આરુષિ સંયુક્ત કુટુંબમાં રહેતી યુવાનીના ઉંબરે ડગ માંડતી કન્યા છે, જેણે હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. આરુષિની ઇચ્છા આગળ ઉચ્ચ અભ્યાસ કરી પાઈલટ બનવાની છે, પણ તેના દાદીને લાગે છે કે આરુષિ હવે પરણવા લાયક થઈ ગઈ છે તેથી સારો મુરતિયો જોઈ તેની સાથે લગ્ન કરી દેવા જોઈએ, જેથી તેમના દીકરાને જવાબદારીમાંથી છુટકારો મળે.
આરુષિની ગાઢ સખી મેઘા ખુલ્લા અને સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલ સુશિક્ષિત પરિવારની એકની એક દીકરી છે જે આરુષિના મનોભાવોને બહુ સારી રીતે સમજે છે, અને દરેક મૂંઝવણમાં આરુષિને મદદ કરે છે.
દૃશ્ય: ૧
[ઘરના એક રૂમની અંદર આરુષિ અને તેના દાદીમા વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે]
આરુષિ : “દાદી, મારે આગળ વધુ અભ્યાસ કરીને પાઈલોટ બનવું છે, અને એ માટે ગમે તેટલી મહેનત કરવી પડશે તો પણ હું પાછી નહિ પડું.”
દાદી: “પણ, દીકરી એ માટે તો તારે હજી ઘણાં વર્ષો સુધી ભણવું પડશે, અને તારે વળી કમાઈને ક્યાં ઘર ચલાવવાનું છે કે તું પાઈલોટ બનવાની વાત કરે છે! તારા લગ્ન થઈ જાય પછી ઘર ચલાવવાની જવાબદારી તો તારા થનાર ઘરવાળાની રહેશે, તું શા માટે એ બધો ભાર તારા માથે લે છે?”
આરુષિ: “પણ દાદી…..!!!”
દાદી: “પણ અને બણ, એક વાર કહ્યું ને કે તારે હવે આગળ નથી ભણવાનું એટલે નથી ભણવાનું! વડીલ કંઈ કહેતા હોય તો તમારા ભલા માટે કહેતા હોય એટલી સમજ તો તને હવે પડવી જોઈએ.”
[આ ચર્ચા ચાલતી હોય છે એ દરમિયાન આરુષિની સખી મેઘા અંદર પ્રવેશે છે]
મેઘા: “બા, તમને કોઈ વાંધો ના હોય તો હું આમાં કંઈક કહું?”
દાદી: “હા, મને ખબર છે, તું તો આરુષિનો જ પક્ષ લઈશ, ના જોઈ હોય તો મોટી સલાહ આપવાવાળી, બોલ શું કહેવું છે તારે?”
મેઘા: “બા, જુઓ .., સમય હવે બદલાઈ ગયો છે, ઘર ચલાવવા માટે હવે પુરુષની સાથે સાથે સ્ત્રીએ કમાવું પણ એટલું જ જરૂરી છે.”
દાદી: “સ્ત્રી કમાવા જશે તો પછી ઘરનાં કામ કોણ કરશે?, પુરુષ થોડો કંઈ ઘરના કામ કરશે!”
મેઘા: “કેમ નહિ કરે, બા! જો સ્ત્રી બહારના બધાં કામો કરી શકતી હોય તો પુરુષ ઘરનાં કામ કેમ ના કરી શકે?? ઘર ચલાવવાની જવાબદારી એકલી સ્ત્રીની ઓછી છે, જો ઘર વસાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડતી હોય તો ઘર ચલાવવા અને ઘરનાં કામો કરવા માટે પણ બંને એકસરખાં જવાબદાર ગણાય.”
દાદી: “આરુષિના દાદાએ પણ મને ક્યારે ય ઘરની બહાર જવા દીધી નથી. મારે તો બસ એયને ઘરનાં નાનાં-મોટાં કામો કરવાના ને મોજમજા કરવાની.”
મેઘા: “બા, સાચું કહેજો, શું તમને પણ અંદરથી ક્યારે ય એવું થયું નહોતું કે હું પણ ઘરની બહાર નીકળું અને કંઈ કામકાજ કરી ઘરમાં આર્થિક ટેકો કરું?”
દાદી: “મેઘા, બેટા એવો વિચાર તો આવ્યો હતો, પણ પછી થયું કે જો હું કમાવા જઈશ તો ઘરનાં કામો કોણ કરશે, મારું ઘર રઝળી પડશે, એમ વિચારી મેં મારું મન વાળી લીધું. પણ મેઘા, તે મારા મનની વાત તે કેવી રીતે જાણી લીધી?”
મેઘા: “બા, આ વાત તમારાં એકલાની નથી, આ વાત દરેક સ્ત્રીની છે. ચાર દીવાલોની વચ્ચે કેદ દરેક સ્ત્રીને આ વાત લાગુ પડે છે. વાસ્તવમાં, આપણી સમાજ વ્યવસ્થા જ કંઈક એવી છે જેમાં સ્ત્રીને ખૂલીને પોતાના મનની વાત રજૂ કરવાની મોકળાશ નથી. ઘર હોય કે કુટુંબ, સમાજ હોય કે ગામ, સ્ત્રીના મનની અંદર શું ચાલી રહ્યું છે એ સાંભળવાની કોઈ કહેતા કોઈને દરકાર જ નથી. બા, શું તમે પણ એવું ઇચ્છો છો કે તમારા ઘરમાં એક દીકરીનાં અરમાનો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓરૂપી પાંખોને ઉડવા માટે આકાશ મળે એ પહેલા જ તેની એ પાંખોને સંકુચિત વિચારશૈલીના દોરથી બાંધી ઘરની ચાર દીવાલોની અંદર તેને કેદ કરી દેવામાં આવે!”
દાદી: “ના બેટા, જરા ય નહીં. તારી વાત પરથી મને એમ લાગે છે કે મારી આરુષિ પણ હવે પોતાની ઇચ્છા મુજબ જેટલું ભણવું હશે એટલું ભણશે અને પોતાની મરજી મુજબ નોકરી કે વ્યવસાય કરશે. મારી જેમ એની ઇચ્છા, આકાંક્ષાઓ અને અરમાનોને હું હવે નહિ ગુંગળાવા કે મરવા નહિ દઉં. જરૂર પડશે તો હું એની પડખે ઊભી રહીશ.”
દાદી: “મને લાગે છે કે સ્ત્રીની અંદરની લાગણીઓને એક સ્ત્રી સિવાય બીજું કોઈ ના સમજી શકે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને મદદ કરશે તો પણ સ્ત્રીઓને થતા ઘણા અન્યાયો અને સ્ત્રી પ્રત્યેના અવિચારી પૂર્વાગ્રહો ઓછા કરી શકાશે. સ્ત્રીને પુરુષના સહકારની જેટલી જરૂર છે એથી વધુ જરૂર સ્ત્રીને સ્ત્રી તરફથી મળતા સહકારની પણ છે.”
[દાદીના મુખેથી આવા ચમત્કારિક શબ્દો સાંભળી એક આછા સ્મિત સાથે આરુષિની આંખના ખૂણા ભીના થયા].
મેઘા: “બા, મને લાગે છે કે આરૂષિનાં સપનાં હવે ઊંચી ઉડાન ભરશે.”
[ચહેરા પર આછેરા સ્મિતની રેખાઓ સાથે આરુષિ, મેઘા અને દાદી ત્રણેયની નજરો આકાશ તરફ લંબાય છે].
Email: h79.hitesh@gmail.com
![]()


છેલ્લા દાયકામાં દલિત વિમર્શ અંગે ઘણી મહત્ત્વપૂર્ણ કૃતિઓ જોવા મળી છે, જેમ કે અજય નાવરિયાની Unclaimed Terrain (2013), યશિકા દત્તની Coming Out as Dalit (2019), શાહુ પટોલેની Dalit Kitchens of Marathwada (2024), યોગેશ મૈત્રેયની Water in A Broken Pot: A Memoir (2023) અને સુજાતા ગિડલાની Ants Among Elephants (2017)નો સમાવેશ થાય છે. આ પુસ્તકો દલિત સાહિત્યમાં જાતિગત હિંસાથી પર છે, જેમાં શહેરી એકલતા, પોતાની ઓળખની શોધ અને આધુનિક વૈશ્વિક સંદર્ભો સુધીનો વિસ્તાર જોવા મળે છે. વિહાગ વૈભવ, પરાગ પવન અને સુનિતા મંજુ જેવાં નવાં લેખકો હવે લેખનમાં ફક્ત દમનનું વર્ણન કરી રહ્યા નથી, પરંતુ સાંસ્કૃતિક સત્તા, મૂડીવાદી વિકૃતિ અને સાહિત્યિક ઓળખના રાજકારણ પર પણ સવાલ ઉઠાવી રહ્યાં છે. જેમ જેમ દલિત સાહિત્યનો વિકાસ થઈ રહ્યો છે, તેમ તેમ આજના લેખકો નવા પડકારોનો સામનો કરી રહ્યા છે, તેઓ દલિત સાહિત્યમાં આત્મકથાત્મક (Autobiographical) લેખનથી આગળ વધી રહ્યા છે. તેઓ આ સાહિત્યિક પરંપરાના બદલાતા જુસ્સા, સંઘર્ષ અને ભવિષ્ય પર વિવિધ દૃષ્ટિકોણ રજૂ કરે છે. વિહાગ વૈભવ જણાવે છે કે લાંબા સમયથી આત્મકથા દલિત સાહિત્યનો મુખ્ય પ્રકાર રહ્યો છે, જે જીવનની કઠોરતા અને તીવ્રતાને વ્યક્ત કરવાનું એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. આજનો સૌથી મોટો પડકાર આત્મકથાત્મક લેખનથી આગળ વધીને અન્ય સાહિત્યિક શૈલીઓને સ્વીકારવાનો છે. પરંતુ આ પરિવર્તન ફક્ત ત્યારે જ શક્ય છે, જો આપણે ઊંડાણપૂર્વક આત્મનિરીક્ષણ કરીએ અને આપણા દૃષ્ટિકોણ પર પુન:વિચાર કરીએ. તેઓ સાહિત્યમાં ઊંડાણ અને કલાત્મક વિવિધતા માટેની હિમાયત કરે છે. તેઓ કહે છે કે મૂડીવાદે આ ક્ષેત્રને પણ બદલી નાખ્યું છે.
લેખિકા અનિતા ભારતી માને છે કે આજે દલિત સાહિત્ય ઘણી મજબૂત સ્થિતિમાં છે. તેઓના મત મુજબ દલિત સાહિત્યનું સર્જન ફક્ત હિન્દીમાં જ નહીં પરંતુ ઘણી અન્ય ભાષાઓમાં પણ ઝડપથી થઈ રહ્યું છે. ફક્ત કવિતાઓ અને વાર્તાઓ જ નહીં, પરંતુ ડૉ. બાબા સાહેબ આંબેડકરનાં લખાણો, દલિત ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય વિષયો પર પણ મોટી સંખ્યામાં લેખન કાર્ય થઈ રહ્યું છે. અન્ય એક યુવા લેખકનું માનવું છે કે આજે પણ સાહિત્ય જગતમાં પ્રભાવશાળી વ્યક્તિઓનું વર્ચસ્વ છે અને દલિત સહિત હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયનો અવાજ આજે પણ પોતાની ઓળખ અને સ્વીકૃતિ માટે લાંબો સંઘર્ષ કરી રહ્યો છે. દલિત લેખિકા સુનિતા મંજુ જણાવે છે કે, “શરૂઆતમાં દલિત સાહિત્યને માન્યતા માટેનો સંઘર્ષ કરવો પડ્યો કારણ કે તે પારંપરિક સાહિત્યિક માપદંડો પર ખરું ઉતરતું નહોતું. પરંતુ, સમય જતાં હવે તેને સ્થાન અને સ્વીકૃતિ મળી છે.” જ્યારે બીજી બાજુ કોલકાતાની લેખિકા જણાવે છે કે “અમે તેઓની સાહિત્યિક પરંપરામાં સામેલ થવા માટે લખી રહ્યા નથી. અમે અમારી પોતાની પરંપરા બનાવવા માટે લખી રહ્યા છીએ.”
દલિત સાહિત્યના પ્રકાશન બાબતે રાજકમલ પ્રકાશન તરફથી એવો દાવો કરવામાં આવે છે કે “રાજકમલ પ્રકાશન સમૂહે દયા પવાર, દલપત ચૌહાણ, પી.ઈ. સોનકાંબલે, રામ નાગરકર, નરેન્દ્ર જાધવ જેવા લેખકોના હિન્દી પુસ્તકો સૌપ્રથમ પ્રકાશિત કર્યા હતા. છેલ્લા એક દાયકામાં અમારા પ્રકાશનના 23 સૌથી વધુ વેચાયેલા પુસ્તકોમાંથી 6 દલિત-આંબેડકરવાદી સાહિત્ય પરના પુસ્તકો છે.” પરંતુ, આ બાબતે લેખિકા અનિતા ભારતી કહે છે કે, “પ્રકાશકો સામાન્ય રીતે ‘રોમાંચક’ અથવા ‘સનસનાટી’વાળી રચના પસંદ કરે છે, અને તેઓ જટિલ અથવા પ્રયોગાત્મક દલિત સાહિત્યમાં રોકાણ કરવા નથી ઇચ્છતા.” એક નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે કે જેમાં ફક્ત અગાઉથી સ્થાપિત અને જાણીતા નામને જ તક મળે છે. જેથી નવા અથવા ઉભરતા દલિત લેખકો માટે મુખ્ય પ્રકાશકો સાથે જોડાવવાનું ઘણું મુશ્કેલ બની જાય છે. જેના પરિણામે ઘણાં દલિત લેખકોને તેમનાં પુસ્તકો જાતે જ પ્રકાશિત કરવાની અથવા નાના અને સ્વતંત્ર પ્રકાશકો પર આધાર રાખવાની ફરજ પડે છે કે જેમની પાસે મર્યાદિત સંસાધનો અને વિતરણ નેટવર્ક હોય છે. જેથી લેખનની પહોંચ પણ ઘણી મર્યાદિત થઈ જાય છે. દલિત દસ્તક અને દાસ પબ્લિકેશન્સના સ્થાપક સંપાદક કહે છે કે, “દલિત સાહિત્યને મર્યાદિત વિષય તરીકે જોવામાં આવે છે. દલિત સાહિત્યની નબળી વિતરણ વ્યવસ્થા અને જાણીતાં પુસ્તકોની દુકાનોમાં સ્થાન મેળવવામાં મુશ્કેલી જેવા પડકારોનો સામનો કરવો પડે છે. યોગ્ય મીડિયા કવરેજનો અભાવ હોય જેમાં વ્યાવસાયિક અને સામાજિક કારણો પણ જવાબદાર છે. આ તમામ કારણોસર બજારમાં દલિત સાહિત્ય મર્યાદિત પ્રમાણમાં જોવા મળે છે.” જો આપણે સામાજિક ન્યાયના વિચારમાં વિશ્વાસ રાખીએ છીએ અને દલિત લેખનને માત્ર વાંચવા નહીં પરંતુ, તેને સમજવા તેમ જ અનુભવવા માગીએ છીએ તો આ પ્રકારની ગંભીરતાથી આગામી સમયમાં દલિત સાહિત્ય ઘણું વિસ્તૃત થશે.
સર્જક પ્રસ્તાવનામાં ‘આવરણ’નો અર્થ નોંધે છે – ‘વિસ્મરણથી સત્યને ઢાંકી દેનારી માયાને આવરણ કહે છે.’ કયું સત્ય, શાનું વિસ્મરણ, કયું આવરણ તેમને અભિપ્રેત છે? જાણીતા ઇતિહાસકાર એન.એસ. રાજારામ કહે છે, ‘“આવરણ” વાંચતી વખતે ડેન બ્રાઉનની “દા વિંચી કૉડ” યાદ આવી ગઈ. સ્વાર્થી અને પ્રભાવી શક્તિઓ દ્વારા સાચા ઇતિહાસને દબાવી દઈ ખોટા ઇતિહાસનો પ્રચાર એ આ બન્નેનું સમાન સૂત્ર છે. એ નવલકથામાં કેથલિક ચર્ચ અને તેના કુટિલ કારસ્તાનોમાં સહભાગી ઓપસ ડે જેવી સંસ્થાઓ ખલનાયક છે, અહીં રાજકીય સ્વાર્થ અને વ્યક્તિગત હિતના કારણે ઉપલબ્ધ રેકૉર્ડ્સ દબાવી રાખનારા કહેવાતા ઇતિહાસકારો અને બુદ્ધિજીવીઓ ખલનાયક છે.’