કોઈકે કહ્યું છે કે જ્યાં જિજ્ઞાસા ત્યાં જ્ઞાન. બાળકોનાં મનમાં રમતી આ સ્વાભાવિક વૃત્તિ, સમય જતાં, બાળકોને પાઠશાળાનાં પગથિયાં ચડ-ઊતર કરતાં કરી દે છે.
મારા માટે જ્ઞાનપ્રાપ્તિનાં દ્વાર, ઘણું કરીને, 1932-33માં ખુલ્યાં હતાં, જ્યારે મને મદ્રસામાં બેસાડવામાં આવ્યો હતો. મદ્રસો અમારા ઘરથી પાંચ મિનિટના અંતરે હતો. એની ઈમારત ખાસી સંગીન હતી. નીચેના મજલામાં ભાડૂતો હતા, ઉપરને મજલે તાલીમી વર્ગોની વ્યવસ્થા હતી.
આ મદ્રસાના વડા ઉસ્તાદ હતા મુલ્લા અબ્દુર્રહીમ, જે સામાન્ય રીતે મોટા મિયાં સાહેબના ઉપનામે ઓળખાતા હતા. એ જ મારા ઉસ્તાદ. એકવડા બાંધાના, ઊંચા ને વાને ગંદુમી સાંવરા-શા એ ઉસ્તાદ આમ તો ખુશમિજાજ હતા, પણ ઢીલુંઢાલું – નબળું કામ તેમને ગમતું ન હતું. કહેતા ય ખરા, ‘સબક કડકડાટ યાદ હોવો જોઈએ, કડકડાટ પઢે તે શેઠાઈ કરે !’
એક કાબેલ ઉસ્તાદના બધા ગુણો તેમનામાં હતા. નિયમિતતા, પ્રમાણિકતા તથા ફરજપાલનમાં તેમનો જોટો ન હતો. તેઓ બહુ રસપૂર્વક અને ચીવટાઈથી કુરઆન પઢાવતા. એક – એક શબ્દનો ઉચ્ચાર ચોખ્ખો કરાવે અને રવાનીથી પઢવા ન લાગે ત્યાં સુધી વિદ્યાર્થીને ઊઠવા ન દે.
મારા ઉસ્તાદ, મોટા મિયાં સાહેબની કુરઆન પઢવાની ઢબ પણ અનોખી હતી. તેઓ એવા ચિત્તાકર્ષક અંદાઝથી તિલાવત કરતા કે આપણે સાંભળ્યા કરીએ ! બારડોલીની મોટી મસ્જિદની ઈમામત પણ તેમને હસ્તક હતી; અને તેમનાથી મસ્જિદ સુશોભિત હતી. ખાસ કરીને જુમ્આ(શુક્રવાર)નો તેમનો ખુત્બો તો લાજવાબ હતો !
શુક્રવારે ખુત્બાના સમયે, મિયાં સાહેબ કુરતો-પાયજામો ને અચકનમાં સજ્જ થઈ, શિરે ફેંટો સજી જમાતખાનામાં પધારે, મિમ્બર પર બિરાજે અને બાંગી સાહેબ, આભલે મઢેલો એક સોનેરી અસો (ડંડ) તેમના હાથમાં થમાવે, અઝાન પોકારે અને ત્યાર પછી મિયાં સાહેબ એક હાથમાં અસો ને બીજા હાથમાં કિતાબ લઈને ઊભા થાય ત્યારે એવું લાગતું, જાણે આકાશથી પુનિત પ્રભાવ ન ઊતરી રહ્યો હોય !
અને ‘અલ-હમ્દુિલલ્લાહ-અલ-હમ્દુ-લિલ્લાહ!’ના ઉચ્ચારણ સાથે ખુત્બો શરૂ થતો ત્યારે મસ્જિદ ગુંજ્યા કરતી ! ખુત્બાના શબ્દો એવા રણકતા કે મૃત હૃદયમાં પ્રાણ પડી જાય ! તેઓ કારી ન હતા, પણ તેમની પઠનશૈલી નિ:શંક હૃદયસ્પર્શી હતી ! અનેરી હતી !
મારા આ ઉસ્તાદમાં બીજી પણ ઘણી ખૂબીઓ હતી. તેઓ ખુશમિજાજ તો હતા જ, ભેગા સંસ્કારી, સત્યવાદી, વિનમ્ર અને ઉદાર પણ હતા. તેમની આ સારાઈઓ હતી કે મસ્જિદની આસપાસના હિંદુ દુકાનદારો તેમનો આદર કરતા. ઘણી બાબતોમાં તેમની સલાહ પણ લેતા. નાનાં બાળકોને ભૂતપ્રેતની ઝપટથી બચાવવા ખાતર દમ પણ કરાવતા.
અને હાજી આદમ, હાજી ઈસા વગેરે મેમણ શેઠો તથા સુરતથી આવી વસેલા કાગદી – પટણી વહોરા કુટુંબો તો જાણે મિયાં સાહેબના મુરીદ જ જોઈ લો ! ખૂબ માન આપતા, સેવા કરતા અને દુઆઓ લેતા.
મિયાં સાહેબ ખેડૂતોની ગાય – ભેંસો માટે કપાસિયા, ખોળ વગેરે પદાર્થો પણ મંત્રી આપતા. તાવીઝ પણ લખતા.
દુન્યવી ઝંઝટોથી વેગળા રહીને મસ્જિદ, મદ્રસાની જવાબદારી સચ્ચાઈપૂર્વક બજાવનારા અમારા ઉસ્તાદની સેવાને લોકો પોતાનું સદ્દભાગ્ય સમજતા હતા. મેં તથા મારા ભેરુઓએ પણ તેમની ઘણી સેવા કરી હતી. ઉસ્તાદને અળાયાની જરૂરત હોય તો હું મિત્રો ભેગો જઈ સીમ-પાદરથી તે વીણી લાવતો. કાઠી માટે ગાડું જોડીને વગડામાં જતો અને ઉસ્તાદના ઘરના વાડામાં કાઠીની થપ્પી સીંચી આપતો. બકરીઓને ચરાવવા લઈ જતો ને ઘરનાં પાણીયે ભરી આપતો.
અમારા આ ઉસ્તાદના સમયમાં મોટી મસ્જિદમાં ઘણી રોનક હતી. અવારનવાર બહારથી આવતા, આલિમોથી વઅઝના કાર્યક્રમો ગોઠવાતા, તો ક્યારેક કુલ, ક્યારેક ખત્મે કુરઆનની મજલિસો યોજાતી. અને આમ થતું ત્યારે મસ્જિદ ચિરાગોથી ઝળાંઝળાં થઈ રહેતી. આવા કાર્યક્રમો અમારા માટે અનેક રીતે લાભદાયક થતા. અમારા ધાર્મિક જ્ઞાનમાં વધારો થતો, સંબોધનની રીત સમજાતી, મહેફિલમાં બેસવાની તમીઝ આવડતી અને મજલિસના અંતે સારી સરખી શીરીની મળતી, લાડુ, જલેબી, વગેરે. એ સમયે અમે લોકો એ શીરીનીને શેરની કહેતા હતા. ત્યારે અમને કદાચ એ વહેંચનારાઓને પણ ખબર નહીં હોય કે શેરની શબ્દનો અર્થ વાઘણ થાય છે ! શીરીની એટલે મીઠાશ, મીઠાઈ અને શેરની એટલે વાઘણ !
મોટા મિયાં સાહેબ એક સિદ્ધાન્તવાદી આદમી હતા. કોઈની બિનજરૂરી પ્રશંસા કે ખોટો લાભ લેવાનું પસંદ કરતા ન હતા. એ જ પ્રમાણે અગર કોઈ વ્યક્તિ ક્યારેક કોઈક બાબતમાં સહાયભૂત થતી તો તેનો બદલો વાળી આપવાનું ચુકતા ન હતા. અમે તો તેમના વિદ્યાર્થી હતા અને તેમની સેવા કરવી એ અમારી ફરજ હતી. આમ છતાં ઉસ્તાદે અમને ઉમદા તાલીમ આપીને તથા અમારા ઉજ્જવળ ભાવિ માટે દુઆઓ કરીને અમારી સેવાનું જાણે સાટું વાળી આપ્યું હતું. તેઓ સાદા હતા, સાચા હતા, સેવાનિષ્ઠ હતા. દેખાડાને, મોટામખોરીને પસંદ કરતા ન હતા. કેવો સુંદર આદર્શ ! કેવી પ્રેરક જીવનચર્યા !
‘હક મગફેરત કરે, બડા આઝાદ મર્દ થા.’
11, Croston Terrace, Ayres Road, Old Trafford MANCHESTER M16 7FD [U.K.]
![]()


જોત જોતામાં હવે તેને ય અાશરે ત્રણેક દાયકાઅો થવામાં છે. ’ગુજરાતી સાહિત્ય અકાદમી’ની બીજી ભાષા-સાહિત્ય પરિષદની, લેસ્ટર ખાતે, વ્યવસ્થાના તે દિવસો હતા. ઝામ્બિયાથી અા મુલકે તેવાકમાં જ સ્થાયી થવા અાવેલા ચંદુભાઈ મટાણીના વડપણમાં, સ્થાનિક સ્તરે, સ્વાગત સમિતિની રચના કરવામાં અાવી હતી. લેસ્ટરના બેલગ્રેવ રોડ અને મેલ્ટન રોડના લગભગ ચોખંભે ત્યારે તેમની દુકાન હતી, તેવું સાંભરણ છે. તેમની દુકાને, તેમના ઘરે પણ, અા અંગેની નિયિમત બેઠકો થતી અને તે દરેકમાં ભાગ લેવા લંડનથી અાવરોજાવરો રહેતો. તેવા તેવા દિવસોથી જ જાણે કે એમનું વ્યક્તિત્વ સતત અાકર્ષતું રહ્યું છે; અને હવે તે સંબંધ વિસ્તરીને અંગત મૈત્રીમાં ય ફેરવાઈ ગયો છે. ‘પૂર્વાલાપ’ના કવિ મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, સખા બળવંતરાય કલ્યાણરાય ઠાકોરને ઉદ્દેશીને, ગાય છે તેમ, ચંદુભાઈને ય ઉદ્દેશવાનું, અાથીસ્તો, મન છે :
ત્યાં ચંદુભાઈની ક્ષિતિજ ધીમે ધીમે વિસ્તરતી ચાલી. મુફલીરા ગામે જમાવટ કરી. વેપારવણજનો જેમ પથારો જામ્યો તેમ તેમની ખુદની પાકટતા ય નીખરતી ચાલી. પોતાના અંતરમનમાં પડેલા સંસ્કારને કારણે, ફોટો કસબ પણ ખીલવ્યો. ગળું અને કંઠ પણ સોજ્જા. સંગીતમાં ઊંડો રસ. ખૂબ સાંભળે. સમજે. હિન્દી ફિલ્મજગતના ગાયક મૂકેશના ભારે ચાહક. પરિણામે, ચંદુભાઈ મજલિસ જમાવે અને મૂકેશે ગાયેલાં એકમેકથી ચડિયાતાં ગીતોની હૂબહૂ જમાવટ કરે. બીજી પા, સ્વામી કૃષ્ણાનંદ સરસ્વતીની આવનજાવન અને એમનો ઊંડો પાસ લાગ્યો; તેમ આપણા શિરમોર ગાયક પુરુષોત્તમ ઉપાધ્યાયના સંગીત પ્રવાસનો ય રંગ લાગ્યો. આ બધું સ્વાભાવિકપણે એમના પાયામાં ધરબાયું છે. સુગમ સંગીતને ક્ષેત્રે, જેમનાં એકમેકથી ચડિયાતાં કામોના ચોમેર આજે સિક્કા પડે છે, તેવા આ ચંદુભાઈ મટાણીની ભેરુબંધી, ગોવિંદભાઈ પટેલ સંગાથે સન ૧૯૫૫થી બંધાઈ. એક પેટી વગાડે, બીજા તબલા પર સંગત કરે અને છતાં, પાછા, બંને ગાય – ગીતો, રાસ, ભજનો, અને ઘણુંબધું. સંગીત સંગે, ઝામ્બિયામાં અને વિલાયતમાં, આ બેલડાએ એક વાતાવરણ ઊભું કર્યું, સમાજ ઊભો કર્યો. બીજી પાસ, વિલાયતમાં લેસ્ટરથી, ‘શ્રુતિ આર્ટ્સ’ની રચના વાટે ચંદુભાઈ મટાણીએ તો કમાલ કરી જાણી છે.
હાજીભાઈના પિતા હાસમભાઈ જેમલભાઈ દેદા અને તેમના બે ભાઈઓ અને બે બહેનો જૂનાગઢ જિલ્લામાં ગીર માધુપુરમાં માલધારી હતા. ગાય-ભેંસોના માલિક હતા. તેના પર જીવનનિર્વાહ ચાલતો હતો. હાસમભાઈ સ્વભાવે ઉગ્ર હતા. લીલીગીરમાં પશુપાલનના વ્યવસાયની અનુકૂળતાને લીધે તેઓ સારા પ્રમાણમાં દૂધાળાં ઢોર રાખીને માલઘાટનું જીવન સંતોષપૂર્વક વ્યતિત કરતા હતા. એ દરમ્યાન તેમના પરિવાર અને બીજા માલધારી વચ્ચે ઘર્ષણ થતાં સ્વમાનભેર જિંદગી જીવવા નવાબનું રાજ છોડી જામનગરમાં આવીને વસવાટ કર્યો.
ઈ.સ. ૧૯૫૬માં વુલનમિલમાં નોકરી મળી. આ ગાળા દરમ્યાન હાજીભાઈના સસરા અને સાળાનાં તલાલાગીરમાં મૃત્યુ થયાં, આથી હાજીભાઈએ ત્યાં જવું પડ્યું. હાજીભાઈના નાના ઈબ્રાહીમ સુલેમાન કે જેઓ હવાબહેનના દાદા થાય, તેમણે પોતાની તમામ માલ-મિલકત, પોતાની જમીન બધું જ હાજીભાઈ તથા હવાબહેનનાં નામ કરી આપ્યું. આથી તલાલાગીરમાં રહેવાની ફરજ પડી. ત્યાં ખેતી સંભાળવાનું શરૂ કર્યું, પરંતુ આ કામદારોના ઉત્થાન માટે કંઈક કરી છૂટવાની ભાવના માટે હાજીભાઈ જામનગર પરત આવ્યા. વુલનમિલની નોકરી ગુમાવી, પણ ઈ.સ. ૧૯૫૭માં બ્રુક બોન્ડ ઇન્ડિયામાં નોકરીમાં જોડાયા. ત્રણ મહિના બાદ કાયમી થયા. કામદાર યુનિયનની ચૂંટણી થતાં બ્રુક બોન્ડ કામદાર યુનિયનના વર્કિંગ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા. આથી તેઓ બ્રુક બોન્ડ કામદારના હિતો માટે ઘણી જ પ્રવૃત્તિઓ કરતા રહ્યા.