહત્ત્વપૂર્ણ છે. એક, ઝારખંડમાં ભા.જ.પ.નો પરાજય. બે, કૉંગ્રેસની અડવાણી-વાજપેયી યુગના ભા.જ.પ. જેવી વ્યૂહરચના. ત્રણ, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુની વિધાનસભાની ચૂંટણીમાં ઝારખંડનાં પરિણામોની અસર. શરૂઆત ભા.જ.પ.ની નિષ્ફળતા માટે જવાબદાર કારણો સાથે કરીએ.

યાદ હશે કે, ઝારખંડમાં – રઘુવર દાસની સરકારે શાસનની શરૂઆતમાં જ, વર્ષો જૂનાં છોટા નાગુપર ગણોત ધારા અને સંથાલ પરગણા ગણોત ધારામાં ફેરફારનો પ્રયાસ કર્યો હતો. સરકારના કહેવા મુજબ, આ ફેરફારોનો આશય વિકાસલક્ષી કાર્યો માટે જમીન સંપાદનની પ્રક્રિયાને સરળ બનાવવાનો હતો. ઝારખંડમાં આદિવાસી સમુદાયે આ કહેવાતા ‘વિકાસ’નો વિરોધ કર્યો હતો; પણ લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી સત્તાના નશામાં ભાન ભૂલીને રાજ્ય સરકારે લગભગ ૧૦,૦૦૦ આદિવાસીઓ પર રાષ્ટ્રદ્રોહનો કેસ કર્યો હતો. છતાં આદિવાસી સમુદાયે નમતું ન જોખ્યું અને સરકારને પીછેહટ કરવાની ફરજ પડી હતી. જો કે ત્યાં સુધીમાં ભા.જ.પ. ‘આદિવાસી વિરોધી પક્ષ’ હોવાની છાપ ઊભી થઈ ગઈ હતી. અધૂરામાં પૂરું, ભા.જ.પે. આ વિધાનસભા ચૂંટણીમાં એના ‘આદિવાસી ચહેરા’ અર્જુન મુંડાની ઉપેક્ષા કરી અને ‘છત્તીસગઢમાં જન્મેલા’ રઘુવર દાસને છૂટો દોર આપ્યો. પરિણામે ભા.જ.પ.માં આંતરિક જૂથબંધીને પ્રોત્સાહન મળ્યું. વળી રઘુવર દાસે સત્તાના મદમાં એમના જ મંત્રીમંડળમાં પ્રભાવશાળી ગણાતા નેતા સરયુ રૉયને ટિકિટ આપવાનો ઇનકાર કરી દીધો. જમશેદપુર(પૂર્વ)ની બેઠક પરથી ‘અજય’ ગણાતા રૉય રઘુવર દાસ સામે બળવો કરીને એમની સામે ચૂંટણી લડ્યાં અને વર્ષ ૧૯૯૫ પછી રઘુવર દાસને પહેલી વાર પરાજયનો સ્વાદ ચખાડ્યો. આ બેઠક પર મોદી-શાહે પ્રચાર કર્યો હતો અને કલમ ૩૭૦, રાષ્ટ્રીય નાગરિકતા સંશોધન ધારા જેવા મુદ્દા પણ ઉઠાવ્યા હતા. તો ય રઘુવર દાસ  અને ભા.જ.પે. હાર જ જોવી પડી.

હવે વાત રાજ્યોમાં કૉંગ્રેસનાં પુનરાગમનની કરીએ. જેમ મહારાષ્ટ્રમાં કૉંગ્રેસે ચૂંટણી પહેલાં એન.સી.પી.નું અને ચૂંટણીનાં પરિણામો પછી શિવસેનાનું નેતૃત્વ સ્વીકારી લીધું હતું, તેમ ઝારખંડમાં પણ પ્રાદેશિક પક્ષને મહત્ત્વ આપ્યું. સોનિયા ગાંધીનાં નેતૃત્વમાં કૉંગ્રેસે ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનને મુખ્યમંત્રીનાં દાવેદાર તરીકે પ્રસ્તુત કર્યા અને એમને વધારે બેઠકો આપી. પરિણામે મુક્તિ મોરચા અને કૉંગ્રેસ બંનેની બેઠકોમાં વધારો થયો.

હકીકતમાં, કૉંગ્રેસ આ વ્યૂહરચના ભા.જ.પ. પાસેથી જ શીખી છે. વાજપેયીના નેતૃત્વમાં ભા.જ.પે. કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આ પ્રાદેશિક પક્ષોને આગળ કર્યા હતા. કૉંગ્રેસે ભા.જ.પ.થી નારાજ આદિવાસી સમુદાય વચ્ચે ‘આદિવાસી ચહેરા’ તરીકે સોરેનને આગળ કર્યા અને રાષ્ટ્રીય જનતા દળ સાથે પણ ગઠબંધન કર્યું. બીજી તરફ, મોદી-શાહના ભા.જ.પે. ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્‌સ યુનિયન (આ.જ.સુ.) સહિત કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન ન કરીને ‘એકલા ચાલો’ની વ્યૂહરચના અપનાવી. એટલું જ નહીં ભા.જ.પે. સ્થાનિક મુદ્દાઓની ઉપેક્ષા કરીને કલમ ૩૭૦, નાગરિકતા સંશોધન ધારો, એન.સી.આર. જેવા મુદ્દા ઉઠાવ્યાં. પણ આ દાવ ઊંધો પડ્યો અને આદિવાસી સિવાયના મતદારો અલગ અલગ પક્ષોમાં વહેંચાઈ ગયા. આ.જ.સુ.એ જ એકલા હાથે ભા.જ.પ.ને ૨૦થી ૩૦ બેઠકો પર ફટકો પાડ્યો છે. ઝારખંડમાં જ ભા.જ.પ.ને કેટલાંક નેતાઓએ પરિણામો આવ્યાં પછી ટિપ્પણી કરી છે કે ભા.જ.પે. આ.જ.સુ. સાથે જોડાણ કર્યું હોત, તો રઘુવર દાસ ફરી મુખ્યમંત્રી બની શક્યા હોત. પણ अब पछतावे होत क्या …

છેલ્લે, દિલ્હી, પશ્ચિમ બંગાળ, બિહાર અને તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. આ ચૂંટણીઓ પર બધાની નજર છે. કૉંગ્રેસની રણનીતિ સ્પષ્ટ છે. એ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સાથે ગઠબંધન કરવા તૈયાર થઈ જશે, તો તમિલનાડુમાં ડી.એમ.કે. સાથે ગઠબંધન કરશે. પણ બધાની નજર હવે બિહાર પર છે. ઝારખંડનાં પરિણામો અને ભા.જ.પ.ની હાર પછી બિહારમાં નીતિશ કુમાર ‘મોટા ભાઈ’ની ભૂમિકા ભજવવા વધુને વધુ થનગની રહ્યા છે. અહીં પ્રશ્ર એ છે કે ભા.જ.પ. નીતિશ કુમારનું નેતૃત્વ સ્વીકારશે? નીતિશ કુમાર અને રામવિલાસ પાસવાને સાથી પક્ષોને પૂરતું મહત્ત્વ આપવાની આડકતરી ચેતવણી ભા.જ.પ.ને આપી દીધી છે. એટલે મોદી-શાહનો ભા.જ.પ. વાજપેયી-અડવાણી યુગનો ભા.જ.પ. બનવા રિવર્સમાં જશે કે નહીં એ જોવાનું રહેશે.

E-mail: keyurkotak@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જાન્યુઆરી 2020; પૃ. 18 તેમ જ 04

Loading

3 January 2020 admin
← કુતુબનામા : તમે જ કહો, ઝીણા સાચા હતા કે પટેલ?
સરહદ કાવ્યો →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved