Opinion Magazine
Number of visits: 9451394
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દલિત અસ્મિતાની ગર્જના ‘કાલા’

મૂળ લેખક – મિહિર પંડ્યા|Opinion - Opinion|4 September 2018

નિર્દેશક પા. રંજીથ[Pa. Ranjith]ની ફિલ્મ ‘કાલા’એ રામકથાને વિપરીત કરી નાખી છે. અહીં રાવણ નાયક છે અને રામ ખલનાયક. આ સિનેમાના પડદે રજૂ થતી દલિત અસ્મિતાની ગર્જના છે, એવું નથી કે હિન્દી સિનેમાએ અત્યાર સુધી દલિતોના શોષણની વાર્તાઓ જોઈ જ નથી, કારણકે હિન્દી સિનેમામાં સિત્તેર અને એંશીના દાયકામાં સમાંતર સિનેમાના આંદોલન દરમિયાન શ્યામ બેનેગલ, સઈદ અખ્તર મિર્ઝા અને દેશનાં અન્ય પ્રાદેશિક ફિલ્મમેકર્સની ફિલ્મ્સમાં વંચિતો અને દલિતોની કથા ભારતીય દર્શકોને જોવા મળી હતી. પરંતુ, તે સમાંતર સિનેમાની ભાષા મુખ્યધારાના સિનેમાથી અલગ હતી અને સામાન્ય દર્શકોથી પણ દૂર હતી. તમિલ સિનેમામાંથી આવેલી સુપરસ્ટાર રજનીકાંતની ‘કાલા’ની સૌથી ખાસ વાત એ છે કે અહીં નિર્દેશક પા. રંજીથ દલિતોની વાત લોકપ્રિય સિનેમાની ભાષામાં રજૂ કરે છે. કંઇક આ જ પ્રકારનું કામ આ પહેલાં નિર્દેશક નાગરાજ મંજુલેએ તેમની અદfdભુત મરાઠી ફિલ્મ ‘સૈરાટ’માં કર્યું હતું.

‘કાલા’માં ઇન્દ્રધનુષના રંગો છે અને સંગીત પણ છે, સુંદર પ્રેમ કહાની છે અને નાયકની મારધાડ પણ છે. ફિલ્મમાં સ્લો-મોશન અને સ્પેિશયલ ઇફેક્ટ્સ, ટેક્નિકનો યોગ્ય ઉપયોગ કરીને ડિઝાઇનર ફાઈટ સિક્વન્સની રચનાથી લઈને એનિમેશન સુધીનો ઉપયોગ અહીં જોવા મળે છે. સિનેમાની ભાષામાં ‘કાલા’ એક મસાલા ફિલ્મ છે કે જેમાં ભરપૂર સંયોગ અને મેલોડ્રામા છે. પ્રતિબિંબ એ જ છે પણ તેનો અર્થ વિપરીત છે, સંત કબીરની રચનાઓની માફક. આ ફિલ્મ લોકપ્રિય સિનેમા માટે જાણે કે એન્ટી-થીસિસ છે. ફિલ્મના વિસ્મયકારી અંતમાં જ્યાં એકબાજુ રામાયણની કથાનું વાંચન ચાલી રહ્યું છે, જ્યારે બીજીબાજુ ધારાવી ઝૂંપડપટ્ટીના બહુજન મહાનાયક કાલા કરિકાલન (રજનીકાંત) જે રીતે કથાથી પર જઈને તે વૈચારિક યુદ્ધનું પ્રતીક બની જાય છે કે જે વર્તમાન શહેરી ભારતથી લઈને દંડકારણ્યના જંગલો સુધી જોવા મળી રહ્યું છે. એવું યુદ્ધ કે જે જમીનનાં કબ્જા માટે સવર્ણ રાજ્યસત્તા અને બહુજન સમાજની વચ્ચે લડાઈ રહ્યું છે. સવર્ણ કોર્પોરેટ સત્તા માટે આ જમીન તાકાત છે, બહુજન સમાજ માટે આ જમીન તેમનું જીવન છે. રામાયણમાં રજૂ થયેલા રાવણના દસ મસ્તિષ્ક અહીં બહુજન સામૂહિકતાનું પ્રતીક બની જાય છે, જો એક મસ્તિષ્ક કપાશે તો બીજું તરત જ ઊગી આવશે.

ફિલ્મનો નાયક કાલા કહે છે કે બહુજનનું અંતિમ હથિયાર એ તેઓનું શરીર છે. આખા શહેરનું રોજિંદુ ચક્કર એ માત્ર તેમની મહેનતના બળ પર ચાલે છે. અંતે, ધારાવીમાં રહેનાર તમામ માણસો પણ પોતે કાલા જ છે. અહીં વિલન ‘ક્લીન કન્ટ્રી’ અભિયાન ચલાવનાર અને ‘ડિજીટલ મુંબઈ’નું સ્વપ્ન વેચનાર એક એવો રાષ્ટ્રવાદી રાજનેતા છે કે જેનો ચહેરો શહેરના લગભગ દરેક પોસ્ટર પર જોવા મળે છે. કાલા પોતાનાથી નાનાં લોકોને પણ સામેથી હાથ લંબાવીને મળવા જાય છે અને સમાનતાનો સંબંધ કાયમ કરે છે, જ્યારે ફિલ્મમાં રાજનૈતિક પાર્ટીનો નેતા ચરણસ્પર્શની અસમાનતાની રૂઢિમાં બંધાયેલો છે અને તે એક એવા ભારતની રચના કરવા માંગે છે કે જેમાં તમામ વિપક્ષીને રાષ્ટ્રની પ્રગતિમાં અવરોધ ઊભો કરનાર ‘દેશદ્રોહી’ ગણવામાં આવે છે.

અહીં કાળો રંગ મહેનતના રંગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. કાલા આંબેડકરવાદી પ્રતીક અને ઓળખોથી ભરપૂર ફિલ્મ છે, ભીમા ચાલનું સરનામુંથી લઈને જય ભીમના અભિવાદન સુધી, ભીમજીથી લઈને લેનિનના નામ સુધીનું યુવા પાત્ર કાલાની સાથે સંઘર્ષમાં સાથ આપતું જોવા મળે છે. ફિલ્મમાં નાયક કાલાનો સૌથી નાનો પુત્ર ‘લેનિન’ ફિલ્મનું સૌથી રસપ્રદ પાત્ર છે, તે ફિલ્મનો યુવા નાયક છે. દલિત સમાજની શિક્ષિત ચેતનવંતી નવી પેઢીનો પ્રતિનિધિ, અને હવે તે પોતાના અધિકારોને સંવૈધાનિકરીતે પ્રાપ્ત કરવા માંગે છે. લેનિન એ તેના પિતા કાલાનો વૈચારિક ઉત્તરાધિકારી છે. કાલા પોતે પણ દલિત અસ્મિતાનું જીવંત પ્રતીક છે, અને ફિલ્મના એક રોમાંચક એક્શન દૃશ્યમાં કાલા તેના હાથમાં રહેલી કાળી છત્રીને હથિયાર બનાવીને લડતો જોવા મળે છે કે જેનાથી તેની વર્ગીય ઓળખ પણ સ્પષ્ટ થાય છે કારણ કે, અહીં કાળી છત્રી એ મુંબઈના મજૂર વર્ગનું સિનેમા સંલગ્ન પ્રતીક છે. કાલાનો રંગ જો વાદળી છે તો લેનિનનો પ્રતિનિધિ રંગ લાલ છે.

ફિલ્મમાં લેનિન નામનું યુવા પાત્ર પોતાની ઝૂંપડપટ્ટીની હાલત સુધારવા માંગે છે, પોતાનું નસીબ પણ બદલવા ઈચ્છે છે. પણ, તે સત્તા દ્વારા વેચાઈ રહેલ ‘રિડેવલપમેન્ટ’ના પ્લાનની સાચી હકીકતને સમજી શકતો નથી. પણ, આ જમીન પર વર્ષોથી મહેનત અને સંઘર્ષ કરી રહેલ કાલા અને તેના સાથીઓએ આ સવર્ણ સત્તાના જૂઠ્ઠા વાયદાઓને નજીકથી પારખી લીધા છે અને તેનો ભોગ પણ બન્યા છે. અને તેઓ જાણે છે કે આ અમારી પંચોતેર એકરની જમીન પર ગોલ્ફ કોર્સ બનાવનાર ‘મનુ બિલ્ડર્સ’ની યોજનાઓમાં તેમના જેવા લોકો માટે કોઈ જ સ્થાન નથી. રાજ્યસત્તા, અને તે દ્વારા વેચવામાં આવનાર ‘વિકાસ’ના નારાઓમાં અસલી સવર્ણ ચહેરાઓ ધીરે-ધીરે ઓળખાવા લાગે છે અને અંતમાં કાલા જ યોગ્ય સાબિત થાય છે. ફિલ્મમાં એક બાજુ લેનિનને કાલાના મૌલિક વૈચારિક ઉત્તરાધિકારીના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવે છે, જ્યારે બીજીબાજુ આ અસમાનતાના સમાજમાં તેના શુદ્ધ ડાબેરી આદર્શો પર ઊભેલી વર્ગીય સમજણની સીમાઓને પણ ચિહ્નિત કરે છે. સારુ છે કે આ ફિલ્મ હિન્દી સિનેમામાં અગાઉ માર્ક્સવાદી લેખકો દ્વારા રચવામાં આવેલ એક ચોક્કસ પ્રકારની સમજણમાં બંધબેસતી નથી કે જેમાં અગાઉ જાતિની સમસ્યાને ક્લાસ પ્રોબ્લેમની એક બાય પ્રોડક્ટ તરીકે જોવામાં આવતી હતી.

ફિલ્મ ‘કાલા’ વૈચારિક સંપન્નતા પ્રાપ્ત કરેલ દલિત યુવાનનું ભવિષ્ય છે, વાદળી અને લાલ આ બંને રંગ તે વૈચારિક પડકારોનું પ્રતીક છે કે જેનાથી સવર્ણ-કોર્પોરેટ સત્તાને ઉખેડી ફેંકવાની વાત છે, અને કાલા તેનું પ્રતીક છે. અહીં સહાનુભૂતિથી સ્વાનુભૂતિની વાત છે, અહીં ‘દલિત નજર’ છે, જે દેશનાં લોકપ્રિય સિનેમામાં હજુ સુધી અનુપસ્થિત છે.

[અનુવાદ – નિલય ભાવસાર]

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

4 September 2018 admin
← જો શહેરી નકસલવાદીઓ અસ્તિત્વમાંહોત તો ક્રોની કૅપિટાલિસ્ટોની અને દેશને લૂંટનારાઓની હત્યાઓ થતી હોત
એક દેશ એક કાયદો: રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથી માપવાના ન હોય. જો એવું કરો તો બસ ચુકી જવાનો વારો આવે →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved