Opinion Magazine
Number of visits: 9453076
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિત્તભૂષણ દાસગુપ્તાના શતાયુ જીવનનો સાર

ડૉ. સુગન બરંઠ|Opinion - Opinion|4 April 2016

ચિત્તભૂષણ દાસગુપ્તાએ ગત ૭મી ફેબ્રુઆરીએ પોતાના આયુષ્યના ૧૦૧મા વર્ષે દેહ છોડ્યો. માંજિહેડા(પુરુલિયા, બંગાળ)માં તેમણે વાવેલા બીજ સમી રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા સંસ્થાના વિશાળ વૃક્ષ તળે તેમના અંતિમ સંસ્કાર કરાયા. તેઓ ગાંધીવિચારને સમર્પિત જીવન જીવ્યા અને અંતિમ સંસ્કાર બાદ કોઈ પણ ક્રિયાકર્મ ન કરાયાં. તેઓ પોતાની પાછળ માત્ર પોતાનો હર્યોભર્યો પરિવાર જ નહીં, બલકે નઈ તાલીમના એક વિશાળ પરિવારને છોડી ગયા છે. આની એક ઝલક તેમના શતાબ્દી-વર્ષમાં તેમની પૂર્ણ સક્રિય અવસ્થામાં પણ જોવા મળી હતી. એ દરમિયાન તેમણે પોતાના અતિશય સ્પષ્ટ અને સટીક વક્તવ્ય થકી સંસ્થાના હીરક-મહોત્સવનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત પોતાના સન્માનનો જવાબ પણ આપ્યો હતો. મહોત્સવની વચ્ચે તેઓ કાંતણ અને લોકકળામાં પણ સામેલ થયેલા. આટલું સ્વસ્થ અને સક્રિય સોમું વર્ષ બહુ ઓછા લોકોના ભાગ્યમાં હોય છે. પોતાનાં બન્ને દીકરા અને બેઉ દીકરીઓને તેમણે નઈ તાલીમ થકી જ ભણાવ્યાં અને તેઓ આજે ય આ વિચારને સમર્પિત છે. આવું બહુ ઓછું જોવા મળે છે.

ચિત્તભૂષણજી, જેમને અમે બધા બાબા કહેતા, તેઓ બંગાળના ક્રાંતિકારી પરિવારના ઋષિજી દાસગુપ્તાના દીકરા હતા. ઋષિજીએ રાજેન્દ્રપ્રસાદ સાથે કામ કરેલું. યુવાવસ્થામાં વર્ષ ૧૯૩૭માં બાબા જ્યારે સેવાગ્રામ આશ્રમમાં મહાત્મા ગાંધી પાસે આવ્યા હતા, એ જ વખતે નઈ તાલીમનાં મા-બાબા અર્થાત્ આશાદેવી આર્યનાયકમ્‌ અને ઈ.ડબલ્યુ. આર્યનાયકમ્ બાપુના કહેણ પર શાંતિનિકેતનથી વર્ધા આવ્યાં હતાં. એ જ વર્ષે વર્ધામાં ઐતિહાસિક શિક્ષણ-પરિષદ યોજાઈ હતી, જેની ગોદમાંથી હિન્દુસ્તાની તાલીમસંઘનો જન્મ થયો. ડૉ. ઝાકિર હુસેન તેના પહેલા પ્રમુખ બનેલા તો આર્યનાયકમ્‌જી મંત્રી અને આશાદેવી સહમંત્રી બનેલાં. વર્ષ ૧૯૩૮માં તેનું પહેલું સંમેલન થયું.

આ દરમિયાન ચિત્તભૂષણજીએ આશાદેવીને કહ્યું કે તેઓ બંગાળના અત્યંત દુર્ગમ પહાડી વિસ્તારમાં સંથાલ આદિવાસીઓ માટે નઈ તાલીમ શિક્ષણનું કામ કરવા જવા માગે છે. આશાદેવી તેમને બાપુ પાસે લઈ ગયાં અને કહ્યું કે આ યુવાન બંગાળમાં નઈ તાલીમનું કામ કરવા માગે છે. તમારા આશીર્વાદ ઇચ્છે છે. બાપુએ આશીર્વાદ તો આપ્યા પણ ટકોર કરી કે, આશા તમે બહુ જલદી ભરોસો મૂકી દો છો. જો કે, બાપુના આશીર્વાદ લઈને બાબા આ સંથાલીઓમાં આવ્યા અને પછી આજીવન અહીંના જ થઈ ગયા. તેમણે બાપુની શંકાને ખોટી પાડીને આશાદેવીના વિશ્વાસને સાર્થક કર્યો.

ઈ.સ. ૧૯૩૯માં તેમણે માંજિહેડા રાષ્ટ્રીય બુનિયાદી શિક્ષા – સંસ્થાનો પાયો નાખ્યો. સંજોગ એવા સર્જાયા કે એ જ વખતે વર્ધાના મહિલા આશ્રમમાં ખાનદેન(ઉત્તર મહારાષ્ટ્ર)ના એવા જ ઋષિતુલ્ય ગાંધીજન ધનાજી નાના ચૌધરીની દીકરી માલતીનું પણ ત્યાં આગમન થયું. તેમનું ખીરોદા ગામ આજે જલગાંવ જિલ્લામાં છે. ધનાજી નાના પણ સરકારી નોકરી છોડીને ગાંધીજીની સાથે દેશસેવામાં જોડાયા હતા. તેમણે પોતાના પિતાજીને કહેલું કે તેઓ પોતાની નાની દીકરી માલતીનાં લગ્ન પરંપરાગત રીતે નહીં કરે. તેમણે પોતાની દીકરી માલતીને ચિત્તભૂષણજી સાથે પરણાવી, એ પણ અત્યંત સાદગી સાથે ખાદીનાં વસ્ત્રોમાં, વગર કોઈ પરંપરાગત વિધિ કર્યે.

માલતીદેવી પણ પિયરથી અતિ દૂર, નવી ભાષા, નવી સંસ્કૃિત, પિતાના ઘરની અને સાસરીની તમામ સુવિધાઓ છોડીને આદિવાસીઓ વચ્ચે પહોંચી ગયાં. આમ પણ આદિવાસીઓની સંસ્કૃૃિતને ટકાવીને તેમને શિક્ષિત કરવાનું માત્ર નઈ તાલીમ થકી જ શક્ય હતું. માંજિહેડા માટે ત્યારે આઠ કલાક બળદગાડીની સવારી, રસ્તામાં નદી-નાળાં પગપાળા પસાર કરવાનાં, માથા પર સામાન ઉઠાવીને માઇલો સુધી પગપાળા ચાલવાની સાથે મોસમ અને જંગલની ભયંકરતા. આજે તો આ માત્ર પુસ્તકમાંના વર્ણન જેવું લાગી શકે છે.

છેલ્લાં ૭૫ વર્ષોમાં તેમણે પોતે ખેતી કરીને વિદ્યાલય ચલાવ્યું. આદિવાસી સંથાલી બાળકો સાથે જ પોતાનાં બાળકોને ભણાવ્યાં. એ લોકોમાંના એક બનીને જીવ્યાં. પ્રેમ અને વિરોધની તમામ ઘટનાઓનો સામનો કર્યો અને છતાં પણ વગર ક્રોધ કર્યે કે પોલીસની મદદ લીધે તેમણે એ લોકો સાથે જ જીવન વિતાવ્યું. આ સમગ્ર તપસ્યા માલદી- દેવી અને ચિત્તભૂષણજીએ ૨૬ વર્ષની વયે શરૂ કરેલી અને ૧૦૧મા વર્ષ સુધી સતત કરેલી. માલતીદેવીનું નિધન હજુ બે વર્ષ પહેલાં જ થયું. તેમણે પણ પોતાના અંતિમ સંસ્કાર ક્યાં કરવા એની જગ્યા તથા પોતાના મૃત્યુ વખતે ભોજનનું મેનુ નક્કી કર્યા પછી બે દિવસ બાદ દેહ છોડેલો. બાબાએ પણ આખરી શ્વાસ સુધી કાંતણ છોડ્યું નહોતું. માંજિહેડા આશ્રમની સુંદરતા તો આજે પણ તમને સેવાગ્રામની યાદ અપાવશે. સાદગીનું સૌંદર્ય જોવું હોય, તો ત્યાં જઈ આવવું.

આ વર્ષોમાં આ બન્નેએ કોઈ પણ પદ, સંસ્થા, સંપત્તિનો મોહ ન રાખ્યો. મિત્રો સાથે વિવાદ થયો તો પુરુલિયા સ્ટેશનના ગ્રામશિલ્પી વિભાગને તત્કાળ છોડી દીધો. અખિલ ભારતીય નઈ તાલીમ હોય કે સર્વ સેવા સંઘ, તેમણે એકેયમાં સભ્યપદનો મોહ નહોતો રાખ્યો. અલબત્ત, તેમને આ બન્નેમાં કારોબારી સભ્ય બનાવાયાં હતાં. આશ્રમ, વિદ્યાલય, બાળકો અને નઈ તાલીમ આ ધ્યેયને તેમણે પોતાની નજર સામેથી ક્યારે ય દૂર થવા દીધા નહીં.

આજે પણ આ આશ્રમ અને વિદ્યાલય તથા શિક્ષણ તાલીમ મહાવિદ્યાલયમાં તમામ પ્રવૃત્તિઓ નઈ તાલીમને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે, જેની દેખરેખ તેમના પુત્ર માણિક, પુત્રવધૂ મધુમિતા અને મોટો દીકરો પ્રદીપ રાખે છે. તેમની દીકરીઓએ પણ સરકારી શિક્ષણમાં નઈ તાલીમનાં કામ કર્યાં. ખેતી, બાગાયત, કાંતણ, વણાટ, રંગકામ, કઢાઈ, ગ્રામોદ્યોગ … આ તમામ બાબતો અહીંના શિક્ષણનાં માધ્યમો છે. અહીં શરીરશ્રમ ફરજિયાત છે. આ વિસ્તાર આજે પણ અંતરિયાળ જંગલમાં સ્થિત છે, એટલે કુદરતી સૌંદર્ય અને શાંતિ તો સ્વાભાવિક છે. એટલો જ ફરક પડ્યો છે કે હવે ગામ સુધી પુલ-માર્ગ બની ગયા છે. આજે બાબાના પ્રતાપે જ બંગાળના એકથી એક નામીગિરામી કલાકારો, સાહિત્યકારો, શિક્ષણવિદોને અહીં દરેક ચર્ચા-સંગોષ્ઠિ, પરિસંવાદ, સાંસ્કૃિતક કાર્યક્રમોમાં વિનમ્ર બનીને નિરપેક્ષ-ભાવે આ સંથાલી ગાંધીના દરબારમાં હાજરી નોંધાવતાં જોવા મળે છે.

(ડૉ. સુગન બરંઠ કુદરતી ઉપચારના નિષ્ણાત અને સર્વ સેવા સંઘના પૂર્વ પ્રમુખ છે.)

[સપ્રેસમાંથી અનુવાદ : દિવ્યેશ વ્યાસ]

સૌજન્ય : “નિરીક્ષક”, 01 અૅપ્રિલ 2016; પૃ. 08

Loading

4 April 2016 admin
← ભગતસિંહ કોના? કૉંગ્રેસના, ભાજપના કે સામ્યવાદીઓના?
યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved