Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચિકિત્સક બાપુ

એચ.સી. દાસપ્પા|Gandhiana|8 May 2025

એચ.સી. દાસપ્પા

1936ના અંતમાં મહાદેવભાઈ પોલીસોના અત્યાચારની તપાસ કરવા માયસોર આવ્યા ત્યારે હું ત્યાંની કાઁગ્રેસ કમિટિનો પ્રમુખ હતો. મહાદેવભાઈએ તપાસનો રિપોર્ટ બાપુને આપ્યો તેમાં મારો ય સારો ઉલ્લેખ કરેલો.

1940ના  જાન્યુઆરીમાં હું સખત માંદો પડ્યો. વાતરોગના હુમલાથી હું જીવનમરણ વચ્ચે ઝોલાં ખાતો હતો. બાપુને જ્યારે મારી માંદગીની ખબર પડી તો મહાદેવભાઈ પાસે પત્ર લખાવીને મને સેવાગ્રામ બોલાવી લીધો.

એક રીતે હું અજાણ્યો માણસ હતો, પણ બાપુના રસને કારણે મને એમના સાનિધ્યનો લાભ મળ્યો. મુસાફરી કરી શકવા જેટલી સ્વસ્થતા પ્રાપ્ત થતાં જ 1940 ઓક્ટોબરમાં સેવાગ્રામ પહોંચ્યો. મારી માંદગી મારું સૌભાગ્ય બની ગઈ.

સૌથી પ્રથમ તો મને ખૂબ જ ચાવીચાવીને ખાવાની બાપુએ ફરજ પાડી. ત્યાર પછી ભારે પદાર્થો છોડાવી સાવ સાદું ભોજન આપવા માંડ્યું. મારું વજન ઘટવા લાગ્યું. પંદર દિવસમાં 158 પરથી 143 (રતલ) ઊતરી ગયું. પણ છેલ્લે છેલ્લે વજન ઘટવાની ગતિ ઓછી થતી ગઈ. એ અરસામાં નિસર્ગોપચારની તાલીમ લઈને શ્રી એસ.સી. દાસ વિલાયતથી આવી ગયા. બાપુએ મને ચિકિત્સા માટે એમને હવાલે કર્યો. એમણે તો બાપુ આપતા હતા એ ભોજન પણ બંધ કરી દીધું ! એમણે તો આખા દિવસમા માત્ર છ સંતરાં અને પાણીની જ રજા આપી. દરરોજ અરધો રતલ વજન ઘટાડવાની ક્રિયા ત્રણ મહિના સુધી ચાલી. છેલ્લા અઠવાડિયામાં તો મને માત્ર પાણી પર જ રાખ્યો. મારું વજન સાડીબેંતાલીસ રતલ ઘટી ગયું. દાસની સલાહથી બાપુએ મારો ખોરાક ચાલુ કર્યો. મારો રોગ તો કોણ જાણે ક્યાં નાસી ગયો! મારી રૂંધાયેલી પ્રાણશક્તિ જાણે ફૂટી નીકળી! હું હરવાફરવા લાગ્યો. મને નવજીવન જ મળ્યું.

મને શંકા છે કે બાપુ ન હોત તો હું ભાગ્યે જ આ આકરા નિયમોનું પાલન કરી શકત ! પાછળથી બાપુએ મને કહ્યું કે, ‘મેં તમારો ઈલાજ પૂરા વિશ્વાસથી શરૂ કર્યો હતો. કેમ કે દક્ષિણ આફ્રિકામાં મેં પારસી રૂસ્તમજીનો ઇલાજ આ જ રીતે કર્યો હતો.’ અત્યંત આશ્ચર્યની વાત તો એ કે અત્યંત અટપટા રાજદ્વારી રોકાણોવાળા રોજિંદા જીવનમાંથી બાપુ ચિકિત્સા માટે સમય ક્યાંથી કાઢી શકતા હતા !!

આશ્રમજીવનની વાત, કસ્તૂરબાનો ઉલ્લેખ કર્યા વિના અધૂરી જ ગણાય. બાપુની દેખરેખ ઉપરાંત રોગીઓના ભોજનની દેખરેખ પણ બા રાખતા હતાં. એમનો માતૃસ્નેહ અને વત્સલતા તો બહુ જાણીતાં છે. કસ્તૂરબા ખરેખર સાચા અર્થમા ‘મા’ હતાં. દેશભરના  જાણીતા નેતાઓ આવતા એમના ભોજનનો પ્રબંધ પણ બા જ કરતાં. અને હું તો એમના માતૃસ્નેહને કોઈ દિવસ નહીં ભૂલું. તે દિવસે સંક્રાંતિ હતી. આશ્રમમાં ગોળની મીઠાઈ બની હતી, પરંતુ મને તે ખાવાની મનાઈ હતી. જ્યારે બધા જમી પરવાર્યાં ત્યારે બા ચૂપચાપ આવી મને થોડી મીઠાઈ આપી ગયાં ! આ એક નાનકડો પ્રસંગ છે પણ એ માતૃત્વથી ભીંજાયેલો છે. જ્યારે બધાં ખાતાં હોય ત્યારે એક દીકરાને મા કેમ ભૂખ્યો જોઈ શકે?

સંસ્કૃતના પ્રકાંડ ૫ંડિત શ્રી પરચૂરે શાસ્ત્રીનું નામ તો જાણીતું છે. એમને કોઢ (લેપ્રસી) થયો હતો અને આશ્રમમાં આવ્યા હતા. એક વાર તો શાસ્ત્રીજી દર્દથી એટલા તો બેચેન થઈ ગયા હતા કે એમણે બાપુને કહી દીધું કે હું આમરણ ઉપવાસ કરીશ. બાપુએ કંઈક વિચારીને એમને હા પાડી. ઉપવાસ દરમ્યાન બાપુ પોતે એમના ઘા ધોતા. ઉપવાસ એક અઠવાડિયું ચાલ્યા અને ચમત્કાર થયો. એમના ઘા રુઝાવા લાગ્યા અને ખુદ શાસ્ત્રીજીએ પોતે ઉપવાસ છોડવાનું કહ્યું ત્યારે બાપુએ હા પાડી. શાસ્ત્રીજીએ ઉપવાસ છોડ્યા તે દિવસે આશ્રમમાં નાનકડો ઉત્સવ ઉજવાયો.

પંડિત પરચૂરે શાસ્ત્રીની સુશ્રુષામાં મગ્ન બાપુ

‘હિંદ છોડો’ની ચળવળને કારણે લાંબા સમય પછી હું બાપુને પંચગનીમાં મળ્યો. ત્યારે રાજાજી હાજર હતા. જેવો હું એમની પાસે ગયો તેવું જ બાપુએએ રાજાજીને કહ્યું :  ‘અરે ભાઈ! જુઓ તો! મેં આમનો  ઈલાજ કર્યો અને સારા પણ કરી દીધા. પણ હજી સુધી મને ફી નથી આપી.’

હુ તો ઠરી જ ગયો! માત્ર એટલું જ બોલી શક્યો :  ‘બાપુ!  શું આપે મારી પાસે કંઈ માગ્યું હતું કે મેં નથી આપ્યું?’

‘તમને યાદ છે કે મેં તમને કહ્યું હતું કે તમારાં પત્ની અને બાળકોને સેવાગ્રામ લાવો; તે તમે લાવ્યા?’

બાપુની ચોટ સીધી હતી.

૫ત્ની અને બાળકોને સેવાગ્રામ લઈ જવા સિવાય મારે છૂટકો ન હતો. જીત બાપુની થઈ, પણ ફાયદો તો મને જ થયો!

એક વાર પૂનામાં જ્યારે બાપુજી દીનશા મહેતાના નિસર્ગ ઉપચાર કેન્દ્રમાં હતા ત્યારે હું એમને મળવા ગયો હતો. ત્યારે મેં જોયું  તો બાપુ હિંદની પ્રાંત ભાષાઓની જાતજાતની વર્ણમાળા લઈને બેઠા હતા! આપણામાંથી કેટલામાં આવો ઉત્સાહ હશે? ત્યારે બાપુજીએ મને કહ્યું હતું કે ‘મારે સવા સો વર્ષ જીવવું છે. પણ દેશને હું કોઈ કામ લાગી શકું તો જ એટલુ જીવ્યું લેખે લાગ્યું ગણાય.’

08 મે 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર; ક્રમાંક – 306

Loading

8 May 2025 Vipool Kalyani
← સંક્રાંતિ કાળના ભારતની કથા ‘ગોરા’
રાષ્ટ્રીય ગૌરવની  સાર્થક ક્ષણ જયહિંદ …ઓપરેશન સિંદૂર !  →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved