Opinion Magazine
Number of visits: 9504140
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધ્રુપદ ને ખયાલ એકકંઠ ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|24 June 2018

કર્ણાટકના ચૂંટણીપરિણામ પૂર્વે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હું વડાપ્રધાનપદ માટે તૈયાર છું. વચ્ચેના દિવસોમાં એમના એ ઉદ્‌ગારો સંભારી હાંસી કરવાનું વલણ દેખાયું છે પણ એમાં એમને અન્યાય થાય છે. તે એ રીતે કે જો કૉંગ્રેસ પક્ષને બહુમતી મળે તો એના નેતા તરીકે હું વડાપ્રધાનપદ સ્વીકારવા તૈયાર છું એવું એમણે કહ્યું હતું. આ સંભારવાનું તત્કાલ નિમિત્ત તો જો કે એટલું જ છે કે મે ર૦૧૯માં વડાપ્રધાનપદે નમો સિવાય કોઈ વ્યક્તિ હોઈ શકે એવી શક્યતા હવે પૂર્વવત્‌ અશક્ય નથી લાગતી. દેખીતી વાત છે કે કર્ણાટકની ચૂંટણી પછીની પેટાચૂંટણીઓમાં પરિણામોની જે તરાહ અને તાસીર માલૂમ પડી તે પછી આવી શક્યતાઓનું બજાર ખૂલી ગયું છે. (પ્રણવ મુખર્જી અને નાગપુર નિમંત્રણ સંદર્ભે હમણાંનો વિવાદ આ સંદર્ભમાં દ્યોતક છે).

ઉત્તરોત્તર જે એક વાત છેલ્લા ચાર વરસમાં સ્ફૂટ થતી રહી છે તે એ કે મે ર૦૧૪નો કથિત વિકાસ મત એટલું કામ આપનારો નથી. કોઈક ને કોઈક રીતે કોમી ઉંબાડિયું ચાલુ રાખ્યા વગર ભાજપ પોતાને અસુરક્ષિત અનુભવે છે. અલબત્ત, કૈરાના લોકસભા મતવિસ્તારનું તાજેતરનું ચુંટણી પરિણામ વળતા જવાબરૂપે નોંધપાત્ર છે. ચૌધરી અજિતસિંહના રાષ્ટ્રીય લોકદળે પોતાની જાટ ઓળખથી હટીને એક મુસ્લિમ મહિલા, તબસ્સુમ હસનને ઊભાં રાખ્યાં અને બિનભાજપ એકતાને જોરે એ ચુંટાઈ પણ આવ્યાં! કૈરાનાની પેટાચૂંટણી ભાજપ સાંસદ હુકુમસિંહના મૃત્યુને કારણે જરૂરી બની હતી. આ હુકુમસિંહે પોતાના સાંસદકાળમાં ચૂંટણીલક્ષી કોમી ધ્રુવીકરણને નજર સામે રાખી, કૈરાનામાંથી મુસ્લિમોના ત્રાસને કારણે મોટે પાયે હિંદુ હિજરત થયાની વાત ઉછાળી હતી. જો કે, સ્વતંત્ર તપાસ પછી જે સમજાયું હતું તે એ હતું કે હિજરતીઓમાં જેમ હિંદુઓ તેમ મુસ્લિમો પણ હતા, અને આ હિજરતમાં એક કારણ આર્થિક વિકાસનાં નવાં ચરિયાણની શોધ પણ હતી. ખાસ કરીને દિલ્હી માંડ દોઢસો કિલોમીટર છેટે હોય એ સંજોગોમાં મહાનગરનું આકર્ષણ પણ ખરું.

ર૦૧૬માં આ વિવાદ ઉપડ્યો ત્યારે એક સમગ્ર ચિત્ર આલેખવાનું બન્યું હતું. આ ક્ષણે ઝાઝી તપસીલમાં નહીં ખૂંપતાં એ એક હદ્ય ઇતિહાસવસ્તુ માત્ર સંભારી લઈશું કે શાસ્ત્રીય સંગીતને ક્ષેત્રે જે કિરાણા ઘરાણાની ખ્યાતિ છે એનો ઉગમ કૈરાનાનો છે. હિંદુ પરંપરાનો ધ્રુપદ અને ઈસ્લામી પરંપરાનો ખયાલ, આ બેઉનું સંમિલન તે કિરાણા ઘરાણાનો વિશેષ ગણાય છે. જાટ મતદારોએ હિંદુ ઓળખથી નહીં ખેંચાતાં એક મુસ્લિમ ઉમેદવારની તરફેણમાં મતદાન કર્યું તેમાં કિરાણા ઘરાણાનો કિંચિત્‌ પણ અપરિભાષિત ફાળો હશે એમ માનવું કોને ન ગમે. સમાજવાદી પક્ષ, બહુજનસમાજ પક્ષ, રાષ્ટ્રીય લોકદળ, કૉંગ્રેસ સૌ એકત્ર આવે તો ર૦૧૯માં ઉત્તરપ્રદેશમાં કેવીક ચૂંટણીભોંય કેળવાય – ભાજપ કેવોક ‘ધીખતી ધરા’ અનુભવ કરે – એનું આ એક ટ્રેલર, બીજું શું.

સાદી ચૂંટણીસમજૂતીની ચર્ચાને હમણાં આ લખનાર છેક ગાયકી અને ઘરાણા લગી ખેંચી ગયો એમાં રહેલી દૂરાકૃષ્ટતાની જો એને ખુદને પણ ખબર હોય તો બાકી સૌને ય એનાં ઓસાણ ન હોય એવું તો શી રીતે માની શકાય. પણ, તેમ છતાં આવો પેરેલલ દોરવા પાછળની એક ચાલના એ મુદ્દો ઘૂંટવાની છે કે બિનભાજપ પક્ષોના ખયાલમાં રહેવું જોઈશે કે વાત માત્ર અંકગણિતની નથી, એમાં કશીક કીમિયાગરી (આલ્કેમી) જરૂરી છે, જેમ કે જેપી આંદોલન / વીપી હવા.

દરમ્યાન, બેઠકોની જિદ જરૂર પ્રમાણે છોડીને પણ સપ (અખિલેશ), બસપ (માયાવતી) સાથે રહેશે એવી અખિલેશ યાદવની જાહેરાતમાં રહેલી સહજ પ્રૌઢિની સ્વાગતાર્હ નોંધ!

સૌ જન્ય : “નિરીક્ષક”, 16 જૂન 2018; પૃ. 11 

Loading

24 June 2018 admin
← અમેરિકામાં ગુજરાતી પુસ્તક
મૅટ્રિમોનિયલ્સ →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved