Opinion Magazine
Number of visits: 9447113
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇલા ભટ્ટ : અસંગઠિત બહેનોનાં ઉદ્ધારક

કિરણ કાપુરે|Opinion - Opinion|27 January 2023

એક એક ડગ માંડવાથી કેટલી લાંબી સફર ખેડાઈ શકે છે, તે ઇલાબહેનનાં કાર્યો થકી જોઈ શકાય છે. સ્થાનિક સ્તરે એક નાનકડા સમૂહ અને નાનકડી પહેલથી આરંભાયેલી ‘સેવા’નાં કાર્યોથી આજે વિશ્વની લાખો બહેનો પોતાનાં જીવન તારી રહી છે. એક છત્ર હેઠળ એકવીસ લાખ જેટલી અસંગઠિત બહેનો સંગઠિત થઈને એકબીજાંની તારણહાર બને તેવું વિશ્વભરનું એકમાત્ર ઉદાહરણ ‘સેવા’ છે.

આ માતબર કાર્ય આજે અશક્ય લાગે છે, હવે તો નેટવર્કિંગ અર્થે ટૅક્નૉલૉજીની સહાય છે છતાં ય. કારણ કે આ બહેનો જોડાવવાના અર્થે જ માત્ર ‘સેવા’માં નહોતી જોડાઈ. ગરીબ, વંચિત વર્ગની બહેનોના પ્રશ્નો જીવનમરણના હતા, રોજગારીના હતા, જે બહેનો રાતદિવસ મજૂરી કરતી હતી તેમની બચતના હતા, અમદાવાદની મિલો બંધ પડી ગયા પછી પરિવારના ગુજરાનના હતા, બાળકોનાં શિક્ષણના, ઘરમાં આવતા પ્રસંગોના અને અણધારી આવતી બીમારીના સુધ્ધાં. આ ઉપરાંત કેટલા ય પ્રશ્નો એવા ય ખરા જે અંગે બહેનો મુખરે ય નહોતી. જ્યારે પરિવારની કરોડરજ્જુ બહેનો હોય અને બધી જવાબદારી એમના માથે હોય તેમ છતાં આર્થિક મુદ્દે મહદંશે તેમની અવગણના થતી રહેતી. બહેનોના આ બધા સવાલોના ઉત્તરમાં ‘સેવા’ ઊભરી આવી અને તેનું કાર્ય પછી તો વિસ્તરતું જ ગયું અને તેની સાથે સાથે ઇલાબહેનનું વ્યક્તિત્વ પણ. અને એટલે જ તેઓ તેમના ‘ગરીબ, પણ છૈયે કેટલાં બધાં’ પુસ્તકમાં એવું લખી શક્યાં કે, “ગામડાંની સ્ત્રીઓમાં મને ભારતનું હૃદય સાંપડ્યું છે.”

આઝાદી મળ્યા પછી રાષ્ટ્રનિર્માણનો જે ઉત્સાહ જાગ્યો તેમાં ઇલાબહેન પહેલી પેઢીનાં ગણાય. તે વખતે અગ્રિમ પ્રશ્ન રોજગારીનો હતો, તેમાં પણ પરંપરાગત રીતે પુરુષોને કામ આપવાનો. બહેનો અને તેમાં પણ શ્રમજીવી, સ્વાશ્રયી, ગરીબ અને વંચિત વર્ગની બહેનોની ગણના તો દૂરદૂર સુધી નહોતી. પરંપરાગત રીતે બહેનોના ભાગે ખેતી, મજદૂરી ઉપરાંત ઘણાંયે કામો હતાં જ, પણ આર્થિક ઉપાર્જનમાં તેમની ગણતરી થાય તેવો અવકાશ નહોતો. ઇલાબહેન કહેતાં તેમ મુદ્દો બહેનોને માત્ર પગભર કરી દેવાનો નહોતો; બલકે તેમના તરફનાં વલણને બદલવાનો સુધ્ધાંનો હતો. એકવીસમી સદીમાં પણ આ કાર્ય જોજનો દૂર લાગે છે ત્યારે તેમણે તો 1972માં શરૂઆત કરી હતી. તે વખતે સ્વાભાવિક રીતે પડકાર મોટો હતો, અને તેમાં માનસિકતા અને વલણ બદલવા અર્થે ઘણી વાર ઇલાબહેનને સંઘર્ષમાં ય ઊતરવું પડ્યું. અમદાવાદના માણેકચોકમાં તેમણે શાકભાજી વેચતી મહિલા ફેરિયાઓ માટે તંત્ર સામે કરેલો વિરોધ જાણીતો છે.

આ નાનકડા સંગઠનથી અમદાવાદ શહેરની મહિલાઓને મધદરિયે જાણે તરાપો મળ્યો હોય તેવો અહેસાસ થયો. તેની મદદથી બહેનો સુખરૂપ કિનારે પહોંચવા માંડી. જીવનની હાલાકીઓનો ઉકેલ જેમ જેમ બહેનોને ‘સેવા’ના નેટવર્કથી દેખાતો ગયો તેમ તેનો વ્યાપ પ્રસર્યો. અને આ વ્યાપને સતત બદલાઈ રહેલા જમાના સાથેની દૃષ્ટિ આપવાનું કાર્ય ઇલાબહેન દ્વારા થતું રહ્યું. તેમણે ૧૯૯૬માં સેવાનિવૃત્તિ લીધા પછી ય તેઓ માર્ગદર્શન માટે સતત ઉપલબ્ધ રહ્યાં અને તેથી ‘સેવા’નો વિચાર નિરંતર વિકસતો રહ્યો, કટોકટીમાંથી પાર પડતો રહ્યો અને આવનારાં પચાસ વર્ષોમાં ‘સેવા’નાં વિઝનથી હજુ જરૂરિયાતમંદ બહેનો તેમાં સમાવિષ્ટ થતી રહેશે. ‘સેવા’નાં કાર્યોને આટલે સુધી પહોંચાડીને ઇલાબહેને 89 વર્ષે વિદાય લીધી અને તેમના જીવનના ચાર દાયકા સંપૂર્ણ રીતે બહેનો માટે અવિરત સેવા માટેના રહ્યા. યોગ્ય સમયે નિવૃત્તિ લઈને માર્ગદર્શકની ભૂમિકામાં આવ્યાં.

ઇલાબહેનનું કાર્ય રચનાત્મક રહ્યું અને એટલે સ્થાનિકથી વિશ્વવ્યાપી બનવા છતાં તેમનું જીવન વિવાદ રહિત રહ્યું. ગાંધીજીના જીવનના રચનાત્મક કાર્યનાં પાસાંને તેઓ સારી પેઠે સમજ્યાં હતાં અને અમલી પણ બનાવી શક્યાં. આવું વલણ મહદંશે મહત્ત્વની ઘટનામાં તેમનું રહ્યું છે. ઇલાબહેનનું સેવામય જીવનકાર્ય એટલું પોંખાયું કે માન-ઇલકાબો ખૂબ મળ્યાં, પણ છતાં તેમની સાદગી આંખે ઊડીને વળગતી. સાદગી માત્ર વસ્ત્રોની નહોતી, સુવિધા બાબતે ય તેમણે અવરજવર માટે પોતાની એક રિક્ષા રાખી હતી. અમદાવાદમાં કાળા રંગની રિક્ષામાં ઇલાબહેનને જોવાં સામાન્ય બાબત હતી. ઉપરાંત, નાના નાના કાર્યક્રમોમાં ય અગ્રહરોળમાં કોઈ આડંબર વિના બેસેલાં ઇલાબહેનને અનેક લોકોએ જોયાં હશે. તેમની અતિવ્યસ્તતા વચ્ચે પણ વિદ્યાર્થીઓ, ‘સેવા’ની બહેનો અને અન્ય કોઈ માટે પણ તેમના ઘરનાં દ્વાર હંમેશાં ખુલ્લાં રહેતાં.

ઇલાબહેનની સિદ્ધિઓ એટલી બુલંદ છે કે તેમાં સદ્દગુણોનું આવરણ ન ચઢાવીએ તો ય ચાલે. જૂજ વ્યક્તિઓ પોતાના આટલા મોટા એક સમૂહમાં પ્રભાવ છતાં જમીની સ્તરે રહી શકે છે. ઇલાબહેન એ રીતે જીવ્યાં અને તેથી જ નવા કેટલાક ઉમદા વિચારે ય આપી શક્યાં. તેમાંથી એક એટલે ‘અનુબંધ : સો માઈલનો સંબંધ’. આ નામે પુસ્તકેય થયું. આ વિચારને ટૂંકમાં ઇલાબહેને આ રીતે રજૂ કર્યો છે : “હું માનું છું કે જો રોજિંદા જીવનની છ પ્રાથમિક જરૂરિયાતો — ખોરાક, કપડાં, મકાન, તથા સ્વાસ્થ્ય, શિક્ષણ અને બૅંકિંગ સેવાઓને સ્થાનિક રીતે, ઘણે અંશે સો માઈલના ફરતા વિસ્તારમાંથી જ, મેળવી શકાય તો લોકોની વિવિધ નવી નવી શોધો દ્વારા ગરીબી, શોષણ અને પર્યાવરણ — અવનતિનો આપણે ઉકેલ લાવી શકીએ … પ્રત્યેક સો માઈલના સંબંધો આપણને એક દિવસ ભૂખ, ગરીબાઈ, શોષણ અને પર્યાવરણીય અવનતિ વગરના વિશ્વ ભણી લઈ જશે તેવી મારી શ્રદ્ધા છે.”

ઇલાબહેનલિખિત અને અન્ય ઠેકાણે ય તેમના જીવન વિશેની માહિતી અને વિચાર વિશે લખાણો ઉપલબ્ધ છે. એવા કેટલાક લેખોનો સંચય આ અંકમાં કર્યો છે. તેમની વિદાય વેળાએ જે કંઈ લખાયું તેમાંનું કેટલુંક અહીં સમાવિષ્ટ કર્યું છે. પુનરાવર્તન ન થાય તેનું ખાસ ધ્યાન રાખ્યું છે તેથી કેટલાક લેખોમાં સંપાદન કર્યું છે. તેમના જીવનમાં કેટલાક અતિ નજદીક રહેલાં અને પરિવારનાં સભ્યો પણ આ અંકમાં ઇલાબહેન વિશે અભિવ્યક્ત થયાં છે. ઇલાબહેનનું જીવનકાર્ય અને તેમનું વિચારભાથું વાચકને મળી રહે તેવો આ અંકનો ઉદ્દેશ છે. નવજીવન ટ્રસ્ટનો ઇલાબહેનને આ અંક થકી અંજલિ આપવાનો પ્રયાસ છે. આખરે તેમનાં કાર્યોએ ગાંધીજીનાં રચનાત્મક કાર્યોને દીપાવ્યાં છે.

e.mail : kirankapure@gmail.com
પ્રગટ : ‘સંપાસદકીય’, “नवजीवनનો અક્ષરદેહ”, ડિસેમ્બર 2022 – જાન્યુઆરી 2023; પૃ. 383-384

Loading

27 January 2023 Vipool Kalyani
← ગુજરાતી પુસ્તક-પ્રકાશનની વિકાસયાત્રા : ૧ 
ડાહીડમરી સ્ત્રીની ભડલીવાણી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved