Opinion Magazine
Number of visits: 9504391
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચાલો, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દિશામાં… 

સુમન શાહ|Opinion - Literature|25 April 2023

આજે, રાજશેખર —

એમનો સમય છે, ઇ.સ. ૮૮૦-૯૨૦. એમના ગ્રન્થનું શીર્ષક છે, ‘કાવ્યમીમાંસા’. રાજશેખર યાયાવરી કહેવાયા છે કેમ કે જ્ઞાનસમ્પાદન માટે અહીંથી તહીં ભટકતા રહેતા’તા, જેમ યાયાવરી પક્ષીઓ સ્થાનાન્તર કરતાં રહે છે. એટલે, એમની વાતમાં અનેકોના મત જાણવા મળે છે;  અવનવાં પણ ઉપકારક ઉદાહરણો જોવા મળે છે. તેઓ એ શાસ્ત્રીય પદ્ધતિએ પોતાના મત-મન્તવ્યોનું સમર્થન કરે છે.

‘કાવ્યની રચના અને સ્વરૂપ’-થી એમણે પ્રારમ્ભ કર્યો છે.

આજે, ‘કાવ્યવિદ્યા’ —

કાવ્યરચનાને તેઓ કાવ્યવિદ્યા કહે છે.

એમણે કાવ્યવિદ્યાની રસપ્રદ અને બહુ મજાની જાણે વંશાવળી આપી છે.

કહે છે, ભગવાન્ શ્રીકણ્ઠે એટલે કે શિવે કાવ્યવિદ્યાનો ઉપદેશ સૌ પ્રથમ પરમશ્રેષ્ઠિ, વૈકુણ્ઠ વગેરે ૬૪ શિષ્યોને કર્યો.

એમાં પ્રથમ શિષ્ય હતા, સ્વયંભૂ – બ્રહ્મદેવ. એમણે એ કાવ્યવિદ્યાનો ઉપદેશ પોતાની ઇચ્છાથી ઉત્પન્ન – અયોનિજ – શિષ્યોને એટલે કે ઋષિઓને કર્યો.

એ શિષ્યોમાં સરસ્વતીનો પુત્ર નામે કાવ્યપુરુષ પણ હતો, જેની જગદ્વન્દ્ય દેવતાઓ પણ વન્દના કરતા’તા.

એ કાવ્યપુરુષ ત્રિકાલજ્ઞ હતો, દિવ્ય દૃષ્ટિથી ભવિષ્યની કલ્પના કરી આપી શકતો’તો. બ્રહ્મદેવે એને આજ્ઞા કરી કે તું ભૂ ભુવ: અને સ્વર્ગ – ત્રણેય લોકમાં વસતી પ્રજામાં કાવ્યવિદ્યાનો પ્રચાર કર.

કાવ્યપુરુષે કાવ્યવિદ્યાનું ૧૮ ભાગમાં – અધિકરણોમાં – વિભાજન કર્યું. એનો ઉપદેશ સૌ પ્રથમ એણે સહસ્ત્રાક્ષ ઇન્દ્ર વગેરે દિવ્ય – સ્વર્ગીય – સ્નાતકોને કર્યો.

એ દરેક સ્નાતકે ૧૮ ભાગમાં વિભાજિત કાવ્યવિદ્યાના એક એક અધિકરણ વિશે વિશેષતા પ્રાપ્ત કરી અને પોતપોતાના વિષય અંગે જુદા જુદા ગ્રન્થની રચના કરી.

એ દરેક ગ્રન્થનું શીર્ષક કાવ્યવિદ્યાના આપણને વિદિત અંગનો નિર્દેશ કરે છે; એ પ્રકારે જોઈ શકાય છે કે એમાં લગભગ બધાં જ અંગોનો સમાવેશ થયો છે.

જેમ કે –

સહસ્ત્રાક્ષ ઇન્દ્રે કવિરહસ્ય-વિષયક ગ્રન્થ રચ્યો. ઉક્તિગર્ભ નામના સ્નાતકે ઉક્તિ-વિષયક ગ્રન્થ રચ્યો. સુવર્ણનાભે રીતિ-વિષયક. પ્રચેતાએ અનુપ્રાસ-સમ્બન્ધી. યમે યમક-સમ્બન્ધી. ચિત્રાંગદે ચિત્ર-કાવ્યવિષયક. શેષે શબ્દશ્લેષ વિશે. પુલત્સ્યે સ્વાભાવોક્તિ વિશે. ઔપકાયને ઉપમા-અંલકાર સમ્બન્ધી. પારાશરે અતિશયોક્તિ સમ્બન્ધી. ઉત્તથ્યે અર્થ-શ્લેષ વિશે. કુબેરે શબ્દ અને અર્થ બન્ને પ્રકારના અલંકારો વિશે. કામદેવે વિનોદ-સમ્બન્ધી. ભરતે નાટ્ય-વિષય વિશે. નન્દિકેશ્વરે રસ વિષય વિશે. ધિષણે દોષ વિશે. ઉપમન્યુએ ગુણ વિશે. અને, કુચમારે ઔપનિષદિક વિષયો વિશે.

પરન્તુ, આ ૧૮ ભાગોમાં – અધિકરણોમાં – વિભક્ત કાવ્યવિદ્યા ખરેખર તો વેરવિખેર થઈ ગઈ ! રાજશેખર જણાવે છે કે એટલા માટે કાવ્યવિદ્યાના બધા જ અતિ આવશ્યક વિષયોને સંક્ષેપમાં રજૂ કરી અમે ૧૮ અધિકરણોમાં ‘કાવ્યમીમાંસા’ ગ્રન્થની રચના કરી. અને, રાજશેખર ‘કવિરહસ્ય’ નામના અધિકરણથી પ્રારમ્ભ કરે છે.

પણ હું ‘કાવ્યમીમાંસા’-ના આપણને સીધા ઉપયોગી કેટલાક જ અંશને આગળ કરીશ. 

હવે પછી, કવિ-પ્રતિભા અને આલોચક વિશે.

નૉંધ : આ લેખન પણ્ડિત કેદારનાથ શર્મા સારસ્વતના હિન્દી અનુવાદને અનુસરે છે.

સંદર્ભ : રાજશેખર-રચિત કાવ્યમીમાંસા : બિહાર-રાષ્ટ્રભાષા-પરિષદ, પટના દ્વારા પ્રકાશિત, ૧૯૫૪. ડૉ. નગેન્દ્ર-સમ્પાદિત ‘ભારતીય કાવ્યશાસ્ત્ર કી પરમ્પરા’, નેશનલ પબ્લિશિન્ગ હાઉસ, દિલ્લી, ૧૯૬૪. 

= = =

(04/25/23 : Ahmedabad)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

25 April 2023 Vipool Kalyani
← ફરી આવ્યો
ધીરુબહેન પટેલ, સત્યજિત રે અને ‘આગંતુક’ … →

Search by

Opinion

  • સહૃદયતાનું ઋણ
  • સાંસદને પેન્શન હોય તો શિક્ષકને કેમ નહીં?
  • કેવી રીતે ‘ઈજ્જત’ની એક તુચ્છ વાર્તા ‘ત્રિશૂલ’માં આવીને સશક્ત બની ગઈ
  • અક્ષયકુમારે વિકાસની કેરી કાપ્યાચૂસ્યા વિના નરેન્દ્ર મોદીના મોં પર મારી!
  • ભીડ, ભીડ નિયંત્રણ, ભીડ સંચાલન અને ભીડભંજન

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved