Opinion Magazine
Number of visits: 9446796
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોના પછીનું જગત કેવું હશે ?

રમેશ ઓઝા|Opinion - Opinion|17 May 2020

વડા પ્રધાને તેમના રાષ્ટ્રજોગા ભાષણમાં બે વાત કરવી જોઈતી હતી. એક તો લાખો મજૂરોને સરકારની ઉતાવળને કારણે જે હાલાકી ભોગવવી પડી અને હજુ પણ ભોગવે છે એ માટે ખેદ વ્યક્ત કરવો જોઈતો હતો, માફી તો બહુ દૂરની વાત છે. અને બીજું, કેરળે જે રીતે કોરોનાની સામે લડવામાં સફળતાનું દૃષ્ટાન્ત પૂરું પાડ્યું છે તેની કદર કરવી જોઈતી હતી. આખું જગત કદર કરે છે તો કેરળ તો આપણું પોતાનું રાજ્ય છે અને વડા પ્રધાન કેરળના લોકોના પણ વડા પ્રધાન છે. જો કે આવી કોઈની અપેક્ષા નહોતી એટલે મોહભંગ થવા માટે કોઈ કારણ નથી. આ તો એમ કે આવું થયું હોત તો રૂડું લાગત!

વડા પ્રધાને બીજી મહત્ત્વની વાત કરી છે આત્મનિર્ભરતાની. તેમણે જે શબ્દપ્રયોગ કર્યો છે એ ખોટો નથી પણ જોઈએ એટલો ઉપયુક્ત નથી. તેઓ કહેવા એમ માગતા હતા કે કોરોના પછીનું જગત અલગ હશે. ચીનથી જગત નારાજ છે એટલે ભારત માટે એમાં તક છે. ભારતે એ તકનો લાભ લેવો જોઈએ. લોકોએ બને એટલી ચીજો સ્વદેશી (લોકલ શબ્દ તેમણે વાપર્યો હતો) વાપરવી જોઈએ. સલાહ સ્વદેશીની હતી અને શબ્દપ્રયોગ આત્મનિર્ભરતાનો કર્યો હતો. ચોખ્ખી ભાષામાં ચીનનું નામ લઈને કહેવાનું ટાળવું હતું એટલે સ્વદેશીની જગ્યાએ આત્મનિર્ભરતાનો શબ્દ પ્રયોગ કર્યો હતો.

હવે પહેલો સવાલ એ ઉપસ્થિત થાય છે કે કોરોના પછીનું જગત કેવું હશે? આખા જગતમાં આ વિશે ખૂબ ચર્ચા ચાલી રહી છે. વિજ્ઞાનીઓ, સમાજશાસ્ત્રીઓ અને અર્થશાસ્ત્રીઓ ભાતભાતની વાત કરી રહ્યા છે. દરેકના અભિપ્રાયમાં એક વાત એક સરખી જોવા મળે છે કે કોરોના પછીનું જગત અલગ હશે, પણ કેવું હશે એનો કોઈ સૂર મળતો નથી. કોઈ લોકતંત્ર વિશે ચિંતા કરી રહ્યા છે, કોઈ નૈતિકતાના ધોરણો વિશે ચિંતા કરી રહ્યા છે, કોઈ રોજગારી વિશે ચિંતા કરી રહ્યા છે, તો કોઈ સતત અદ્ધરજીવે જીવવાને કારણે પેદા થનારા સામાજિક-માનસિક પરિણામોની ચિંતા કરી રહ્યા છે. આમાં પણ એકવાક્યતા નથી.

જગત આખામાં ચાલી રહેલી ચર્ચાનો બીજો મુદ્દો ચીન છે. કેટલાક લોકો એમ માને છે કે કોરોના વાઈરસ ચીને લેબોરેટરીમાં પેદા કર્યો હતો અને એ સરસાઈ મેળવવા માટેનું ચીનનું કાવતરું છે. બીજા કેટલાક લોકો એમ માને છે કે ચીને કોરોનાના ઉપદ્રવને છૂપાવીને માનવસભ્યતા સામે અપરાધ કર્યો છે. પહેલાં વિશે અત્યારે કહેવું મુશ્કેલ છે, પણ બીજી વાત ગળે ઊતરે એવી છે. જો કે આ વાતે પણ ઘણા લોકો ચીનનો બચાવ કરે છે.

સવાલ એ છે કે શું જગત ચીનને દંડશે? કહેવું મુશ્કેલ છે. માનવ સભ્યતા સામે નૈતિક અપરાધ કરનારું ચીન એકલું નથી. ચીનનો અપરાધ તો હજુ સાબિત થવાનો બાકી છે, પણ જેના અપરાધ ઉઘાડાં હતાં તેને ક્યાં દંડવામાં આવ્યા છે? ઊલટું સશક્ત દેશોએ નઠારા દેશોનો લાભ લીધો છે અને તેને છાવર્યા છે. ઇઝરાયેલ આનું સૌથી મોટું ઉદાહરણ છે. આવા બીજા સોએક દાખલા વીસમી સદીમાં જડી આવી શકે એમ છે. બીજું સ્વાર્થથી પ્રેરાઈને અનૈતિક ભૂમિકા લેવામાં અમેરિકા અગ્રેસર છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ મુખ્યત્વે નઠારા દેશો સાથે જ દોસ્તી રાખી છે એ ઇતિહાસ છે. આમ જગતમાં નૈતિક ધોરણો સાથે સૌથી વધુ સમાધાન અમેરિકાએ કર્યા છે.

જો અમેરિકાનાં અનૈતિક ધોરણો અને તેના સ્વાર્થને જગતે ખમી લીધાં હતાં તો હવે અમેરિકાની જગ્યા લેનાર ચીનનાં પણ ખમી લેશે. આપણા વડા પ્રધાનનું ભાષણ જ આનું ઉદાહરણ છે. ચીન નામના સમ પર પહોંચવા માટે તેમણે કેટલો લાંબો ઘેરાવો લીધો અને એ પછી પણ સમ પર તો પહોંચ્યા જ નહોતા. અત્યારે એક માત્ર અમેરિકાને છોડીને (અને એ પણ ટ્રમ્પ એકલા) કોઈ ચીનનું નામ પાડીને બોલતું નથી. દરેક ઈચ્છે છે કે ચીનને દંડવામાં આવે પણ બિલાડીની ડોકે ઘંટ કોણ બાંધે? આઠ દાયકામાં કોઈએ અમેરિકાની ડોકે ઘંટ બાંધ્યો નહોતો. અમેરિકા અત્યારે એટલા માટે બોલે છે કે તે તેનું સ્થાન ગુમાવી રહ્યું છે.

તો ચીન દંડાશે અને ભારતને તેનો લાભ મળશે એ અનુમાન થોડું ઉતાવળિયું છે. ૯/૧૧ પછી અમેરિકાએ પાકિસ્તાનને ધમકાવ્યું ત્યારે એ સમયના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ અડવાણીએ હરખાઈને પાકિસ્તાનને પડકાર ફેંક્યો હતો કે, આવી જાવ તમે કહો ત્યારે અને કહો ત્યાં લડવા અમે તૈયાર છીએ. તેમને એમ હતું કે હવે અમેરિકા પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દેશે અને ભારતને સાથ આપશે. બીજા અઠવાડિયે અમેરિકાના સંરક્ષણ પ્રધાન કૉલીન પોવૅલ પહેલા ઇસ્લામાબાદ ગયા અને પાકિસ્તાનને ત્રાસવાદ સામેની લડતમાં પહેલી હરોળનું મિત્ર બનાવ્યું અને જતા જતા ભારત આવીને કહેતા ગયા કે જરૂર પડ્યે મદદ આપતા રહેજો.

બીજું, જગત ચીનનો વિકલ્પ નહીં શોધે પણ, ચીનના આર્થિક/ઔદ્યોગિક મોડેલનો વિકલ્પ શોધશે. ભારતે હવે પછી કયો માર્ગ અપનાવવો એ નક્કી કરતાં પહેલાં આ હકીકત પણ સમજી લેવી જોઈએ. આ વાત હવે પછી અવસર મળ્યે સમજવાનો પ્રયત્ન કરીશું.  

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 મે 2020

Loading

17 May 2020 admin
← ભેટ
‘મેડિકલ ડિપ્લોમસી’ : સખાવતથી પાવર વધારવાની રમત? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved