Opinion Magazine
Number of visits: 9448976
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|14 September 2025

ગુરુવારે જૂનાગઢ ખાતેના ગુજરાત કાઁગ્રેસના ૪૫ જેટલા જિલ્લા અને શહેર પ્રમુખો સમક્ષ તેમની પ્રશિક્ષણ શિબિરમાં ગુજરાત મોડેલની વાત કરતાં જણાવેલા મુખ્ય મુદ્દા : 

નરેન્દ્ર મોદીએ ૨૦૦૧ પછી ગુજરાતમાં પાંચ પ્રકારના વર્ગો ઊભા કર્યા કે જેને ગુજરાત મોડલ તરીકે દેશમાં અને દુનિયામાં રજૂ કરવામાં આવ્યું :

(૧) એક છે લાભાર્થી વર્ગ : કહેવાતા વિકાસનો લાભ જેમને થયો તે આ વર્ગ. તેમાં છે બીલ્ડરો, ઉદ્યોગપતિઓ, હોટલપતિઓ, ઇવેન્ટ મેનેજરો, કાર્યક્રમના ઉદ્ઘોષકો, કેટરર્સ, દેશીવિદેશી ટેકનિકલ નિષ્ણાતો અને ચમચા અધ્યાપકો, સાહિત્યકારો, કથાકારો, મોટીવેશનલ સ્પીકરો વગેરે. તેમને સીધી કે આડકતરી રીતે જોરદાર આર્થિક લાભ થયો એટલે તેઓ મોદીની કથા કરે એ સ્વાભાવિક છે. 

(૨) બીજો છે અભિભૂત વર્ગ : આ વર્ગ કહેવાતા વિકાસથી અંજાઈ જાય છે. રિવર ફ્રન્ટ, અટલ બ્રિજ, સરદારનું પૂતળું, ફ્લાય ઓવર, સ્ટેટ હાઈવે, કાંકરિયા લેકફ્રન્ટ, કાયમી અને હંગામી રોશની વગેરે. આ બધું જોઈને બધાને એમ થાય છે કે વાહ શું વિકાસ થયો છે. બધા જ લોકો આ વિકાસથી અભિભૂત થઈ જાય છે. આખા દેશના ખેડૂતોને બોલાવીને ગુજરાત સરકાર મહાત્મા મંદિરમાં હજારો રૂપિયાનું ઇનામ આપે, સોમનાથ અને દ્વારકા ફરવા લઈ જાય અને ફાઇવ સ્ટાર હોટેલમાં રાખે એટલે એના રાજ્યમાં જઈને એ મોદીનો પ્રચાર જ કરે ને! 

(૩) ત્રીજો છે ડરી ગયેલો વર્ગ : જેઓ આ વિકાસ સાથે સંમત ન થાય, સરકારની નીતિઓની ટીકા કરે એ બધાને ડરાવી દેવામાં આવ્યા. એમની સામે પોલિસમાં કે અદાલતમાં કેસ થયા, એમને જેલમાં નાખવામાં આવ્યા, જુદી જુદી રીતે ધમકીઓ આપવામાં આવી. આવા થોડા વિરોધીઓની સામે આ તાનાશાહી રીત અપનાવો એટલે બાકીના બધા ડરી જાય એ સ્વાભાવિક છે. વિરોધીઓને અવગણવામાં પણ આવે. સરકારની કોઈ સમિતિઓમાં રાખવામાં આવે નહીં, કે કોઈ કોલેજ કે યુનિવર્સિટી તમને બોલાવે નહીં; ભલે તમે નિષ્ણાત કે વિદ્વાન હોવ. 

(૪) ચોથો વર્ગ છે ભક્ત વર્ગ : મોદીની આરતી ઉતારનારો આ વર્ગ છે. તેને માટે મોદી ભગવાન છે, અવતાર છે. એ જે કંઈ કરે તે સારું જ કરે છે એમ તે માને છે. મોદીની ટીકા કરનારા બધા દેશદ્રોહીઓ, હિન્દુદ્રોહીઓ, અર્બન નક્સલ, પાકિસ્તાનીઓ છે એમ તે કહે છે. આ ભક્ત વર્ગને બરાબરનું સિંદૂર કાળજીપૂર્વક પિવડાવવામાં આવ્યું છે. એટલે આ વર્ગે પોતાની બુદ્ધિ સાવ કચરાટોપલીમાં નાખી દીધી છે. તે કશું જ બુદ્ધિપૂર્વક વિચારવા માટે તૈયાર છે જ નહીં.

(૫) પાંચમો વર્ગ છે ધર્મને આધારે ધિક્કાર કરનારો અને ધિક્કાર ફેલાવનારો વર્ગ. એ હિંદુમુસલમાન કરવામાંથી ઊંચો આવતો જ નથી. દેશની જે કોઈ સમસ્યાઓ છે તે બધી જ મુસ્લિમોને કારણે છે એમ તે સમજે છે અને તેમને તેઓ દેશદ્રોહી સમજે છે. આ ધિક્કાર એટલો બધો જામ થઈ ગયો છે એમના દિમાગમાં કે કોઈ પણ જાતનું ઓપરેશન એ દિમાગને સુધારી શકે તેમ નથી. આ ધિક્કાર ગાંધી અને નેહરુ સુધી વિસ્તર્યો છે. 

આ પાંચ વર્ગ આ હકીકતો જોવા તૈયાર નથી : 

(૧) ગુજરાતનો સરેરાશ વિકાસ દર ૧૯૮૦-૯૫ના ગાળા દરમ્યાન ૧૪.૫૦ ટકાની આસપાસ રહ્યો. પણ ૨૦૦૧-૨૫ના ગાળામાં તે ૯.૫ ટકાની આસપાસ રહ્યો. 

(૨) ગુજરાત ભારતના વિકાસનું એન્જિન હતું, ૧૯૯૫ પહેલાં, પછી નહીં. ભારતનો વિકાસ દર હવે ગુજરાત પર આધાર રાખતો જ નથી.

(૩) ગુજરાતમાં આજે ખાનગી શિક્ષણની બોલબાલા છે. ૪૪ લાખ બાળકો ખાનગી શાળાઓમાં ભણે છે. વાલીઓ પર એનો ભયંકર આર્થિક બોજો પડે છે. પૂરતા શિક્ષકો અને અધ્યાપકો વિનાની શિક્ષણ પ્રથા વિકસાવાઈ છે. ગુજરાત સરકાર જી.ડી.પી.ના દોઢ ટકા કરતાં પણ ઓછું ખર્ચ શિક્ષણ માટે કરે છે.

(૪) આરોગ્ય ક્ષેત્રે સારવાર ખર્ચ અત્યંત વધી ગયું છે. સરકારી આરોગ્ય કેન્દ્રો અને હોસ્પિટલમાં સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર જી.ડી.પી.ના અર્ધા ટકા કરતાં પણ ઓછું ખર્ચ આરોગ્ય માટે કરે છે! 

(૫) ઉદ્યોગોને બહુ બધી સબસિડી આપવામાં આવે છે પણ તેના દસમા ભાગનું પણ જો ગરીબોને આપવામાં આવે તો તેને રેવડી કહીને બદનામ કરવામાં આવે છે.

(૬) ગરીબી ભયંકર છે ગુજરાતમાં. ૧૯૯૮-૯૯માં ૨૬.૧૯ લાખ પરિવારો ગરીબ હતા. આજે ૭૦.૪૦ લાખ પરિવારો ગરીબ છે કે જેમને દર મહિને પાંચ કિલો અનાજ મફત આપવામાં આવે છે. 

આ ગુજરાતનું debateless development model છે. ચર્ચા કરવાની જ નહીં, ચર્ચા કરો તો સરકારની અને મારી પ્રશંસા કરો એવી જાતનો સમાજ બનાવી દેવાનો ઉદ્દેશ ગુજરાત મોડલમાં રખાયો છે. 

તા.૧૩-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

14 September 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—306
શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ? →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved