ઃ આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કાઁગ્રેસ ક્યાં ય જીતી નહીં …
ભા.જ.પ.ના ટીકાકારો કાઁગ્રેસી કે ‘આપ’વાળા જ હોય, એવું સમીકરણ તમને બહુ ફાવે એવું છે. તમને ય અંદરથી ખબર છે કે એ બધે લાગુ પડતું નથી. પણ તમે ય શું કરો? તમારે તો વફાદારીપૂર્વક લાઇન ચલાવવી પડે ને.
ઃ હકીકતમાં, કાઁગ્રેસ સહિતના કોઈ પણ પક્ષની જીતથી ખુશી થાય એવો પ્રશ્ન જ નથી. દેશને સડસડાટ નીચે લઈ જતી ભા.જ.પી. નેતાગીરી જીતી તેનું દુઃખ છે. એને તો હવે જાણે દેશને વધારે નીચે લઈ જવાનો પરવાનો મળી ગયો હોય એવું લાગશે.
ઃ અને સમાજવાદી પાર્ટી જીતી હોત તો દેશ ઊંચો ચડત?
ઃ ના, વધુ નીચો ઉતરતો અટકત અને ભા.જ.પી. નેતાગીરીની બિનધાસ્ત બેશરમી પર થોડો અંકુશ આવત. હાથરસ-લખમીપુર જેવાં ઠેકાણે પણ જીતી ગયા પછી બાકી શું રહ્યું?
ઃ તમને ભા.જ.પ. અને મોદી સામે આટલો બધો વાંધો કેમ છે?
ઃ તેમની કાર્યપદ્ધતિ, બિનલોકશાહી વલણ, વહીવટી આવડતના નામે લોચાલાપશી અને સત્તાના સંપૂર્ણપણે કેન્દ્રીકરણને કારણે. પણ એ તમને અત્યાર સુધી ન સમજાયું હોય તો હવે સમજાવું મુશ્કેલ છે. કોરોનામાં બધા પ્રકારની અગવડો વેઠ્યા પછી પણ લોકોને એ ન સમજાતું હોય, તો હવે ક્યારે સમજાશે?
ઃ તો શું ભા.જ.પ.ને મત આપનારા બધા મૂરખ છે?
ઃ ના, મૂરખ શબ્દ યોગ્ય નથી. ભા.જ.પ.ને મત આપનારામાંથી ઘણા એવા હશે, જેમને ધર્મના નામે અને/અથવા મુસ્લિમો પ્રત્યે ધિક્કારના નામે ઊઠાં ભણાવી શકાય – તેમનામાં રહેલા નકારાત્મક ભાવોને સુદૃઢ કરીને તેને પક્ષના ફાયદા માટે વાળી શકાય. ભા.જ.પી. નેતાગીરીને એ કામ બરાબર ફાવે છે અને એ કામ માટે તેમની પાસે અઢળક સંસાધનો, સંગઠન, શક્તિ તથા વૃત્તિ છે.
ઃ … અને વિપક્ષોની ભૂમિકા?
ઃ બેશક, વિપક્ષો તો જવાબદાર ખરા જ. કેમ કે, હજુ તે પોતપોતાના વ્યક્તિકેન્દ્રી વર્તુળમાંથી બહાર આવી શકતા નથી. મારા જેવા ઘણા લોકોને ખેદ અને ચિંતા એ વાતનાં છે કે ભા.જ.પ. સરકાર થકી સમાજ અને દેશને લાંબા ગાળાનું નુકસાન થઈ ચૂક્યું છે – હજુ થઈ રહ્યું છે. પણ વિપક્ષોને તેમની સત્તા અને કારકિર્દી સિવાય બીજી કશી ચિંતા નથી. સમાજ અને દેશ માટે ઊભાં થયેલા જોખમોની ગંભીરતા વિપક્ષોને અડતી નથી. એટલે તે અહમ્ મૂકીને ભા.જ.પ. સામે એક થઈ શકતા નથી.
ઃ પણ ઘણા વિશ્લેષકો કહે છે કે ભા.જ.પ.ને ધિક્કારના રાજકારણનો નહીં, તળિયાના સ્તરે કરેલી કામગીરીનો બદલો મળ્યો છે.
ઃ આવાં કારણો જીત પછી શોધવાનું વધારે સહેલું પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં અને યોગીરાજમાં દેખીતા ધિક્કાર, ભય તથા કુશાસનના વાતાવરણને ઠંડા કલેજે નજરઅંદાજ કરીને, ‘તળિયાના સ્તરે કરેલી કામગીરી’ના વખાણ કરવા જેટલી 'સ્થિતિસ્થાપકતા’ મારામાં નથી અને તેનો આનંદ છે.
ઃ તો તમે હવે શું કરશો?
એ જ, જે ૨૦૦૨થી કરતો આવ્યો છું. સાચું લાગે તે લખવાનું, તક મળ્યે તેના વિશે વાત કરવાની અને સ્વસ્થતાની સાથોસાથ જુસ્સો ટકાવી રાખતા જીવનના બીજા આનંદો માણવાનું ચાલુ રાખવાનું.
ઃ ટૂંકમાં, તમે નહીં સુધરો, એમ ને?
ઃ સુધરવું એ તો બહુ મહત્ત્વનું કામ છે. મારા જેવા સામાન્ય નાગરિકને બદલે દેશના વડા પ્રધાન એ બાબતમાં પહેલ કરે તો દેશને બહુ ફાયદો થાય.
Email : uakothari@gmail.com
(લેખકના બ્લોગ urvishkothari-gujarati.blogspot.comમાંથી સાભાર, તા. ૧૦-૦૩-૨૦૨૨)
સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2022; પૃ. 01-02
![]()


એક હતું પ્રજાબંધુ. પ્રજાના અવાજને એકનિષ્ઠાથી રજૂ કરતું અમદાવાદનું સાપ્તાહિક. છઠ્ઠી માર્ચ, ૧૮૯૮એ એનો જન્મ થયેલો. એ જીવ્યું ત્યાં સુધી પારકી જણીના છઠ્ઠીના જાગતલ જેવી એની ભૂમિકા રહી હતી. એની સ્મરણયાત્રા આજે સવાસોમા મુકામે પણ એટલી જ રોચક છે.
‘ઇંડિયન એક્સપ્રેસ’ના જાણીતાં પત્રકાર લીના મિશ્રાએ મોટી પાનેલીની મુલાકાત લઈને મહમ્મદ અલી ઝીણાને યાદ કર્યા છે. પોરબંદરથી લગભગ 95 કિલોમીટર દૂર ઉપલેટા તાલુકામાં આવેલ મોટી પાનેલીના આઝાદ ચોકની નજીક, એક સાંકડી ગલીમાં, ઉભેલું ઝીણાબાપાનું 108 વર્ષ જૂનું બે મજલી ઘર હજુ આજે પણ અડીખમ ઊભું છે. જો કે એમાં થોડુંક સમારકામ – રિનોવેશન થયું હોય એવું લાગે છે. કાઠિયાવાડમાં ત્યારે અટક બહુ ઓછી બોલાતી. ઝીણાભાઇ પૂંજાભાઈને લોકો માત્ર ઝીણા પૂંજા (એક વ્યાપારી પેઢી) તરીકે જ ઓળખતા. હા, ઝીણાભાઇ આપણાં કાયદે આઝમ મહમ્મદઅલી જીનાહના પિતાજી હતા. લોહાણા (ઠક્કર) હતા. વેપારના વિકાસ અર્થે ત્યારે કાઠિયાવાડના અનેક વેપારીઓ માતૃભૂમિ છોડીને મુંબઈ અને કરાચી જઈને વસેલા. ઝીણા બાપા એમાના એક હતા, જેઓ પણ ધંધાના વિકાસાર્થે કરાંચી પહોંચેલા.
મહમ્મદ અલીના દાદા, અને ઝીણા બાપાના પિતાજી, પૂંજા ભાઈ ઠક્કર વિષે એક વાયકા એ પણ છે કે એમણે અન્ય ચીજ વસ્તુઓના વેપાર સાથે મચ્છી વેચવાની પણ શરૂઆત કરેલી. ચુસ્ત વૈષ્ણવ સમાજનો દીકરો મત્સ્ય ઉદ્યોગમાં ઝુકાવે, એ વાત જાણીને સમગ્ર લોહાણા સમાજે એનો પ્રતિરોધ કર્યો. છેવટે સમાજના ત્રાસથી કંટાળીને પૂંજાભાઇએ ઇસ્લામ(ઇસ્લામ ધર્મના એક પેટા પંથ ખોજા)નો અંગીકાર કર્યો. આગાખાન સાહેબના અનુયાયીઓ મોટે ભાગે હિન્દુ નામો રાખતા હોય છે.