એમ લાગે છે કે આપણે સૌ વૈશ્વિક અરાજકતાના સમયમાં જીવી રહ્યા છીએ. ભારતમાં જ બધું ખાડે ગયું છે, એવું નથી. આખું વિશ્વ ખાડે ગયું હોય એવી સ્થિતિ છે. કોઈ દેશને યુદ્ધ પરવડવું ન જોઈએ, પણ દરેક સમૃદ્ધ દેશ અણુ યુદ્ધનો ભય બતાવીને એક્બીજાને ડરાવી-ધમકાવી રહ્યા છે. એમાં કોઈ નાનકડું છમકલું પણ કરે તો મોટું જોખમ ઊભું થાય એ ભૂલવા જેવું નથી. એક તરફ ભારતમાં બુરખો પહેરવાનો આગ્રહ છે, તો ઇરાનમાં બુરખો ફગાવવા મહિનાથી સ્ત્રીઓ મેદાને પડી છે ને સ્થિતિ વધુ વણસે એવો ભય છે. એ પણ છે કે જેમ જેમ મોકળાશ સ્ત્રીઓ માટે વધતી આવી છે, તેમ તેમ સ્ત્રીઓ તેનો લાભ ઉઠાવતી થઈ છે ને તેની સમાંતરે તેનો લાભ ઉઠાવવાની ટકાવારી પણ વધતી આવે છે. સ્ત્રી મરજી મુજબ જીવનસાથી પસંદ કરી શકે છે, લગ્ન વગર કે લગ્ન કરીને તે ગમતી વ્યક્તિ સાથે રહી શકે છે કે મોટી મોટી કંપનીઓનું સંચાલન પણ તે સફળતાપૂર્વક કરે જ છે, તેને ન ફાવે તો પતિ સાથે છૂટાછેડા લઈ શકે છે કે ફરી લગ્ન કરી શકે છે કે લિવ ઈનમાં પાર્ટનર સાથે બ્રેક અપ કરી શકે છે, પણ બધી સ્ત્રીઓને એવી મોકળાશ મળે જ એવું નથી પણ બનતું ને મોકળાશ મળે તે દરેક મહિલાને માફક આવે જ એનું પણ કશું નક્કી નથી. વક્રતા એ છે કે શિક્ષણ વધ્યું છે, તેમ તેમ શોષણ પણ વધ્યું છે.
લેટ નાઈટ પાર્ટીઓમાં મોડર્ન દેખાવાના ભ્રમમાં તે છેતરાય પણ છે. મોડર્ન હોવાના દેખાડામાં તે નશો કરતી થઈ છે તો તેનો લાભ એવી રીતે પણ ઉઠાવાય છે કે કયો અજાણ્યો પુરુષ તેને ભોગવી ગયો તેની નશામાં હોવાને કારણે તેને ખબર પણ પડતી નથી. એવી સ્થિતિમાં ગર્ભ નિરોધકો વાપરવાનું તો યાદ પણ ક્યાંથી આવે? પરિણામે ગર્ભ રહેવાનું જોખમ વધે ને તે અનિચ્છનીય જ મોટે ભાગે હોય. એ તો ઠીક પણ બળાત્કારના કિસ્સામાં તો કોઈ સ્ત્રી ગર્ભ તો ઈચ્છે જ શું કામ? તેમાં જો સ્ત્રી અપરિણીત હોય તો તે અપવાદરૂપે પણ ગર્ભ કે માતૃત્વ ન જ ઈચ્છે. તે તો એનાથી છુટકારો મેળવવા જ માંગે, પણ એની કાયદો તેને અનુમતિ ન આપે એવું એક તબક્કે હતું. એવામાં કેમ ટકવું એની ભારે મુશ્કેલી તે અનુભવતી હતી. એ રીતે જીવવાનું મુશ્કેલ બનતાં ઘણી સ્ત્રીઓની હાલત કફોડી થઈ જતી હતી ને તકલીફ અસહ્ય થતાં તે બાળકથી છૂટવા કરતાં જિંદગીથી છૂટી જવાનો માર્ગ નાછૂટકે સ્વીકારી લેતી હતી.
એવી સ્ત્રીઓને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપતો સાહસિક નિર્ણય 30મી સપ્ટેમ્બર, 2022ને રોજ લીધો છે. સાહસિક નિર્ણય એટલા માટે કારણ, અમેરિકામાં ગર્ભપાતનો નિર્ણય ઉલટાવાયો છે, જ્યારે ભારતમાં ગર્ભપાતનો કાયદો ઘણી સ્ત્રીઓને રાહત આપનારો બની રહે એવા ફેરફારો 1971ના કાયદામાં આવ્યા છે. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ (એમ.ટી.પી.) 1971, 20 અઠવાડિયાના ગર્ભથી છુટકારો અપરિણીત સ્ત્રીઓને આપે છે, પણ એમાં 2021માં એવો સુધારો આવ્યો કે તબીબી દેખરેખમાં, કેટલાક ખાસ સંજોગોમાં 24 અઠવાડિયાના ગર્ભથી પણ મુક્તિ મેળવી શકાય છે. અગાઉ 24થી વધુ અઠવાડિયાના ગર્ભથી મુક્તિ મેળવી શકાતી ન હતી, પણ નવા કાયદા હેઠળ મેડિકલ બોર્ડની મંજૂરીથી હવે તે પણ શક્ય છે. ટૂંકમાં, એમ.ટી.પી. એક્ટ હેઠળ કોઈ પણ મહિલાને હવે ગર્ભપાતનો અધિકાર મળ્યો છે.
બન્યું એવું કે 25 વર્ષની એક મહિલાને તેનાં સાથીએ લગ્નની ના પાડી દીધી ત્યારે તે ગર્ભવતી હતી. આમ તો તે બાળકને ઇચ્છતી ન હતી એટલે દિલ્હી હાઇકોર્ટ પાસે તેણે ગર્ભપાતની અનુમતિ માંગી, પણ હાઇકોર્ટે મહિલાને ગર્ભપાતની મંજૂરી ન આપી. તે એટલા માટે કે મહિલા અપરિણીત હતી. મહિલાને હાઇકોર્ટનો ચુકાદો માન્ય ન હતો એટલે તેણે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો. સુપ્રીમમાં હાઇકોર્ટનો નિર્ણય બદલાયો અને અપરિણીત મહિલાને પણ ગર્ભપાતનો અધિકાર એટલે આપ્યો કે જ્યાં સુધી શરીરની ગર્ભાવસ્થાનો સવાલ છે, ત્યાં સુધી અપરિણીત અને પરિણીત હોવા માત્રથી પરિસ્થિતિમાં કે આરોગ્યની બાબતમાં ઝાઝો તફાવત હોતો નથી.
કેટલીક વિશેષ કેટેગરીમાં એમ.ટી.પી. એક્ટ હેઠળ 24 અઠવાડિયાના ગર્ભ સુધી પરિણીત મહિલાને ગર્ભપાતની મંજૂરી હતી, જ્યારે અપરિણીત મહિલાના કિસ્સામાં એ મુદ્દત 20 અઠવાડિયાની હતી. આ ભેદમાં પણ કોઈ તર્ક ન હતો. અપરિણીત મહિલા માટે ચાર અઠવાડિયાં ઓછાં રાખવાથી, કેટલાક કિસ્સાઓમાં તેને તેથી વધુ સમયનો ગર્ભ હોય તો તેણે ગર્ભપાતથી વંચિત રહેવું પડતું હતું, જ્યારે પરિણીત મહિલાને 24 અઠવાડિયાનાં ગર્ભ સુધી ગર્ભપાતનો હક મળતો હતો. 30મી સપ્ટેમ્બર, 2022ના ચુકાદામાં 20-24નો ભેદ જ કાઢી નાખવામાં આવતા અપરિણીત મહિલા પણ 24 અઠવાડિયાના ગર્ભથી મુક્તિ મેળવી શકે એ છૂટ અપરિણીત મહિલાને મળી. પરિણીત અને અપરિણીતને સમાન ગણવા ‘પતિ’ ને બદલે કાયદામાં સુધારો કરી ‘પાર્ટનર’ શબ્દ મૂકવામાં આવ્યો. આ ફેરફારને લીધે પરિણીત કે અપરિણીત મહિલાને સુરક્ષિત ગર્ભપાતની મંજૂરી શક્ય અને સરળ બની.
કેટલાક કિસ્સાઓમાં એવું પણ બને છે કે પતિ, પત્નીને બળજબરીથી ગર્ભવતી કરે છે, તો તેને મેરિટલ રેપ ગણીને કાયદાએ પત્નીને પણ ગર્ભપાતની મંજૂરી આપી છે. આમ કરીને કાયદાએ સ્ત્રીઓને તેની ઈચ્છા વિરુદ્ધ આવતી ગર્ભાવસ્થા અંગે સ્વતંત્ર નિર્ણય લેવાની અનુકૂળતા કરી આપી છે. એ આ કાયદામાં આવેલો સૌથી મોટો સુધારો છે. સ્ત્રીનો પોતાનાં શરીર પર અધિકાર છે ને ગર્ભ તેની ઈચ્છા વિરુદ્ધ સ્થપાયો હોય તો તે રાખવા કે ન રાખવા અંગેનો નિર્ણય લેવાની તક એમ.ટી.પી. કાયદા દ્વારા તેને આપવામાં આવી છે. એ રીતે આ ઐતિહાસિક ચુકાદો છે. એક તરફ અમેરિકા જેવા એડવાન્સ્ડ લોકશાહી રાષ્ટ્રને ગર્ભપાતના કાયદાની છોછ ન હતી, પણ એ છૂટનો દુરુપયોગ થતાં ગયે વર્ષે ગર્ભપાતનો કાયદો જ રદ્દ કરી દેવાયો છે. એની સામે પણ ત્યાંની મહિલાઓ રસ્તા પર ઊતરી છે. એ વિચારીએ તો ભારતનાં ન્યાયતંત્રે વ્યાપક અને ઉદારમતવાદી વલણ અપનાવ્યું છે ને બંધારણની કલમ 14ને ધ્યાને લઈને પરિણીત અને અપરિણીત મહિલાઓને સમાન ગણી છે. ગર્ભપાત સંદર્ભે પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચે જે ભેદ કાયદામાં રખાયો હતો તે દૂર કર્યો છે ને તમામ મહિલાઓને ગર્ભપાતનો અધિકાર અપાયો છે.
એક બાબત બહુ સ્પષ્ટ છે કે પરિણીત કે અપરિણીત સ્ત્રી ઇચ્છિત બાળકને જન્મ આપવાનું આનંદથી સ્વીકારશે, પણ ન જોઈતા ગર્ભને, ન જોઈતાં સંતાનને, શરીરમાં રાખવાનું ને તેને ઉછેરવાનું દબાણ તેનાં પર ઊભું કરી શકાય નહીં. આ માનવતાની વિરુદ્ધ છે. સમાન અધિકારની વિરુદ્ધ છે. ઘણા સમયથી સ્ત્રીઓને આપણે અનેક પ્રકારનાં દબાણ અને શોષણ હેઠળ રાખી છે. એમાં કાનૂની રાહે કેટલાક સુધારાઓ આવતા સ્ત્રીઓને થોડી મોકળાશ મળે એમ બને. ઘણાંને સ્ત્રીઓ સ્વચ્છંદી બનવાનો ભય લાગે કદાચ, પણ ત્યાં પણ કાયદો, કાયદાની રીતે કામ કરી શકે એમ છે. જોવાનું એ રહે કે કાયદાની છટકબારીઓ શોધીને તેનો દુરુપયોગ ન થાય. કાયદાઓ તો છે જ, પણ વ્યવહારમાં એનો કેવો ને કેટલો દુરુપયોગ થાય છે તે કોઇથી અજાણ્યું નથી. એમાં વાંક કાયદાનો નથી, એનો ગેરલાભ લેવાની વૃત્તિ રાખનાર માનસિક્તાનો છે. એ પણ છે કે આપણે ત્વરિત ન્યાયથી ઘણી બાબતોમાં ઘણા દૂર છીએ. તે એટલો મોંઘો છે કે તેનાં કરતાં અન્યાય વેઠી લેવાનું સહેલું અને સસ્તું પડે. કોઈ રીતે ન્યાય સરળ અને સસ્તો અને ત્વરિત મળે એ સ્થિતિનું નિર્માણ થવું જોઈએ. આજે તો ન્યાય એવે સમયે મળે છે જ્યારે તેની કોઈ લાભદાયી અસર તે મેળવનારને ન રહે. તેને તો એ રીતે પણ અન્યાય જ થાય છે. એ સ્થિતિમાં ગર્ભપાતનો બદલાયેલો કાયદો ખરેખર સ્ત્રીઓનું કેટલું હિત કરી શકશે તે જોવાનું રહે. હા, એટલું છે કે જ્યાં આટલું થયું છે ત્યાં બાકીની ખોટ પણ આવનારો સમય પૂરશે. આશાવાદી થવા સિવાય કોઈનો છૂટકો નથી. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘સ્ત્રી સશક્તિકરણ’ નામક લેખકની કટાર, ‘મેઘધનુષ’ પૂર્તિ, “ગુજરાત ટુડે”, ઑક્ટોબર 2022
![]()


पिछले 210 साल के ब्रितानी इतिहास में सबसे कम – 42 साल – उम्र के, अश्वेत, हिंदू धर्मावलंबी ऋषि सुनक को इंग्लैंड का प्रधानमंत्री बनाना इंग्लैंड के लिए और भी और कंजरवेटिव पार्टी के लिए भी संतोष भरे गर्व का विषय होना चाहिए. अपने सामाजिक-आर्थिक-राजनीतिक जीवन के एक अत्यंत नाजुक दौर में, पार्टी ने हर तरह के भेद को भुला कर, अपने बीच से एक ऐसा आदमी खोज निकाला है जो उसे लगता है कि उसके लिए अनुकूल रास्ता खोज सकता है. उसका यह चयन कितना सही है, यह समय बताएगा लेकिन यह खोज ही अपने आप में इंग्लैंड को विशिष्ट बनाती है. सुनक की कंजरवेटिव पार्टी भारत के लिए बहुत अनुकूल नहीं रही है लेकिन आज की बदलती दुनिया में, पुरानी छवियां खास मतलब नहीं रखती हैं. आज जो है वही आज के मतलब का है. भारत को भी और इंग्लैंड को भी जरूरत है एक-दूसरे से नया परिचय करने की और सुनक इसे शायद आसान बना सकेंगे.
सुनक एक प्रतिबद्ध, समर्पित ब्रितानी नागरिक हैं जैसा कि उन्हें होना चाहिए. उनका विवाह एक भारतीय लड़की से हुआ है. उस भारतीय लड़की का परिवार- नारायण-सुधामूर्ति परिवार- भारत के सबसे प्रतिष्ठित व संपन्न परिवारों में ऊंचा स्थान रखता है. इस लड़की से शादी के बाद सुनक इंग्लैंड के सबसे अमीर 250 लोगों में गिने जाते हैं. इसके अलावा सुनक का कोई तंतु भारत से नहीं जुड़ता है. न ऋषि सुनक भारत में जनमे हैं, न उनके माता-पिता, यशवीर व उषा सुनक का जन्म भारत में हुआ है. उनके दादा-दादी जरूर अविभाजित भारत के पंजाब के गुजरानवाला में पैदा हुए थे जो विभाजन के बाद पाकिस्तान में चला गया. दादा-दादी परिवार ने भी अर्से पहले गुजरानवाला छोड़ दिया था और अफ्रीका जा बसे थे जहां से 1960 में, अर्द्ध-शताब्दी पहले वे इंग्लैंड जा बसे. जिस तरह अमरीका के राष्ट्रपति बराक ओबामा केन्या में जनमे थे और ईसाई धर्म में आस्था रखते हैं, ठीक वैसे ही सुनक इंग्लैंड में जनमे, हिंदू धर्म में आस्था रखते हैं. हमें अपनी सोनिया गांधी से सुनक को समझना चाहिए जिनका जन्म इटली में हुआ, जो जन्ममना ईसाई धर्म की अनुयायी हैं लेकिन एक भारतीय लड़के से शादी कर भारतीय बनीं तो आज उनका कोई भी तंतु इटली से पोषण नहीं पाता है. धर्म की परिकल्पना एक संकीर्ण बाड़े के रूप में करने वालों के लिए सोनिया व सुनक जैसे लोग एक उदाहरण बन जाते हैं कि धर्म निजी चयन व आस्था का विषय है, होना चाहिए लेकिन उससे नागरिकता या पहचान तय नहीं की जा सकती है. सुनक के मामले में ऐसा कर के हम इंग्लैंड के अंग्रेजों में मन में नाहक संकीर्णता का वह बीज बो देंगे जो कहीं है नहीं. यह न भारत के हित में है, न इंग्लैंड के.
જો કે એટલા મેસેજિસ ને વીડિયો ફરે છે કે એમાં શુભેચ્છાઓ પહોંચવાની શક્યતાઓ ઓછી જ છે, છતાં સૌને અઢળક અભિનંદનો. દિવાળીનો તહેવાર રાષ્ટ્ર તો ઊજવે જ છે, પણ અમેરિકા જેવા દેશે પણ હવે દિવાળીની રજા જાહેર કરી છે. એ ઉપરાંત ઈંગ્લેંડ ને અન્ય દેશોમાં પણ દિવાળીનો કોઈકને કોઈક રીતે મહિમા છે, એ પરથી પણ દિવાળીનું વૈશ્વિક મહત્ત્વ સમજાય એવું છે. એમ તો ક્રિસમસ પણ ભારત ઊજવે જ છે ને એમાં પણ વર્ષને વિદાય આપવાની અને નવાં વર્ષને આવકારવાની જ વાત છે. બંનેમાં મહિમા તો અજવાળાંનો જ છે. એકમાં દીવો છે, તો એકમાં મીણબત્તી છે. આપે તો બંને પ્રકાશ જ છે. બંને તહેવારોમાં ફટકડાઓ ફૂટે છે, આતશબાજીઓ થાય છે. આ એવો પ્રકાશ છે, જે સૂર્યને વિકલ્પે છે. કરોડો દીવા એક સૂર્યની સામે નિસ્તેજ છે, પણ એ દીવાના આપણે સૌ ઋણી છીએ, કારણ સૂર્ય નથી હોતો, ત્યારે એ ઝગમગે છે. એમ તો લાખો દીવા અયોધ્યામાં પ્રગટ્યા છે, પણ એ આખી આયોધ્યાને અજવાળી નહીં શકે એમ બને, તેથી એવું નથી કે દીવો ન પ્રગટાવવો. ભગવાન રામ લંકાવિજય કરી અયોધ્યા પધાર્યા તેનો મહોત્સવ પ્રજાએ દીવડાં પ્રગટાવીને કર્યો ને જે એ ન પ્રગટાવી શક્યાં એમણે હૈયાનો હરખ પ્રગટાવ્યો. એ અજવાસ હજી ઓછો નથી થયો. એ એટલે પણ મહત્ત્વનો છે, કારણ, ઊર્મિલાનો વિરહવાસ પણ એ નિમિત્તે પૂરો થાય છે. એણે તો લક્ષ્મણ વગર મહેલમાં પણ વનવાસ જ ભોગવ્યો છે.