Opinion Magazine
Number of visits: 9448763
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલ્યા જઈશું સાધ્વીજી, પરંતુ અમે કાંઈ છોડીશું નહીં

—, રાજેન્દ્ર શુક્લ|Opinion - Opinion|31 October 2017

સાધ્વીજી, આપ દેશને મુસલમાન મુક્ત કરવા માગો છો, તો બેશક કરો. અમે પોતે જ એ દેશમાં રહેવા નહીં ઇચ્છીએ કે જ્યાં આપના જેવા લોકો અમારી કોમને રોજ કટઘરામાં ઊભા કરતા હોય, અમારી દેશભક્તિ અને દેશપ્રેમ પર રોજ આંગળી ઉઠાવતા હોય, અમને પાકિસ્તાની અને આતંકવાદી કહેતા હોય; જાણે કે અમે દેશના નાગરિક નહીં પણ બોજો હોઈએ દેશ પર. પણ અમે એમને એમ નહીં જઈએ, સાધ્વીજી, અમે કઈં પણ છોડીને નહીં જઈએ.

અમે જઈશું તો એ બધું જ લઈને જઈશું, જે અમે પેઢી દર પેઢી આ દેશને આપ્યું છે. અમે તો ક્યારે ય યાદ પણ ન રાખ્યું કે અમે દેશને શું શું આપ્યું છે. ખરેખર તો આ દેશ અમારો પણ રહ્યો છે, અને અમારી આન, બાન અને શાન રહ્યો છે આ દેશ. વતનની ઈમાનદારી અમારે માટે ઈમાનનો અતૂટ હિસ્સો છે. પણ આપને તો યાદ પણ નહીં હોય કે અમે દેશને શું શું આપ્યું છે, અને યાદ હોય તો આપને એ સ્વીકારતાં શરમ આવતી હશે. પણ દેશ જાણે છે અને કહે પણ છે, અમે શું આપ્યું છે દેશને. અમે જાણીએ છીએ કે આ દેશની માટીમાં અમારી કેટલી ય પેઢીઓ દફનાવાઇ છે, આ માટીએ અમને જીવન આપ્યું છે, આ માટીએ અમને જીવતાં શીખવાડ્યું છે, આ માટીમાં ઊભેલાં અમારાં પ્રાર્થનાસ્થળોમાં અમે દેશની પ્રગતિ માટે દુવાઓ માગી છે, આ માટીમાં અમે અમારા બાળપણની ધીંગામસ્તી જોઈ છે. અમારી જુવાનીનાં સ્વપ્નાંઓને પાંખો આપી છે આ માટીએ, આ માટીમાં અમારા બુઢાપાનો સહારો ટકેલો છે અને આ માટીની બે ગજ જમીનમાં અમારે દફન થવાનું છે.

આ દેશ માત્ર આપનો નથી, અને અમને કઈં આપનાથી ઓછો પ્રેમ નથી આ દેશ માટે. પણ અમે ચાલ્યા જઈશું, દેશને મુસલમાન મુક્ત કરી દઈશું. પણ અમને થોડા રોકાઈને જરા હિસાબ તો કરી લેવા દો. અમને અમારી ચીજો સમેટી લેવા દો. પછી અમે જતા રહીશું, આપને ખાતર, મુસલમાન મુક્ત ભારત માટે.

અમે અમારી સાથે લઇ જઇશું, સાધ્વીજી, મોહેં-જો-દડો અને હડપ્પાના ઉન્નત સાંસ્કૃિતક વારસાથી લઈને અમીર ખુસરોની રુબાઈઓ. અમે લઈને જશું અમારી સાથે તાજમહેલ, કુતુબમિનાર, લાલ કિલ્લો અને એવા સ્થાપત્યના હજારો બેજોડ નમૂનાઓ. અમે લઇ જઈશું અલબેરુનીનો ઇતિહાસ, જાયસીનું પદ્માવત, મિયાં તાનસેનની રાગદારી, મિર્ઝા ગાલિબની શાયરીઓ, બિસ્મિલ્લાહ ખાનની શાહનાઈની ધૂનો અને ઝાકીર હુસેનના તબલાની થાપીઓ. અમે ન ગઝલ છોડશું, ન કવ્વાલી, આ મુજરો પણ છોડીશું. અમે અજમેર શરીફ પણ લઇ જઈશું, નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પણ લઇ જશું. અરે, ધીરજ રાખો, સાધ્વીજી, હજી તો લિસ્ટ લાંબું છે.

અમે અશફાક ઉલ્લાહની શહાદત કેવી રીતે છોડી શકીએ? ઇકબાલની ધૂનને તો હવે અમે અડવા પણ નહીં દઈએ, અબ્દુલ હમીદની કુરબાનીને યાદ કરવાનો હક્ક પણ અમે છીનવી લઈશું. અમે ગંગા કિનારાના બધા ગાલિચાના વણકરોને અમારી સાથે લઇ જશું અને તમારા ઘરોમાંથી પણ તેમણે બનાવેલ ગાલીચા ઉઠાવીને લઇ જશું. અલીગઢના તાળા તો હવે તમારા ઘરની રક્ષા નહીં જ કરે. અમે તાજિયાના સરઘસને ઉપાડીને અમારી સાથે લઇ જશું. અમે મહાભારતમાંથી માસૂમ રઝાના લખેલા સંવાદો પણ કાઢી લઈશું. અમે શાહરુખ, સલમાન અને આમીરખાનને સાથે લઇ જશું. અમે પાછી લઇ લેશું અમારી બિરિયાની, અમારા કબાબ, અમારી સેવૈયાં. અમારી શેરવાનીને પણ અમે અહીં નહીં છોડીએ, અમારા કુર્તા-પાયજામા અને મહિલાઓના સલવાર-કુર્તા પણ પાછા લઇ જશું. અમે કંઈ જ નહીં છોડીએ. સાધ્વીજી.

અમને પાછું જોઈએ છે એ બધું પાણી જે વજૂ કરતી વખતે અમારી કોમે ગંગા-જમુના સંસ્કૃિતને સમૃદ્ધ કરતાં વહાવ્યું છે. અમને પાછો જોઈએ અમારા બાળકોનો એ સમય જે એમણે રામલીલા જોઈને વિતાવ્યો છે. અમને પાછો આપો એ પ્રેમ અને દુવાઓ જે અમે પ્રભાતની અજાનથી લઈને તે પાંચ વખતની નમાજમાં આ દેશને માટે આપ્યા છે અને માગ્યા છે. અમને પાછો આપો અમારી કોમના લોકોનો એ અભિનય જે તેઓ રામલીલામાં સદીઓથી આજપર્યંત કરતા આવ્યા છે.

બહુ લાંબુ લિસ્ટ છે, સાધ્વીજી।

આ તો માત્ર નમૂના છે. આવો હિસાબ કરીએ. અમે પણ જોઈએ કે આ દેશમાંથી અમારી ચીજોને કાઢીને અમને પાછી આપી દેવાની હેસિયત તમારામાં આવી જાય તે દિવસે અમને કાઢી મુકજો. વિશ્વાસ રાખજો, અમે દેશ છોડી દઈશું. અમે જાણીએ છીએ કે એ આપની હેસિયત કે ઔકાતમાં ક્યારે ય નહોતું, આજે પણ નથી અને ક્યારે ય આવશે પણ નહીં.

આ અમારું વહાલું વતન છે, અને અમે વતનના છીએ. અમે મુસલમાન છીએ. વતન પ્રત્યેની વફાદારીમાં જે દિવસે અમે નીચા પડીશું, ત્યારે અમારા ઇમાનમાંથી પણ હટેલા હોઈશું. એટલે અમને દેશભક્તિ તો ન જ શીખવાડો.

— એક ભારતીય મુસલમાન

(સાધ્વી પ્રજ્ઞાના નિવેદન ઉપરથી લખાયેલ લેખ)

(રાજકોટથી પ્રકાશિત થતા ‘સર્વોદય સમાજ’માં ‘સદભાવના સાધના’માંથી લીધેલ આ લેખ સાભાર પ્રસ્તુત)

Loading

31 October 2017 admin
← લોર્ડ મેકોલેનો આભાર
Hindutva’s attempt to Polarize ‘God’s Own Country’ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved