Opinion Magazine
Number of visits: 9448721
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હિન્દુત્વના છળકપટને ઓળખો !’

રમેશ સવાણી|Opinion - Opinion|12 February 2025

9 ફેબ્રુઆરી 2025ના રોજ સવારે હું અને દિનેશકાકા (Dinesh Kanani, Marryland, USA) સુરતથી અમદાવાદ સવાણી સાહેબના પુસ્તક ‘છળકપટ’ના વિમોચન કાર્યક્રમમાં સહભાગી થવા નીકળ્યાં, ત્યારે જ રસ્તામાં અચાનક 2002ના કોમી દંગાના પોસ્ટર બોય અશોક પરમારની વાત નીકળી. એટલે મેં કહ્યું, “કાશ, આપણે એમને એક વખત રૂબરૂ મળી શકત !” અને દિનેશકાકાએ હરિભાઈ બગડાને કોલ કર્યો અને એમણે અમારો કોન્ટેક્ટ ડો. મુકેશ પરમાર સાથે કરાવ્યો. ડોકટર સાહેબે અમને અશોક મોચી સુધી પહોંચવામાં મદદ કરી.

લગભગ 11 વાગ્યાની આસપાસ અમે શાહપુર દરવાજા પહોંચ્યાં, જ્યાં ફૂટપાથ પર અશોકભાઈ બૂટ સીવતા હતા. મેં મારી ઓળખાણ આપી અને નાનકડો ઇન્ટરવ્યૂ કરવા માટે પરમિશન માંગી, જે એમણે ખુશી ખુશી આપી. ત્યારબાદ અમે એમની સાથે ઓન કેમેરા અને ઓફ કેમેરા ઘણી બધી વાત કરી. આ આખી વાતચીત દરમિયાન દિનેશકાકા પણ જોડાયેલા રહ્યા. ત્યારબાદ અમે લોકો ત્યાંથી અશોકભાઈને ઘરે પણ ગયા અને જ્યાં તેઓ જમે છે એ લોજમાં પણ ગયા.

આ મુલાકાતમાં અમે જોયું કે કેવી રીતે એક પછાત સમાજનો સામાન્ય યુવાન જે એક સમયે હિંદુત્વના નશામાં ડૂબી, પોતાની જિંદગીની અને ભવિષ્યની પરવા કર્યા વગર, ધર્મની રક્ષા કાજે ખુલ્લી તલવાર લઈને નીકળી પડ્યો હતો અને આજે હિન્દુત્વવાદી-રાજમાં પણ ફૂટપાથ પર બેસી બૂટ સીવવા મજબૂર બની ગયો છે ! એટલું જ નહીં આજે એ માણસ એટલી ખરાબ હાલતમાં જીવે છે કે એ પરિસ્થિતિ બયાન કરવા માટે મારી પાસે શબ્દો ખૂટે છે. આજે એની હાલત એવી છે કે એ વ્યક્તિ બે ટંક ભરપેટ ભોજન પણ મેળવી શકતો નથી. જે લોજમાં એ જમે છે એના માલિકની માનવતાનાં કારણે એને ભૂખ્યા નથી સૂવું પડતું, પણ કેટલીયે વાર એ મહિનાઓ સુધી જમવાનું બિલ ચૂકવી શકતો નથી.

અશોકભાઈ પાસે સારાં કપડાં નથી, આધાર કાર્ડ પણ નથી કે કોઈએ તેને આધારકાર્ડ કઢાવી આપ્યું નથી. કોઈ બેંકમાં ખાતું નથી. RSS / VHP / બજરંગ દળ / કોર્પોરેટ કથાકારો / ધર્મગુરુઓ કોઈ મદદે ન આવ્યું. જેમણે લોકોને ઉશ્કેર્યા તે સત્તાની નિસરણી સડસડાટ ચઢી ગયા. હુલ્લડો કોઈને મહેલમાં લઈ ગયા કોઈને જેલમાં લઈ ગયા, તો કોઈને ફૂટપાથ પર જીવવા મજબૂર કરી ગયા !

અશોકભાઈને મળ્યા બાદ અમે એમને પુસ્તક વિમોચન કાર્યક્રમમાં આવવા માટે ભારપૂર્વક આમંત્રણ પાઠવ્યું. જેનો એમણે સહર્ષ સ્વીકાર કર્યો. અમારી સાથે કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમના અંતે અશોકભાઈને મંચ પર બોલાવી છળકપટ પુસ્તક આપી તેમનું સન્માન પ્રકાશ ન. શાહ / ઉત્તમભાઈ પરમાર / જગદીશ બારોટ / કિરણ ત્રિવેદી / પ્રો. હેમંતકુમાર શાહ / રમેશ સવાણી / પૂર્વ IGP શશીકાન્ત ત્રિવેદી / પૂર્વ કલેક્ટર પ્રવીબ ગઢવીએ કર્યું હતું. અશોકભાઈએ કહ્યું હતું : “2002માં અમે ધર્મવાદના છળકપટનો ભોગ બન્યા હતા. હિન્દુત્વનું કેવું છળકપટ ! મારી એટલી જ વિનંતિ છે કે હિન્દુત્વના છળકપટને ઓળખો!”

અશોકભાઈના ફોટાઓ અખબારોમાં / સામયિકોમાં આવ્યા છે. તેમના ઈન્ટરવ્યુ ચેનલોમાં ખૂબ આવ્યા છે. ઘણા પત્રકારોએ અશોકભાઈ પર સ્ટોરી કરીને વાહવાહી પણ મેળવી છે. પણ કોઈએ આજ સુધી એમને મદદ કરી નથી. આજે માનવતાવાદી / રેશનાલિસ્ટ દિનેશકાકાની પરમિશન લીધા વગર હું અહીં જાહેર કરવા માંગુ છું કે તેમણે અશોકભાઈ મોચીને મદદ માટે હાથ આગળ કર્યો. જે બદલ દિનેશકાકાને ધન્યવાદ આપવા ઘટે.

છેવટે, એટલું કહીશ કે અશોકભાઈને કદાચ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળ્યું હોત તો આજે એની જિંદગીમાં એ ખૂબ જ સફળ વ્યક્તિ હોત ! 

[સૌજન્ય : જ્યોત્સના આહિર]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

12 February 2025 Vipool Kalyani
← સોમવાર
ઓળખાણ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved