પોપડા જેવું ઉખાડીને કહ્યું,
મેં કહ્યું તે ઘર ઉતારીને કહ્યું.
એ નદી કેવળ તરસરૂપા હતી,
મેંય એમાં પગ પખાળીને કહ્યું.
હું તરી કાંઠે પહોંચ્યો શી રીતે,
એ કથાંતર જળ વળાવીને કહ્યું.
બારણે સોનાહરણ આવ્યાં જુઓ,
મેં પડો બદ્ધે વગાડીને કહ્યું.
શું ગઝલ કેવળ રદીફ ને કાફિયા?
આટલું ‘નિર્મન’ વિચારીને કહ્યું.
25.2.26
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ તાલુકા અને જિલ્લો આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

