Opinion Magazine
Number of visits: 9455629
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગાંધીજી અને સરલાદેવી વિષે ગેરસમજ

યોગેન્દ્ર પારેખ|Gandhiana|20 July 2017

ગાંધીજી સરલાદેવીને પરણવા ઇચ્છતા હતા એવી ગમ્મત કરીને વિનોદ ભટ્ટે ભયંકર ગેરસમજ ઊભી કરી છે. (દિવ્ય ભાસ્કર – બીજી જુલાઈ, ૨૦૧૭) આ સ્થિતિમાં તેમનાં સંબંધની સ્પષ્ટતા અને સાચી સમજ કેળવવી જરૂરી છે. સરલાદેવી ચૌધરાણી, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરનાં ભાણેજ હતાં. તેઓ નીવડેલાં ગાયિકા હતાં. ૧૯૧૯ના ઑક્ટોબરમાં લાહોર મુકામે તેઓ ગાંધીજીના પરિચયમાં આવ્યાં હતાં. ગાંધીજી તેમનાથી પ્રભાવિત હતા. સરલાદેવી પોતે અસહકાર-આંદોલન વખતે સ્વદેશી ચળવળમાં સક્રિય રહ્યાં હતાં. તેમના પતિ રામભજદત્ત પંજાબના નેતા હતા અને ૧૯૧૯ના એ દિવસોમાં તેઓ જેલમાં હતા. રામભજદત્ત જેલમાંથી મુક્ત થઈને આવ્યા ત્યારે ગાંધીજીએ ‘આનંદિત પતિ-પત્નીની જોડી’ને વધામણી આપી હતી. સરલાદેવીને ગાંધીજી પ્રત્યે ઘણું આકર્ષણ હતું, જેને ડૉ. સુશીલા નય્યરે ‘માલિકીહક’ શબ્દથી ઓળખાવ્યું છે. ગાંધીજી અને સરલાદેવીનો સંબંધ આધ્યાત્મિક સંલગ્નતાનો હતો, જેને અમુક ટીકાકારોેેે ‘લગ્ન’માં ખપાવી મન ફાવ્યું અર્થઘટન કરતા રહ્યા છે.

ગાંધીજીએ સરલાદેવીને ૧૯૨૦ના ડિસેમ્બરમાં એક લાંબો પત્ર લખીને ઊર્ધ્વગામી આત્મિક સંબંધનો મર્મ પ્રગટ કર્યો હતો; જે આ મુજબ છે : તમારા પ્રત્યેના પ્રેમનું હું પૃથક્કરણ કરી રહ્યો છું. આધ્યાત્મિક પત્નીનો ચોક્કસ અર્થ મને સ્પષ્ટ થયો છે. બે વિજાતીય વ્યક્તિઓ વચ્ચેની એ તેવી ભાગીદારી છેે અને તેમાં શારીરિક સંબંધનો સંપૂર્ણ છેદ ઊડી જાય છે, તેથી આ ભાગીદારી ભાઈબહેન અને પિતાપુત્રી વચ્ચે સંભવિત છે.

ગાંધીજી  પ્રગટ  કે  અપ્રગટ  વાસના  વિનાની  સાજેદારીમાં  આદર્શ  ભૂમિકા ઇચ્છતા  હતા.  “આધ્યાત્મિક ભાગીદારો આ જીવનમાં કે ભાવિ જીવનમાં કદી શરીરથી વિવાહિત ન હોઈ શકે … વિચારની હું જે પવિત્રતા હું ધરાવું છું, તેના કરતાં મને મારામાં અત્યંત ઊંચા પ્રકારની પવિત્રતાની જરૂર છે” એમ કહ્યા પછી શારીરિક આસક્તિમાંથી મુક્ત રહેવાના પડકારને સહજ રીતે આત્મસાત્ કરનાર ગાંધીજીએ જ લખ્યું છે કે .. “મારી સમજ પ્રમાણે આપણો સંબંધ ભાઈબહેનનો છે.”

ગાંધીજીની ગેરવાજબી ટીકા કે મશ્કરી કરનારે એટલું તો સમજી લેવું જોઈએ કે તેઓ જેના વિશે લખે છે તે માણસ; સમગ્ર માનવજાતિનો સેવક હતો. દેશ, ધર્મ, પ્રદેશ, ભાષા, જાતિની સંકુચિતતાથી પર હતો. સતત નવું શીખવું એ તેની પ્રકૃતિ હતી. પોતાના દરેક વર્તનને વિશે આત્મમંથન, સ્વમૂલ્યાંકન અને ક્ષણેક્ષણની જાગૃતિ તેના માટે સ્વાભાવિક સહજધર્મ હતો. ‘મરતાં પણ સત્ય ના છોડવું’ની કાંટાળી કેડી પર ચાલેલા મનુષ્ય વિશે પૂર્વાપર સંદર્ભ વગર, અભ્યાસ વગર, માત્ર સ્મૃિતના આધારે સાંભળેલી વાતો પરથી લખી પાડવાથી ભોળા વાચકોમાં ગેરસમજ ઊભી થાય છે. આપણા વર્તમાનમાં ગાંધીજીને વિશે ટીકાત્મક લખવાથી સરકાર પણ રાજી થશે, એવું માનનારા મુગ્ધાત્માઓની સંખ્યા ઓછી નથી.

સરલાદેવીનું ૧૯૪૫માં નિધન થયું હતું. સ્વદેશીની ચળવળ વખતની સક્રિયતા બાદ ધીમે-ધીમે તેઓ જાહેર પ્રવૃત્તિથી ખસતાં ગયાં હતાં. ગાંધીજીએ આત્મકથામાં સરલાદેવી વિશે ન લખીને કોઈ ગંભીર ક્ષતિ નથી કરી. છેવટના અઢી દાયકા પહેલાં ‘આત્મકથા’ લખાઈ છે. બાકીની ખુલ્લી કિતાબ જેવી વાતો માટે ‘મહાદેવભાઈની ડાયરી’થી લઈ ગાંધીજીનો ‘અક્ષરદેહ’, ‘પૂર્ણાહુતિ’ સુધીના સંદર્ભો છે. ગાંધીજીના અસંખ્ય પત્રો ‘આત્મકથા’નો વિસ્તાર જ છે.

E-mail:gandhinesamajo@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2017; પૃ.13

Loading

20 July 2017 admin
← કિતની આઁહો સે કલેજા ઠંડા હો તેરા …
ભારતની લોકશાહી પરનું કલંક લિન્ચિન્ગ : ગાયના નામે લઘુમતીઓ પર હિંસાચા →

Search by

Opinion

  • દાદાનો ડંગોરો
  • સોક્રેટિસ ઉવાચ-૧૨  : ભારતીય દેશભક્ત અને સોક્રેટિસ વચ્ચેનો વધુ એક કાલ્પનિક સંવાદ
  • વિશ્વ શાંતિ દિવસે અશાંત અરાજકતા તરફ એક નજર 
  • હકાલપટ્ટી
  • GEN-Z

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved