Opinion Magazine
Number of visits: 9449071
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જનતા સરકાર : આંદોલનની રાજનીતિ નિર્માણના તબક્કામાં

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|19 June 2025

રાજકારણ

18 જૂન, 1975, જનતા સરકારની રચના

જૂન 1965થી માર્ચ 1976ના એ 9 મહિના દરમિયાન કટોકટીના દરિયા વચ્ચે ગુજરાત સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું અને એણે માર્ચ 1977ના જનતા રાજ્યારોહણનો પથ પ્રશસ્ત કર્યો. ગુજરાતનો મોરચો એનો પ્રાથમિક પૂર્વરંગ હતો.

પ્રકાશ ન. શાહ

જૂન 1975 – માર્ચ 1977 : પ્રજાસત્તાક ભારતની આ જળથાળ પચાસીએ કંઈક અંશે સંઘર્ષગર્ભા, કંઈક અંશે અગ્નિદિવ્ય શી ભલે નાની પણ નિર્ણાયક એક ઘટના આપણી પ્રજાકીય સ્મૃતિમાં ઇતિહાસદર્જ થઈ જવી ઘટે છે. 1975ના જૂનની 18મીએ બની આવેલી એ ઘટના તે બાબુભાઈ જશભાઈના નેતૃત્વ હેઠળ જનતા મોરચા સરકારનું રાજ્યારોહણ.

પૂર્વપ્રયોગોને મુકાબલે એક જુદી જ ઘટના હતી આ. 1967માં ટૂંકજીવી બિનકાઁગ્રેસ સરકારો બની હતી. લિમયેએ નાટ્યાત્મક રીતે કહ્યું તેમ અમૃતસરથી ગાડીમાં બેસો ને છેક કલકત્તા પહોંચો ત્યાં સુધી તમારે એકે કાઁગ્રેસશાસિત રાજ્યમાંથી પસાર થવાની જરૂર નહોતી રહેતી. પણ આ સરકારો ચૂંટણીપરિણામ પછી, અલગ અલગ કાર્યક્રમોને ધોરણે લડ્યા પછી અને છતાં, કરેલી અંકગણિતી ગોઠવણ જેવી બહુધા હતી. 1971માં દેશજનતાએ કથિત ‘ભવ્ય જોડાણ’ લોકસભાની ‘ગરીબી હટાવો’ ચૂંટણીમાં જોયું હતું. પણ હમણાં જીવદયાને ધોરણે એની ચર્ચા મ્યાન રાખીએ. 

1975માં જનતા મોરચા સરકાર સુધી પહોંચતાં નવું શું બન્યું? નવનિર્માણ આંદોલનને ભોં ભાંગી તે પછી જનજાગૃતિ આરંભિક એંશીપંચાસી દિવસ બાદ સૂની ન પડી ગઈ. ગુજરાતના નાનકડા જે.પી. ન્યુક્લિઅસે પડ જાગતું રાખ્યું. બિહાર આંદોલન તેમ જે.પી. નેતૃત્વમાં બદલાતી અખિલ હિંદ આબોહવાએ આ ન્યુક્લિઅસને (બિહારને મુકાબલે તે કમ છતાં) ગુજરાતની નવજાગ્રત નાગરિક શક્તિના વ્યાપક સંદર્ભમાં પક્ષ-અપક્ષ પરિબળોને એકત્ર આણી વૈકલ્પિક પરિબળ ઊભું કરવાની સુવિધા ને શક્તિ બક્ષ્યાં. 

બાબુભાઈ જશભાઈ પટેલ

લોકસંઘર્ષ સમિતિના ઠરાવથી એપ્રિલ 1975માં રચાયેલ જનતા મોરચાએ પક્ષવાર ક્વોટા કે થોડી અપક્ષ ટુકડાફેંકને બદલે એક જુદો જ અભિગમ લીધો. ઉમેદવાર પસંદગી હવે કોઈ પક્ષના બડેખાંની બપૌતી ન રહેતાં જે એક સહિયારું કોર ગ્રુપ બની આવ્યું હતું તેની સમક્ષ રજૂઆત અને પૂરતી આપલે મોકળાશની રીતે આગળ ચાલી. હા, મોરચાએ એક સુકાનીનો (ગુજરાતમાં સ્વાભાવિક જ મોરારજી દેસાઈનો) સ્વીકાર જરૂર કર્યો હતો. પણ એમની દરમિયાનગીરીને અવકાશ માત્ર ત્યારે ને ત્યારે જ રહેતો જ્યારે કોન્સેન્સસ ન હોય. જેમની પાછળ પક્ષીય દળકટકનો વાજોગાજો મુદ્દલ ન હોય એવી પ્રતિભાઓ ઉમેદવાર પસંદગીમાં રસ લેતી, દરમિયાન થતી ને એકંદરમતી સરજાતી. બી.કે. મઝુમદાર, ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી, ઇશ્વર પેટલીકર, ચંદ્રકાંત દરુ, એવી પ્રતિભાઓ હતી આ જે ટકોરાબંધ માણસ ને ટકોરાબંધ કાર્યક્રમમાં માર્ગદર્શન આપી શકે. પક્ષીય સમિતિઓ, એવાં જ રાવણાં, એમના આકા સૌ હશે. પણ એક નાનો એવો જ નિર્ણાયક ગાળો એ આવ્યો જ્યારે આવી જે.પી. મંડળીની મહદ્ ભૂમિકા આવી. 

ગુજરાતની 182 બેઠકોમાંથી સહેજે પંચોત્તેર ટકા બેઠકો માટેની પસંદગી મુકાબલે યુવા વર્ગ પૈકી હતી. જેમની કોઈ સીધી રાજકીય ભૂમિકા અગર ચૂંટણીકારકિર્દી ન હોય એવા નવા 140 ચહેરા અમે ઉતારી શક્યા હતા. 

… અને ચોસઠ મુદ્દાનો કાર્યક્રમ ? એટલું જ કહેવું બસ થશે કે ઢંઢેરાની ચર્ચા દરમિયાન બાબુભાઈ પટેલ, દિનેશ શાહ, વસંત ગજેન્દ્રગડકર, આર.કે. અમીન, પીલુ મોદી, કીર્તિદેવ દેસાઈ, આ લખનાર સાથે બુઝુર્ગ મોરારજી બધા જ કલાક, પૂરો સમય, બિલકુલ ટટ્ટાર મેરુદંડ, સામેલ થયા હતા ને મજબૂત વહીવટી પકડ સમેત જે શક્ય ન હોય તેવાં વચનો સામે ધરવાની તો વહીવટક્ષમ લોકમુદ્દાની બિનચૂક બાગબાની કરતા હતા. ગુજરાતના કાર્યક્રમની વિગતો જાણી જ્યારે જયપ્રકાશે, ત્યારે એમણે કહ્યું કે બિલકુલ વહેવારુ રાહ તમે લીધો છે.

જૂન 1975થી માર્ચ 1976ના નવ મહિના, ઇંદિરાઇ કટોકટી વચાળે, ગુજરાત સ્વાધીનતાનો ટાપુ બની રહ્યું. આંતરરાષ્ટ્રીય રાજકારણના નકશામાં જેને જુદા રંગે ઓળખાવવું પડે ને બિરદાવવું પડે એવી એક મિસાલ એ હતી. મિસાલ પણ, મશાલ પણ … માર્ચ 1977માં રાજઘાટ પર નવનિર્વાચિત સાંસદોએ જે.પી.-કૃપાલાનીની સંનિધિમાં શપથ લીધા ત્યારે શબ્દોને એમનો અર્થ પાછો મળી રહ્યાનો જે થોડોકે સુખાભાસ, ગુજરાતનો મોરચો એનો પ્રાથમિક પૂર્વરંગ હતો. 

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 18 જૂન 2025

Loading

19 June 2025 Vipool Kalyani
← ‘શેતરંજ’ પર પ્રતિબંધનું પ્રતિગામી પગલું
ગુરુને મોત હોતું નથી : મારા ગુરુ મનસુખલાલ ઝવેરી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved