Opinion Magazine
Number of visits: 9552905
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બંધારણના એક અને અનન્ય ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 January 2018

ડો. બાબાસાહેબ આંબેડકર દલિતો-પીડિતોના અધિકારો માટે જીવનભર સંઘર્ષ કરનાર સંઘર્ષવીર, સામાજિક ન્યાય અને સમાનતાના લડવૈયા, પ્રકાંડ પંડિત, કુશળ રાજનીતિજ્ઞ અને આર્ષદ્રષ્ટા મહામાનવ તરીકે તો જાણીતા છે જ પણ ભારતીય બંધારણના એક અને અનન્ય ઘડવૈયા તરીકેની એમની ઓળખ કદી ન ભૂંસી શકાય તેવી છે.

આઝાદી પૂર્વે ઈ.સ. ૧૯૪૬માં કેબિનેટ મિશન યોજના મુજબ યોજાયેલી ચૂંટણી પછી પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વમાં કામચલાઉ સરકાર રચાઈ હતી. આ સમય દરમિયાન બંધારણના ઘડતરનું કામ પણ ચાલતું હતું. બંધારણ સમિતિના સભ્યો ચૂંટવાનું કામ પ્રાંતિક ધારાસભાઓ દ્વારા થતું હતું. ડો. બાબાસાહેબ આંબેડકર માટે દલિતોના હકો માટે લડવાનું આ એકમાત્ર અંતિમ ક્ષેત્ર હતું. તેથી બંધારણ સભામાં એમનો પ્રવેશ અનિવાર્ય હતો. તો કોંગ્રેસ તેમના પ્રવેશમાં મુખ્ય અવરોધક હતી. મુંબઈ વિધાનસભામાં એમની ઉમેદવારીને ટેકો આપનાર કોઈ નહોતું એટલે તેઓ બંગાળમાંથી બંધારણ સભાના સભ્ય બન્યા.

૧૩મી ડિસેમ્બર ૧૯૪૬ના રોજ બંધારણ સભાની  બેઠક મળી. તેમાં મુસ્લિમ લીગ અને દેશી રાજ્યોના પ્રતિનિધિઓ ગેરહાજર હતા. તેથી બંધારણસભાના એક સભ્ય ડો. એમ.એમ જયકરે બંધારણસભાનું કામ થોડો સમય મુલત્વી રાખવા પ્રસ્તાવ મૂક્યો. જેની તરફેણ અને વિરોધમાં દલીલો થઈ. પ્રમુખની વિનંતીથી ડો. આંબેડકરે બંધારણસભામાં તેમનું પ્રથમ પ્રવચન આપ્યું. ડો. આંબેડકરના જીવનીકાર ધનંજય કીરે લખ્યું છે, “એક વિશાળ મસ્તક, મક્કમતાથી ભીડાયેલા હોઠ, લંબગોળ તેજસ્વી ચહેરો ધરાવતું એક પ્રચંડ વ્યક્તિત્વ ઊભું થયું. અત્યંત ગંભીરતાથી ભાષા પરના અમર્યાદિત પ્રભુત્વ અને અડગ હિંમત સાથે ડો. આંબેડકરે પોતાનું પ્રવચન શરૂ કર્યું. “બૌદ્ધિક તટસ્થતા અને વાસ્તવિકતાના રણકાર સાથેના એ પ્રથમ પ્રવચનથી જ  ડો. બાબાસાહેબ આંબેડકરે બંધારણ સભાના સભ્યો પર અમીટ છાપ મૂકી હતી. તેમણે  કહ્યું હતું, “આપણે સૌ રાજકીય, સામાજિક અને આર્થિક બધી રીતે વિભાજિત છીએ. આપણે જુદી જુદી છાવણીઓમાં વહેંચાયેલા છીએ અને હું પણ આવી જ એક છાવણીનો નેતા છું. છતાં હું દ્રઢતાપૂર્વક માનું છું કે આવા સંજોગોમાં પણ દુનિયાની કોઈ તાકાત આ દેશને એક થતો રોકી શકશે નહીં.  આપણે એક પ્રજા તરીકે ચોક્કસ બહાર આવીશું.”

૧૫મી જુલાઈ ૧૯૪૭ના રોજ બ્રિટનની સંસદમાં હિંદ સ્વાતંત્ર્ય ધારો પસાર થતાં ભારતની બંધારણ સભા સાર્વભોમ બની. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારત પાકિસ્તાનના ભાગલા સાથે દેશ આઝાદ થયો. બંગાળના ભાગલાને કારણે બંગાળના સભ્યોની સંખ્યા ઘટી. જેમાં ડો. આંબેડકરનો સમાવેશ થતો હતો. આઝાદ ભારતના બંધારણના ઘડતર માટે જ્યારે દેશ નેતાઓ બ્રિટિશ બંધારણવિદ આયવરી જેનિંગ્સન પર નજર માંડી બેઠા હતા ત્યારે ગાંધીજીએ ‘ઘર આંગણે આંબેડકર છે ને’, એવો આદેશ કરેલો. ડો. આંબેડકરને બંધારણ સભાના સભ્ય તરીકે ચૂંટી લાવવાની જવાબદારી સરદાર પટેલના શિરે મૂકાઈ હતી. મુંબઈમાં જયકરના રાજીનામાથી ખાલી પડેલી બેઠક પર ડો. આંબેડકરને ચૂંટી લાવવા સરદારે તે સમયના મુખ્યમંત્રી બી.જી. ખેરને પત્ર લખી જણાવ્યું હતું કે, “તમારે ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ પહેલાં ડો. આંબેડકરને જીતાડવાની વ્યવસ્થા કરવાની છે.” (સરદાર પટેલ પત્રવ્યવહાર, ખંડ-૫, પ્રષ્ઠ-૧૩૯) મુંબઈ વિધાનસભામાંથી, કોંગ્રેસના સમર્થનથી બાબાસાહેબ બંધારણ સભાના સભ્ય બન્યા હતા. આજીવન કોંગ્રેસ વિરોધી હોવા છતાં વિશાળ રાષ્ટ્ર હિતમાં તેઓ આઝાદ ભારતના પ્રથમ પ્રધાન મંડળમાં કાયદા મંત્રી બન્યા હતા.

ભારતીય બંધારણની સાત સભ્યોની મુસદા સમિતિના અધ્યક્ષ તરીકે ડો. આંબેડકરની વરણી થઈ અને તેને કારણે સંવિધાનના નિર્માણનું મુખ્ય કાર્ય તેમના શિરે આવ્યું. “માત્ર દલિતોના હિતોની હિફાજત માટે જ હું સંવિધાન સભામાં  આવ્યો હતો.  આ સિવાય મારા મનમાં  બીજો કોઈ વિચાર નહોતો.” એમ કહેનાર ડો. આંબેડકરે ભાંગતી તબિયતે અપાર મહેનત અને લગનથી બંધારણના ઘડતરનું કામ કર્યું હતું. બંધારણ સભાની વિવિધ ૧૩ સમિતિઓમાં અને સમગ્ર બંધારણ સભામાં ભિન્નભિન્ન રાજકીય વિચારધારાના સભ્યોની સામેલગીરી અને ખુદ બંધારણનો મુસદ્દો ઘડનાર સમિતિના સભ્યોના અન્યત્રા રોકાણો છતાં ભારે ધીરજ અને કુનેહથી ડો. આંબેડકરે કામ કર્યું. મુસદ્દાની એકએક કંડિકાઓ પર વિચારવિમર્શ કરી સર્વસંમતિ સાધી ૨ વરસ, ૧૧ માસ અને ૧૭ દિવસોમાં કુલ ૧૬૫ દિવસની ૧૧ બેઠકોમાં આ કપરું કામ બજાવ્યું હતું.

બંધારણ સભાની અંતિમ બેઠકમાં બાબાસાહેબ આંબેડકરના આ અદ્દભુત કાર્યની સરાહના કરતાં બંધારણ સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું,: “બંધારણ સભાની મુસદા સમિતિના કાર્યનું હું પ્રત્યેક દિવસે નિરીક્ષણ કરતો આવ્યો છું.  મુસદા સમિતિના સભ્યોએ જે ઉત્સાહ, ચીવટ અને નિષ્ઠાથી આ કાર્ય પૂર્ણ કર્યું છે તેની ખાતરી બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં મને સવિશેષ છે. મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડો. આંબેડકરે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના આ મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યું છે. આપણે સાત સભ્યોની મુસદા સમિતિમાં નિમણૂક કરી હતી. એક સભ્યએ રાજીનામુ આપી દીધું  અને તે બેઠક કદી ભરવામાં  ન આવી. એક સભ્યનું મૃત્યુ થયું અને તે બેઠક પણ ખાલી રહી. એક સભ્ય અમેરિકા ચાલ્યા ગયા અને તેમની બેઠક પણ ખાલી રહી. એક સભ્ય દેશી રજવાડાંઓના પ્રશ્નમાં ગૂંચવાયેલા રહ્યા. એટલે વાસ્તવિક રીતે તો તે બેઠક પણ ખાલી જ હતી. એક બે સભ્યો આરોગ્ય અને બીજા કારણસર હાજર રહેતા નહોતા. એટલે બંધારણ ઘડવાની સમગ્ર જવાબદારી ડો. આંબેડકરના માથે જ આવી પડી હતી. અને તેમણે આવી પરિસ્થિતિ છતાં ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે .. આ બંધારણ સભા તે માટે તેમની ઋણી છે.”

બંધારણ સભાના અનેક સભ્યોએ પણ ડો. આંબેડકરના યોગદાનને મુક્ત રીતે બિરદાવ્યું હતું. બાબાસાહેબે બંધારણના ઘડવૈયા તરીકે દલિતોના હક્કોની હિફાજત કરી છે. બંધારણમાં દલિતોના અનામત સહિતના અધિકારો અને આભડછેટની નાબૂદી કરાવી છે. ગાંધીજીના ગ્રામ સ્વરાજના આદર્શની સદંતર અવહેલના કરી તેમણે બંધારણના કેન્દ્રમાં ગામડાંને નહીં વ્યક્તિને મૂકી છે. પંચાયતી રાજને માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી દલિતોને રંજાડનાર પંચાયતી રાજને બહુ મહત્ત્વ આપ્યું નહોતું. ભારતના બંધારણમાં કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય પુખ્તવયના તમામ નાગરિકોને મતાધિકાર અને મૂળભૂત અધિકારો અપાવ્યા છે.

ભારતનું બંધારણ ભીમ સ્મૃિત તરીકે પણ ઓળખાય છે. એચ.જે. ખાંડેકરે લખ્યું હતું, હું બંધારણને મહાર કાનૂન કહીશ. કેમ કે ડો.આંબેડકર મહાર હતા. હવે ભારતામાં મનુના કાયદાનું સ્થાન મહારનો કાયદો લેશે. જવાહરલાલ નહેરુના જીવનચરિત્રકાર માઈકલ બ્રેચરે  બાબાસાહેબને બંધારણના મુખ્ય નિર્માતા ગણાવ્યા હતા.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 29 જાન્યુઆરી 2018

Loading

29 January 2018 admin
← ગાંધી સમાજનું બદલાતું પર્યાવરણ
Seventy years on, Godse has risen again, replacing the Gandhi in some of us →

Search by

Opinion

  • વિવેકહીન વ્યક્તિપૂજાનું વહેણ દેશને કઈ દિશામાં લઈ જશે?
  • બચ્ચે મન કે સચ્ચે
  • હગ ડિપ્લોમસી અને આકરી પસંદગી: પુતિનની મુલાકાત અને ભારતની વ્યૂહરચના
  • ભારત નથી અમેરિકાને નારાજ કરી શકતું કે નથી રશિયાને છોડી શકતું
  • ચલ મન મુંબઈ નગરી —318

Diaspora

  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved