Opinion Magazine
Number of visits: 9453227
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક હતો મોતી બહારવટિયો [પાવક સ્મરણ]

બદરીભાઈ જોષી|Opinion - Opinion|16 December 2015

અમારા તણછા ગામનું યુવક મંડળ ગામસફાઈ, ગામ રચના, વ્યસનમુક્તિ, ગ્રામરક્ષણના રચનાત્મક કાર્યક્રમો અને નાટકો ભજવવાનું કામ કરે. તણછા યુવક મંડળનો આમોદ તાલુકામાં પ્રભાવ ઊભો થતાં તણછાએ આદર્શ ગામ તરીકેની ખ્યાતિ મેળવી. નાટક પ્રવૃત્તિના દિગ્દર્શક સ્વ. હિંમતસિંહ રાજ અને સહાયક દિગ્દર્શક તરીકે હું હતો.

તા. ૧-૫-૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત જુદુ થયું. તેનું ઉદ્દઘાટન રવિશંકર મહારાજના હસ્તે થયું. અને ગુજરાતના તાલુકા જિલ્લાઓમાં સાંસ્કૃિતક કાર્યક્રમો થયા.

જે તે વખતના આમોદ તાલુકાના મામલતદારશ્રીએ યુવકમંડળને કહેણ મોકલાવ્યું કે તા. ૧-૫-૧૯૬૦ના રોજ આમોદ તિલક મેદાનમાં તમારે નાટકનો સાંસ્કૃિતક કાર્યક્રમ કરવાનો છે. સરકાર તરફથી યુવક મંડળને રૂ. ૨૦૦/- મળશે. અમે હા પાડી. મામલતદારશ્રીએ તાલુકાના ગામોમાં જાહેરાત કરી. અમારી માંગણી મુજબનુ સ્ટેજ તૈયાર થયું.

તે દરમિયાન એક અફવા ફેલાવવામાં આવી કે આમોદ ગામમાં યુવક મંડળ છે. તેને મામલતદારે નાટક કરવાનું ના કહ્યું અને તણછા યુવક મંડળને કહ્યું તેથી નાટકના કાર્યક્રમો વખતે વિરોધ વ્યક્ત કરીશું અને શ્રોતાઓમાં ભય ઊભો કરીશું, તેમ છતાં અમોએ મામલતદારશ્રીને બાંહેધરી આપી કે ગમે તેવા કપરા સંજોગોમાં પણ નાટક ભજવીશું જ. નાટક હતું ‘મોતી બહારવટિયો’ ગામડાનાં સ્થાપિત હિતોનો હાથો બનેલા મોતીએ લૂટફાટ ધાક-ધમકી અને ખૂનોની પરંપરા ચાલુ કરી, વિસ્તારમાં આતંક ફેલાવ્યો. એ નાટકમાં મોતી બહારવટિયાનું મુખ્ય પાત્ર મારું હતું તાલુકા સ્થળે પાંચ હજાર ભાઈ-બહેનો વચ્ચે નાટક-ગરબા, પ્રદર્શન, દેશભક્તિ ગીતોના કાર્યક્રમો પૂરા થયા. લોકો ખુશ થયા. તાળીઓના ગડગડાટ સતત ગુંજતા રહ્યા.

આમોદ, તાલુકાનું મોટું બજાર અને સરકારી, અર્ધસરકારી, સહકારી બેંકોના કામે અવાર-નવાર જવાનું થાય. ત્યારે મને જોઈને બજારના વેપારીમિત્રો કહે ‘અલ્યા! દુકાનો બંધ કરો, પેલો મોતી બહારવટિયો બદરી આવ્યો છે. આમ પ્રત્યક્ષ ભજવાઈ ગયેલા નાટકનો પ્રતિભાવ વ્યક્ત કરતા.

૧૯૬૭માં હું તણછા ગ્રામપંચાયતનો પાંચ વર્ષ માટે બિનહરીફ સરપંચ બન્યો. તે સમયમાં ૧૯૬૭થી ૧૯૭૨માં વડનગરના સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોશી અને અમદાવાદના અંબાલાલ શાહ ભૂદાન અને ગ્રામસ્વરાજના વિચારપ્રચારના રચનાત્મક કામો કરવા આવતા. (આમોદ-વાગરા જંબુસર અને ભરૂચ તાલુકામાં) તેઓની સાથે ગામે ગામ જતો. ગૃપચર્ચાઓ અને સભાઓ થતી રહી. સર્વોદય વિચાર, ગ્રામસ્વરાજનું પ્રશિક્ષણ સારુ એવું થયું. તે દરમિયાન આમોદ તાલુકાના બાજુના આદિવાસી ગામો રાણીપુર, કાંકરિયા, વાડિયા, ભીમપુરામાં ગયા ત્યારે જાણવા મળ્યું કે આદિવાસી, નાના સીમાંત ખેડૂતોની જમીનો આમોદના વહેપારીઓને ત્યાં ગીરો હતી. સ્ટેમ્પ પર ગીરોખત કરેલા અને ગાંધી કરિયાણા, કાપડ વગેરેના વેપારીઓએ સો-બસો રૂપિયાનું ઉધાર આપેલું તેના વ્યાજના બદલામાં તેમની જમીનો લઈ વેપારીઓ પોતે ખેડે, આવું ઘણાં વર્ષોથી ચાલે. જેથી જમીનવિહોણા થયેલા ખેડૂતો ખેતમજૂરી અને ચોરીચપાટી કરતા. આ માહિતી જાણ્યા પછી લેણદાર-દેવાદાર વચ્ચેની રકમની યાદી બનાવી લેણદાર વેપારીઓને મળ્યા અને સમજાવ્યાઃ તમોએ  ઘણાં વર્ષોથી જમીનની ઉપજ લીધી છે. આદિવાસી ખેડૂતો છે. કોઈ પણ વળતર વગર જમીનો પાછી આપી દો, તો અમારે ખરેખર મોતી બહારવટિયાનો ખેલ કરવો ન પડે! ડૉ. દ્વારકાદાસ જોષીની લાગણીસભર વાત કરવાની રીતથી બધા લેણદારો સમજ્યા અને દસ્તાવેજો ફાડી જમીનો જે તે આદિવાસી ખેડૂત મિત્રોને પાછી આપી.

ડૉ. દ્વારકાદાસ જોશીની સમન્વયકારી ભૂમિકા અને મોતી બહારવટિયા નાટકથી ઊભા થયેલા પ્રભાવથી અને પાયાનું રચનાત્મક હૃદયપરિવર્તનનું કામ થયું. મૈત્રીપૂર્ણ વાતાવરણમાં ગરીબ આદિવાસી ખેડૂતોને જમીન પરત મળી.

આ એક વિસરાઈ ગયેલો મહત્ત્વનો પ્રસંગ યાદ આવ્યો જેથી મિત્રોની જાણકારી માટે પ્રગટ કર્યો છે.

તણછા

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ડિસેમ્બર 2015; પૃ. 19

Loading

16 December 2015 admin
← ઝુમરીતલૈયાની ટોળી
માહિતી અધિકાર : કાયદો પૂરતો નથી →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved