ગુજરાતીઓના સ્થળાન્તરોનો સમય અને સંજોગ
આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે …જી.
(પારાવારના પ્રવાસી) − બાલમુકુન્દ દવે
માઇગ્રેશન માટે નરહરિ કે. ભટ્ટકૃત ‘વિનયન શબ્દકોશ’, ‘સ્થળાંતર, દેશાંતર, પ્રવાસ, પ્રવ્રજન, દેશાંતરગમન’ જેવા જેવા અર્થ આ પે છે. પરંતુ ‘સ્થળાંતર’ અને ‘દેશાંતરગમન’ સિવાયના શબ્દો, કદાચ, નબળા છે અને સ્વાભાવિકપણે ‘માઇગ્રેશન’ને જરૂરી સ્ફુટ કરી શકતા નથી.
લાંબા અંતર સુધી, અને કેટલીક વખત, ટોળાઓમાં વિચરતો સમૂહ એક જગ્યાએથી બીજા પ્રદેશ કે દેશ ભણી સ્થળાંતર કરતો આ વ્યો છે. આ વો ભ્રમણશીલ પ્રજાસમૂહ આ પણી વિરાસતને ય મળ્યો છે. ‘ઇન્ટરનેશનલ અૉર્ગનાઇઝેશન ફૉર માઈગ્રેશન્સ’ના 2010માં બહાર પડેલા ‘વિશ્વ સ્થળાન્તર અહેવાલ’ અનુસાર, આ શરે 214 મિલિયન (બે કરોડ ચૌદ લાખ) લોકો આ ભ્રમણશીલ પ્રજાસમૂહમાં હતા. અને જો આ વું ને આ વું રહેવા પામે, તો ઇ.સ. 2050 સુધીમાં, આ આ ંક 405 મિલિયન (ચાર કરોડ પાંચ લાખ) થઈ શકે, તેવું ય આ હેવાલના તારણમાં કહેવાયું છે.
ભારતમાંથી સૌથી મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક દેશાંતર રોમાની લોકોનું હતું. પારંપરિક રીતે તેઓ ‘જિપ્સીઓ’ શબ્દ દ્વારા ઓળખાય છે. વિકિપીડિયા અનુસાર, ભાષાકીય અને આનુવંશિક પુરાવાઓ દર્શાવે છે કે રોમાનીઓ ભારતીય ઉપખંડમાં જન્મ્યા હતા, અને ભારતથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ તેમણે 11મી સદી કરતાં પહેલાં દેશાન્તર નહોતું કર્યું. સામાન્ય રીતે એમ મનાય છે કે રોમાની મધ્ય ભારતમાં જન્મ્યા હતા, શક્યપણે અર્વાચીન ભારતીય રાજ્ય રાજસ્થાનમાં, ઇસુના જન્મના 250 વર્ષ પહેલાંની આસપાસના સમયમાં, તેમણે ઉત્તર-પશ્ચિમ ભારત (પંજાબ પ્રાંત) તરફ સ્થળાંતર કર્યું હતું. અહીં પસાર કરેલી સદીઓમાં, રાજપૂતો અને જાટો જેવા સ્થાપિત સમૂહો સાથે તેમનો નજીકનો અરસપરસનો વ્યવહાર રહ્યો હોઈ શકે છે. પાછળથી પશ્ચિમ તરફ તેમનું સ્થળાંતર, શક્યપણે મોટી સંખ્યામાં, ઇસુના મૃત્યુના 500 અને 1000 વર્ષ બાદના સમય દરમિયાન, થયું હોવાનું મનાય છે. ક્યારેક રોમાની સાથે નજીકના સંબંધમાં ભાગીદાર તરીકે સૂચવાયેલી સમકાલીન વસ્તીઓ મધ્ય એશિયાના ડોમ લોકો અને ભારતના બંજારા છે.
ઉપખંડમાંથી અન્ય એક મુખ્ય દેશાંતર દક્ષિણ પૂર્વ એશિયા તરફનું હતું, તેમ વિદ્વાનો જણાવે છે. તે હિન્દુ અને દક્ષિણના બૌદ્ધ રાજાઓના સૈન્ય અભિયાનના કારણે હિન્દુઓ દ્વારા શરૂ થયું હતું, અને બાદમાં સ્થાનિક સમાજ દેશાન્તર વસાહતીમાં પરિણમ્યો. ચોલા, કે જેઓ તેમની નૌસૈનિક શક્તિઓ માટે જાણીતા હતા, તેમણે સુમાત્રા અને મલય દ્વીપકલ્પ પર જીત મેળવી. ભારતીય સંસ્કૃિતનો પ્રભાવ હજુ દક્ષિણ પૂર્વ એશિયામાં, ખાસ કરીને બાલી જેવા સ્થળોમાં (ઈન્ડોનેશિયામાં) દૃઢપણે અનુભવી શકાય છે. 16મી સદીના મધ્યમાં, મધ્ય એશિયા અને પર્સિયામાં ભારતીય વેપારીઓ ફેલાઈ ગયા અને ચાર સદીઓ સુધી સક્રીય રહ્યા. ત્સારદોમ ઓફ રશિયામાં વોલ્ગા(એક નદીનું નામ છે)ના મુખ પર આવેલું અસ્ત્રખાન પ્રથમ સ્થળ હતું, જ્યાં 1610 જેટલી વહેલી ભારતીય વેપારી વસ્તી સ્થપાઈ હતી. રશિયન ઇતિહાસકારોએ હિંદુ વેપારીઓની હાજરી મોસ્કો અને સેન્ટ પીટર્સબર્ગમાં 18મી સદીમાં નોંધી હતી.
19મી સદી દરમિયાન, અને ભારત પર બ્રિટિશ રાજના અંત સુધીમાં, મોટા ભાગની હિજરત કરારબદ્ધ પદ્ધતિ અંતર્ગત, (ગિરમીટિયા કરારપત્ર) ગરીબ શ્રમિકોની, અન્ય બ્રિટિશ વસાહતોમાં હતી. ક્રમાનુસાર, મુખ્ય સ્થળો, મોરેશિયસ, ગાયાના, કેરેબિયન, ફિજી અને પૂર્વ આફ્રિકા હતા. આમાંના કેટલાક દેશોમાં ઓછી સંખ્યામાં પણ કુશળ મજૂરો અને વ્યવસાયીઓ, 20મી સદીમાં, પોતે ખૂદ હિજરત કરી ગયા હતા. આ ફેલાવાના મૂળમાં સન 1834નો બ્રિટિશ કાયદો હોય તેમ લેખાય છે. બ્રિટિશ સંસદ દ્વારા 1 ઑગસ્ટ, 1834ના રોજ મંજૂર કરાયેલા ગુલામી નાબૂદી કાયદા લીધૈ તમામ બ્રિટિશ વસાહતોમાંથી ગુલામ મજૂરોને ય આઝાદી મળી. પરિણામે ઘણી ખેતીવાડી વસાહતોમાં કામ કરનારા લોકોની અછત સર્જાઈ, કેમ કે પહેલાના મજૂરો હવે આ ઝાદી અનુભવતા હતા. જેથી ઘણી બ્રિટિશ વસાહતો મજૂરોની આત્યંતિક અછતમાં પરિણમી. શ્રીલંકા અને બર્માની પાડોશી બ્રિટિશ વસાહતોમાં, ચાના બગીચાઓ અને બ્રિટિશ મલય(હવે મલેશિયા અને સિંગાપુર)ના રબરના બગીચાઓ માટે, કામદારોની ભરતીમાં એક અસંબંધિત પદ્ધતિ સામેલ હતી. મધ્ય પૂર્વમાં 1970ની તેલની તેજી બાદ, સંખ્યાબંધ ભારતીયો ખાડી દેશોમાં કામ કરવા માટે સ્થળાંતરિત થયા. આધુનિક પરિવહન અને અપેક્ષાઓ સાથે, 19મી સદીના કિસ્સાઓની જેમ આ કાયમી હોવાને બદલે કરાર આધારિત હતું. તેઓ જો ત્યાં જન્મ્યા હોય તો પણ, આ ખાડી દેશોની બિન-આરબોને નાગરિક હકો ન આપવાની એક સમાન નીતિ છે. યુએસએ(USA)ની 1990ની સોફ્ટવેર તેજી અને ચઢતી અર્થવ્યસ્થાએ સંખ્યાબંધ ભારતીયોને આકર્ષ્યા, જેઓ યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકામાં સ્થળાંતરિત થયા. આજે, યુએસએ (USA)માં ભારતીયોની ત્રીજી સૌથી મોટી સંખ્યા લેખવામાં આ વે છે.
શિરીન અને મકરન્દ મહેતા દંપતી નોંધે છે મુજબ, ‘ગુજરાતીઓએ હજારો વર્ષોથી શાંતિ, સહકાર અને અહિંસાનાં મૂલ્યો પર આ ધારિત વ્યાપારી સંસ્કૃિત ખીલવી છે. ગુજરાતીઓ સેંકડો વર્ષોથી વિદેશોમાં વસાહતો સ્થાપતા આ વ્યા છે. વ્વહારકુશળ પ્રજાને શોભે તેવી મીઠાશભરી ગુજરાતી ભાષાનું પણ ઘડતર થયું છે. આ જે ગુજરાતીઓ બ્રિટન, યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા, ઓસ્ટૃલિયા, ટાન્ઝાનિયા, કેનિયા, યુગાન્ડા, દક્ષિણ આ ફ્રિકા, ઓમાન, ગલ્ફ દેશો અને ફિજી જેવા વિશ્વના 125 દેશોમાં વસવાટ કરે છે. તેની પાછળ વેપાર અને વહાણવટાની ગુજરાતની પરંપરા છે.’
‘છપનિયો’ નામે દુકાળ કેટલાને સાંભરે ? વિક્રમ સંવંત 1956 યાને કે ઇ.સ. 1900ના અરસાની આ વાત છે. જાણીતા લોકસાહિત્યકાર, લેખક અને કટારચી દોલતભાઈ ભટ્ટ લખે છે તેમ, છપનિયો દુકાળ ખાબક્યો. પરહિતકારીઓએ અન્નના દેગડા ચડાવ્યા. … ‘દેશમાં દુકાળનાં ડાકલાં વાગ્યાં. કડૂહલો બોલાવતો છપ્પનિયો ખાબક્યો. ચારેય સીમાડા સળગાવતો માણસ અને પશુનો સોથ વાળતો છપ્પનિયો … પૂગ્યો. ધરતી તરડાઈ ગઈ, ઊભાં ઝાડવાં સુકાણાં, પંખીઓના માળા પીંખાણા, ઢોરનાં મડદાં ચૂંથાણાં, દૂબળા-દૂબળા માણસો દુકાળના ડાચામાં ઓરાણાં. … માણસ માતર મૂંઝાણાં. રૈયતને ઉગારવા રાજારજવાડાઓએ દાખડો કર્યો. પણ છપ્પનના સપાટા ખમ્યા ખમાતા નથી. આવા વહમા વખતમાં… ‘ દલિત સમેતની ગુજરાતની ઠીકઠીક પ્રજાએ દેશાવરનો માર્ગ લીધો. એમાંના ઘણાંએ આ ફ્રિકા તેમ જ ફિજી તરફ પેટિયું રળવાની ખેપ આ દરી. પરિણામે ગુજરાતમાં શહેરીકરણને સાદ મળ્યો. અને સાથોસાથ ગુજરાતી ડાયસ્પોરા સમાજની આ ર્થિક વગ વધવા લાગી.
અમદાવાદ ખ્યાત ‘સેન્ટર ફૉર સોશિયલ નોલેજ અૅન્ડ એક્શન’ના સ્થાપક મંત્રી અને જાણીતા સમાજશાસ્ત્રી અચ્યુત યાજ્ઞિકના કહેવા મુજબ, મધ્ય વીસમી સદીમાં, ભૂમિસુધારના પગલાં સરકારે હાથ લીધા. તેને કારણે ગામડાંઓની વસ્તી ઘટવી શરૂ થયેલી અને ગુજરાતમાં શહેરો તગડા થવા લાગેલાં. સદીઓથી ચોમેર પ્રભાવક બની રહેલી, એક તરફ કાઠિયાવાડી સામંતશાહી સમાજવાળી વિરાસત, અને બીજી પા, મહાજન પરંપરાને હળવે હળવે અસર પહોંચી. તેમના સાંચા ઢીલા પડવા લાગ્યા. ભારતના અન્ય પ્રદેશો તરફનું વહન જેમ જેમ ઓસરવા લાગ્યું, તેમ તેમ પરદેશ ભણીનું દેશાન્તરગમન વિસ્તરવા લાગ્યું.
અને તે પછી, 2001નો ધરતીકંપ અને 2002ના કોમી તોફાનો જબ્બર કારણભૂત બની રહ્યા છે. આ બંનેને પ્રતાપે, અનેક વિસ્થાપિતોએ પરદેશની વાટ લીધી. આ ફ્રિકાના અનેક મુલકો ઉપરાંત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા ઉપરાંત યૂરપના વિવિધ દેશોમાં ય આ વસાહતી પ્રસરી જવા પામી છે.
‘લોકો એક જ જગ્યાએ પડ્યા પાથર્યા રહે તો તેથી વિકાસ સંભવી શકતો નથી.’ − આ વું એમ્મા ક્ર્યૂ અને ઉમા કોઠારી સરીખાં તજજ્ઞોએ લખ્યું છે. દેશાન્તર માટેનાં કારણો ઘણી બધી રીતે જટિલ છે. અને દરેક વેળા તેને સારુ આ ર્થિક કારણો કેન્દ્રમાં રહ્યાં હોય તેમ બનતું નથી. બ્રિટનમાં અને અંગ્રેજ સંસ્થાનોમાં, ગુજરાતીઓની જમાત વસ્તી ગઈ, તેમાં તો મજૂર બજારની દેણગી મુખ્ય હતી. પરંતુ સંસ્થાનોમાંથી બ્રિટન આ વેલી વસાહતના પાયામાં રાજકારણ, હકાલપટ્ટી તેમ જ આ ંતરરાષ્ટૃીય ગતિવિધિ શાં કારણો જોવાં મળે છે. વળી, ઇ.સ. 1980ના અરસાથી, વિશ્વ સ્તરે અમેરિકા તથા યૂરપની વર્ચસવાળી આ ર્થિક નીતિ અપનાવાતી ગઈ, તેમ જ ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ જે રીતે અત્રતત્રસર્વત્ર પાથરણ કર્યું છે, તેને કારણે પણ વિકસિત દેશો ભણીનું દેશાન્તરગમન થતું આ વ્યું છે. પરિણામે, ગુજરાતીઓનું યુવાધન, આ મુલકોમાં, અગ્રગામી ફાળો આ પતું આ વ્યું હોવાનું નોંધાયું છે.
મજૂર, ગિરમીટિયા કામદારો, વેપારવણજ, ઉદ્યોગધંધાથી માંડીને, દાક્તરી તથા ઈજનેરી ક્ષેત્રો તેમ જ હવે ‘આ ઈ.ટી.’ ક્ષેત્રે ય ગુજરાતીઓ ડંકો મારતા થઈ ગયા છે. ડાયસ્પોરા જગતમાં, તેના વિકાસમાં, તેમ જ જે તે મુલકના અર્થતંત્રમાં, ગુજરાતીઓની દેણગી મજબૂતપણે જામી છે, વિસ્તરી છે અને કાયમી બનવાને આ રે આ વી ખડી છે.
પાનબીડું :
આવી ચડ્યાં અમે દૂરનાં વાસી,
પ્રથમીની અમે પ્રીતનાં પ્યાસી;
મનખે મનખે ધામ ધણીનું –
એ જ મથુરાં ને એ જ રે કાશી;
ભોમકાનાં ભમનાર પ્રવાસી.
(પરકમ્માવાસી) − બાલમુકુન્દ દવે
e.mail : vipoolkalyani.opinion@btinternet.com
![]()


વૈશ્વીકીકરણના આવિર્ભાવે ૨૦મી સદીમાં અનેક વિદ્યાશાખાઓ અને અભ્યાસ પદ્ધતિઓ ઉદ્દભવી છે. પશ્ચિમના દેશોની વિદ્યાપીઠોમાં ‘ડાયસ્પોરાશાસ્ત્ર’નો (Diasporology) એક સ્વતંત્ર અભ્યાસ વિષય તરીકે સમાવેશ થયો છે. આંતરદેશીય પ્રજાસમૂહોએ ડાયસ્પોરા વિભાવને પ્રચલિત કર્યો છે. ડાયસ્પોરાનો અભ્યાસ આંતરવિદ્યાશાખાકીય અભ્યાસ છે. (ઇતિહાસ, સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર,) સાથે જોડાયેલો છે. હમણાં જ ભારતની મુલાકાતે આવેલા લોર્ડ ભીખુ પારેખે એમના વ્યાખ્યાનમાં જણાવ્યું કે, ‘ડાયસ્પોરા એ આંતરદેશીય પ્રજાસમૂહોનું ઉત્પાદન છે.’ (૧૦ જાન્યુઅારી ૨૦૧૨, ગુજરાત વિદ્યાપીઠમાં, ‘પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓ’ – પુસ્તકના વિમોચન પ્રસંગે). એ અર્થમાં ડાયસ્પોરા સતત પરિવર્તનશીલ એવું ઉત્પાદન છે, અને તેમ હોય તો ડાયસ્પોરા સાહિત્ય એ ઉત્પાદનનું સર્જનાત્મક પરિણામ છે, એમ કહી શકાય. એની ઉત્પાદનપ્રક્રિયા સાથે કે સર્જનપ્રક્રિયા સાથે જોડાયેલી સંકુલતાઓ, સંઘર્ષો, વિનિમયો, વગેરે વ્યક્તિજીવન, સમાજજીવન, અને સાંસ્કૃતિક બાબતોને કઈ રીતે નિરૂપે છે એનો અભ્યાસ થવો જરૂરી છે.
આ જ વાર્તાસર્જકની ‘બારી’ વાર્તામાં પત્ની અને પુત્રીને મૂકીને જતા રહેલા ડેડી છ વર્ષ પછી પાછા આવી રહ્યા છેની પ્રતીક્ષામાં ઝૂમતી પુત્રીની આંખો સામેના મકાનની બાલ્કનીમાંથી એની દિશામાં તાકતી બે આંખો સાથેના મિલનથી મીઠી મૂંઝવણ અનુભવી રહે છે. ડેડીની પ્રતીક્ષા કરતી પુત્રી ડેડીના આવવાના આનંદની સાથે સાથે સામેની દિશાની આંખોના મિલનથી રોમાંચ પણ અનુભવે છે. પોતાના ઘરના રસોડાની બારીથી બહાર તાકતી માની આંખો પ્રત્યે એ અબુધ પુત્રીનું ધ્યાન જ જતું નથી. એક વહેલી સવારે ડેડી તો ઘરે આવી પહોંચે છે ને માને એ જણાવવા એના બેડરૂમમાં જતી પુત્રીને મા પોતાને અને ઘરને છોડીને જતી રહી હોવાનું જણાવતો પત્ર મળે છે. ડેડીના આવ્યાનો આંનદ ઝાઝો ટકતો નથી, પરંતુ માના જતા રહેવા સાથે જ ભાન થાય છે કે સામેની દિશામાંથી દેખાતી આંખો પણ ગાયબ થઈ ગઈ છે. વાર્તાકાર નીલેશ રાણાએ માતા-પિતા વચ્ચેના વિગ્રહનો સીધો ઉલ્લેખ ક્યાં ય કર્યો નથી કે નથી ક્યાં ય ઉલ્લેખ કર્યો માના અન્ય પુરુષ સાથેના સંબંધનો. વાર્તાને વાર્તા બનાવનારી આ ઘટનાનો સીધો ઉલ્લેખ કર્યા વગર જ નિરૂપિત ઘટનાની પ્રતિક્રિયામાંથી ઊભો કરેલો વ્યંગ્યાર્થ આ વાર્તાસર્જકની કલાસૂઝ પ્રત્યે માન જગવે છે. આ વાર્તામાં નિષ્ફળ દાંપત્યજીવનનું દુષ્પરિણામ ભોગવતી પુત્રીની દશા સ્ત્રીની અબુધ અવસ્થા પ્રત્યે કારુણ્ય જન્માવે છે તો બીજી બાજુ માના પાત્ર દ્વારા પોતાના જીવનને પોતાની શરતો સાથે જ જીવવાની હામ ધરાવતી સ્ત્રીનું સંવેદનવિશ્વ પણ આકારિત થવા પામે છે.
આનંદરાવ લિંગાયત ડાયસ્પોરા ગુજરાતી વાર્તાક્ષેત્રે મહત્ત્વનું નામ છે. ‘મંજરી’ અને ‘ટેલિફોનની ઘંટડી’ વાર્તાઓમાં ભારતીય સમાજ – સંસ્કૃતિ અને અમેરિકન સમાજ – સંસ્કૃતિની વિશેષતાઓ અને મર્યાદાઓ નારીપાત્રો દ્વારા અભિવ્યક્તિ પામે છે. ભીષણ ગરીબાઈમાં જન્મેલી, જીવેલી, મોટી થયેલી મંજરીને એવું જ ભયાનક સાસરું પણ મળે છે. બીજવર પતિ અને વયમાં મંજરીથી મોટી એની દેરાણી, વગેરે સાસરિયાઓની વરવી અને જડબેસલાક સત્તાના મંજરીના કારમા અનુભવો દયનીય મંજરીને વધુ દયનીય અવસ્થામાં ત્યારે મૂકે છે જ્યારે બે બાળકોની જવાબદારી પતિના મૃત્યુ પછી એના માથે આવી પડે છે. બાળકોને લઈને પિયર પાછી ફરે છે. મિત્ર સુલેખાના સહકારે આફ્રિકા અને ત્યાંથી અમેરિકા પહોંચી તે ભાગ્યનું દળદર મીટાવવામાં લાગી જાય છે. અજાણી ભૂમિ ,અજાણ્યા લોકો, અજાણી ભાષા ધરાવતા પરદેશમાં એકલપંડે સ્થાઈ થવાની ક્ષમતા ધરાવતી મંજરીનું પાત્ર માન જગવે એવું છે. અમેરિકામાં જેન્ટલમેન કહી શકાય તેવો શરીરે અપંગ માઈકલ મંજરી સાથે સમજૂતીના લગ્ન કરી મંજરીને એના બાળકો સાથે મેળવી આપે છે. માઈકલના સાથ- સહકારથી સ્થાયી થયેલી મંજરી અંતે સ્વચ્છાએ માઈકલ સાથે સ્નેહસંબંધે બંધાય છે. આ વાર્તાના આરંભમાં ભારતમાં રહેનારી મંજરીની પડોશણો મંજરી અને માઇકલ સંબંધોની કૂથલી કરી મંજરીના ચરિત્રની નિંદા કરતા દર્શાવીને વાર્તાસર્જકે ભારતીય સમાજની નિંદાવૃત્તિનો દોષ નિરૂપ્યો છે. ભારતમાં માત્ર અભાવગ્રસ્ત દશામાં પારાવાર કષ્ટ વેઠતી મંજરીને સહાય કરવા કોઈ આવતું નથી. માત્ર દયાના આધારે જીવી શકાય નહીં તેવું મંજરીને લાગે છે ત્યારે જ એ ભારત છોડવાનો નિર્ણય લે છે. ગરીબ માતા-પિતા,નાના બાળકો બધું જ મૂકીને હામ ભીડીને તે ઊજળી આવતીકાલની આશાએ કદી ન જોયેલા દેશમાં, કદી ન જાણેલી સમાજ વ્યવસ્થામાં જઈ ગોઠવાય છે. મંજરીના પાત્રની આ ક્ષમતા સ્ત્રીના શક્તિશાળી આંતરસવિત્તનું પરિચાયક બને છે. મંજરી અને માઇકલ એકમેક સાથે જે જવાબદારીપૂર્વક જોડાય છે એમાં એ પાત્રોની ગરિમાનું રતિભાર પણ અવમૂલ્યાંકન થતું દર્શાવ્યું નથી. બલ્કે જીવનના સંઘર્ષો અને એ સાથેના સમાધાન માટેના પ્રયત્નોમાં એ બંનેની વ્યક્તિમત્તા મુઠ્ઠી ઊચેરી જ સાબિત થાય છે. માઇકલ સાથે જોડતા પૂર્વે મંજરીએ અનુભવેલી મથામણ વાર્તાકાર આ પ્રકારે મૂકી આપે છે, ‘ન કરવી હોવા છતાં માઇકલની તુલના એના સાસરિયાં સાથે, પેલા લંપટ, ઇન્ડિયન મોટેલ-માલિક સાથે, લોહી ચૂસાઈ જાય એટલા ઓછા પૈસામાં કાળી મજૂરી કરાવનાર ડેરીના ઇન્ડિયન માલિક સાથે, અને શહેરની પોળમાં રહેતા પોતાના ગરીબ કુટુંબની ગમે તેવી વાતો, નિંદા અને તિરસ્કાર કરનારાં સગાંસંબંધીઓ અને પડોશીઓ સાથે થઈ ગઈ ….. ભારતમાં મને અને મારા આખા કુટુંબને હળહળતી ગરીબી અને ધૂત્કાર સિવાય આજ સુધી શું મળ્યું ! ભારતની ધરતીમાંથી મને એવી કઈ વસ્તુ મળી કે જેના આધારે ગૌરવથી ‘હું ભારતીય છું’ એવું અભિમાન લઈ શકું! ઇન્ડિયન સમાજ અને ઇન્ડિયન સંસ્કારને વળગી રહેવાથી પોતાને આજ સુધી શું મળ્યું છે એનું સરવૈયું એણે કાઢવા માંડ્યું. જેમ જેમ એ આ હિસાબ કરતી ગઈ તેમતેમ ગુસ્સાથી એનું મગજ તપતું ગયું. આખરે એણે નિર્ણય લીધો કે સમાજના ડરથી એ માઇકલની મમતાભરી વિનંતિને નહીં ઠુકરાવે.’ (‘કંકું ખર્યું’) આ મનોમંથન દ્વારા મંજરીના સંવેદનને જ નહીં એ સંવેદન સાથે જોડાયેલા એના અનુભવો અને એણે આધારે જ ઘડાયેલી એની વિચારપ્રક્રિયાનો આલેખ રજૂ થવા પામ્યો છે.
કવયિત્રી પન્ના નાયક પાસેથી જે ટૂંકી વાર્તાઓ મળી છે એમાંની મોટા ભાગની વાર્તાઓમાં સ્ત્રીપાત્રોનું સંવેદન સેક્સની આસપાસ ગૂંથાઈને વાર્તારૂપ ધરે છે. એમની વાર્તાઓની નાયિકાઓ ભારતીય મૂળની છે, અમેરિકા સ્થાયી થયા પછી આ નાયિકાઓએ સુખપ્રાપ્તિના માર્ગ પોતપોતાની મેળે શોધી લેવા મુક્ત વિચારવલણ ધરાવતી સંસ્કૃતિને સ્વીકારવાની સમર્થતા કેળવી લીધી છે. નિત્યક્રમ, ક્યુટિપ, નૉટ ગિલ્ટી, ફ્લેમિંગો, વગેરે પન્ના નાયકની વાર્તાઓ આ સંદર્ભે વિગતે તપાસી શકાય. ‘નિત્યક્રમ’ અને ‘ફ્લેમિંગો’ વાર્તાની નાયિકાઓ પરપુરુષ પ્રત્યે ગજબનું આકર્ષણ અનુભવે છે. એટલું જ નહીં એ મનગમતા પુરુષોને પ્રાપ્ત કરવાના સ્વપ્નો જુએ છે ને તે માટે જરૂરી આચરણ પણ કરે છે. ‘નિત્યક્રમ’ની નાયિકા પરપુરુષ સાથે પોતાના બેડરૂમમાં શરીરસુખમાં રાચે છે તે વખતે સ્હેજ પણ અપરાધભાવ અનુભવતી નથી ઉલટું એ દરમ્યાન પોતાના પતિનો ફોન આવે છે ત્યારે પતિ દ્વારા પૂછાયેલા સવાલનો જવાબ આપતા કહે છે, ’અત્યારે શું કરું છું? તું એટલું વ્હાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું.’ પતિ સાથેના સંબંધમાં પત્ની દ્વારા કરાતો દ્રોહ ‘નૉટ ગિલ્ટી’ વાર્તામાં પણ નોંધપાત્ર રીતે આલેખાયો છે. ભારતીય મૂળમાં સ્ત્રીઓને રૂઢિપ્રાપ્ત પતિવ્રતા હોવાનું જે મૂલ્યભાન વારસામાં મળ્યું છે તે અમેરિકન સમાજના પ્રભાવથી કઈ રીતે લુપ્ત થાય છે તે અહીં દર્શાવવામાં આવ્યું છે. આ નાયિકાઓ પોતાના પતિથી કે એની સાથે માંડેલા સંસારમાં દુઃખી છે એવું ક્યાં ય નિરૂપાયું નથી. માત્ર અને માત્ર પોતાની દેહવાંછિત આવશ્યકતા અને આનંદોપભોગ જ આ પ્રકારના લગ્નેતર સંબંધો પાછળનું પ્રયોજન હોય તેવું પણ વર્તાય છે.