Opinion Magazine
Number of visits: 9446350
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગ્રીન ફ્યુચર, પ્રોસ્પરસ ફ્યુચર : દરેક દિવસ પૃથ્વીદિવસ

સોનલ પરીખ|Opinion - Opinion|6 May 2022

રાષ્ટ્રની સાચી સંપત્તિ એની હવા, પાણી, માટી, જંગલો, ખનિજો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલો, પશુપક્ષીઓ અને જીવવૈવિધ્ય છે. બી.બી.સી. નેચરલ હિસ્ટ્રી યુનિટના ડેવિડ એટનબરો કહે છે કે પ્રાકૃતિક વિશ્વ જેવું વિસ્મય અને એના જેવી ભરપૂરતા બીજા કશામાં નથી. સારો માણસ એ છે જેને તમામ જીવંત સૃષ્ટિ સાથે દોસ્તી હોય. પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પૃથ્વીને વધારે સુંદર અને વધારે પોષક બનાવીને પછીની પેઢીને આપવાની જવાબદારી આપણી જ છે.

આ વર્ષે માર્ચ મહિનામાં જ બે હીટ વૅવ આવી ગયા. આ લખાય છે ત્યારે તાપમાન 40થી 45 ડિગ્રી રહે છે. માણસો ત્રાહિમામ્‌ પોકારી જાય એવી ગરમીમાં, વગડામાં કેસૂડો અને ગુલમહોર પોતાની લાલ-સોનેરી આભાથી મસ્ત ખીલ્યાં છે.

22 એપ્રિલે પૃથ્વીદિન છે. તેના બરાબર એક મહિના પહેલા 21 માર્ચે વનદિવસ હોય છે. પ્રકૃતિની વિપુલતા કેવી છે – દક્ષિણ અમેરિકાના એમેઝોનિયા નામનું જંગલ છે જે આખી પૃથ્વીને વીસ ટકા ઑક્સિજન પૂરો પાડે છે. વિશ્વનું આ સૌથી ગાઢ જંગલ સાડાપાંચ કરોડ વર્ષ જૂનું છે અને દક્ષિણ અમેરિકાના ચાલીસ ટકા ભૂભાગ પર ફેલાયેલું છે. બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, વેનેઝુએલા, ઈક્વાડોર, બોલિવિયા, ગિયાના સહિત નવ દેશોની સરહદ આને અડે છે.

સિત્તેર લાખ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલા આ જંગલમાં 40,000 જાતનાં 400 અબજ વૃક્ષો છે, જેમાં 2,000થી વધુ પક્ષી-પ્રજાતિઓ અને 25 લાખથી વધુ પ્રકારના કીટકો રહે છે. જો કે સૌથી મોટાં જંગલો રશિયાની ઉત્તરે આવેલાં સાઈબિરિયાનાં જંગલો છે. આ જંગલો 85 લાખ ચોરસ માઈલમાં પથરાયેલા છે એટલે કે આખા ભારત કરતાં અઢી ગણા વિસ્તારમાં માત્ર જંગલ જ છે.

ભારતમાં પાંચ પ્રકારનાં જંગલો છે અને વનીકરણ વગેરે અનેક સરકારી યોજનાઓ છતાં જંગલો સાફ થતાં જાય છે. પૃથ્વી પર 30 ટકા ભાગમાં જંગલો છે, જેનો કુલ વિસ્તાર 4 અબજ હેક્ટર જેટલો છે. દર સેકંડે ફૂટબોલનાં મેદાન જેટલાં જંગલો સાફ થઈ રહ્યાં છે. દર વર્ષે લગભગ ઈંગ્લૅન્ડના કદનાં એટલે કે 32 મિલિયન એકર જેટલાં જંગલો કપાય છે. જંગલ સાથે તેનું જીવવૈવિધ્ય પણ નાશ પામે છે અને પર્યાવરણ સંતુલન ખોરવાય છે. એથી જ પૃથ્વીદિન 2020ની થીમ ‘ક્લાઈમેટ એક્શન’ હતી, 2021ની ‘રિસ્ટોર અવર અર્થ’ અને 2022ની ‘ઈન્વેસ્ટ ઈન અવર પ્લાનેટ’ છે.

પૃથ્વીની રચના 4-54 અબજ વર્ષ પહેલા થઈ, એક અબજ વર્ષ પછી તેની સપાટી પર જીવન પાંગર્યું. સૂર્યથી પૃથ્વીનું અંતર 14,95,97,900 કિલોમીટર છે, જ્યારે તેનો વ્યાસ 12,156 કિલોમીટર છે. સૂર્ય ફરતે પ્રદક્ષિણાનો સમય 365.26 દિવસ છે અને પૃથ્વીના ધરીભ્રમણનો સમય 23 કલાક, 56 મિનિટ છે. પૃથ્વીની સપાટીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે માઈનસ 70થી પપ ડિગ્રી સેન્ટીગ્રેડ છે. પૃથ્વી ઉત્પન્ન થઈ ત્યારથી તેના પર્યાવરણમાં પરિવર્તન થતાં રહ્યાં છે અને એ અનુસાર જીવવૈવિધ્ય પાંગરતું કે નાશ પામતું રહ્યું છે. એવું મનાય છે કે પૃથ્વી પર હજી 1.5 અબજ વર્ષો સુધી જીવન ટકી શકશે, એ પછી સૂર્યની વધતી જતી તેજસ્વિતા, પૃથ્વીના જીવમંડળને નષ્ટ કરી નાખશે.

જો કે છેલ્લાં થોડાં વર્ષમાં પૃથ્વીના પર્યાવરણમાં જે ખૂબ ઝડપી અને નકારાત્મક ફેરફારો થઈ રહ્યા છે, તે કરનાર તો માણસ જ છીએ. આપણી લાલસા, અળવીતરાઈ અને અવળચંડાઈ આ સુંદર અને ભવ્ય ગ્રહને મોટા જોખમમાં મૂકી રહી છે. આ પ્રત્યે જાગૃતિ વધારવા પહેલો પૃથ્વીદિવસ 1970માં ઉજવવામાં આવ્યો. અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અલ ગોરના પુસ્તક 'ઈનકન્વિનિઅન્ટ ટૂથ' અને 2007માં તેમને સંયુક્ત રાષ્ટ્રના આઈ.પી.સી.સી.ની સાથે સંયુક્ત રૂપથી મળેલ નોબેલ પુરસ્કારે આ તરફ સંવેદનશીલતા વધારવામાં મદદ કરી છે. આમ છતાં મુદ્દાનુ સમાધાન હજુ દૂર છે. જળવાયુમાં થતાં પરિવર્તનને પરિણામે વિશ્વ પર અન્નસંકટ અને જલસંકટ બન્ને તોળાઈ રહ્યા છે. વૈશ્વિક ખાદ્ય સંકટની સૌથી વધુ અસર તો વિકાસશીલ દેશો પર જ પડશે. પર્યાવરણ માટે સામૂહિક પ્રયત્નો કરવા જરૂરી જ નહીં અનિવાર્ય બની ગયા છે. આમ તો એવી ઘણી બાબતો છે જેના દ્વારા આપણે એકલા અને સામૂહિક રૂપે ઘરતીને બચાવવામાં ફાળો આપી શકીએ છીએ અને આપણે દરેક દિવસને પૃથ્વી દિવસ માનીને તેના બચાવ માટે કંઈ ને કંઈ કરતા રહેવુ જોઈએ. પરંતુ પોતાની વ્યસ્તતામાં વ્યસ્ત માણસ જો વિશ્વ પૃથ્વી દિવસના દિવસે પણ થોડુંઘણું યોગદાન આપે તો ઘણું થઈ શકે. સ્વાર્થ માટે પૃથ્વીને બગાડવામાં બધી તાકાતો એક હતી. હવે એ તાકાતોએ એક થઈ પૃથ્વીને સુધારવી પણ જોઈશે. એવરીવન એકાઉન્ટેડ ફૉર, એન્ડ એવરીવન એકાઉન્ટેબલ. સમય વહેતો જાય છે. નવી પેઢી માટે સમૃદ્ધ અને ટકાઉ ભવિષ્ય સર્જવું હોય તો કામે લાગવું પડશે.

'પૃથ્વી’ના દિનની ઉજવણી માટે આપણે સૌએ તેને બચાવવાના શપથ લેવા પડે તેવી સ્થિતિમાં પૃથ્વી આવી ગઈ છે. બાકી ગ્લોબલ વૉર્મિંગના પરિણામે ઋતુચક્રમાં અનિયમિતતા, વાવાઝોડાં, પૂર, લાવા, ભૂકંપ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી આપત્તિઓ વધી રહી છે. ૨૧ ટકા ઓકિસજન, ૭૮ ટકા હાઈડ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોકસાઈડ અને વાડીમાં કાર્બન, આર્ગન જેવા વાયુઓનો આ ગ્રહ જેણે આપણને રહેવાનું સુંદર ઘર આપ્યું છે તે પોતે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, તેનાં મુખ્ય કારણ છે પ્રદૂષણમાં બેફામ વધારો, આડેધડ કપાઈ રહેલાં જંગલ ને વિનાશકારી ગેસનું વધી રહેલું પ્રમાણ. 
વિશ્વ પૃથ્વી દિનની ઉજવણી વેળાએ જો પ્રત્યેક વ્યક્તિ ઓછામાં ઓછા એક વૃક્ષનું વાવેતર કરી તેના સંપૂર્ણ ઉછેરીની જવાબદારી લે, પ્રદૂષણ ફેલાવતી ચીજવસ્તુઓને બદલે ઈકો-ફ્રેન્ડલી વસ્તુઓ વાપરે અને બને ત્યાં સુધી વાતાવરણને પ્રદૂષિત ન કરે. 

અમેરિકામાં લૉ એનર્જી લાઈફસ્ટાઈલ નામની મુવમેન્ટ ચાલે છે. નાસાના વિજ્ઞાનીઓએ ‘અર્થ હીરો’ નામનું એપ બનાવ્યું છે જે લૉ એનર્જી લાઈફસ્ટાઈલ માટેના આઈડિયાઝ આપે. આ જીવનશૈલીથી વાતાવરણમાં હાનિકારક વાયુઓ ઓછા છૂટે છે, સાથે લોકોનું જીવન ઓછું ખર્ચાળ અને વધુ સરળ થાય છે. અનેક લોકો પોતાની જરૂરિયાતો પર કાપ મૂકતા અને બચેલા સમયશક્તિને પર્યાવરણ માટેના આંદલનોમાં જોડતા થઈ ગયા છે. નાસાના એક અર્થ સાયન્ટિસ્ટ કહે છે કે ‘આપણે બધું ગુમાવી બેસવાના છીએ. આ કોઈ મજાક કે અતિશયોક્તિ નથી. પણ સરકારો કે ઉદ્યોગો વિજ્ઞાનીઓનું સાંભળતા નથી. આપણે જ આપણા સુંદર ભવ્ય ગ્રહને બચાવવા માટે જોખમો ઉઠાવવા તૈયાર થવું જોઈશે.’

રેફ્રિજેટર-એરકન્ડીશનર અને કારખાનાઓ જે ક્લૉરોફ્લૉરો કાર્બન છોડે છે તે હલકો હોવાથી તરત ઊંચે જાય છે અને વાયુમંડળમાં 2025 કિલોમીટર પર આવેલા ઓઝોન સ્તર સુધી પહોંચે છે. ક્લૉરોફ્લૉરો કાર્બન ઓઝોનનું વિઘટન કરે છે અને એથી સ્તર પાતળું બને છે એમાંથી પસાર થયેલા સૂર્યના શક્તિશાળી અલ્ટ્રાવાયોલેટ કિરણો પૃથ્વી સુધી પહોંચી સ્કીન કૅન્સર જેવા રોગો કરે છે. જે ઓઝોન કવચ આપણું રક્ષણ કરે છે તેનું રક્ષણ હવે આપણે કરવાનું છે.

તો કારખાના બંધ કરી દઈશું? ના, પણ ક્લૉરોફ્લૉરો કાર્બનના યોગ્ય નિકાલની સિસ્ટમ તો વિકાસાવાય ને? જેમ બને તેમ કુદરતી વસ્તુઓ વાપરવી અને રેફ્રિજેટર-એરકન્ડીશનરનો વિવેકપૂર્ણ ઉપયોગ એવાં પગલાં તો દરેક વ્યક્તિ લઈ શકે.

પર્યાવરણવિશેષજ્ઞ ગેલોર્ડ નેલ્સન કહે છે કે રાષ્ટ્રની સાચી સંપત્તિ એની હવા, પાણી, માટી, જંગલો, ખનિજો, નદીઓ, તળાવો, સમુદ્રો, પ્રાકૃતિક સૌંદર્ય, જંગલો, પશુપક્ષીઓ અને જીવવૈવિધ્ય છે. બી.બી.સી. નેચરલ હિસ્ટ્રી યુનિટના ડેવિડ એટનબરો કહે છે કે પ્રાકૃતિક વિશ્વને જોવું, સમજવું અને એની ઊર્જાના સ્રોત સુધી પહોંચવું એના જેવું વિસ્મય અને એના જેવી ભરપૂરતા બીજા કશામાં નથી. સારો માણસ એ છે જેને તમામ જીવંત સૃષ્ટિ સાથે દોસ્તી છે. પૂર્વજો પાસેથી વારસામાં મળેલી પૃથ્વીને વધારે સુંદર, વધારે પોષક બનાવીને પાછી આપવાની જવાબદારી આપણી જ છે. પૃથ્વી માણસની નથી, માણસ પૃથ્વીનો છે. પૃથ્વી અને માણસનો સંબંધ તૂટવો જોઈએ નહીં.

e.mail : sonalparikh1000@gmail.com

પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 17 ઍપ્રિલ 2022

Loading

6 May 2022 admin
← એ લોકો જિજ્ઞેશ મેવાણીથી શા માટે ડરે છે ?
જે સ્વપ્ન ભૂલી શકાય; એને સ્વપ્ન નહીં, ઈચ્છા કહેવાય : રૅન્ડી પૉશ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved