રાખે છે એક લાગણી મુજ ને અમીર જેમ
પ્રેમમાં ભાવભીનાં નેણે નીર ઉભરાતાં જેમ.
મોર મારા મનનો ગહકતો રહ્યો છે રાતભર,
દિલની વીણા પર પ્રેમની ગઝલ લખાતી જેમ.
દૂધ જેવી ચાંદીશી ઊર્મિઓ પ્રેમ રંગે વરસતી રહી,
મેઘ-ધનુ અમૃત ધારા વરસાવે ધરતી પર જેમ.
હર્ષની હેલીમાં પ્રેમ મદિરા જામ નવા છલકાવે,
આંસુઓ કોરા જિંદગીની સુરા પીવાતી જેમ.
રંગમય વાતાવરણ નશીલી આંખો મદિલી ક્ષણો,
છાની અછાની પ્રણયની આશાઓ ફળતી જેમ.
ઘાટકોપર, મુંબઈ
e.mail : bijaljagadsagar@gmail.com
![]()


આ પ્રકારની કેળવણી આપતી શિક્ષણસંસ્થાઓ સર્જવાનું સ્વપ્ન ઋષિવર્ય કેળવણીકાર નાનાભાઈ ભટ્ટે જોયું. આજથી 111 વર્ષ પહેલા – 1910માં એમણે ભાવનગરમાં ‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન’ની સ્થાપના કરી. વિદ્યાર્થીઓ-શિક્ષકો પરિવારની જેમ સાથે રહે અને વિદ્યાર્થીઓનું સર્વાંગી ઘડતર થાય એ એનો હેતુ. પછી 1937માં તેમણે આંબલા ગામમાં ફિન્લૅન્ડ-ડૅન્માર્કમાં સફળ થયેલી ફૉક સ્કૂલ જેવી દેશની સૌ પ્રથમ લોકશાળા ‘ગ્રામદક્ષિણામૂર્તિ’ની સ્થાપના કરી, જેને રાષ્ટ્રીય વિરાસતનો દરજ્જો પણ મળ્યો છે. ત્યાર પછી 1953માં એમણે કૃષિપ્રધાન દેશમાં જરૂરી એવી, વિવિધ ખેતીવિષયોને ઉચ્ચ શિક્ષણમાં સમાવતી, ગ્રામાભિમુખ કેળવણીને ઉજાગર કરતી અને ગાંધીજી પ્રેરિત નઈ તાલીમ કેળવણીને સમર્પિત દેશની સૌ પ્રથમ નિવાસી લોકભારતી ગ્રામવિદ્યાપીઠની સ્થાપના કરી.
ઈશોપનિષદના આ શ્લોકમાં ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’નું સચોટ અર્થઘટન છે. અવિદ્યાનો ‘અ’ નકાર નહીં, પ્રકાર સૂચવે છે. ‘અવિદ્યા’ એટલે ભૌતિક વિદ્યાઓ – કૌશલ્યો, જેની મદદથી મનુષ્ય સામાજિક કર્તવ્યો અને જવાબદારીઓ પાર પાડવાનું સામર્થ્ય મેળવે છે. ‘વિદ્યા’ એટલે અધ્યાત્મ, જેના વડે મનુષ્ય અમૃતત્વ પ્રાપ્ત કરે છે. લોકભારતીનું સ્વપ્ન, ‘વિદ્યા’ અને ‘અવિદ્યા’ બન્નેની પ્રાપ્તિથી દુન્યવી તેમ જ આંતરિક વિકાસ કરે તેવું મનુષ્યત્વ કેળવવાનું છે.