Opinion Magazine
Number of visits: 9449994
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કોરોનાકાળમાં અમ્ફન સંકટ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|26 May 2020

દેશ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે જ પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં ત્રાટકેલા સમુદ્રી વાવાઝોડા અમ્ફનનું સંકટ, ગરીબો માટે પડ્યા પર પાટુ કે દુકાળમાં અધિક માસનો અહેસાસ કરાવે છે. ૧૮૦ થી ૨૦૦ કિલોમીટરની ઝડપે ફૂંકાયેલો પવન, સમુદ્રમાં ઊંચે ઉછળતાં મોજાં અને ધોધમાર વરસાદ સાથેના છએક કલાકના આ તોફાનથી પશ્ચિમ બંગાળમાં દોઢ કરોડ અને ઓડિશામાં પચાસ લાખ લોકોને અસર થઈ છે. વાવાઝોડા પછીના ત્રીજા-ચોથા દિવસે પણ મહાનગર કોલકાતામાં પાણી અને વીજળી મળી શકતાં નથી. રાજ્ય સરકારે મદદ માટે સેનાને બોલાવવી પડી છે. મુખ્યમંત્રી અને સરકાર સામેનો અસંતોષ એટલો તીવ્ર છે કે મમતા બેનરજીએ લોકોને તેમનું માથું વધેરી નાંખવાનું કે ધીરજ રાખવાનું કહેવું પડ્યું છે. બીજા અસરગ્રસ્ત રાજ્ય ઓડિશામાં સ્થિતિ સામાન્ય થઈ છે, તે રાહતની વાત છે.

અમ્ફન સંકટ જેવી કુદરતી આફતની હવે આગોતરી સૂચના મળી જાય છે. તેથી મરણઆંક ઘટાડી શકાય છે. જો કે પશ્ચિમ બંગાળના ૧૪ જિલ્લાઓ પ્રભાવિત છે, ૮૬ લોકોનાં મોત થયાં છે અને લાખો લોકો બેઘર થયાં છે. એકલા કોલકાતામાં જ ૩૦થી ૪૦ હજાર કાચાં મકાનો પડી ગયાં છે, હજારો વૃક્ષો અને વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયાં છે. મોટા ભાગનાં અવસાન ઝાડ, વીજળીના થાંભલા કે વીજળીના તાર પડવાને કારણે થયાં છે. કોરોના મહામારીને કારણે લોકોને સલામત જગ્યાએ ખસેડવાનું કામ વાવાઝોડાની પૂર્વસૂચના છતાં આ વખતે અઘરું હતું. કોરોના સંક્રમણથી લોકોને બચાવવા, શારીરિક અંતર જાળવવું અને રાહતશિબિરોમાં રહેવા-ખાવાની વ્યવસ્થા કરવી તે ભારે વિકટ કામ હતું. પશ્ચિમ બંગાળમાંથી ૫ લાખ અને ઓડિશામાંથી ૨ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. શહેરો અને ગામડાંમાં જાહેર અને ખાનગી મિલકતોને મોટા પાયે નુકસાન થયું છે. સમુદ્રનાં પાણી ખેતરોમાં ઘુસી ગયાં છે, ફળદ્રુપ જમીનોનો નાશ કરી દીધો છે. માળખાકીય સગવડોને નુકસાન થયું છે. રાજ્યના અસરગ્રસ્ત જિલ્લાઓમાં પાણી, વીજળી, રસ્તા તથા અન્ય સવલતો પૂર્વવત્ કરતાં ઘણો સમય લાગશે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની રચના પછી કુદરતી આફતોની અસરો ઘટાડી શકાઈ છે. વિજ્ઞાન અને ટૅક્નોલોજીનો સારો ઉપયોગ થઈ શક્યો છે. પરંતુ જો તંત્ર જ બાદલું હોય તો આ કશું કામ લાગતું નથી. અમ્ફન સંકટ વખતે કોરોનાની તૈયારીમાં થયેલી ચૂક જોવા મળતી નથી. પરંતુ રાજ્યને થયેલું નુકસાન ભરપાઈ થતાં વરસો નીકળી જશે. મુખ્યમંત્રીની વિનંતી પછી વડાપ્રધાને બંને રાજ્યોની મુલાકાત લીધી અને તાત્કાલિક આર્થિક મદદ જાહેર કરી તે સારું જ થયું છે. જો કે સંકટ પૂર્વેના સલામત સ્થળાંતર પછી હવે રાહત અને પુનર્નિમાણનું ખરું કામ હાથ ધરવાનું છે. તાળાબંધીને કારણે રોજી બંધ છે ત્યારે લાંબા સમય સુધી રાહતશિબિરો ચલાવવાનું ભારે પડકારનું કામ છે. કાચાં ઝૂંપડાંનાં સ્થાને રહેવા યોગ્ય વ્યવસ્થા પ્રાથમિક જરૂરિયાત છે અને તે માટે રાજ્ય સરકારનાં સાધનો ટાંચાં છે. આ પ્રકારની કુદરતી આપદાઓને નિયતિ માની લેવી કે તેનો કોઈ કાયમી ઉકેલ શોધવો તે પણ સવાલ છે. જળવાયુ પરિવર્તનની અસર આવા ચક્રવાતી વાવાઝોડાના વધતા પ્રમાણ અંગે શું ભાગ ભજવે છે તે અંગે અભ્યાસ અને સંશોધનોની જરૂર છે. સમુદ્રનું પાણી એક ડિગ્રી સેલ્સિયસ ગરમ થાય તો તેના પર ચાલનારી હવામાં ૫ થી ૧૦ ડિગ્રીનો વધારો થાય છે, તેનાથી સમુદ્રી તોફાનો આવે છે તે બાબત ચકાસવી પડશે. જેમ કેટલીક કુદરતી આફતોની પૂર્વ માહિતી સંકટને હળવું કરે છે, તેમ આ પ્રકારના સંકટો સામે ટકી શકે તેવાં મકાનોનું નિર્માણ જાહેર અને ખાનગી મકાનોને થયેલા નુકસાનને ઓછું કરી શકે કે કેમ તે દિશામાં વિચારવું રહે. કોરોનાકાળમાં આવેલા અમ્ફન સંકટમાંથી આપણે અનેક સબક શીખવાના છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 26 મે 2020

Loading

26 May 2020 admin
← ન્યાયની પ્રક્રિયા સારુ ડાબે ઝૂકતી લોકશાહી પ્રક્રિયાનો મરમ ને માયનો
કોઈ …… →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved