Opinion Magazine
Number of visits: 9506331
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભાષણોમાંથી ક્યારે મુક્ત થઈશું?

ગાંધીજી|Gandhiana|6 September 2023

આજે મને ભાષણ કરવા માટે અત્યારે અડધો કલાક અને સાંજના એક કલાક મળી દોઢ કલાક સુધીનો વખત આપવામાં આવ્યો છે. પણ તેટલો બધો વખત સુધી [ભાષણ] આપવું અને તેને તમારે પચાવવું, એ મારી સત્તા બહાર છે. મારે જ્યાં બોલવાનું થાય છે, ત્યાં હું ટૂંકથી જ પતાવું છું. હું 30 વર્ષ સુધી ઘણું ભટક્યો છું. મેં જોયું છે કે જ્યાં અત્યંત બોલવાનું હોય છે, ત્યાં કામ કરવાનું ઘણું જ ઓછું હોય છે અને એ દોષ આખા હિંદુસ્તાન ઉપર મુકાતો આવ્યો છે. આ દોષ માટે આપણે લાયક છીએ. માત્ર ભાષણો અને વ્યાખ્યાનોનો ખોરાક મળે છે, એમાંથી ક્યારે મુક્ત થઈશું?

આપણી જિંદગીમાં જેટલો વખત ભાષણો સાંભળવામાં આપણે ગાળ્યો છે તેટલો જ વખત જો કાર્ય કરવામાં ગાળ્યો હોત તો આજે હિંદુસ્તાન સ્વરાજના પગથિયા ઉપર આવ્યું હોત. વ્યાખ્યાનો સાંભળવાથી કાંઈ સ્વરાજ મળવાનું નથી. સ્વરાજ તો બલિદાન આપવાથી અને લાયકાત મેળવવાથી જ મળે છે. ભાષણ માટે રાખવામાં આવે છે તેટલો વખત જો અત્રે બેઠેલ માણસને એક્કેક પાવડો આપી, અત્રે જેટલી જમીન છે તેટલી ખોદાવી તેમાં કાંઈ વાવેતર કરવામાં આવે તો આવતે વર્ષે કાંઈ ને કાંઈ પણ સારો પાક ઊગશે જ.

માત્ર વ્યાખ્યાનો સાંભળવાથી કામો થતાં હોય અને આપણાં દરદો મટતાં હોય, તો ઘણે ઠેકાણે ભાગવતનાં પારાયણો થાય છે અને તે સાંભળવાને ઘણા શ્રોતાઓ બેસે છે પણ કેટલાંક તો ઝોકાં ખાતાં હશે. માત્ર સાંભળવાથી બધું મળી જતું હોય તો પછી બીજું કર્તવ્ય કરવાની જરૂર જ નથી. બ્રાહ્મણો કથા-પુરાણ વાંચે, એટલે આપણો ઉદ્ધાર થયો. આમ હિંદુસ્તાનના લોકોને સાંભળવાનો, બોલવાનો અને પોતાનાં વખાણો કરવાનો બહુ શોખ છે. તે કાર્યમાં તેઓ ગાંડાતૂર બની જાય છે. પણ આમ કરતાં જો મૌન ધારણ કરવામાં આવે, તો તેથી ઘણું શીખવાનું મળી શકે તેમ છે. બોલવાથી કોઈ જાતનું મનન થઈ શકતું નથી પણ તમે કોઈ પણ કાર્ય કરશો તો તેમાંથી લોકોને સાર-અસાર ગ્રહણ કરવાનો મળશે.

પરિષદો અને ભાષણો, એ બધાંથી હું થાક્યો છું અને હું મારો અવાજ સાંભળીને પણ હવે કંટાળી ગયો છું. કાર્ય કરવામાં જે મનોબળ જોઈએ, તે નહીં હોવાથી પરિષદો મેળવીએ છીએ. આખા દેશમાં એમ થાય છે.

મને આ સભાઓમાં અને આ ઠરાવોમાં શ્રદ્ધા નથી. સભાઓ ભરવી અને એમાં ઠરાવો પસાર કરવા, એ કેવળ સમયની બરબાદી છે.

આપણે માટે હવે પરિષદો ભરવાનો કાળ ગયો છે અને કાંઈક કરી બતાવીને છાનામાના બેસી જવાનો કાળ આવ્યો છે, કારણ કે એવું કાર્ય કરી બતાવ્યા પછી જે કાંઈ બોલાશે, તેની અસર લોકો ઉપર જુદી હશે.

તમે જોશો તો યુરોપમાં આપણા દેશની માફક વ્યાખ્યાનો થતાં નથી. કારણ તેઓને સાંભળવાની ફુરસદ નથી. તેઓ હાલ પ્રગતિમાં છે તેવી પ્રગતિમાં આવવા માટે આપણે સરકાર પાસે હકો માંગવાના અને મેળવવાના છે. એ હકો મેળવવા માટે બાથ ભીડવાની જરૂર છે. તેવા હકો મેળવવા માટે આપણે લાયક થવાની જરૂર છે. માટે વાંચી, વિચાર કરી, અનુકરણ કરી, સરકાર સાથે સત્યને રસ્તે બાથ ભીડવાને લાયક બનો.

તમે જો એક ઘડીભર પણ એમ માનતા હશો કે આધ્યાત્મિક જીવન શબ્દ દ્વારા શિખવાડી શકાય છે, તો તમે ભૂલો છો. મેં પણ ઘણાં ભાષણોનો સ્વાદ ચાખ્યો છે. હું એટલું કહેવા ઇચ્છું છું કે આપણે ભાષણો કરવામાં આપણી સામગ્રી લગભગ સાવ વાપરી ચૂક્યા છીએ. આપણાં કાનને કે આંખને ખોરાક મળે એ જ કંઈ પૂરતું નથી. આપણાં હૃદયને પણ પોષણ મળવું જોઈએ અને આપણાં હાથપગ પણ ચાલવા જોઈએ.

[માત્ર] લખાણો આપણને કોઈ પણ દહાડો સ્વરાજ નથી અપાવવાનાં. ગેમે તેટલાં ભાષણો પણ આપણને સ્વરાજ માટે લાયક નથી કરી શકવાનાં. આપણું ચારિત્ર્ય આપણને સ્વરાજ માટે લાયક બનાવશે. મારા આખા જાહેર જીવન દરમિયાન મને લાગ્યું છે કે આપણને જે વસ્તુની જરૂર છે તે એક જ છે — અને તે ચારિત્ર્યની ખિલવણી.

આપણા મહાન દેશભક્ત ગોખલેએ એમ કહ્યું છે કે જ્યાં સુધી આપણી મનોકામનાને ટેકો આપવા આપણી પાસે ચારિત્ર્યરૂપી બળ નથી, ત્યાં સુધી આપણને કંઈ મળશે નહીં, આપણે કશાને માટે લાયક થશું નહીં.

(મૂળે 1916માં સુરત, કાશી, મદ્રાસ, અમદાવાદ, મુંબઈમાં આપેલાં ભાષણોમાંથી સંકલન)
[‘હિતરક્ષક’, ઓક્ટોબર 2006]
સૌજન્ય : ‘અકાલ પુરુષ’, સળંગ અંક 97, મે–જૂન : 2023; પૃ. 05

Loading

6 September 2023 Vipool Kalyani
← સાઉદી અરેબિયાના અનુભવો  
શું આપણા શાસકોમાં ચીનને આંબી જવાની ઇચ્છાશક્તિ ખૂટે છે ? →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved