Opinion Magazine
Number of visits: 9448807
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બાપુનું સંસ્મરણ

હમીદ કુરેશી|Gandhiana|25 June 2025

ગાંધીજીએ પોતાના જીવનમાં ત્રણ લડતો લડી. લુઈ ફિશર એ ત્રણ લડતો આમ ગણાવે છે : (1) બ્રિટિશ સામ્રાજ્ય સામે (2) ભારત સામે (3) જાત સામે. ગાંધીજી ત્રણેમાં મહાન યોદ્ધા પુરવાર થયા. એમણે આઝાદી અપાવી, પહેલી લડતના ફળરૂપે; બીજી લડતમાં એમણે ભારતમાં જ્યાં જ્યાં ખરાબીઓ જોઈ, બદીઓ જોઈ ત્યાં લડત આપી, અને સમાજ સુધારા કર્યા, જેના કારણે આપણે એમને રાષ્ટ્રપિતા કહીએ છીએ; અને ત્રીજી લડાઈમાં એમણે સત્ય શોધવાનો પ્રયત્ન કર્યો, સત્યના પ્રયોગો એમણે પોતાની જાત ઉપર કર્યા, જેથી આપણે એમને મહાત્મા કહીએ છીએ.

એ મહાત્માની અસર આજે ક્યાં ક્યાં છે ? ભારત આજે (1968) એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. મને ઘણી વાર ધન્યતા લાગે છે, કે પાકિસ્તાન જેવા ધર્મઆધારિત રાષ્ટ્રની પાસે જ આવેલા આપણા દેશમાં રાષ્ટ્રપ્રમુખ તરીકે એક મુસ્લિમ વ્યક્તિ છે, આપણી વરિષ્ઠ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિ એક મુસ્લિમ સજ્જન છે. આ વસ્તુ ગાંધી વિચારધારાને કારણે જ શક્ય થઈ શકે.

ગાંધીજીના અંતેવાસી બનવાનું સૌભાગ્ય મને સાંપડયું નહોતું, કારણ કે અમે એ વખતે બહુ નાનાં હતાં. પરંતુ કાલક્રમે હું એકવાર પંચગનીમાં એમને મળવા ગયો હતો, અને અમારે ઘણી વાતો થઈ હતી. ત્યારે એક બૌદ્ધ સાધુ આવ્યા હતા એમની સાથે પણ ગાંધીજીએ ત્રણેક કલાક ચર્ચા કરી. ત્યાર પછી લૉર્ડ વેવેલનો બ્રોડકાસ્ટ થયો અને બીજા દિવસે પંડિત નેહરુ, મૌલાના આઝાદ, સરદાર, શંકરરાવ દેવ વગેરે છૂટવાના હતા, એવા સમાચાર આવ્યા. કેટલા ય પત્રકારો, કેટલી દોડાદોડ! અને બીજે દિવસે સવારે સરદાર પટેલ, શંકરરાવ દેવ વગેરે બીજા નેતાઓ આવી પહોંચ્યા. આખો દિવસ ધમાલ ધમાલમાં ગયો. ગાંધીજીએ એ દિવસે પેલા બૌદ્ધ સાધુને ફરી બોલાવ્યા હતા. પણ એ આવ્યા ત્યારે વાત તો ન થઈ શકી, ગાંધીજીએ એમને લખેલો એક કાગળ આપ્યો – કોને ખબર એ ધમાલમાં એમણે ક્યારે, કેવી રીતે એ લખ્યો!

મારે ત્યાંથી પાછા ફરવાનું થયું, બાપુજીને મેં જણાવ્યું હતું કે હું સાડા દશની બસમાં જવાનો હતો. દશ-સવા દશે એમણે મને બોલાવ્યો, કહ્યું કે વલ્લભભાઈના ડાહ્યાભાઈ આવ્યા છે, એની સાથે તું મોટરમાં મુંબઈ જજે. બાપુજી ભૂલ્યા નહિ. આશ્રમની દોઢસો વ્યક્તિઓમાંની એક નાની વ્યક્તિ (હું) જવાની છે, એને સાથ શોધી આપ્યો. ખૂબ કામમાં હોવા છતાં આ સાદી, નજીવી વાત ભૂલ્યા નહીં! (જો કે ડાહ્યાભાઈ ભૂલી ગયા, અને મારે તો બસમાં જ જવું પડ્યું!)

‘નિરીક્ષક’ 17-11-1968ના અંકમાંથી.
24 જૂન 2025
સૌજન્ય : નંદિતાબહેન મુનિની ફેઇસબૂક દીવાલેથી સાદર – ક્રમાંક – 343

Loading

25 June 2025 Vipool Kalyani
← શું મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીનો અધિકાર છે?
ઇન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો? →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved