Opinion Magazine
Number of visits: 9453395
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતીય લેખકોને પી.ઈ.એન. (PEN) ઇન્ટરનેશનલનું સમર્થન

ડૉ. રૂપાલી બર્ક|Opinion - Literature|4 November 2015

માનવ-અધિકારોની હિમાયત કરતી અને સાહિત્ય તથા અભિવ્યક્તિ – સ્વાતંત્ર્યને પ્રોત્સાહન આપતી સંસ્થા પી.ઈ.એન. (PEN) ઇન્ટરનેશનલની સ્થાપના ૧૯૨૧માં લંડનમાં બ્રિટિશ કવિ, નાટ્યકાર અને શાંતિ કર્મશીલ સી.એ. ડૉસનસ્કૉટ દ્વારા કરવામાં આવી હતી. આ બિનરાજકીય આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં મંત્રણાત્મક દરજ્જો અને યુનેસ્કોમાં સહાયક દરજ્જો ધરાવે છે. હાલ ૧૦૦ દેશોમાંથી ૨૫,૦૦૦ લેખકો PEN ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા છે.

૧૭ ઑક્ટોબર, ૨૦૧૫ના રોજ કૅનેડાના ક્યુબેક શહેરમાં PEN ઇન્ટરનેશનલની ૮૧મી કૉંગ્રેસ દરમિયાન સંસ્થાએ લેખકો અને કલાકારોની હત્યા દ્વારા સ્વતંત્ર અવાજોને દબાવી દેવાના પ્રયાસોનો વિરોધ કરતા ભારતીય લેખકો અને કલાકારોનું ઉત્કટ સમર્થન કર્યંુ છે. વિશ્વભરના ૭૩ દેશોના પ્રતિનિધિઓએ આવી વ્યક્તિઓને વધુ રક્ષણ પૂરું પાડવા અને ભારતની સંવૈધાનિક જોગવાઈ મુજબ વાણીસ્વાતંત્ર્યને સંરક્ષણ પૂરું પાડવાનો અનુરોધ કર્યો છે. PEN લેખકોએ આ તમામ બાબત તેમના સમર્થનના નિવેદનમાં વ્યક્ત કરી છે, જે નીચે મુજબ છે :

ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે, છતાં ભારતમાં વધતી જતી અસહિષ્ણુતાનું વાતાવરણ એવું છે, જ્યાં સનાતની વિચારધારા અને અંતિમવાદને પડકારનાર, વધુ હુમલાપાત્ર બની ગયા છે.

સાર્વજનિક જીવનના ત્રણ બૌદ્ધિકોની હત્યા થઈ છે. PEN ઇન્ટરનેશનલ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરાયેલ એમ.એમ. કલબુર્ગી, ગોવિંદ પાનસરે અને નરેન્દ્ર દાભોલકરના મૃત્યુ પર શોક જાહેર કરે છે અને આ ગુનો આચરનારાને શોધીને ધરપકડ કરવાનો ભારત સરકારને અનુરોધ કરે છે.

કલબુર્ગી ભારતના સૌથી ઉચ્ચ સાહિત્યિક પુરસ્કારમાંનાં એક, સાહિત્ય અકાદેમી પુરસ્કારથી સન્માનિત કરાયેલા હતા તેમની હત્યા બાદ, અકાદેમીના કેટલાક સભ્યોએ વિરોધ રૂપે રાજીનામાં આપ્યાં અને ઘણા લેખકોએ પુરસ્કાર પરત કર્યા હોવા છતાં અકાદમીએ મૌન સેવ્યું છે.

પુરસ્કાર પરત કર્યા હોય તેવા લેખકોના હેતુઓ પર ભારત સરકારના બે મંત્રીઓએ પ્રશ્ન ઉઠાવ્યા છે. ભારતના હાલના વાતાવરણમાં જાહેર રીતે જાહેર મતભેદ વ્યક્ત કરવા માટે હિંમત જરૂરી છે. નીચે દર્શાવેલ જેઓએ પુરસ્કાર પરત કર્યા છે અને અકાદમીના સભ્યપદ કે તેના સંચાલકમંડળમાંથી રાજીનામાં આપ્યાં છે, તેમની હિંમતને PEN ઇન્ટરનેશનલ સલામ કરે છે અને તેમનું ઉત્કટ સમર્થન કરે છેઃ

ઉદયપ્રકાશ, નયનતારા સહગલ, અશોક વાજપેયી, રહેમાન અબ્બાસ, સારાહ જૉસફ, કુમાર વીરભદ્રપ્પા (કુમવી), મંગલેશ ડબરાલ, રાજેશ જોશી, કેકી દારૂવાલા, ક્રિશ્ના સોબતી, ગણેશ દેવી, વીરન્ના મદીવલર, ટી.સતીષ જાવરે ગૌડા, સંગમેશ મેનાસીના ફાઈ, હનુમંથ હલીગરી, શ્રીદેવી અલુર, ચિદાનંદ સલી, ગુરબચન સિંહ ભુલ્લર, અજમેર સિંગ ઔલખ, આતમજીત સિંગ, વરયામ સંધુ, જી.એન. રંગનાથ, ડી.એન. શ્રીનાથ, એન. શ્રીનિવાસ, એન. શિવદાસ, મેઘરાજ મિત્તર, ઈ.વી. રામક્રિષ્ણન, કે. એસ. રવિકુમાર, એસ.આર. પ્રસાદ, ગુલામ નબી ખ્યાલ, રહેમત તરીકરી, સુરજીત પત્તર, બલદેવ સિંગ સડકનામા, જસ્વીન્દર, દર્શન બુત્તર, અનિલ જોશી, અમન સેઠી, ચમનલાલ, પ્રદન્યા પવાર, ભાઈ બલદીપ સિંગ, હોમેન બોરગોહેન, નિરૂપમા બોરગોહેન, મન્દાક્રાંતા સેન, ચંદ્રશેખર પાટિલ, ઇબ્રાહીમ અફઘાન, મુકુંદ કુલે, ઉર્મિલા પવાર, મિલિન્દ માલશે, રાજીવ નાયક, મોહન પાટિલ, હરિશ્ચંદ્ર થોરાટ, સંજય ભાસ્કર જોશી, ગણેશ વિસપુતે, દલીપ કોર ટિવાના, કે. સચ્ચિનંદ, પી.કે. પરાક્કાવડુ, અરવિંદ મલાગટ્ટી અને શશી દેશપાંડે.

આ દુઃખદ ઘટનાક્રમ અંગે ભારતના સાંસ્કૃitક મંત્રી મહેશ શર્માએ કરેલું વિધાન ‘જો તેઓ (લેખકો) કહે છે કે તેઓ લખવા પામતા નથી, તો તેમણે લેખન બંધ કરવું જોઈએ, પછી આપણે જોઈશું,’ PEN ઇન્ટરનેશનલને ખૂબ ચિંતાજનક લાગે છે.

કૅનેડાના ક્યુબેક શહેરમાં PEN ઇન્ટરનેશનલની ૮૧મી કૉંગ્રેસમાં ભાગ લેવા આવેલા વિશ્વભરના લેખકો ભારતીય સાહિત્યની વ્યાપકતા, વિવિધતા અને શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરનારા આ લેખકોને સલામ કરે છે.

વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતું લોકશાહી ભારત પોતાના સંવિધાનના ઉચ્ચ આદર્શો મુજબ વર્તે, જેથી પ્રત્યેક ભારતીય એવા દેશમાં જીવી શકે, જ્યાં ‘મન ભયમુક્ત અને મસ્તિષ્ક ઉન્નત હોય’ એવી PENની અપેક્ષા છે.

PEN લેખકોનાં ઉપરના વિધાનના બિડાણ સાથે PENના પ્રમુખ જૉન રાલ્સ્ટન સૉલે ભારતના રાષ્ટ્રપતિ, ભારતના વડાપ્રધાન અને સાહિત્ય અકાદમીના પ્રમુખને સંબોધી નીચે મુજબ પત્ર લખ્યો છે. (પત્ર તારીખ ૧૭ ઑક્ટોબર, ૨૦૧૫)

કૅનેડાના ક્યુબેક શહેરમાં આયોજિત PEN ઇન્ટરનેશનલની ૮૧મી કૉંગ્રેસમાં ઉપસ્થિત ૧૫૦ દેશોમાંથી આવેલા લેખકોએ વિખ્યાત વિદ્વાન અને બૌદ્ધિક એમ.એમ. કલબુર્ગીની હત્યા બાદ ઊભા થયેલા સંકટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે મને, PEN ઇન્ટરનેશનલના પ્રમુખ તરીકે તમારા સુધી અમારો દૃઢ મત પહોંચાડવાનો અનુરોધ કર્યો છે કે ભારતીય સમાજ અને સંસ્કૃિતની શ્રેષ્ઠતમ પરંપરાઓ અને ચોક્કસ, ભારતીય સંવિધાનના આધાર અને આત્મામાંના લેખકો અને કલાકારો સહિત, પ્રત્યેકના હક્કોનું રક્ષણ કરવા તાત્કાલિક પગલાં લેવામાં આવે.

આ માટે, પોતાના મંત્રીઓ વિવિધ મતો પ્રત્યે સહિષ્ણુ છે, એવી ખાતરી ભારત સરકારે લેખક અને કલાકાર-સમુદાયને આપવી ઘટે.

વધુમાં, એમ.એમ. કલબુર્ગી, નરેન્દ્ર દાભોલકર અને ગોવિંદ પાનસરેની હત્યા અંગે સરકારે તટસ્થ અને ત્વરિત તપાસ કરાવવાની અને હત્યારાઓને સજા કરવાની ખાતરી કરવી જોઈએ.

અકાદેમીના પુરસ્કાર પરત કરનાર પચાસથી પણ વધુ નવલકથાકારો, વિદ્વાનો, કવિઓ અને જાહેરક્ષેત્રના બૌદ્ધિકોનું અમે ઉત્કટ સમર્થન કરીએ છીએ અને તેમની હિંમત બિરદાવીએ છીએ.

(નોંધ : www.pen-international.org પર ઉપલબ્ધ સામગ્રીનું ભાષાંતર-સંકલન)

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2015; પૃ. 04

Loading

4 November 2015 admin
← કરુણ-રમૂજી ઘટનાક્રમોનો સિલસિલો
મરવા વાસ્તે જીવવાનો ધરમ →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved