Opinion Magazine
Number of visits: 9448701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેની લાઠી એની ભેંશ? 

Opinion - Opinion|1 April 2025

નેહા શાહ

વ્યંગ દ્વારા ઊભા થતાં રાજકીય સંભાષણ વિનાની લોકશાહી કેવી? પણ, ભારતની એક મોટી વિડમ્બના એ છે કે વ્યંગ કોઈને પચતો નથી, ભલેને કહેવા માટે આપણે લોકતાંત્રિક દેશ છીએ ! પાછલાં થોડાં વર્ષો પર નજર નાખીએ તો વ્યંગ પ્રત્યેની રાજકીય અસહિષ્ણુતા વધતી દેખાય છે. કુનાલ કામરાએ એનો છેલ્લા કોમેડી શોનો વીડિયો યુ ટ્યુબ પર મુક્યો, જેમાં એણે મહારાષ્ટ્રમાં થયેલી તડજોડની રાજનીતિ વિષે પણ વાત થઇ હતી. નામ લીધા વિના પણ એનું નિશાન સીધું એકનાથ શિંદે તરફ તકાયેલું હતું. બસ, શિવસેનાના કાર્યકર્તાઓ કાર્યક્રમના સ્થળની તોડફોડ કરવા પર ઊતરી આવ્યા. કુનાલ કામરા સાથે  ફોન પર ગાળાગાળી પણ કરી અને એને ધમકી પણ આપી! 

વ્યંગ અને વિનોદ હંમેશાં રાજકીય વાત કરવાના અગત્યના સાધન રહ્યા છે. બિન લોકશાહી દેશોમાં પણ કાર્ટૂન કળાની એક મહત્ત્વની ભૂમિકા છે. આ માધ્યમની મઝા એ છે કે જે વાતમાં સહમતિ ના હોય એ વાત હસતા હસતા કહી દેવાય. જે વ્યક્તિને સંબોધીને વાત થઈ હોય એ સાનમાં સમજી જાય, ખોટું પણ ના લગાડાય અને વાત પર હસી લેવું પડે. આટલી ખેલદિલી તો કેળવવી જ પડે. ચૂંટાયેલા નેતા હોવાના નાતે રાજકારણીઓ સતત લોકોની નજરમાં રહેવાના. એટલે વ્યંગ પ્રત્યે સૌથી વધુ ખેલદિલી તેમણે કેળવવી જોઈએ. પણ, ના કરવાનું ઘણું કરી ચૂકેલા રાજકારણીઓને પોતાની સામે થતાં વ્યંગ તેમની સ્વાર્થી રાજનીતિને ઉઘાડા પાડનારા લાગે છે, જે સહન કરવાની તૈયારી તેમની પાસે હોતી નથી. એમાંથી જન્મે છે અસહિષ્ણુતા. એમને ખબર હોય છે કે જે કામ તેઓ કરીને બેઠા છે તે નૈતિકતાની કસોટી પર કેમે કરીને પાર ઉતરવાના નથી. એટલે બળ કે કળનો ઉપયોગ કરી એ વિષયે વાત ડામી દો તો જ બચી શકાય! સત્તા પર હોય તો પોલીસ દ્વારા બળનો ઉપયોગ પણ થાય. બાકી, ભાંગફોડ કરી ડર ફેલાવવા માટે ફૌજ તૈયાર હોય જ છે, જેનું કામ દાદાગીરી કરવાનું, તોડફોડ કરવાનું અને ધાકધમકીથી ભયનું વાતાવરણ ઊભું કરવાનું હોય છે. ભારત દેશના બદનસીબે દરેક રાજકીય પક્ષ પાસે આવા ભાંગફોડિયા તત્ત્વો છે. અને કોઈ પણ પક્ષમાં વ્યંગ સહન કરવાની સહિષ્ણુતા નથી. ૨૦૧૯માં મમતા બેનર્જી પર એક મિમ બનાવી ફેસબુક પર પોસ્ટ કરવા માટે ભા.જ.પ.ની કાર્યકર્તા પ્રિયંકા શર્માની પશ્ચિમ બંગાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૨માં છત્તીસગઢમાં કાઁગ્રેસ પર વ્યંગ કરવા બદલ નીલેશ શર્મા નામના પત્રકાર અને વ્યંગકારની ધરપકડ કરવામાં આવી હતી. ૨૦૨૨માં મધ્ય પ્રદેશમાં એક મિમિક્રી આર્ટીસ્ટની પ્રધાન મંત્રી મોદી અને અમિત શાહની મિમિક્રી કરવા બદલ અને ૨૦૧૮મા તામીલનાડુના એક લોક સંગીતકારની મોદી સરકારની ટીપ્પણી કરતાં ગીતો ગાવા બદલ ધરપકડ થઇ હતી. આ સિવાય પણ ઘણા કિસ્સાઓ છે જ્યાં મોજૂદ સરકાર વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધરપકડ થઇ હોય. 

કુનાલ કામરા રાજકીય કોમેડી માટે જાણીતો છે. આજના માહોલમાં પણ પોતાનો અભિપ્રાય ડર્યા વિના રજૂ કરે છે. નરેન્દ્ર મોદી સહિત ઘણાં મોટા કદનાં લોકો અંગે એણે વ્યંગ કર્યા છે, જે માટે ભૂતકાળમાં પણ ઘણા વિવાદ ઊભા થયા છે. આજે લગભગ બે ભાગમાં વહેંચાઈ ગયેલા જનમતમાં કોઈને એનો વ્યંગ ખૂબ ગમે અને કોઈને બિલકુલ ના ગમે એવું બને. એની વાત સાથે અસંમતિ હોઇ શકે. જેની સામે વ્યંગનું તીર તકાયુ હોય એ બદનક્ષીનો દાવો પણ માંડી શકે. એ એમનો હક છે. પણ, ગુંડા જઈને તોડફોડ કરે, ધાકધમકી આપે, કાયદાને હાથમાં લેવાને પોતાનો હક સમજે અને આવી હિંસક હરકતોને ઉચિત ઠેરવતા નિવેદનો કેમેરા સામે બેખોફ આપે એને શું કહીશું? એ પણ કોઈ રાજ્યના નાયબ મુખ્ય મંત્રીના સમર્થકોનો આવો ભાંગફોડિયો પ્રતિભાવ હોય તો કાયદો અને વ્યવસ્થા અંગે શું અપેક્ષા રાખવાની? આ તો ન્યાયતંત્રથી ઉપરવટ જઈ જેની લાઠી એની ભેંશના હિસાબે ન્યાય તોળવાની વાત છે! એની ઝપટે માત્ર વ્યંગ કલાકાર જ નહિ પણ કોઈ પણ કલા ચડી શકે છે. યાદ કરો, આમીરખાનના વિરોધમાં ‘ફના’ ફિલ્મનો વિરોધ કે પછી ‘પદ્માવત’ ફિલ્મનાં વિરોધમાં થિયેટરમાં તોડફોડ કરવાની ધમકી. આ બધા કરતાં પણ વધુ ગંભીર છે લોકોની પ્રતિક્રિયા. મોટા વર્ગમાં એક સન્નાટો અને ક્યાંક છુપો રાજીપો. જેની સાથે સંમત ના હો એની મારપીટ થતી હોય, કે એની સંપત્તિની ભાંગફોડ થતી હોય ત્યારે પળાતી ચુપ્પી જ તો ભાંગફોડિયા વૃત્તિને પાળી પોષીને મોટી કરે છે. 

આજના રાજકીય વાતાવરણમાં નહેરુ યાદ આવે છે. આજે ભલે તેમને ગમે તેટલા વગોવવામાં આવતા હોય, પણ રાજકીય મતભેદનું મહત્ત્વ તેઓ સમજતા અને એને  આદર સાથે સ્વીકારતા હતા. જાણીતા કાર્ટૂન કલાકાર શંકરને તેમણે કહ્યું હતું “શંકર, મને બક્ષતા નહીં”. શંકરે કદાચ સૌથી વધારે કાર્ટૂન નહેરુની નીતિઓની ટીકા કરતા જ બનાવ્યા હતા!

સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

1 April 2025 Vipool Kalyani
← તૂરો અહેસાસ….                                             
સત્યને ઉજાગર કરવું તે બહાદુરી છે ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved