Opinion Magazine
Number of visits: 9446509
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હવે રાજકીય પક્ષો નક્કર સમર્થકો વિનાના થઈ જશે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 May 2023

રમેશ ઓઝા

ભારતીય રાજકારણમાં એક નવી સ્થિતિ જોવા મળી રહી છે અને તે રસપ્રદ છે. આવી એક સ્થિતિ ૧૯૬૫ પછીનાં વર્ષોમાં જોવા મળી હતી. જેમ કે સમાજવાદી વિચારધારાને વરેલો સમાજવાદી પક્ષ અને સમાજવાદી નેતાઓ સમાજવાદી ભારતીય રાષ્ટ્રનું નિર્માણ કરશે એમ માનીને મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ પક્ષ માટે કામ કરતા હતા. સમાજવાદી નેતાઓ માત્ર નેતા નહોતા તેમનાં હીરો હતા. તેમણે તેમનાં પર શ્રદ્ધા રાખીને જિંદગી ન્યોછાવર કરી દીધી હતી. આવું જ સામ્યવાદી પક્ષ, કાઁગ્રેસ અને બીજા પક્ષોની બાબતમાં. જનસંઘ આમાં અપવાદ કારણ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં વિચારવાની, શંકા કરાવાની અને વિચારવાની મનાઈ છે. મનાઈ શું એવી તેમને ટ્રેનિંગ જ નથી મળી. તેમને ટ્રેનિંગ વિચાર્યા વિના કે પ્રશ્ન કર્યા વિના આદેશનું પાલન કરવાની મળી છે. આ સિવાય ભારતીય જનસંઘ એક અછૂત પક્ષ હતો એટલે કોઈની પણ સાથે સહશયન કરવાનો કોઈ સવાલ નહોતો. રામનાથ ગોએન્કાના શબ્દોમાં ન મિલી કે સાધુ હતા.

હવે બન્યું એવું કે ૧૯૬૫ સુધીમાં સંસદીય રાજકારણમાં પોતાની જગ્યા બનાવતા અને બનેલી જગ્યા ટકાવી રાખવા નેતાઓએ એટલાં બધાં વૈચારિક અને નૈતિક સમાધાનનો કર્યાં કે તેમનો અસલી ચહેરો જ ઓળખી શકાય એવો નહીં રહ્યો. ધીરેધીરે યુવા કાર્યકર્તાઓની અંદર એક નિરાશા વધવા માંડી. ભ્રમનીર:સન થવા લાગ્યું, છેતરાયા હોવાની લાગણી પેદા થવા લાગી અને તેમને એવું પણ લાગ્યું કે નેતાઓની સત્તાલાલસા માટે આપણો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આવું હમણાં કહ્યું એમ એક માત્ર જનસંઘને છોડીને દરેક પક્ષમાં આવી લાગણી જોવા મળી અને યુવાનો પક્ષથી દૂર થવા માંડ્યા. તેમણે વિચારધારા પકડી રાખી અને પક્ષોથી દૂર થવા લાગ્યા. તેમણે નેતાઓ સામે બળવો કર્યો અને પોતપોતાનાં સંગઠનો સ્થાપવા લાગ્યા. તેઓ પોતાને સંસદીય રાજકારણથી દૂર રહેનારા નિર્દલિય પણ રાજકીય ભૂમિકા લેનારા અને સક્રિય ભૂમિકા ભજવનારા તરીકે ઓળખાવવા લાગ્યા.

આનું પરિણામ એ આવ્યું કે રાજકીય પક્ષો વિચાર કરાવાની ક્ષમતા ધરાવનારા, પ્રતિબદ્ધ, ધગશ ધરાવનારા અને પ્રામાણિક કાર્યકરોથી વંચિત થઈ ગયા. પક્ષો વૈચારિક અને નૈતિક દબાણ અને દિશાદર્શન એમ બન્નેથી વંચિત થઈ ગયા. હવે પક્ષમાં જે આવતા હતા એ બધા જ સત્તાવાંછું હતા. તેઓ દરેક પ્રકારના સમાધાન કરતા હતા અને સત્તા માટે પક્ષાંતર કરતા હતા. સરવાળે રાજકીય પક્ષોએ તેનું મૂળ ચરિત્ર ગુમાવી દીધું.

૧૯૬૫ પછી જે જોવા મળ્યું હતું એ અત્યારે જુદા સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. એમ કહી શકાય કે એક ડગલું આગળ. ત્યારે યુવાકાર્યકર્તાઓએ પક્ષના નેતાઓની આંગળી છોડી હતી તો અત્યારે જે તે પક્ષ અને તેના નેતાઓનું સમર્થન કરનારા લોકો આંગળી છોડી રહ્યા છે. ભારતમાં અનેક રાજકીય પક્ષો જે તે વર્ગવિશેષનાં હિત ખાતર સ્થપાયા હતા. કોઇ દલિતો માટે, કોઈ શીખો કે મુસલમાનો માટે. કોઈ પ્રાદેશિક અસ્મિતાઓ માટે.

હવે આજે જોવા મળી રહ્યું છે કે દેશભરમાં જે તે વર્ગવિશેષનાં લોકો આંદોલિત છે પણ તેમના નેતાઓ અને સત્તાવારપણે તેમના હિતનું રાજકારણ કરનારા પક્ષો ક્યાં ય નજરે પડતા નથી. દલિતો આંદોલિત છે પણ માયાવતી કે રામદાસ આઠવલે ક્યાં ય નજરે પડતા નથી. મુસલમાનો આંદોલિત છે પણ ઓવૈસી ક્યાં ય નજરે પડતા નથી. ખેડૂતો આંદોલન કરે છે પણ કોઈ કિસાનનેતા કે તેમનાં પક્ષો ક્યાં ય નજરે પડતા નથી. લોકોને હવે તેમની જરૂર પણ નથી. નેતાઓ વેચાઈ ગયા છે અથવા એટલા ભ્રષ્ટ છે કે તેઓ આગળ આવીને આંદોલકારીઓનું નેતૃત્વ કરતાં ડરે છે. એવું નથી કે દેશમાં નારાજગી નથી. એવું નથી કે નારાજ પ્રજા આંદોલિત નથી. ગોદી મીડિયા તે બતાવતા નથી અને નેતાઓ અને રાજકીય પક્ષો આગળ આવતા ડરે છે. કિસાન આંદોલન નેતાઓ અને પક્ષોનાં નેતૃત્વ વિના અને ખુલ્લા સમર્થન વિના પણ સફળ થયું હતું.

આનો અર્થ એવો નથી કે હવે પછીની ચૂંટણીમાં જે તે સમાજવિશેષ પોતાના પક્ષને મત નહીં આપે, ક્દાચ આપે પણ ખરાં, પણ પક્ષો અને નેતાઓએ તેમનું હોવાપણું ગુમાવી દીધું છે. પ્રાસંગિકતા ગુમાવી દીધી છે. ૧૯૬૫ પછી જેમ કેટલાંક પક્ષો તેજસ્વી અને નિસ્પૃહ કાર્યકર્તા વિનાનાં થઈ ગયા એમ હવે પછી આ બધા રાજકીય પક્ષો નક્કર સમર્થકો વિનાનાં થઈ જશે.

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 11 મે 2023

Loading

11 May 2023 Vipool Kalyani
← આખરી ખત: ખન્નાના સ્ટારડમનો પહેલો પત્ર
માવઠું  →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved