Opinion Magazine
Number of visits: 9570293
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બેશરમીની બધી હદો પાર થઈ ચૂકી છે

અશ્વિનકુમાર ન. કારિયા, અશ્વિનકુમાર ન. કારિયા|Opinion - Opinion|13 October 2020

આઠ વર્ષ અગાઉ દિલ્હીમાં થયેલ નિર્ભયા બળાત્કારકાંડથી દેશ આખો હચમચી ઊઠ્યો હતો. તેના પગલે નિયુક્ત જસ્ટિસ વર્મા સમિતિએ કરેલ ભલામણો અનુસાર સંબંધિત કાયદાઓમાં સુધારો થયા બાદ પણ પરિસ્થિતિ સુધરી નથી. હાથરસનો બનાવ નિર્ભયાકાંડ કરતાં એક ડગલું આગળ છે.

પોતાના ખેતરમાં ચારો લેવા ગયેલી આ દલિત કન્યા પર થયેલા હિચકારા હુમલાને વર્ણવતાં તેની માતાના શબ્દોમાં ‘મારી દીકરીનો નગ્ન દેહ ખેતરમાં પડ્યો હતો. તેની જીભ બહાર નીકળી ગઈ હતી. મોંમાંથી લોહી નીકળતું હતું. આંખો ફાટી ગઈ હતી. ગુપ્ત ભાગમાંથી પણ લોહી નીકળી રહ્યું હતું. મેં તરત જ મારી સાડીનો પાલવ તેની પર ઢાંકી દીધો અને બૂમો પાડી.’

આ બાબતે કાયદો બહુ સ્પષ્ટ છે. તરત જ પ્રથમ બાતમી અહેવાલ (F.I.R) નોંધાવો જોઈએ. જો પીડિતાને હૉસ્પિટલ સારવાર માટે મોકલવાની જરૂર હોય, તો તેનાં કપડાં સાચવી રખાવાં જોઈએ અને હૉસ્પિટલમાં તેને થયેલ ઇજાઓની નોંધ થવી જોઈએ. પોલીસે ફોજદારી કાર્યરીતિ સંહિતા કલમ 164 મુજબ, મૅજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતાનું નિવેદન લેવાની વ્યવસ્થા કરવી જોઈએ. જો પીડિતા મૃત્યુ પામે તો પોસ્ટમોર્ટમ બાદ પીડિતાનો મૃતદેહ તેના કુટુંબને સોંપાવો જોઇએ.

હાથરસના બનાવમાં પોલીસ સ્ટેશનથી આ દલિત કન્યાને હૉસ્પિટલ ખસેડાઈ. સપ્ટેમ્બર ૨૧-૨૨ના રોજ ગંભીર સ્થિતિ વચ્ચે પીડિતાએ હુમલાખોરોનાં નામ જણાવ્યાં હતાં. બનાવના બે અઠવાડિયાં બાદ તેને વધુ સારવાર અર્થે દિલ્હીની સફદરગંજ હોસ્પિટલ મોકલવામાં આવી. અલીગઢ હૉસ્પિટલમાં મૅજિસ્ટ્રેટ દ્વારા પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. દિલ્હી સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મોત બાદ પોલીસે મૃતદેહનો કબજો લઇ લીધો હતો. કુટુંબીજનોના વિરોધ વચ્ચે રાત્રિના અઢી-ત્રણ વચ્ચે અગ્નિસંસ્કાર કરાયો હતો. આ બનાવ નજરે જોનાર પત્રકાર તનુશ્રી પાંડે કહે છે કે કુટુંબીજનોની આજીજી વચ્ચે પોલીસે તેમને કહ્યું, ‘ગલતિયાં બહુત હુઈ હૈ, અબ ઉન્હે સુધારની હૈ.’ પોલીસનો જૂઠો દાવો છે કે કુટુંબીજનોની સંમતિથી અને તેમની હાજરીમાં જ અગ્નિસંસ્કાર કરાયો હતો.

વાત માત્ર આટલેથી અટકતી નથી. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઘા ઉપર મીઠું ભભરાવે છે. ફોરેન્સિક લેબોરેટરી રિપોર્ટના આધારે તેમણે ઉચ્ચાર્યું કે કરોડરજ્જુને થયેલ ઈજાના કારણે મૃત્યુ થયું છે. તપાસમાં કોઈ શુક્રાણુ મળી આવ્યા નથી અને કોઈ બળાત્કાર થયો નથી. બનાવનાં બે અઠવાડિયાં બાદ નમૂનાઓ લેવામાં આવે તો આટલા લાંબા સમય બાદ શુક્રાણુની હાજરી ભાગ્યે જ નોંધી શકાય. બળાત્કારનો ગુનો પુરવાર કરવા માટે યોનિપ્રવેશ પૂરતો છે. શુક્રાણુની હાજરી અનિવાર્ય નથી. પીડિતાએ હુમલાખોરોનાં નામો સાથે બળાત્કાર થયાનું નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું.

અલાહાબાદ હાઇકોર્ટે પોતાની મેળે આ ઘૃણિત બનાવની નોંધ લીધી છે અને ઠરાવ્યું કે દરેકને ગૌરવપૂર્વક જીવનનો અને મૃત્યુ પછી અંતિમ વિધિનો હક છે. બંધારણમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ કે લિંગ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મુકાયો છે. પણ બંધારણનો અમલ કરવાની જવાબદારી હોય તે જો જાતિ-જ્ઞાતિ આધારિત સમીકરણોથી સત્તા ભોગવતા હોય, ત્યારે આ બંધારણીય જોગવાઈનો  કોઈ અર્થ રહેતો નથી.

(મીનીકા ગુરુસ્વામી, ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ પરથી)

સૌજન્ય : “નિરીક્ષક” સાપ્તાહિક ડિજિટલ આવૃત્તિ; 12 ઑક્ટોબર 2020; પૃ. 15

Loading

13 October 2020 admin
← એક માણસને સારી રીતે જીવવા કેટલા રૂપિયા જોઈએ?
નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે, સફળતાનો યશ બીજાને આપે તે ખરો નેતા →

Search by

Opinion

  • ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો ! 
  • શતાબ્દીનો સૂર: ‘ધ ન્યૂ યોર્કર’ના તથ્યનિષ્ઠ પત્રકારત્વની શાનદાર વિરાસત
  • સો સો સલામો આપને, ઇંદુભાઇ !
  • અ મેસી (Messie / Messy ) અફેરઃ ઘરનાં છોકરાં ઘંટી ચાટે, ઉપાધ્યાયને આટો
  • ચલ મન મુંબઈ નગરી—320

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • ગાંધીસાહિત્યનું ઘરેણું ‘જીવનનું પરોઢ’ હવે અંગ્રેજીમાં …
  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા

Poetry

  • ગઝલ
  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved