કવિતાનું એવું છે કે એ
કોઈ પણ કરી શકે
ગલીનું ગલૂડિયું હોય કે
ગામનો ગમાર
કોઈ પણ ચાલે
એમાં કરવાનું કૈં નથી
કણક બાંધવાનું અઘરું છે
પણ કણસવાનું સહેલું છે
હાલીમવાલી થવાનું મુશ્કેલ છે
પણ કવિ તો ચપટી વગાડતાંમાં થઈ શકાય
દાક્તર થવું હોય તો ભણવું પડે
પણ
કવિતા તો અભણ પણ કરી શકે
ખાવાથી તો કદાચ પેટમાં દુખે
પણ કોઈને કવિતાની કબજિયાત
થયાનું સાંભળ્યું છે?
ફ્લશ કરો કે બધું સાફ
કોઈ ધંધો કરવો હોય
તો રોકાણ કરવું પડે
પણ કવિતામાં તો
થોડા પ્રાસ રોકો કે નફો જ નફો
હાટ લખો તો આખું
બજાર જ આવકમાં …
ઘાટ લખો કે
ઘાત જ જાય
ધારો કે પ્રાસ નથી ફાવતા
તો વાક્ય તોડવામાં તો
કૈં ધાડ મારવાની નથીને!
આખો પેરેગ્રાફ વેરવિખેર કરી નાખો
કે કવિતા તૈયાર!
પણ આ બધામાં થોડા મિત્રો હોય
જે
ખભો ન હોય તો ય થાબડયા કરે
ને જરા તાળીઓથી
ઊંચકી આપે કે બેડો પાર
આપણે એમને ખભે
ને કવિતા આપણે ખભે …
રામ બોલો …
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
![]()


એ વાત બહુ જાણીતી છે કે મહાત્મા ગાંધીના કદાવર પડછાયામાં કસ્તૂરબા ગાંધી કાયમ માટે ઢંકાઈ ગયાં. એ કોણ હતાં અને તેમના વિચારો કેવા હતા, તેનો થોડો ઘણો પરિચય આપણને ગાંધીજી મારફતે મળે છે, પણ સ્વતંત્ર રીતે તેમના વિશે સામગ્રી બહુ ઓછી છે. જેનો પ્રભાવ પૂરી દુનિયાના સમાજ અને રાજકીય જીવન પર પડ્યો હોય, તેવા મહાત્મા બીજા બધાને ઢાંકી દે તે આમ તો સ્વાભાવિક જ છે, પરંતુ મહાત્મા પર એટલું બધું લખાયું છે કે 'મહાત્મામાં નવું શું છે'ની જિજ્ઞાસા કરતાં લેખકો-પત્રકારોને હવે 'કસ્તૂરબા શું કહે છે'માં રસ પડવા માંડ્યો છે.
મારા એ ડરને મેં જાણકારો આગળ હસતાં હસતાં રજૂ કર્યો. તો એમણે કહ્યું કે મોટા ભાગની રસી એ જ જર્મ્સમાંથી બનાવાય છે જેને કારણે એ રોગ થતો હોય છે. એ જોતાં, તમારો ડર સાચો છે પણ કોરોના-૧૯ની રસી જરાક જુદી છે, એ mRNA પ્રકારની છે. એમાં, કોવિડ-૧૯ માટે જવાબદાર વાયરસમાંથી મેળવેલું એક મટીરિયલ હોય છે. પણ એ મટીરિયલ આપણા સેલ્સને શિખવાડે છે કે બિનહાનિકારક અને વાયરસને મ્હાત્ કરે એવું અનોખું પ્રોટિન કેવી રીતે બનાવાય. મતલબ, તમારે ડરવાનું ખાસ કારણ નથી. રસી લીધા પછી ઍન્ટિબૉડીઝ બની જશે, તમને ઇમ્મ્યુનિટી મળી જશે ને રોગથી તમે સુરક્ષિત થઈ જશો – મજા કરો.