Opinion Magazine
Number of visits: 9476865
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગૂજરાત વિદ્યાપીઠ સંઘી છે, ગાંધીની નહીં*

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|11 October 2025

હેમન્તકુમાર શાહ

એક જમાનો હતો કે જ્યારે રાષ્ટ્રપતિ ગૂજરાત વિદ્યાપીઠના જન્મદિન ૧૮ ઓક્ટોબરના રોજ જ પદવીદાન સમારંભ માટે આવતા હતા. હવે આ સંઘી જમાનો છે કે જ્યારે રાષ્ટ્રપતિની અનુકૂળ તારીખે વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ યોજાય છે! 

આમે ય હિંદુ પરંપરાનું ઢોલ પીટતા સંઘીઓને ગાંધીની અને તેમની વિદ્યાપીઠની પરંપરાની ખબર કેવી રીતે હોય, અને હોય તો પણ શા માટે રાખવી હોય? 

મહાત્મા ગાંધીએ ૧૯૨૦માં  સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ તેઓ પોતે જ હતા. ગાંધીની હત્યા પછી સરદાર પટેલ તેના કુલપતિ થયેલા. સરદારના અવસાન પછી ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ તેના કુલપતિ થયેલા. તેઓ ૧૯૬૩માં તેમનું અવસાન થયું ત્યાં સુધી એ પદ પર રહ્યા. 

વિદ્યાપીઠના પદવીદાન સમારંભની તારીખ એટલે ૧૮ ઓક્ટોબર. તેનો પોતાનો સ્થાપના દિન. તે દિવસે ડો. રાજેન્દ્ર પ્રસાદ હાજર જ હોય વિદ્યાપીઠમાં. રાજેન્દ્ર પ્રસાદ એ તારીખને અનુકૂળ થતા હતા, એમને અનુકૂળ તારીખે કંઈ પદવીદાન સમારંભ થતો નહોતો. 

રાજેન્દ્ર પ્રસાદના અવસાન પછી મોરારજી દેસાઈ તેના કુલપતિ થયેલા. તેઓ બહુ મોટા રાજકીય નેતા હતા જ. પણ તેઓ પણ ૧૮ ઓક્ટોબર કોઈ દિવસ ચૂક્યા નહોતા. તેમને અનુકૂળ તારીખે પદવીદાન સમારંભ થતો નહોતો, તેઓ ૧૮ ઓક્ટોબરને અનુકૂળ થતા હતા. 

મોરારજી દેસાઈ ૧૯૭૭માં વડા પ્રધાન થયા. તો પણ તેમણે ૧૮ ઓક્ટોબર જ પકડી રાખી હતી. એટલું જ નહીં પણ તેમણે ૧૮ ઓક્ટોબર અગાઉ એક સપ્તાહ સુધી વિદ્યાપીઠમાં રહેવાની પરંપરા ઊભી કરેલી એ પણ ચાલુ રાખેલી, વડા પ્રધાન થયા તો પણ. 

વળી, મોરારજી દેસાઈ વડા પ્રધાન નહોતા રહ્યા ત્યારે એક વાર રાષ્ટ્રપતિ ઝૈલસિંહને ૧૮ ઓક્ટોબરના રોજ પદવીદાન સમારંભમાં બોલાવવામાં આવેલા. ઝૈલસિંહ પણ ૧૮ ઓક્ટોબરને અનુકૂળ થયેલા. એમને અનુકૂળ દિવસે પદવીદાન સમારંભ ગોઠવાયો નહોતો.

હવે આજે ગૂજરાત વિદ્યાપીઠનો પદવીદાન સમારંભ ગોઠવાયો છે કારણ કે આજની તારીખ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને અનુકૂળ છે!

ગાંધીની વિદ્યાપીઠ અંદરની જ ભાંગફોડ અને કાવતરાંને પરિણામે જે વિચારધારા ગાંધીની હત્યાનું કારણ બની હતી તે વિચારધારાનાં મૂળ જેમનામાં છે તેવા સંઘીઓના ‘સજીવ’ હાથમાં ગઈ પછી એ કેટલી નિર્જીવ અને સત્તાપરક થઈ ગઈ એનો આ નમૂનો છે. વિદ્યાપીઠ કોઈ દિવસ સત્તાને નમી નહોતી, સત્તા જ વિદ્યાપીઠને નમતી આવી હતી. હવે અત્યારે એનાથી તદ્દન ઊંધું થઈ રહ્યું છે. 

ગાંધીએ વિદ્યાપીઠની સ્થાપના વખતે એમ કહેલું કે “જો કોઈ વણિકપુત્ર કરી શકે તો મેં આ ઋષિકાર્ય કર્યું છે.” કોને એ યાદ આવે?

(૧૩ વર્ષ સુધી વિદ્યાપીઠનો વિદ્યાર્થી, અને પિતા દશરથલાલ શાહ, કે જેમણે જિંદગીનાં ૬૩ વર્ષ વિદ્યાપીઠને સમર્પિત કરેલાં.) 

તા.૧૧-૧૦-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

11 October 2025 Vipool Kalyani
← દમનકારી શાસન સામે અવાજ ઉઠાવનારને Nobel Peace Prize !
ચલ મન મુંબઈ નગરી—310  →

Search by

Opinion

  • મોદીજીની જાદુઈ કળા !
  • પ્રતિસાદ આપવાનો ધર્મ કોનો ?
  • બાળકો માટે લોકશાહી વિશેનો પાઠ
  • ચલ મન મુંબઈ નગરી—310 
  • દમનકારી શાસન સામે અવાજ ઉઠાવનારને Nobel Peace Prize !

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને
  • સપ્ટેમ્બર 1932થી સપ્ટેમ્બર 1947… અને ગાંધી
  • શું ડો. આંબેડકરે ફાંસીની સજા જનમટીપમાં ફેરવી દેવાનું કહ્યું હતું? 

Poetry

  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ
  • નટવર ગાંધીને (જન્મદિને )
  • પુસ્તકની વેદના
  • શૂન્ય …

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved