Opinion Magazine
Number of visits: 9446726
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દયાનંદની દ્વિશતાબ્દી અને આર્યસમાજની સાર્ધ શતાબ્દી સંદર્ભે થોડી વાતો 

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|21 February 2024

ખરેખર તો શાહુ મહારાજ સરખા આર્યસમાજ–મિત્રની સાખે તેમ એક અર્થમાં કજાત આર્યસમાજીની સાખે સહવિચારનો મળતાં મળે એવો આ અવસર છે

પ્રકાશ ન. શાહ

દ્વિશતાબ્દીનું નિમિત્ત પકડીને સ્વામી દયાનંદ સરસ્વતીની સ્મૃતિ સંકોરવા અને ઢંઢેરવાની ઠીક તક આર્યસમાજના સહયોગથી ભા.જ.પ. સરકારે ઝડપી છે. દયાનંદનાં બસો વરસની વાંસોવાંસ આર્યસમાજની સ્થાપનાનાં એકસો પચાસ વરસ(2025)નોયે અવસર બારણાં ખટખટાવી રહ્યો છે. સ્વાભાવિક જ ‘વેદ’ અને ‘આર્ય’ ઓળખના અનુસંધાનમાં દેશના હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સવિશેષ રસ હોય તે પણ સમજી શકાય એમ છે.

રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની પદસહજ દબદબાભરી સામેલગીરી ઉપરાંત ગુજરાતને તો એક આર્યસમાજી રાજ્યપાલનોયે લાભ મળેલો છે. ટંકારામાં તીર્થ વિકાસ સાથે ગુજરાતમાં જન્મી પંજાબમાં પ્રકાશેલા સ્વામી વતનમાંયે સુપ્રતિષ્ઠ થશે. આવે પ્રસંગે જો કે રસમી રાબેતો છે તેમ એકશ્વાસે ઓગણીસમી સદીમાં દયાનંદ અને વીસમી સદીમાં ગાંધીજી, એ પરંપરામાં એકવીસમી સદીમાંયે ચોક્કસ ધન્યનામ લેવાતું સંભળાય તો છો સંભળાતું : આપણે તો નાગરિક છેડેથી ઇતિહાસદૃષ્ટિપૂર્વક દયાનંદના જીવનકાર્યને સ્વરાજપરંપરા સાતત્ય અને શોધન, રિપીટ, શોધનપૂર્વક આગળ ચલાવવી રહે છે.

દયાનંદની વિશેષતા એમણે સ્થાપિત વાનાંને વિવેકદૃષ્ટિપૂર્વક પડકાર્યાં તપાસ્યાં એ વિગતમાં પડેલી છે, અને ઊહાપોહભેર તેઓ એને આનુષંગિક કાર્યવાહીમાં ગયા તે અક્ષરશ: એક શગ ઘટના છે … શિવલિંગ પર રમણે ચઢેલ ઉંદર કે વૃક્ષ પરથી પડતું સફરજન, એકાદ દયાનંદ અગર ન્યૂટનને કેવી નવી ક્ષિતિજોના ખોલનાર બનાવી દે છે, નહીં?

સ્વામી દયાનંદ સરસ્વતી

ઉંદર ઘટના ને મૂર્તિપૂજાનિષેધ દયાનંદના જીવનની તરત ધ્યાન ખેંચતી બાબતો જરૂર છે, પણ એની પાછળ રહેલો મોટો મુદ્દો ધરમક્ષેત્રે તેમ જીવનમાં સર્વ સ્તરે પાખંડ મદ મર્દનનો રહેલો છે. ધર્મશાસ્ત્રો ને ધર્મસંસ્થાનોનાં જે જાળાંબાવાં તે સઘળાં સાફ કરી નાખતા ઝંડા ને ઝાડુની અવતારભૂમિકા એમની હતી તે હતી.

1857 સાથેના એમના સંબંધ વિશે કહેવાતું રહે છે. કૌતુકમિશ્રિત આદરની આ નિરૂપણા સાથે જે યાદ કરવું ગમે તે તો એ કે મીઠાના જુલમી કર સામે એમણે અવાજ ઉઠાવ્યો હતો. દલિત ઉદય, વિધવા પુનર્વિવાહ, સ્ત્રીશિક્ષણ એ બધી એમની ધર્મભૂમિકામાં રહેલ જાહેર જીવનની અભિન્ન ઓળખ હતી. સંસ્કૃતની મેડીએથી એ હિંદી મોઝાર ઊતરી આવ્યા તે પણ એમનો વિવેક દર્શાવે છે. વેદ પ્રામાણ્ય આજની તારીખે અતિરેકી લાગે, અવશ્ય અતિરેકી લાગે, પણ વેદોમાં વર્ણભેદ ને લિંગભેદ નથી એવું એમનું પ્રતિપાદન (દેખીતાં પાછાં જવા સાથે) નવા જમાનાની નાંદી શું છે, તે પણ નિ:શંક.

હિંદુત્વ રાજનીતિના ચાહકોને દયાનંદ નજીકના (કે ખપના) લાગતા હોય તો તે સંભાવના સ્વીકારીને પણ જરા જુદી રીતે વિચારવાની ને જોવાની જરૂર નથી એમ નથી. ‘ગીતારહસ્ય’કાર ટિળકને કોલ્હાપુરના ભોંસલે રાજવંશી શાહુ મહારાજને વેદપઠનનો અધિકાર નથી એવો સનાતની ધર્મનિર્ણય માન્ય હોઈ શકતો હતો, એને મુકાબલે દયાનંદનો અભિગમ ગુણાત્મકપણે જુદો પડે છે. રાજકારણમાં જહાલ અને સંસાર સુધારામાં મવાળના પણ મવાળ એવા દયાનંદ તમે કલ્પી શકતા નથી.

લાલા લાજપતરાય સરખા રાજનેતાથી માંડી રામપ્રસાદ બિસ્મિલ ને અશફાક ઉલ્લાખાં સરખા ક્રાંતિકારીઓ – અરે ભગત સિંહ પણ – આર્યસમાજના સંસ્કારે પ્લાવિત હતા. બિસ્મિલ ને અશફાકની અભિન્ન મિત્રબેલડી સારુ તો શાહજહાંપુર આર્યસમાજ જાણે કે પિયરઘર હતું!

લાજપતરાય અને ભગત સિંહને મિશે બે શબ્દો જરી જુદેસર કહેવા જરૂરી સમજું છું. લોહિયા જેમ પોતાને કજાત ગાંધીવાદી કહેતા તેમ કદાચ કજાત આર્યસમાજી જેવા અગ્નિવેશ પાસેથી સાંભળ્યું છે કે સ્વામીજીના ગયા પછી આર્યસમાજમાં બે ભાગ પડી ગયા જેવું હતું : સુખી વર્ગ અંગ્રેજ સરકારને સાચવી લેવાની રીતે માત્ર ‘ધાર્મિક ઓળખ’ જ પસંદ કરતો.

જેલમાંથી છૂટીને આવેલા લાજપતરાયનું સ્વાગત સરઘસ રખે ને લાલાજી આર્યસમાજી હોવાને નાતે આપણે ત્યાં પ્રવેશે એ બીકે લાહોર આર્યસમાજે પોતાનાં બારણાં ભીડી દીધાં હતાં અને આગળ ચાલતાં સાવચેતી ખાતર લાલાજીનું નામ પોતાના રજિસ્ટરમાંથીયે કાઢી નાખ્યું હતું.

આર્યસમાજના જહાલ સંસ્કારે ભગત સિંહ સારુ માર્ક્સ વિચારનાંયે દ્વાર ખોલી નાખ્યાં હતાં એવું અગ્નિવેશનું અવલોકન હતું. એમણે મને કહ્યું કે આપણું સંમત થવું જરૂરી નયે હોય, પણ મારો નિર્દેશ આર્યસમાજની ક્રાંતિકારી સંભાવનાઓ ક્યારેક ટુંપાઈ ગઈ અને બેસતે સ્વરાજે તો, 1951-52માં દિલ્હીમાં હનુમાન રોડ પરના આર્યસમાજ બિલ્ડિંગમાં જનસંઘની સ્થાપના બેઠક મળી શકે એ અનવસ્થા ભણી છે.

શાહુ મહારાજને સુધાર સંભાવનાવશ આર્યસમાજ પ્રિય થઈ પડ્યો હતો. દલિતોત્થાનનું એનું વલણ એમને ગમતું હતું. દલિતો સાથે વાત કરવાનું બને ત્યારે આર્યસમાજ અને આંબેડકર બેઉને એ અચૂક સંભારતા. આંબેડકરને પોતે ઉચ્ચ શિક્ષણની સુવિધા આપી શક્યા એનો આનંદ એમને હશે, પણ એ દલિતોને આંબેડકરને અનુસરવા કહેતા એવો એમનો આદરભાવ પણ હતો. 

1918માં નવસારી સંમેલનમાં ને 1920માં ભાવનગર પરિષદમાં શાહુ મહારાજે આર્યસમાજની સુધાર ચળવળની સુંડલામોંઢે પ્રશંસા કરી હતી તે આ લખતી વેળાએ સાંભરે છે.

ખરું જોતાં આર્યસમાજને માટે આ અવસર એના અસલનેરના નૂરને નવસંસ્કરણભેર ઝકઝોરવા અને ઝંઝેડવાનો છે. આજે સત્તા-પ્રતિષ્ઠાન તરફથી પોતાનાં ચોક્કસ કારણોસર સ્વામી દયાનંદ સરસ્વતીની દ્વિશતાબ્દીના અવસરે ગાજોવાજો ને તામઝામ હાજરાહજૂર છે. આ સુવિધા સહજક્રમે આર્યસમાજની સાર્ધ શતાબ્દી લગી લંબાઈ પણ શકે. ત્યારે વળી રા.સ્વ.સંઘનો શતાબ્દીજોગ પણ હશે.

આ કશાની મૂઠ ન વાગે એ રીતે ઉજવણાંથી ઉફરાટે આર્યસમાજ અને એના ચાહકો સત્તા-પ્રતિષ્ઠાનની શેહ વગર પોતાની ક્રાંતિકારી શક્યતાઓ કંઈકે ખીલવી શકે તો એથી રૂડું શું. કેટલીક કેવિયટ સાથે 2024ની 22મી જાન્યુઆરીને જો નવપ્રસ્થાનબિંદુ તરીકે સ્વીકારીએ તો એનાં કેટલાંક પગલાં સ્વામીચીંધ્યાં જરૂર હોઈ શકે … શરત માત્ર એટલી કે આપણે નવા જમાનામાં છીએ એનાં ઓસાણ કદાપિ ન છૂટો!

e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 21 ફેબ્રુઆરી 2024

Loading

21 February 2024 Vipool Kalyani
← ગરવી ભાષા ગુજરાતી
પ્રેમ બાદનો પ્રેમ →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved