પૂછનારે મિજાજનું પૂછ્યું,
કોઈએ ના ઇલાજનું પૂછ્યું.
દોસ્ત રણમાં જઈ જે નાંગર્યું,
મેં તને એ જહાજનું પૂછ્યું.
એમણે તો લવણ જ વાવ્યું છે,
જેમણે તખ્તોતાજનું પૂછ્યું.
એય લય તાનમાં જ તૂટ્યું છે,
દોસ્ત તેં શીદ સાજનું પૂછ્યું?
ના કદી દૂરથી જ પરખાયો,
ડૂબતા એ અવાજનું પૂછ્યું.
તોય ગઈકાલનો કરી સાંધો,
તેં મને દોસ્ત આજનું પૂછ્યું.
26.10.2025
વૃન્દાવન બંગલોઝ,15, શિવ બંગલો, બળિયાદેવ મંદિર નજીક, ગાના-કરમસદ રોડ, મુ. કરમસદ.તા. જિ. આણંદ.
ઈ-મેલ: 1959pareshdave@gmail.com
![]()

