Opinion Magazine
Number of visits: 9447103
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભગવદગોમંડળની અવનવી વાતો

કાન્તિ ભટ્ટ|Opinion - Opinion|5 July 2017

મહાન ફિલોસોફર રુસોએ આપણને શિખામણ આપેલી કે ‘કોઈ પણ માણસને તમારી ફૂટપટ્ટીથી માપશો નહીં કે તમારા મતથી જજ કરશો નહીં. આમ કરશો તો તમે એકલાએ ભૂલ નહીં કરી હોય. કોઈ પણ નિષ્ફળ જંગમાં એક પક્ષ હારે ત્યારે કોઈને કોઈની ભૂલ થઈ હોય જ છે. આજે આ લેખ હું મહાન ગુજરાતી સંદર્ભગ્રંથ ‘ભગવદગોમંડળ’ વિશે લખું છું. મારો વિચાર છે કે હું તમને ‘ભગવદગોમંડળ’ નામનાં ગુજરાતી એન્સાઈક્લોપીડિયાની વાત કરું. આ ગ્રંથ પ્રગટ કરવામાં એક કાઠિયાવાડી નામે ગોપાલ પટેલે કેવો રસ દાખવ્યો હતો, તે વાત કહેવી છે.

મોરારિબાપુને વિભાવના શબ્દનો અર્થ સમજાયો નહીં

મહાન કથાકાર મોરારિબાપુ મિડલ સ્કૂલમાં ભણતા, ત્યારે અમે હાઈસ્કૂલમાં ભણતા હતા. તેઓ વાંચનનો નેહડો છોડતા નથી. એ વાંચનના ગાળામાં તેના જાણવામાં ‘વિભાવના’ શબ્દ આવ્યો. પણ મોરારિબાપુને વિભાવના શબ્દનો અર્થ સમજાયો નહીં. તેનો અર્થ ભગવદગોમંડળમાં હતો. વિભાવના એટલે કલ્પના, તકરાર, તજવીજ, સત્યને તપાસવું અને વિભાવના એટલે એક અર્થાલંકાર. આ બધા અર્થ ભગવદગોમંડળમાં છે.

આપણે ગૌરવ લેવું જોઈએ કે ગોંડલના ભગવતસિંહજીએ આપણને ગુજરાતી ભાષાના લભગભ તમામ શબ્દોના અર્થ આપ્યા. એટલે મને જાણવાનું મન થયું કે જગતમાં આજે સૌથી મોટો એન્સાઈક્લોપીડિયા કયો? એન્સાઈક્લોપીડિયા બિટાનિકા? ના, ના. ‘ધ અરેબિક લેજિસ્લેશન’ મોટામાં મોટો એનસાઇક્લોપીડિયા છે. આ વાત મને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાંથી જાણવા મળી. લિબિયાના વિદ્વાન કાજી – વિદ્વાન મોહમ્મદ બિન યુનિસે 1,64,000 પાનાંનો અરેબિક સંદર્ભગ્રંથ 200 જેટલા ભાગમાં પ્રગટ કર્યો છે. તે ગ્રંથોનું કુલ વજન જ 925 રતલ થતંુ હતું. તમામ આરબ દેશના કાનૂનોનો અર્થ એ સંદર્ભગ્રંથમાં છે. ‘ધ અરેબિક લેજિસ્લેશન’ કે ભગવદગોમંડળ. તેમાં બન્નેમાં મુસ્લિમ કાનૂનો વિસ્તારથી છે.

એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન

એનસાઇક્લોપીડિયા ગ્રીક શબ્દ છે. ગ્રીક અર્થ પ્રમાણે એનસાઇક્લોપીડિયા એટલે સામાન્ય જ્ઞાન અગર શિક્ષણ કે જ્ઞાનની દરેક શાખાનું જ્ઞાન – આ ગ્રંથમાં દરેક શાખાનું જ્ઞાન છે. જો કે ચીન સુધી નજર દોડાવીએ, તો 1738માં 240 જેટલા ભાગમાં ચીની એનસાઇક્લોપીડિયા છપાયેલો – ચીનનો આ ‘યૂ હાઈ એનસાઇક્લોપીડિયા’ છે. આ ઇતિહાસની વાત માથાકૂટ જેવી લાગશે, પણ જાણવું જોઈએ કે પ્રથમ મોડર્ન એનસાઇક્લોપીડિયા ફ્રેંચનો છે તે (1751) જૂનામાં જૂનો છે. પરંતુ અત્યારે આપણે રાજકોટના પ્રવીણ પુસ્તક ભંડારના પ્રવીણભાઈ પટેલ વિશે જાણીએ. તેઓ 66 વર્ષની ઉંમરે પણ સાડા પાંચ વાગ્યે ઊઠીને 4 કિલોમીટર ફરવા જાય છે. મોટો દીકરો મિહિર એમ.બી.એ. કરીને પિતા સાથે ગુજરાતી પુસ્તકો વેચવાનો ધંધો સંભાળે છે.

ગ્રંથના તમામ ભાગ સંપાદિત

આપણે ચંદુભાઈ બેચરદાસ પટેલને પણ યાદ કરવા જોઈએ તેમણે આ ગ્રંથના તમામ ભાગ સંપાદિત કર્યા. આખો ગ્રંથ પ્રગટ કરતા પહેલાં મહાત્મા ગાંધીજીને પ્રસ્તાવના લખવા વિનંતી કરી. ત્યારે ગાંધીજી તો ભગવદગોમંડળને તૈયાર કરવામાં જે જે લેખકોએ મહેનત કરી તેમનાથી પ્રભાવિત થઈ ગયા. આ ગ્રંથોમાં બે લાખ શબ્દો વપરાયા છે. ગુજરાતી પ્રજાને આવો ધુરંધર ગ્રંથ આપ્યો તે બદલ ધન્યવાદ. પણ હું આ જબ્બર પુરુષાર્થ જોઈને એટલો પ્રભાવિત થયો છું કે એક પ્રસ્તાવના લખવાની મારી ક્ષમતા જોતો નથી.

લગભગ વીસ હજાર શબ્દો ભેગા કર્યા

જો કે, અફસોસની વાત એ છે કે આજે ભગવદગોમંડળની બીજી આવૃત્તિ, જે 2008માં 2000 નકલો છપાઈ, તેમાંથી હજી 1000 નકલ જ વેચાઈ છે. પણ ભગવતસિંહજીએ રાજવટ મૂકીને ભગવદગોમંડળના ‘સહસંપાદક’ તરીકે પૂરો ભાગ ભજવેલો છે. આ ‘શબ્દકોષ’ કે ‘શબ્દ- જ્ઞાનકોષ’ તૈયાર કરવામાં મદદ કરી હોય, તેની કદર ભગવતસિંહજી કરતા. એ જમાનામાં 90 વર્ષ પહેલાં નવો શબ્દ સૂચવાનારને એક આનાથી માંડીને રાણી છાપના ચાંદીના એક રૂપિયાના સિક્કાનું ઈનામ આપતા. ચારણો, બારોટો, ભરવાડો પાસેથી પણ અનેક નવા શબ્દો મળી આવતા. ઘણી વખત મહારાજા પાસે નોટબુક ન હોય, તો તેમના પહેરણ ઉપર પેન્સિલથી નવા શબ્દો અને અર્થ લખી નાખતા. આ બધાં કામને છાપવા માટે મુંબઈથી ખાસ ટાઇપો બનાવનારાને બોલાવીને ગોંડલમાં ટાઇપ ફાઉન્ડ્રી શરૂ કરાવી. મહારાજાએ લગભગ વીસ હજાર શબ્દો ભેગા કર્યા. આજે રાજકોટના ગોપાલ પટેલે પોણા ત્રણ લાખ શબ્દોના અર્થવાળા ભગવદગોમંડળના 9 ભાગ પ્રગટ કર્યા છે.

ભગવદગોમંડળ માટે ખાસ કાગળ તૈયાર કરી આપ્યો

1956માં ભગવદગોમંડળના તમામ ગ્રંથો વેચાઈ ગયેલા. ગુજરાતમાં દાહોદની કૉલેજમાં જૂના ગ્રંથો હતા, તે ચોરાઈ ગયા હતા. હદ તો એ વાતની થઈ કે ભગવદગોમંડળના નવેનવ ગ્રંથ કોઈ પટાવાળાએ પસ્તીમાં વેચી દીધા હતા! તે પસ્તી ખરીદનારે તેના રૂ. 6000 ઉપજાવ્યા હતા. ભારતની કોઈ પણ ભાષામાં હજી આ પ્રકારનો જ્ઞાનકોષ તૈયાર થયો ન હોવાનો ગોવિંદભાઈનો દાવો છે. ગોંડલની નગરપાલિકાના પુસ્તકાલયે ઘણા ગુજરાતી પ્રકાશકોને વિનંતી કરી, પણ લગભગ 100 વર્ષ જૂના આ ગ્રંથોના પ્રકાશનમાં કોઈને રસ ન પડ્યો, પણ મૂળ ઉપલેટામા ખેતી કરનારા પ્રવીણભાઈ અને ગોપાલભાઈ રાજકોટમાં નાનકડી સર્ક્યુલેટિંગ લાઈબ્રેરી ચલાવતા હતા. તેમણે પુસ્તકોનો વેપાર હાથ ધર્યો. કોઈ હાથ અડાડતા નહોતા, તેવા ભગવદગોમંડળનું પ્રકાશન હાથ ધર્યુ. આ ગ્રંથોને છાપવા માટે જ 70 (સિત્તર) ટન જેટલો કાગળ વપરાયો છે. નવ ગ્રંથોનું વજન પચાસ કિલો જેટલું થાય છે. બેલારપુર મિલે ભગવદગોમંડળ માટે ખાસ કાગળ તૈયાર કરી આપ્યો.

સૌજન્ય : ‘આસપાસ’, નામક લેખકની કોલમ, “દિવ્ય ભાસ્કર”, 05 જુલાઈ 2017 

Loading

5 July 2017 admin
← મંથરા જીવે છે!
નર્મદા બચાઓ આંદોલનની યાત્રા પર જુલમ →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved