Opinion Magazine
Number of visits: 9533444
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ અને લોકશાહીને બાપે માર્યાં વેર છે

હેમંતકુમાર શાહ|Opinion - Opinion|24 November 2025

હેમંતકુમાર શાહ

ગુજરાત મહિલા કાઁગ્રેસના નેતાઓના તાલીમ કાર્યક્રમમાં ૨૧મી તારીખે હાજરી આપી. ચાર મુસ્લિમ અને દલિત સંગઠનો દ્વારા યોજાયેલા બે કાર્યક્રમોમાં ૨૨મી તારીખે હાજરી આપી. ત્રણેયમાં આપેલાં વ્યાખ્યાનોના મુખ્ય મુદ્દા આ રહ્યા :

(૧) માણસજાતે આશરે ચારસો વર્ષથી જીવન જીવવાની રીતો બદલી નાખી. પહેલાં માણસનો એકમાત્ર મુખ્ય વ્યવસાય ખેતી હતો. આજે એ નથી. એ જ રીતે, પહેલાં લોકો રાજાશાહીમાં જીવતા હતા, આજે લોકો લોકશાહી અને તાનાશાહીમાં જીવે છે. માટે ચારસો વર્ષ પહેલાં ધર્મપુસ્તકોમાં જીવન પદ્ધતિ વિશે જે કંઈ લખાયું છે તે બધું લગભગ નકામું છે. ધર્મોએ જણાવેલ શાશ્વત મૂલ્યો મહત્ત્વનાં, પણ જીવનશૈલી વિશેના તમામ ઉપદેશો નકામા છે. એ પરંપરાઓ આજે કામની નથી. દુનિયાના ૩૩ મુસ્લિમ દેશોમાં લોકશાહી નથી એ શું બતાવે છે? એટલે ધર્મોપદેશને મોટે અંશે બાજુ પર મૂકીશું તો જ લોકશાહી મજબૂત થશે. 

(૨) ભારતના બધા ધર્મોના લોકોએ બંધારણને જ સર્વોચ્ચ સમજવાની જરૂર છે. કોઈ ધર્મમાં લોકશાહી છે જ નહીં. ધર્મ અને લોકશાહીને બાપે માર્યાં વેર છે. ઇતિહાસમાં લોકશાહીની નાનીમોટી પરંપરાઓ દેખાય, પણ હકીકતમાં લોકશાહી એ આધુનિક ખોજ છે, સાધુનિક નહીં. ૧૯મી સદીમાં નોટ અને વોટ એમ બે મહાન શોધો થઈ અને તેમણે અર્થતંત્ર અને રાજતંત્રમાં લોકશાહી ક્રાંતિ લાવી લીધી.

(૩) એક પણ ધર્મનો સમાનતા, ન્યાય અને સ્વાતંત્ર્યનાં આધુનિક મૂલ્યો સાથે ઝાઝો મેળ ખાતો નથી. ધર્મોમાં દાનનું મહત્ત્વ છે કારણ કે એ બધા મનુષ્યના સામાજિક, આર્થિક અને રાજકીય શોષણને પોષે છે. એટલે ઈશ્વર, અલ્લાહ અને ગોડ જેવા ભગવાનો પરની શ્રદ્ધાને ઘરમાં રાખવી જોઈએ, જાહેર જીવનમાં નહીં. 

(૪) ભારતનું બંધારણ અજોડ અને અદ્ભુત છે. એને માટે ગાંધી, આંબેડકર, નેહરુ અને સરદાર પટેલ જેવા એ જમાનાના નેતાઓને સલામ મારીએ એટલી ઓછી છે. કારણ એ છે કે દેશમાં લોકશાહી લઈ આવનારા એ નેતાઓ અને એ જમાનાની સંવિધાન સભાના સભ્યો હતા. દુનિયામાં આશરે ૧૨૦ દેશો ૧૯૪૭ પછી આઝાદ થયા. એક પણ દેશમાં આઝાદીની સાથે જ લોકશાહી આવી નહોતી. ભારતમાં આવી એ ભારતના લોકોનું સદ્દનસીબ છે. એ લોકશાહીમાં આજે ભારે ઘસારો પહોંચ્યો છે. એને મજબૂત કરવા માટે લડવાની જરૂર છે, બોલવાની જરૂર છે. 

(૫) એક નક્કર હકીકતનો ઇનકાર થઈ શકે તેમ નથી કે આઝાદી સમયનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય પક્ષ કાઁગ્રેસ લોકશાહી અને સ્વતંત્રતાનાં મૂલ્યોમાં માનતો હતો માટે જ આ દેશમાં લોકશાહી આવી અને એ જ આઝાદી પછીના આરંભના દાયકાઓમાં સત્તા પર રહ્યો માટે લોકશાહી ટકી પણ ખરી. 

(૬) લોકશાહીનું અગત્યનું અંગ કાયદાનું શાસન (rule of law) છે. કાયદો લખેલો હોય, કાયદા હેઠળની કાર્યવાહી લખેલી હોય, કાયદો બધાને સમાન રીતે લાગુ પડે તેમ જ કાયદામાં સમાનતા હોય તો એને કાયદાનું શાસન કહેવાય. આ સિદ્ધાંતના પાલન સિવાય લોકશાહી શક્ય નથી. આજે ભારતમાં આ સિદ્ધાંતનું ધોવાણ બેફામપણે થઈ રહ્યું છે. 

(૭) બંધારણે આપણને કોઈ અધિકારો આપ્યા નથી, આપણે જાતે જ આપણા અધિકારો બંધારણમાં લખ્યા છે. આપણા અધિકારોમાંથી જ બંધારણનો જન્મ થયો છે. એ અધિકારોનું રક્ષણ કરવા માટે આપણે લડીશું તો જ અધિકારો અને લોકશાહી ટકશે અને મજબૂત થશે. એ લડત લડવી એ જ આપણી સૌથી મહત્ત્વની ફરજ છે. બાકી તો રાજનેતાઓ આપણને મચ્છર બનાવી દેવા તૈયાર જ બેઠા હોય છે.

(૮) ભારતની લોકશાહીને ટકાવવા માટે આપણે ઇશ્વર, અલ્લાહ અને ગોડની ભક્તિમાંથી જરા બહાર આવીએ, અને રાજનેતાઓની ભક્તિ કરવાનું પણ બંધ કરીએ. ભક્તિ લોકશાહીનો સૌથી મોટો દુ:શ્મન છે કારણ કે એ આંખકાન તો બંધ કરે જ છે, પણ એમાં બુદ્ધિ બહેર મારી જાય છે. 

તા.૨૩-૧૧-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

24 November 2025 Vipool Kalyani
← નિવૃત્ત એટલો જ ઉપયોગી છે તો તેને નિવૃત્ત કરો છો શું કામ?
પ્રજ્ઞાચક્ષુ (અંધ) મહિલાઓની ક્રિકેટ ટીમ T20 World Cup જીતી →

Search by

Opinion

  • પ્રજ્ઞાચક્ષુ (અંધ) મહિલાઓની ક્રિકેટ ટીમ T20 World Cup જીતી
  • નિવૃત્ત એટલો જ ઉપયોગી છે તો તેને નિવૃત્ત કરો છો શું કામ?
  • ઈબ્ન ખલદૂનનું ઇતિહાસ-ચક્ર અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કાઁગ્રસનું પતન
  • ચલ મન મુંબઈ નગરી—316 
  • બિહાર ચૂંટણીમાં મહિલા : તુષ્ટિકરણ અને સશક્તિકરણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved