Opinion Magazine
Number of visits: 9449038
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હિન્દુ દેવી-દેવતાઓનું આવું ઘોર અપમાન અસહ્ય છે … 

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|9 December 2024

રવીન્દ્ર પારેખ

અમેરિકામાં વૉલમાર્ટની વેબસાઇટ પર ભગવાન ગણેશની છબીઓ-પેન્ટ, ચપ્પલ, સ્વિમ સૂટ પર લગાવીને વેચવાને મામલે, અમેરિકામાં વસતા હિન્દુ સમુદાયે વિરોધ કરતાં ભારે હોબાળો થયો હતો. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને આ તસ્વીરોવાળાં ઉત્પાદનોનાં વેચાણ પર તાત્કાલિક રોક લગાવવાની માંગ કરતાં કંપનીએ ખેદ વ્યક્ત કરીને ઓનલાઈન વેચાણ બંધ કર્યું હતું. વૉલમાર્ટે એ પણ સ્વીકાર્યું કે આ રીતની તસ્વીરો ધાર્મિક ભાવનાઓ અને ભરોસાને ઠેસ પહોંચાડનારી છે. વૉલમાર્ટે એની પણ ખાતરી આપી કે તે આવી વિવાદિત સામગ્રી વેચતી કંપનીના સંપર્કમાં છે ને શક્ય તેટલી વહેલી આ સામગ્રી ન વેચાય તેની કોશિશ કરશે. જો કે, કંપનીએ 48 કલાકમાં જ એવી સામગ્રી હટાવી દીધી હતી ને એવી ખાતરી આપી હતી કે હવે પછી આવું નહીં થાય. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને વૉલમાર્ટનો તાત્કાલિક પરિણામ આપવા બદલ આભાર માન્યો હતો. વૉલમાર્ટની વેબસાઇટ પર ચૈપ્સ નામની કંપની આ પ્રોડક્ટ વેચી રહી હતી. ગણેશને દુનિયામાં 1 અબજથી વધુ લોકો વિઘ્નહર્તા દેવ તરીકે પૂજતા હોય તો તેને આમ ચંપલ કે સ્વિમ સૂટ પર છાપીને કોઈ પણ કંપની વેચે તો તેનો સાર્વત્રિક વિરોધ થવો જોઈએ. જો ભારતીય કંપનીઓ અન્ય ધર્મના દેવી-દેવતાઓનું માન જાળવતી હોય તો અન્ય કોઈ પણ વિદેશી કંપનીને ગણેશ, લક્ષ્મી કે અન્ય કોઈ પણ દેવી-દેવતાઓની છબીઓનો હીન હેતુઓથી ઉપયોગ કરવાનો અધિકાર નથી ને એ બધી રીતે વખોડવાને પાત્ર છે. કેટલીક કંપનીઓ આવું વેચાણ બંધ તો કરતી હોય છે, પણ તે બંધ થાય એ દરમિયાન થોડું વેચાણ તો થઈ જ ચૂક્યું હોય છે ને વેચાયેલી વસ્તુઓ કૈં પરત ખેંચાતી નથી એટલે થોડે ઘણે અંશે તો કંપનીઓ તેના બદઈરાદામાં સફળ થાય જ છે. ખરેખર તો કોઈ પણ કંપનીને કોઈ પણ ધર્મનાં દેવી-દેવતાઓનાં આવાં હીન વેચાણનો અધિકાર જ ન હોવો જોઈએ. 

આવું કૈં પહેલી વખત બન્યું નથી. આ અગાઉ પણ હિન્દુ દેવી-દેવતાઓને ચંપલ પર, દારૂની બોટલો પર, પેન્ટ, અન્ડરવેર પર છાપીને વિદેશી કંપનીઓએ અપમાનિત કરવામાં કોઈ કસર છોડી નથી, એ તો ઠીક, પણ હિન્દુ દેવી-દેવતાઓનાં મંદિરો તોડવામાં કે તેમની મૂર્તિઓ ખંડિત કરવામાં દેશમાં કે વિદેશમાં કેટલાંક વિધર્મીઓને ભારે ઝનૂન ચડતું હોય છે. તે ભયંકર છે ને પૂરેપૂરું લાજ શરમ વગરનું છે. પાકિસ્તાન અને હવે બાંગ્લાદેશ હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓને કે મંદિરને ખંડિત કરવામાં અગ્રેસર છે. આમ તો પેટ ચોળીને ભારતે જ ઊભું કરેલું શૂળ છે – બાંગ્લાદેશ ! 1971માં ભારતે જ બાંગ્લાદેશનાં સ્વતંત્ર સર્જનમાં ભાગ ભજવેલો ને તે હવે ભારત સામે જ શિંગડાં ભરાવી રહ્યું છે. દુનિયાના કાજી બનીને ફરતાં  ભારતને પાકિસ્તાન, બાંગ્લાદેશ કે મણિપુરનો પ્રશ્ન મૂંઝવતો નથી તેનું આશ્ચર્ય છે. પાકિસ્તાનમાં મંદિરોની તોડફોડ થાય છે કે મણિપુર હિંસક આંદોલનમાં ભડકે બળે છે કે બાંગ્લાદેશી પૂર્વ પ્રધાન મંત્રી શેખ હસીનાને કારણે થતાં મંદિરો પરનાં ને લઘુમતી હિન્દુઓ પરના હિંસક હુમલાઓને ભારત હળવાશથી લઈ રહ્યું હોય તો તે યોગ્ય નથી. 

ગયા ઓગસ્ટમાં બાંગ્લાદેશના યુવાનોએ બળવો કર્યો અને વડાં પ્રધાન શેખ હસીનાએ ભાગીને ભારતમાં શરણું શોધ્યું. તેનું પરિણામ એ આવ્યું કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓનો તે પછી શિકાર થઈ રહ્યો છે. ભારત સરકારનું એ મામલે વલણ મોળું છે. શેખ હસીના બાંગ્લાદેશના ગુનેગાર છે તો ભારતે તેમને અહીં પોષીને ત્યાંનાં હિન્દુઓ પરનું જોખમ વધારવા કરતાં વધારે સારું તો એ છે કે ભારત શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દે અને બાંગ્લાદેશની સરકારને સમજાવવાની કોશિશ કરે. તેમ ન થાય તો વિશ્વનો મત મેળવીને બાંગ્લાદેશ પર દબાણ ઊભું કરે, પણ વિશ્વ, ભારત સાથે ન આવે એમ બને, કારણ કે તે જો મુસ્લિમ વિરોધી ભારતીય વલણ અંગે કે બુલડોઝર ન્યાય અંગેની કુંડળી કાઢે તો ભારતને જવાબ આપવાનું ભારે પડે, જ્યારે બાંગ્લાદેશને એ ચિંતા નથી કે તેનાં હિન્દુ વિરોધી વલણનો ભારતના મુસ્લિમો પર કેવોક પ્રભાવ પડે છે? ખરું તો એ છે કે સત્તાધીશો હિન્દુ અને મુસ્લિમ નામનાં રમકડાંથી રમે છે ને રમકડાંનું તો એવું છે કે એ તો તૂટે પણ ખરું ને તૂટે તો નવું ય આવે. એ આવે કે ન આવે રમત ચાલવી જોઈએ. શો મસ્ટ ગો ઓન …

કેટલાંક કટ્ટરવાદી તત્ત્વોએ ઢાકા નજીકના ઇસ્કોન મંદિરને શુક્ર-શનિવારની રાત્રે, 2થી 3નાં ગાળામાં, પેટ્રોલ અને ઑકટેનનો ઉપયોગ કરીને આગ લગાડી દેતાં મંદિરની મૂર્તિઓ અને સાધન-સામગ્રીઓની રાખ થઈ ગઈ હતી. ઇસ્કોન સાથે જોડાયેલા ચિન્મય કૃષ્ણ દાસ 25 નવેમ્બરથી રાજદ્રોહના આરોપમાં પોલીસ કસ્ટડીમાં છે. ઇસ્કોન કોલકાતાના ઉપપ્રમુખ રાધારામણ દાસનું કહેવું છે કે સમુદાયના સભ્યો અને વૈષ્ણવપંથી સભ્યોને ટાર્ગેટ કરીને કટ્ટરવાદીઓના હુમલાઓ વિના રોકટોક ચાલી રહ્યા છે. કેટલાક વીડિયોમાં એવી ધમકીઓ પણ અપાઈ છે કે સરકાર ઇસ્કોનપર પ્રતિબંધ નહીં મૂકે તો અમે પોતે જ તેમને મારીશું. 

ભારતના કેન્દ્રીય મંત્રી અને પશ્ચિમ બંગાળના ભા.જ.પ. અધ્યક્ષ સુકાંત મજુમદારે ગુનેગારો સામે કાર્યવાહી કરવાનું કહ્યું છે, પણ પ્રતિભાવ મોળો છે. બાંગ્લાદેશમાં ઢાકામાં આવેલું નમહટ્ટા સેન્ટર બળીને ખાખ થઈ ગયું હતું ને સેન્ટરમાં આવેલાં રાધાકૃષ્ણ મંદિર, લક્ષ્મી નારાયણ મંદિરને સળગાવી દેવામાં આવ્યું હતું. મંદિરની પાછળના ભાગની ટીનની છત ઉઘાડીને, તેમાંથી પેટ્રોલ અને જ્વલનશીલ પદાર્થ નાખીને આગ લગાવવામાં આવી હતી. આ અંગે વચગાળાની સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં પોલીસ અને વહીવટી તંત્રો ઇરાદાપૂર્વક નિષ્ક્રિય રહ્યાં છે. ઇસ્કોન ઇન્ડિયાએ બાંગ્લાદેશમાંના હિન્દુઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે ને ત્યાંનાં સાધુઓ અને તેમના અનુયાયીઓને તિલક ન લગાવીને ઓળખ છુપાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી નોબેલ પારિતોષિક મેળવનાર મોહમ્મદ યુનૂસની સરકાર અસ્તિત્વમાં આવી છે, ત્યારથી ભારત સાથેના તેના સંબંધો ઠીક નથી. છેલ્લા કેટલાક સમયથી ત્યાંના કટ્ટરવાદીઓ હિન્દુઓને ટાર્ગેટ કરી રહ્યા છે ને તેને કારણે પણ ભારતનો વિરોધ વધુ તીવ્ર થયો છે. જો કે સેનાની છાયામાં કામ કરી રહેલી મોહમ્મદ યુનૂસની સરકાર પર તેની કોઈ અસર નથી. 

ભારત, ઓગસ્ટથી બાંગ્લાદેશના હિન્દુઓ અને અલ્પસંખ્યકોની ચિંતા કરી રહ્યું છે, પણ યુનૂસની સરકાર એમ વર્તી રહી છે કે ક્યાં ય કૈં અણગમતું બન્યું જ નથી. એથી વધુ વિચિત્ર તો એ છે કે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિંસક હુમલાઓ યુનૂસ સરકારને નગણ્ય લાગે છે, એટલું જ નહીં, તેને ભારતની ચિંતા તેમના આંતરિક મામલાઓમાં દખલ રૂપ લાગે છે. ભારતે રોકડું કરી દેવું જોઈએ કે મંદિરો અને હિન્દુઓ પરના હુમલાઓ બાંગ્લાદેશની આંતરિક બાબત નથી, કારણ તેઓ અવિભાજિત ભારતના જ નાગરિકો છે. એ દુ:ખદ છે કે મોહમ્મદ યુનૂસની સરકાર નથી તો હુમલાઓ રોકી શકતી કે નથી તો જેહાદી તત્ત્વોને કાબૂ કરી શકતી. આ તત્ત્વોનું દુસ્સાહસ એ છે કે તે ભારતને ધમકીઓ આપે છે. આવું સાહસ તો જ થાય, જો તેને સેના અને સરકારનું રક્ષણ હોય. યુનૂસની સરકાર એટલી તો રીઢી થઈ ગઈ છે કે તેને આંતરરાષ્ટ્રીય દખલની પણ પરવા નથી. ભારત પ્રતાડિત હિન્દુઓની એટલી ચિંતા કરીને રહી જાય કે તેઓ ભારતમાં ઘૂસી ન આવે, તો તેટલું પૂરતું નથી. તેણે એ પણ જોવું જોઈએ કે લઘુમતી હિન્દુઓ ત્યાં જ સુરક્ષિત રહે. ટૂંકમાં, ભારતે, લઘુમતીઓ ત્યાં સુરક્ષિત રહે એ માટે તમામ પ્રયત્નો કરવા જ જોઈએ. દુ:ખદ તો એ પણ છે કે ભારત સરકારે હિન્દુ લઘુમતીની સુરક્ષાની વાત કરી છે ત્યારે વિપક્ષો તેની પડખે ભાગ્યે જ ઊભા રહ્યા છે. 

લાગે છે તો એવું કે શેખ હસીનાને સુરક્ષિત કરવામાં ભારતે બાંગ્લાદેશનાં હિન્દુઓ અને અલ્પસંખ્યકોને અસુરક્ષિત કરી મૂક્યા છે. ખરેખર તો ભારતે વેચાતી લેવાની જરૂર જ ન હતી … 

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 09 ડિસેમ્બર 2024

Loading

9 December 2024 Vipool Kalyani
← બાંગ્લાદેશની ભડકેલી આગમાં ભારતે દાઝવાનું ટાળવું હોય તો મુત્સદ્દી વહેવાર અનિવાર્ય
લગ્ન સંસ્થાના ગબડતા પથ્થર પર જામેલો કચરો  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved