Opinion Magazine
Number of visits: 9553040
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જય ભીમ’ ખરેખર શું છે? 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|8 December 2025

હેમન્તકુમાર શાહ

6 ડિસેમ્બર 2025ના રોજ, ડો. ભીમરાવ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે, અમદાવાદમાં ચાંદખેડા વિસ્તારમાં વણકર સેવા સંઘ દ્વારા બનેલા વાચનાલયના ઉદ્ઘાટક તરીકે એક સમારંભમાં હાજર રહેવાનું થયું. તે નિમિત્તે આપેલા ટૂંકા પ્રવચનના મુખ્ય મુદ્દા આ રહ્યા :

[1] જયશ્રી કૃષ્ણ, જયશ્રી રામ અને જય માતાજી જેવા નારા બોલીએ અને જય ભીમ બોલીએ એમાં તફાવત છે, એ સમજવાનું છે. જય ભીમ નારામાં ભક્તિ ન જોઈએ, પણ અન્યાય સામે લડવાની ઇચ્છા જોઈએ. આંબેડકરે પોતે પણ પોતાની ભક્તિ કરવાની ના પાડી છે.

[2] જયશ્રી રામ નારો તો દેશના અનેક લોકો માટે ડરામણો બની ગયો છે. રામની ભક્તિ કરવાને બદલે રામનો ઉપયોગ બીજાને ડરાવવા માટે થઈ રહ્યો છે. આ શરમજનક બાબત છે. 

[3] ડો. ભીમરાવ આંબેડકરે 25 નવેમ્બર 1949ના રોજ સંવિધાન સભામાં એમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું કે, “ભક્તિ અથવા જેને ભક્તિમાર્ગ કહેવામાં આવે છે તે, કે વીરનાયકની પૂજા, દુનિયાના કોઈ પણ દેશ કરતાં ભારતના રાજકારણમાં અપ્રતિમ ભૂમિકા ભજવે છે. ધર્મમાં ભક્તિ આત્માની મુક્તિનો માર્ગ હોઈ શકે છે. પરંતુ રાજકારણમાં ભક્તિ અથવા વીરનાયકની પૂજા પતન અને છેવટે તાનાશાહીનો માર્ગ નિશ્ચિત બનાવે છે.”

[4] આંબેડકર લોકશાહીના ચાહક હતા. એ લોકશાહી સામે આજે ખતરો ઊભો થયો છે કારણ કે સમાજ નેતાઓની ભક્તિ કરવામાં પડ્યો છે. જો ભક્તિ કરીશું તો આપણે કોઈ પણ નેતાનું સાચું મૂલ્યાંકન કરી શકીશું નહીં અને એનાં દુષ્કૃત્યો સામે અવાજ પણ ઉઠાવી શકીશું નહીં.

[5] બાબાસાહેબ આંબેડકરને નેતૃત્વમાં જે બંધારણ બન્યું છે, તેની પહેલી લીટીમાં જ ભારત નામનું રાજ્ય સ્થાપવાના ઉદ્દેશો લખ્યા છે. એ છે સ્વતંત્રતા, સમાનતા, ન્યાય, બંધુતા, વ્યક્તિનું ગૌરવ અને લોકશાહી તથા ધર્મનિરપેક્ષતા. આ ઉદ્દેશો કેટલા સિદ્ધ થયા એ મહત્ત્વનું છે. એમ લાગે છે કે આપણે જે કંઈ સિદ્ધિ પ્રાપ્ત કરી તે બધી હાલ ધોવાઈ રહી છે. આપણે સૌએ એની સામે અવાજ ઉઠાવતાં શીખવાનું છે.

[6] ગાંધી અને આંબેડકર બંને આપણને અન્યાયનો સામનો કરવાનું અને ન્યાયી સમાજ ઊભો કરવાનું શીખવે છે. બેમાંથી કોઈની ભક્તિ કરવાની જરૂર નથી, પણ એમના સિદ્ધાંતોને અમલમાં મૂકવાનો સંનિષ્ઠ પ્રયાસ કરવાની જરૂર છે. 

[7] અત્યારે અનામતની વ્યવસ્થા સીધી રીતે નહીં પણ આડકતરી રીતે ખતમ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. જેમ કે, ગુજરાત સરકારમાં આશરે ચાર લાખથી વધુ કર્મચારીઓ તો કરારી અને ટૂંકા સમયની નોકરી ધરાવે છે. એમાં ક્યાં ય અનામત લાગુ પડતી જ નથી. આ રીતે સરકારનું ખાનગીકરણ થઈ રહ્યું છે અને અનામતના અમલને કચરા ટોપલીમાં ફેંકી દેવાયો છે. આ ખાનગીકરણ સામે અવાજ ઉઠાવવાની જરૂર છે. જુઓ તમે, બંધારણનો દેખીતો નાશ કર્યા વિના જ એનો આ રીતે નાશ કરાઈ રહ્યો છે. એની સામે સંગઠિત રીતે અવાજ ઉઠાવવાની જરૂર છે. 

8] નાગરિકોની સ્વતંત્રતા એ સૌથી મોટું મૂલ્ય છે. આપણે માણસ છીએ, કોઈ જંતુ નથી. સ્વાતંત્ર્યની જાળવણી એ આપણા સૌની પ્રથમ અને પ્રાથમિક ફરજ છે. જય ભીમ બોલતી વખતે આપણે એ વિચારીએ કે શું બંધારણમાં લખવામાં આવેલી સ્વતંત્રતા ઘસાઈ તો નથી રહી ને? 

[9] આપણે બંધારણ રચીને પ્રજામાંથી નાગરિક બન્યા છીએ. એ આ બંધારણની દેન છે. એ ગાંધી, આંબેડકર, સરદાર પટેલ અને નેહરુ જેવા મહાન નેતાઓની દેન છે. અત્યારે આપણને નાગરિકમાંથી મચ્છર બનાવી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પડકાર આપણે સૌએ ઝીલી લેવાનો છે. જય ભીમના નારા ગજવવાથી કંઈ નહીં વળે, જય ભીમે જે પડકાર ઝીલ્યો હતો તે આપણે સૌ ઝીલીએ અને લોકશાહીને સાર્થક કરીએ.  

6 ડિસેમ્બર 2025
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

8 December 2025 Vipool Kalyani
← ભૂખ
કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ →

Search by

Opinion

  • કામિની કૌશલ: અધૂરી મહોબ્બત અને સ્ત્રીના કર્તવ્યનો સિનેમાઈ ઇતિહાસ
  • ભૂખ
  • ગાંધીબાગ કે ગાંધી ભાગ?
  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved