Opinion Magazine
Number of visits: 9445931
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ અને અકીરા કુરોસાવા: સાહિત્ય જ્યારે સિનેમાને સવાલ પૂછે છે

રાજ ગોસ્વામી|Opinion - Opinion|19 June 2019

કોલંબિયન લેખક ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝ (૧૯૨૭-૨૦૧૪) વિશ્વ સાહિત્યમાં મોટું નામ છે. એમની નવલકથા 'એક સો સાલનું એકાંત'(વન હન્ડ્રેડ ઈયર્સ ઓફ સોલિટ્યુડ)ને ૧૯૮૨માં સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું હતું. કોલંબિયામાં તો માર્કેઝને એના વાચકો પૂજતા હતા, પણ જે દેશની એ ટીકા કરતા હતા, તે અમેરિકામાં પણ એમનો દબદબો એક સુપરસ્ટાર જેવો હતો. એમના લેફટિસ્ટ ઝુકાવના કારણે બંને દેશોએ એમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

સિનેમામાં એવું જ એક નામ અકીરા કુરોસાવા. કુરોસાવા (૧૯૧૦-૧૯૯૮) માર્કેઝથી સિનિયર. જાપાની સિનેમા જગતમાંથી આ એક એવું નામ છે, જે જગતમાં તમામ કળા-સહિત્ય-સિનેમા પ્રેમીઓને ખબર છે. આપણા સત્યજીત રેએ એકવાર કહ્યું હતું કે, "અકીરાની ફિલ્મ 'રાશોમોન'થી મને વીજળીનો ઝટકો લાગ્યો હતો. મેં બીજા દિવસે ત્રણ વખત એ ફિલ્મ જોઈ અને હું અચંબામાં પડી ગયો કે આવી બીજી કોઈ ફિલ્મ હોય?" અકીરાની 'સેવન સમુરાઈ' પરથી 'શોલે' બની હતી. આમીર ખાનની 'તારે ઝમીં પર' અકીરાના જીવનચારિત્ર્ય પરથી બની હતી.

ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝે કેટલોક વખત ફિલ્મ વિવેચક તરીકે પણ કામ કરેલું. ૧૯૯૦માં કુરોસાવો ટોકિયોમાં 'રેપ્સડી ઇન ઓગસ્ટ' ફિલ્મનું શુટિંગ કરતા હતા, ત્યારે માર્કેઝ એમને મળવા ગયા હતા. બંને વચ્ચે છ કલાક સુધી સંવાદ થયો હતો. સાહિત્ય અને સિનેમાના બે મહારથી ભેગા થાય, તો શું વાત થાય? ૨૩ જૂન, ૧૯૯૧ના રોજ ‘ધ લોસ એન્જિલિસ ટાઈમ્સ’ સમચારપત્રમાં આ ક્લાસિક ઈન્ટરવ્યુ છપાયો હતો. કળાપ્રેમીઓ માટે એમાંથી થોડા અંશ અહીં આપ્યા છે. વાંચો, મઝા આવશે.

માર્કેઝ : તમે સ્ક્રિપ્ટ કેવી રીતે લખો છો? તમે ઘણા સાહિત્યને સ્ક્રિપ્ટમાં ઢાળ્યું છે.

કુરોસાવો : મારે કોઈ આઈડિયાને સ્ક્રિપ્ટમાં તબદીલ કરવો હોય તો હું કાગળ અને પેન્સિલ લઈને હોટેલના રૂમમાં પુરાઈ જાઉં. એ વખતે પ્લોટનો આછોપાતળો અંદાજ હોય. સીનની ખબર ન હોય, અને એ નેચરલી આવતા જાય.

માર્કેઝ : મગજમાં પહેલાં શું આવે, આઈડિયા કે ઈમેજ?

કુરોસાવો : છૂટીછવાઈ ઈમેજીસ હોય. અહીં જાપાનમાં સ્ક્રિપ્ટ લેખકો બહુ પદ્ધતિસર, સીન પછી સીન લખે. પણ એ બરાબર નથી. આપણે ભગવાન નથી કે બધું અગાઉથી ખબર હોય.

માર્કેઝ : શેક્સપિયર કે (મેક્સીમ) ગોર્કી કે દોસ્તોએવ્સકીનું રૂપાંતરણ કરો ત્યારે પણ સ્ફુરણા પ્રમાણે જ કરો?

કુરોસાવો : સાહિત્યિક કૃતિઓને સિનેમેટીક ઈમેજમાં ઢાળવી સહેલી નથી. દાખલા તરીકે જાસૂસી કથાનું શુટિંગ થતું હોય તો નવો-સવો ડિરેક્ટર લાશને રેલવે-ટ્રેક પાસે મૂકે, કારણ કે નવલકથામાં એવું જ હોય. હું એને કહું કે, તે વારતા વાંચી છે એટલે તને ખબર છે કે લાશ ટ્રેક પાસે છે. જે લોકોએ નોવેલ વાંચી ન હોય એમને જગ્યાથી શું ફર્ક પડે? સાહિત્યિક ઈમેજનો પાવર સિનેમેટીક ઈમેજથી અલગ હોય.

માર્કેઝ : અસલી જિંદગીમાંથી કોઈ એવી ઈમેજ યાદ છે જે ફિલ્મમાં વ્યક્ત કરવાનું અઘરું હોય?

કુરોસાવો : યેસ. લીડાચી નામનું એક ખાણિયું ટાઉન હતું. હું યુવાન હતો અને ડિરેક્ટરે એને શૂટ કર્યું હતું કારણ કે ત્યાંનું વાતાવરણ ભવ્ય અને અજીબ લાગતું હતું. પણ પિક્ચરમાં એક સામાન્ય ટાઉન જ દેખાયું. અમને ખબર હતી કે એ ટાઉન જીવ માટે જોખમી હતું અને ખાણિયાઓનાં બીવી-બચ્ચાં સલામતીને લઈને ડરમાં જીવતાં હતાં. આ ખબર હતી એટલે અમારી આંખ ટાઉનને એ રીતે જોતી હતી. પણ અમે જે અનુભવ કરતા હતા એ કેમરામાં ના પકડાયું, કારણ કે કેમેરાની આંખ અલગ હોય છે.

માર્કેઝ : અત્યારની ફિલ્મની વાત કરીએ તો, આંધીને શૂટ કરવી અઘરી પડે?

કુરોસાવો : ના. સૌથી અઘરા તો પ્રાણીઓ છે. પાણીના સાપ અને કીડીઓ બહુ અઘરી.

માર્કેઝ : ન્યુક્લિયર ઊર્જા અભિશાપ તરીકે આવી હતી, અને એ તમને ફીટ થાય તેવો વિષય છે. પણ તમે ન્યુક્લિયર ઊર્જા કરતાં એનો જે રીતે ઉપયોગ થયો છે, તેની નિંદા કરો છો.

કુરોસાવો : બંને બાબત એક નથી. ન્યુક્લિયર ઊર્જા માણસથી કંટ્રોલ થાય તેવી નથી. એને સાચવવામાં ભૂલ થઇ તો ભયાનક પરિણામ આવશે અને એની અસર અનેક પેઢીઓને નડશે. પાણી ગરમ હોય તો એની ગરમી ઓછી કરવા ઠંડું પાડવું પડે. હજારો વર્ષો સુધી જે ઉકળતું રહેવાનું છે, એ ન્યુક્લિયર એલિમેન્ટનો ઉપયોગ બંધ કરીએ તો સારું.

માર્કેઝ : તમે જે ફિલ્મ બનાવી રહ્યા છો એમાં આ બાબતે તમારા વિચારો છે?

કુરોસાવો : સીધી રીતે નહીં. (જાપાન ઉપર) બોમ્બ ફેંકવામાં આવ્યો ત્યારે હું નવોસવો પત્રકાર હતો. મારે જે થયું એના પર લેખો લખવા હતા, પણ ત્યારે કશું પણ લખવા પર પ્રતિબંધ હતો. આ ફિલ્મ બનાવવા માટે મેં એ વિષયનો અભ્યાસ કર્યો અને તે વખત કરતાં આજે મને વધુ ખબર છે. મેં જો સીધી રીતે મારા વિચારો આ ફિલ્મમાં મુક્યા હોત તો તે આજના જાપાન કે બીજે ક્યાં ય બતાવાત નહીં.

માર્કેઝ : આપણા આ સંવાદને પ્રગટ કરાવાનું શક્ય છે?

કુરોસાવો : મને વાંધો નથી. ઇન ફેક્ટ, દુનિયામાં લોકોએ આ વિષય પર વિચારવું જોઈએ.

માર્કેઝ : થેન્ક યુ. હું જો જાપાની હોત તો તમારી જેમ જ વિચારતો હોત. પણ હું સમજુ છું. યુદ્ધ કોઈના માટે સારું નથી.

કુરોસાવો : એ જ વાત છે. મુસીબત એ છે કે એકવાર ગોળીબાર શરૂ થાય, પછી ક્રાઈસ્ટ અને ફરિશ્તા પણ સૈન્યના ચીફ ઓફ સ્ટાફ બની જાય છે.

https://www.facebook.com/permalink.php?story_fbid=2301278993533480&id=1379939932334062&__tn__=K-R

Loading

19 June 2019 admin
← અલ્વિદા ગિરીશ કર્નાડ
વડા પ્રધાને ખોટા પ્રશંસકોને ચૂપ કરી દેશ બોલે તેવાં કામો કરવાં જોઈએ →

Search by

Opinion

  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 
  • કોર્ટને કોર્પોરેટ કંપનીનું હિત દેખાય છે, જાહેરહિત દેખાતું નથી ! 
  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved