લોકડાઉન-3માં એક વીડિયો આવ્યો તેમાં પાંચ માઈલ લાંબી લાઇન મનોરથી ગુજરાત આવવા નીકળેલી અસંખ્ય કારની હતી. એનું પ્રોપર ચેકિંગ થઈ રહ્યું હોવાની વાત પણ ગૌરવભેર કહેવાતી હતી. મને થયું આ કાર કઈ અનિવાર્યતાને કારણે રોડ પર હતી? આ શ્રમિકો હતા? અહીં તેમને રહેવા ખાવાની તકલીફ હતી? ખરેખર તો આ બધાંને અટકાવવાની જરૂર હતી તેને બદલે આગળ જવા દેવાતા હતા.
કાલે એક ચેનલ, પેટ્રોલપંપ પર લોકો લાઈનમાં પેટ્રોલ ભરાવી રહ્યા હતા તે દૃશ્ય બતાવતી હતી. આ લોકો સરકારી અધિકારીઓ ન હતા કે તેમને વાહનની અનિવાર્યતા હોય. આ સાધારણ વાહન ચાલકો હતા. એ લોકો જ પછી વાહનો લઈને રખડે છે, ભીડ કરે છે. પેટ્રોલ ન મળે તો આવાં લોકો ઘરમાં રહે એવું નહીં? આવે વખતે પોલીસ પણ લાચાર થઈને જોઈ રહેવા સિવાય કૈં કરી શકતી નથી.
ખબર નથી પડતી કે એક જાહેરાત કશુંક બંધ કરવાની થાય છે કે લોકો દુકાનો પર, લારીઓ પર ટોળે વળી જાય છે. સરકાર જેમ જેમ કડક થવા મથે છે કે લોકો વધારેને વધારે અધીરાં થઈ જાય છે. આ ત્રાસ ગુજરાતમાં વધતો આવે છે. તકલીફ કોરોનાની છે પણ લોકો દુકાળ પડ્યો હોય તેમ રઘવાયાં થઈને દોડે છે. એની સામે ગંભીર વાત એ છે કે કોરોના પોઝિટિવની સંખ્યા બેફામ રીતે વધતી આવે છે. મરણનો આંક ચિંતાજનક રીતે વધી રહ્યો છે.
આ સ્થિતિમાં સંયમ નહીં જળવાય તો કોની સ્થિતિ ખરાબ થશે તે કહેવાની જરૂર છે? એવું થવા દેવાનું છે?
જે પગલાં લેવાય છે તેમાં સૂઝ્યું તેવું જ લાગુ કરી દેવાની ઉતાવળ જોર પર છે. એમાં કેવી પ્રતિક્રિયા આવશે એની ચિંતા થતી હોય એવું લાગતું નથી.
એનું પરિણામ એ દેખાય છે કે બધું બંધ હોવું જોઈએ તેને બદલે બધું જ ચાલુ હોવાનો વહેમ પડે છે. ટ્રેનો દોડે જ છે. બસો ચાલે જ છે. ટ્રાફિક જામ સર્જાય જ છે. સ્કુટરો, કાર, સડકો પરથી સરકે જ છે. લોકો લારીઓ પર ભીડ કરે જ છે. દુકાનો પર ખરીદી ચાલુ જ છે …
ખબર નથી પડતી કે લોકડાઉન એટલે બધું ચાલુ કે બધું બંધ? વિચારીએ ને ગંભીર થઈએ.
000
e.mail : ravindra21111946@gmail.com
![]()



૧૯૯૯માં સોનિયા ગાંધીના વિદેશી મૂળના મુદ્દે શરદ પવાર અને અન્ય નેતાઓએ કૉન્ગ્રેસ છોડી જુદો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. આજે કૉન્ગ્રેસમિત્ર ગણાતા દેશના ચર્ચિત અને વરિષ્ઠ રાજનેતા શરદ પવારની મૂળે અંગ્રેજી-મરાઠીમાં લખાયેલી અને હિંદીમાં અનૂદિત થયેલી આત્મકથા ‘અપની શર્તો પર’માં નહેરુ ગાંધી કુંટુબ વિશેના અનુભવો અને નિરીક્ષણો રસપ્રદ છે. ૩૨૫ પૃષ્ઠ અને ૨૬ પ્રકરણોના આત્મકથનનું એક પ્રકરણ લેખકના જીવનમાં આવેલા વિવિધ બાવીસ વ્યક્તિત્વો વિશેનું છે. તેમાં ગાંધી-નહેરુ કુટુંબના કોઈ એક કે વધારે સભ્યને બદલે મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી સુધીના તમામ સભ્યો વિશે એક સાથે લખ્યું છે. આ લખાણને લેખક ‘નહેરુ-ગાંધી રાજવંશ’ એવું નામ આપે છે. તેના પરથી નહેરુ-ગાંધી ખાનદાન વિશેનો તેમનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ થાય છે