Opinion Magazine
Number of visits: 9567593
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

હાર્દિક પટેલ, “જનરલ ડાયર” બહુ દયાળુ છે! 

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|19 December 2025

હેમંતકુમાર શાહ

ભા.જ.પ.ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામેનો દેશદ્રોહનો કેસ ગુજરાતની ભા.જ.પ.ની સરકારે પાછો ખેંચ્યો તેને સુરતની જિલ્લા અને સેશન્સ અદાલતે તા.૧૮-૧૨-૨૦૨૫ના રોજ મંજૂરી આપી દીધી હોવાના સમાચાર છે. ગયા માર્ચ મહિનામાં અમદાવાદની સેશન્સ અદાલત દ્વારા પણ આ જ રીતે હાર્દિક પટેલ સામેનો કેસ પાછો ખેંચવા માટેના ભા.જ.પી. સરકારના નિર્ણયને મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ બંને કેસમાં હાર્દિક પટેલની સાથે સાથે તેમના ચારેક સાથીઓને પણ રાહત મળી. 

૨૦૧૫માં હાર્દિક પટેલે કોઈ રાજકીય પક્ષમાં જોડાયેલા નેતા કે કાર્યકર તરીકે નહીં પણ ભારતના એક નાગરિક તરીકે ગરીબ સવર્ણ લોકોને અનામત મળે તે માટે જે આંદોલન કરેલું તે સબબ આ કેસ તેમની સામે કરવામાં આવેલા. સુરતમાં હાર્દિક પટેલે પટેલ યુવાનોને આત્મહત્યા કરવાને બદલે પોલિસને જ મારવા માટે હાકલ કરેલી તે બદલ આ કેસ કરવામાં આવેલો. આ કેસમાં ત્રણ વર્ષથી આજીવન કેદની સજા થઈ શકે છે. પણ હવે કેસ રહ્યો જ નહીં.

શા માટે હાર્દિક પટેલ સામેના કેસ ગુજરાતની ભા.જ.પ. સરકારે પાછા ખેંચ્યા? અહીં ગુજરાતની ભા.જ.પ. સરકાર એટલે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સમજવું, કારણ કે એ બેને પૂછ્યા વિના ગુજરાત સરકારમાં પાંદડું પણ હાલતું નથી એમ લોકવાયકા છે. 

કેસ પાછા ખેંચાયા તેનું કારણ એ છે કે હાર્દિક પટેલ ભા.જ.પ.માં છે. તેઓ ૨૦૧૯માં કાઁગ્રેસમાં જોડાયેલા અને ૨૦૨૦માં તેમની કાઁગ્રેસના કાર્યકારી પ્રમુખ જેવા બહુ ઊંચા પક્ષીય હોદ્દા પર નિમણૂક થયેલી. પણ તેઓ કેમ પછી એ ભા.જ.પ.માં જોડાઈ ગયેલા કે જે ભા.જ.પ.ના અમિત શાહને તેમણે “જનરલ ડાયર” કહેલા? 

હાર્દિક પટેલને ચોક્કસ એવી બીક લાગી હશે કે તેમની સામેના કેસમાં તેમને સજા થશે અને તો જેલમાં જવું પડશે. એટલે રાજકીય સોદાબાજીના ભાગરૂપે જ એવી ગોઠવણ થઈ હશે કે “આવો ભા.જ.પ.માં, તો બધા કેસ પાછા ખેંચાઈ જશે.”

સવાલ હાર્દિક પટેલનો નથી, સવાલ તો કાયદા અને શાસનની વ્યવસ્થાનો તેમ જ ન્યાય પ્રણાલીનો છે. શું હાર્દિક પટેલે દેશદ્રોહ કર્યો જ નહોતો? તો પછી તેમની સામે કેસ થયો કેમ? અને જો તેમણે દેશદ્રોહી વર્તન કર્યું હતું તો તે અદાલતમાં સાચું કે ખોટું પુરવાર થાય તે પહેલાં સરકારે કેમ કેસ પાછો ખેંચ્યો? એનું કારણ તો એ જ કે તેઓ અત્યારે ભા.જ.પ.માં છે. ૨૦૧૫થી ૨૦૨૨ સુધી તો તેમની સામેનો કેસ ભા.જ.પી. સરકારે પાછો ખેંચ્યો નહોતો કારણ કે તેઓ ત્યારે ભા.જ.પ.માં નહોતા. 

હવે ગુજરાતની ભા.જ.પ. સરકારનું વર્તન જુઓ. તે નાગરિકો સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરે છે. જે મામકા: છે તે દોષિત હોઈ જ ન શકે એમ સરકાર સમજે અને એ રીતે વર્તે તો એ સ્પષ્ટપણે લોકશાહીના કાયદાના શાસનના સિદ્ધાંતનો અને ભારતના બંધારણની કલમ-૧૪ અને કલમ-૧૫માં લખવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારનો ભંગ છે. પણ આવા બધા સિદ્ધાંતો જાય તેલ પીવા. આ તો “જનરલ ડાયર”નું શાસન છે, એની મરજી, એણે જ નક્કી કરવાનું છે કે કોના પર દયાનો વરસાદ વરસાવવો અને કોના પર નહીં. આજના ભા.જ.પી. શાસનમાં દયાની ભીખ કેવી રીતે મંગાય છે અને અપાય છે એનો ખ્યાલ આમાંથી આવે છે. 

હવે આની સામે જિગ્નેશ મેવાણીનો કેસ જુઓ.

જિગ્નેશ મેવાણીની સામે આસામમાં કોકરાઝારમાં એક ભા.જ.પી. કાર્યકરે ૨૦૨૨માં કેસ કરી નાખ્યો અને આસામની ભા.જ.પ. સરકારની પોલિસ તાબડતોબ પાલનપુર આવીને રાતોરાત જિગ્નેશને ઉઠાવી ગઈ. જિગ્નેશને આસામના ધક્કા ખાતો કરી નાખ્યો! આવો કેસ જિગ્નેશ પર કરવાનો વિચાર આસામના એ ભા.જ.પી. કાર્યકરને આવ્યો હશે કે “જનરલ ડાયર”ને? જરા, કલ્પના કરી જોજો. પણ એ કેસમાંથી બચવા માટે તેણે ભા.જ.પ.માં જોડાવાનું નક્કી કર્યું નહીં, જે થવું હોય તે થાય! જિગ્નેશ માટે વ્યક્તિની આઝાદી મહત્ત્વની છે, હાર્દિક પટેલ માટે “જનરલ ડાયર”ની દયા! 

મનુષ્યની મૂળભૂત ચાર વૃત્તિઓમાંની એક છે ભય. દુનિયાભરમાં સત્તામાં બેઠેલાઓ હંમેશાં ભયનો ઉપયોગ સત્તા કાયમ કરવા માટે કરે છે. જેઓ ભય પામતા નથી તેઓ ભોગવે છે, આ રાજકારણનો નિયમ છે. પણ યાદ રાખો, ભય પામનારા કરતાં ભય આપનારા વધારે ક્રૂર, નિર્દય, નરાધમ અને નાલાયક હોય છે. એવું બધું થાય તો એ તાનાશાહી અને રાજાશાહી કહેવાય, લોકશાહી નહીં.  

હા, હાર્દિક પટેલ મારો દોસ્ત છે અને જિગ્નેશ મેવાણી મારો વિદ્યાર્થી. બંને ધારાસભ્યો છે. એક ભા.જ.પ.માંથી અને એક કાઁગ્રેસમાંથી. બોલો, કોની પર મારે ગર્વ કરવાનો? 

અરે, ગર્વની વાત પણ બાજુ પર મૂકો, આ રીતે લોકશાહીનું જે ધનોતપનોત છડેચોક નીકળી રહ્યું છે એની ચિંતા કરવાની કે નહીં?

તા.૧૯-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

19 December 2025 Vipool Kalyani
← આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા? →

Search by

Opinion

  • ‘મનરેગા’થી વીબી જી-રામ-જી : બદલાયેલું નામ કે આત્મા?
  • આ મુદ્દો સન્માન, વિવેક અને માણસાઈનો છે !
  • બોલો, જય શ્રી રામ! ….. કેશવ માધવ તેરે નામ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – 10 (દેરિદાનું ભાવજગત) 
  • સરકારનો અંધશ્રદ્ધા વિરોધી કાયદો ક્યારે જાગશે?

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved